કોરોનાવાયરસ જન્ય કોવિડ-૧૯નો ભોગ બનેલા બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જૉન્સનને ગઇકાલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ પણ તેમની સ્થિતિ વધુ બગડેલી જણાતા તેમને...
કોરોના વાયરસના કેસોમાં વધારો થતા જાપાનના વડા પ્રધાન શિંજો આબેએ મંગળવારે ટોક્યો અને દેશના અન્ય 6 ભાગોમાં એક મહિના માટે કટોકટીની જાહેરાત...
દેશમાં કોરોનાવાયરસ મહામારીના પ્રસાર પર અંકુશ લગાવવા માટે લૉકડાઉન લગાવ્યા પહેલા જ માર્ચ મહિનામાં બેરોજગારી 43 મહિનાના ઉચ્ચસ્તમ સ્તર પર પહોંચી ગઇ...
કોરોનાના જોખમથી બચવા 21 દિવસનું લોકડાઉન લાગુ કરાયું હતં જે 14 એપ્રિલના રોજ સમાપ્ત થશે. જો કે અત્યારે સ્પષ્ટ નથી કે ત્યારબાદ...
કોરોનાવાયરસને રોકવા લોક ડાઉન ચાલી રહ્યું છે અને ૧૪૪ નું જાહેરનામું પણ પ્રસિદ્ધ હોવા છતાં ભરૂચમાં સસ્તા અનાજની દુકાનના સંચાલકો સામૂહિક રાજીનામાં...
સમગ્ર વિશ્વમાં હાલ કોરોનાની મહામારીને કારણે લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે અમરેલીના રાજુલાના વિસળિયા નેસડીમાં ઘરમાં ચાલતા કજિયાને કારણે માતાએ બે પુત્ર,...
કોરોનાના જોખમથી બચવા 21 દિવસનું લોકડાઉન લાગુ કરાયું હતં જે 14 એપ્રિલના રોજ સમાપ્ત થશે. જો કે અત્યારે સ્પષ્ટ નથી કે ત્યારબાદ...
પોતાના સમયની દિગ્ગજ ટેનિસ સ્ટાર અને માજી યુએસ ઓપન ચેમ્પિયન ગેબ્રિયેલા સબાટિનીને લાગે છે કે કોવિડ-19 રોગચાળાને કારણે 2020માં પ્રોફેશનલ ટેનિસની વાપસી...
ભારતે એન્ટિ-મેલેરિયલ ડ્રગ હાઇડ્રોક્સિક્લોરોક્વિનની નિકાસ પરનો પ્રતિબંધ આજે આંશિક રીતે ઉઠાવી લીધો હતો જેના પરિણામે આ દવા અમેરિકા તથા કોરોનાવાયરસના રોગચાળાથી સખત...
સુરત શહેરના કુલ કેસના 35 ટકા કેસ માત્ર રાંદેર વિસ્તારમાં આવ્યા હોવાની જાણકારી મનપા કમિશનર બંછાનિધિ પાની દ્વારા આપવામાં આવી છે. રાંદેર...
દક્ષિણ કોરિયાના ડાએગુ શહેરમાં ક્વોરેન્ટાઇનમાં મૂકવામાં આવેલા અને સાજા થઇ ગયેલા કેટલાક દર્દીઓને રજા આપી દેવાઇ તેના કેટલાક દિવસ પછી આ દર્દીઓમાં...
ભારતના વિવિધ ફિલ્મ ઉદ્યોગોના કલાકારો કોરોના વાયરસ પર જાગરૂતતા માટે એક શોર્ટ ફિલ્મ માટે એકઠા થયા. વર્ચ્યુઅલ રીતે પ્રસૂન પાંડે દ્વારા દિગ્દર્શિત...
સુરતમાં કોરોના વાયરસને કારણે મંગળવારે વધુ બે મોત નિપજ્યા છે. સુરતમાં કોરોના વાયરસથી મોતનો આંકડો 4 પર પહોંચ્યો છે. આ સાથેજ મંગળવારે...
કોરોનાના કહેર વચ્ચે સૌથી ખરાબ હાલત શ્રમજીવીઓની થઈ રહી છે. ગરીબોને ભોજન કરાવવા માટે સેવાભાવી સંસ્થાઓ તો આગળ આવી જ રહી છે...
કવૉરન્ટાઇનના નિયમોના ભંગ બદલ દિલ્હી પોલીસે 176 લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. આ એ લોકો છે જેમના ફોનના લૉકેશન ચકાસણી દરમિયાન તેમના...
વિશ્વભરમાં કોરોનાનો હાહાકાર છે. વિશ્વના 200 દેશોમાં કોરોનાએ પગપેસારો કરી દીધો છે. અને જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. ભારતમાં 4500 થીૂ...
ગયા મહિને ચીને માસ્ક અને વેન્ટિલેટરોથી ભરેલું એક વિમાન ઇટાલી મોકલ્યું હતું ત્યારે ઘણા એવું સમજ્યા હતા કે ચીન ઇટાલીની મદદ કરી...
સુરત શહેરમાં પોઝીટીવ કેસનો કુલ આંક 17 પર પહોંચી ગયો છે. જેમાં છેલ્લા બે દિવસમાં કુલ 6 પોઝીટીવ કેસ નોંધાતા તંત્રની ચિંતામાં...
કોરોના વાયરસને રોકવા માટે લેવામાં આવતા પગલાઓની વચ્ચે એક નવી માહિતી બહાર આવી છે જે લોકો માટે મુશ્કેલીનું કારણ બની શકે છે....
આખરે ભારતે યુએસને મેલેરિયા ડ્રગ હાઇડ્રોક્સાઇક્લોરોક્વિન અને બીજી મહત્વપૂર્ણ ડ્રગ પેરાસીટામોલની નિકાસને મંજૂરી આપી દીધી છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ખુદ વડા...
સુત્રોના જણાવ્યા પ્રમાણે કોરોના વાયરસને લઇને ૧૪ એપ્રિલ સુધીનું લોકડાઉન વધું લંબાવવું જોઈએ તેવુ રાજ્યોની વિનંતી પર કેન્દ્ર વિચાર કરી રહ્યું છે....
કોરોનાવાયરસના રોગચાળાએ અમેરિકાના અર્થતંત્રને જબરો ફટકો માર્યો છે અને હજી તો સ્થિતિ બગડતી જાય છે ત્યારે ફ્લોરિડામાં એક અજબ દ્રશ્ય જોવા મળ્યું...
વોટ્સએપ અને સોશ્યલ મીડિયા પર કોરોના વાયરસ અંગે ફેલાતી અફવાને લઈને વોટ્સએપે મોટો નિર્ણય લીધો છે. વોટ્સએપે મેસેજ ફોરવર્ડિંગને મર્યાદિત કરી દીધું...
સુરત જિલ્લા વહિવટી તંત્ર દ્વારા એપીએમસી શાક માર્કેટ આગામી 8 તારીખથી જાહેર કરી છે ત્યારે સુરત મહાનગર પાલિકા દ્વારા પણ શહેરીજનોના હિતમાં...
કોરોના વાયરસથી બુધવારે બપોર સુધીમાં દેશમાં ચાર લોકોનાં મોત નીપજ્યાં હતાં. મધ્યપ્રદેશના ઇન્દોરમાં 49 વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું. દર્દીને શહેરની શ્રી અરબિંદો...
મંગળવારે બપોરે 12 વાગ્યે રક્ષામંત્રી રાજનાથસિંહના નિવાસસ્થાને કોરોના સંકટને લઇને ગ્રૂપ ઓફ મિનિસ્ટર્સની બેઠક મળી હતી. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ પણ...
લંડનમાં વર્ષોથી સ્થાયી થયેલા અને મૂળ નવસારીના તબીબનું કોરોનાને કારણે નિધન થયું હોવાનું જાણવા મળે છે. તેઓ લંડનમાં કોરોનાના દર્દીઓની સારવારની જવાબદારી...
કોરોનાને કારણે સમગ્ર વિશ્વ પર ચિંતાના વાદળ ઘેરાયા છે દરમિયાન મંગળવારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેસને જાહેર કરેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં સમગ્ર...
ગુજરાતમાં કોરોના પોઝિટિવનો આંકડો 165 પર પહોંચી ગયો છે. આજે આણંદમાં કોરોના પોઝિટિવનો પહેલો કેસ નોંધાયો છે આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં હિંમતનગરમાં...
સુરતમાં આજે વધુ આઠ શંકાસ્પદ કોરોનાના દર્દીઓ સામે આવ્યા છે. સુરત મહાનગર પાલિકાની સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર રૂસ્તમપુરામાં રહેતા 62 વર્ષીય પુરૂષને...
બોલિવુડના સુપરસ્ટાર સલમાન ખાન ફરી એકવાર સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચામાં આવી ગયા છે. આ વખતે કારણ બન્યો છે તેમનો શર્ટલેસ ફોટો અને તેની સાથે લખાયેલું એક વિચારીત કેપ્શન. સલમાને પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ટોપલેસ ફોટો શેર કર્યો હતો, જેમાં તે ડિમ લાઇટવાળા રૂમમાં સોફા પર બેઠેલા જોવા મળ્યા હતા. ફોટામાં સલમાનનો ફિટ અને ટ્રાન્સફોર્મ થયેલો લુક જોઈને ફેન્સ આશ્ચર્યમાં પડી ગયા હતા.સલમાને આ ફોટા સાથે Alone અને Lonely વચ્ચેનો ફરક સમજાવતું એક લાંબું કેપ્શન લખ્યું હતું. તેમણે કહ્યું કે માણસ બે રીતે એકલો હોઈ શકે છે. એક Alone, એટલે પોતાની પસંદથી એકલા રહેવું, જ્યારે Lonely” એટલે જ્યારે કોઈ તમારી સાથે રહેવા માંગતું ન હોય. સલમાને આગળ લખ્યું કે હવે આ બંને વચ્ચેનો ફરક સમજવો અને આગળ શું કરવું તે દરેક વ્યક્તિએ પોતે નક્કી કરવાનું હોય છે.
આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર તરત જ ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. કેટલાક લોકોએ સલમાનની પોસ્ટને તેની પર્સનલ લાઈફ સાથે જોડીને જોવાનું શરૂ કર્યું, જ્યારે ઘણા ફેન્સે તેને જીવન અંગેનો એક ઊંડો વિચાર ગણાવ્યો. જોકે, સૌથી વધુ ધ્યાન ખેંચ્યું સલમાનની એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાનીની કમેન્ટે. સંગીતાએ સલમાનના ફોટા પર “Uff!” લખીને ફાયર ઇમોજી પોસ્ટ કરી હતી. તેની આ નાની કમેન્ટ સોશિયલ મીડિયા પર તરત જ વાયરલ થઈ ગઈ હતી. ફેન્સે બંનેના જૂના સંબંધોની યાદો ફરી તાજી કરી દીધી હતી. સલમાન ખાન અને સંગીતા બિજલાની 1980 અને 1990ના દાયકામાં બોલિવુડના સૌથી ચર્ચિત કપલમાં ગણાતા હતા. બંને લાંબા સમય સુધી એકબીજાને ડેટ કરતા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંનેના લગ્ન સુધીની તૈયારીઓ થઈ ગઈ હતી અને લગ્નના કાર્ડ પણ છપાઈ ગયા હતા. પરંતુ છેલ્લી ઘડીએ બંનેનો સંબંધ તૂટી ગયો હતો. તેમ છતાં, આજે પણ બંને વચ્ચે મિત્રતાભર્યો સંબંધ જોવા મળે છે અને અનેક પ્રસંગોએ તેઓ સાથે નજર આવ્યા છે.
સલમાનના નવા ફોટા બાદ ફેન્સ ખાસ કરીને તેમની ફિટનેસને લઈને પણ ચર્ચા કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે લખ્યું કે સલમાનને જોઈને વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે તે 60 વર્ષની નજીક છે. ઘણા લોકોએ તેમને “બોલિવુડનો સુલતાન” કહીને પ્રશંસા કરી હતી. સલમાન લાંબા સમયથી પોતાની ફિટનેસ અને જિમ વર્કઆઉટ માટે જાણીતા રહ્યા છે અને આજેય યુવાનો માટે ફિટનેસ આઈકન માનવામાં આવે છે. પરંતુ સલમાનની પોસ્ટને લઈને સોશિયલ મીડિયા પર વધતી અટકળો બાદ અભિનેતાને ફરી એક પોસ્ટ કરીને સ્પષ્ટતા પણ કરવી પડી હતી.
તેમણે લખ્યું કે તેઓ પોતાની વાત નહોતા કરી રહ્યા. સલમાને જણાવ્યું કે તેમની પાસે સુંદર પરિવાર, સારા મિત્રો અને કરોડો ચાહકો છે, તેથી તેઓ કેવી રીતે “લોનલી” હોઈ શકે? તેમણે કહ્યું કે ઘણી વખત લોકોની વચ્ચે રહીને થાકી જવાથી તેઓ પોતાને માટે થોડો સમય કાઢે છે, બસ એટલી જ વાત હતી.
સલમાને મજાકીય અંદાજમાં લખ્યું કે તેમની પોસ્ટ બ્રેકિંગ ન્યૂઝ બની ગઈ છે અને તેમની માતાએ પણ પૂછ્યું કે “ક્યા હુઆ બેટા?” અંતમાં સલમાને પોતાના ફેન્સને “ચિલ મારો” કહીને સમગ્ર ચર્ચાને હળવાશથી સમાપ્ત કરવાનો પ્રયાસ કર્યો હતો. સલમાન ખાન હાલમાં પોતાના આગામી પ્રોજેક્ટ્સને લઈને પણ ચર્ચામાં છે. તેમના નવા લુક અને ફિટનેસને જોઈને ફેન્સમાં વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર સલમાનનો આ ફોટો અને સંગીતા બિજલાનીની કમેન્ટ હજુ પણ ભારે વાયરલ થઈ રહી છે.