Gujarat

રાજ્યમાં કોરોનાના કેસ ઘટીને 644 નોંધાયા, અમદાવાદમાં 3 સહિત 10નાં મોત

રાજ્યમાં કોરોનાના વળતા પાણી થઇ રહ્યાં છે. નવા કેસોની સંખ્યામાં ધીરે ધીરે ઘટાડો થતાં આજે નવા કેસની સંખ્યાં 644 થઈ છે, તેની સાથે મૃત્યુઆંકમાં ઘટાડો નોંધાયો છે. આજે કુલ 10 દર્દીનાં મોત થયાં છે. આજે નવા કેસની સંખ્યા 644 નોંધાવા પામી છે. જ્યારે 1,675 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં સાજા થવાનો દર વધીને 97.11 ટકા થયો છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યામાં 13,683 વેન્ટિલેટર ઉપર 346 અને 13,337 દર્દીઓ સ્ટેબલ છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન આજે નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદ મનપામાં 93, સુરત મનપામાં 63, વડોદરા મનપામાં 92, રાજકોટ મનપામાં 27, ભાવનગર મનપામાં 02, ગાંધીનગર મનપામાં 08, જામનગર મનપામાં 19 અને જૂનાગઢ મનપામાં 06, કેસ નોંધાયા છે. જ્યારે સુરત ગ્રામ્યમાં 37, વડોદરા ગ્રામ્યમાં 38, જૂનાગઢ ગ્રામ્યમાં 22, ભરૂચમાં 11, રાજકોટ ગ્રામ્યમાં 29, આણંદમાં 14, અરવલ્લીમાં 13, વલસાડમાં 09, અમરેલીમાં 10, મહેસાણામાં 12, પંચમહાલમાં 09 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ 10 દર્દીનું મૃત્ય થયું છે. આજે થયેલા મૃત્યુમાં અમદાવાદ મનપામાં 3, સુરત ગ્રામ્ય, સુરત મનપા, વડોદરા ગ્રામ્ય, જૂનાગઢ ગ્રામ્ય, અમરેલી, જામનગર અને મહિસાગરમાં 1-1 મળી કુલ 10 દર્દીનું મૃત્યુ થયું છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ મૃત્યું આંક 9,965 થયો છે.

આજે 2,66,222 વ્યકિતઓને રસી આપવામાં આવી
18 થી 45 વર્ષ સુધીના વ્યકિતઓનો પ્રથમ ડોઝ 1,75,660, બીજો ડોઝ 11,609, જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરના પ્રથમ ડોઝ 37,426, બીજો ડોઝ 23,865, જ્યારે હેલ્થ કેર વર્કસ અને ફંટ લાઈન વર્કસનો પ્રથમ ડોઝ 3,674, અને બીજો ડોઝ 3,988 આમ કુલ 2,66,22 વ્યકિતઓને રસી આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં 1,91,80,865 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Most Popular

To Top