Gujarat Main

ગુજરાત હાઇકોર્ટની સુઓમોટો સુનાવણીમાં ગુજરાત સરકારને સળગતા સવાલ

ગુજરાતમાં કોરોનાની વકરતી પરિસ્થિતિને ધ્યાને લઈને સુઓમોટો ઓનલાઇન સુનાવણી રાખવામાં આવી હતી, જેમાં હાઇકોર્ટે ગુજરાત સરકારને આડેહાથે લીધી હતી અને રૂપાણી સરકારને રેમડેસિવીરની આવશ્યકતા સહિતના સળગતા સવાલો કર્યા હતા. સાથે જ VIP લોકોને RT-PCR રિપોર્ટ ફટાફટ મળે છે, સામાન્ય લોકોને કેમ 3થી 5 દિવસ લાગે છે તેવા સવાલો થકી ભ્રસ્ટાચારની પણ વાત સામે આવી હતી.

સુઓમોટો રીટ એટલે જ્યારે કોર્ટ સ્વયંસંજ્ઞાન લે ત્યારે સુઓમોટો કહેવાય જેમાં કોઈના દ્વારા અરજી કરવામાં નથી આવતી ખુદ જજ પોતે અરજી દાખલ કરે અને લોકહીતને ધ્યાને રાખીને નિર્ણય લે…!!! મહત્વની વાત છે કે નામદાર ગુજરાત હાઈકોર્ટે આજે ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ અંગે સુનાવણી હાથ ધરી છે. જેમાં ગુજરાત સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી રજૂઆત કરી રહ્યા છે. અને ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટીસ ભાર્ગવ ડી. કારિયાની બેંચે સુનાવણી હાથ ધરી છે. સાથે જ ગુજરાતના મુખ્ય સચિવ અનિલ મુકીમ, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતી રવિ અને આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે સુનાવણીમાં ઓનલાઇન ભાગ લઇ રહ્યા છે.

ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને કર્યા સુચન

  • લગ્નવિધિ-અંતિમવિધિ સિવાયનાં કાર્યક્રમ પર રોક લગાવવા સુચન
  • લગ્નમાં 100ને બદલે 50 લોકોની સંખ્યા કરવા સુચન
  • અન્ય કાર્યક્રમોમાં 8-10 લોકોથી વધુ લોકો ભેગા ના થાય
  • ઓફિસમાં બોલાવાતા લોકોની સંખ્યા ઘટાડવા સુચન
  • ઓફીસ સ્ટાફ 50 ટકા અથવા ઓલ્ટરનેટ થાય તે જરૂરી
  • માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું કડક પાલન જરૂરી
  • બુથ મેનેજમેન્ટની જેમ કોરોના મેનેજમેન્ટ કરો
  • નાના વેપારીને નુકસાન ના થયા તેનું ધ્યાન રાખો
  • હજુ પણ ઘણા સુધારા કરવા જરૂરી છે
  • રાજ્ય સરકારની અમુક નીતિથી અમે ખુશ નથી:CJ

આ ઓનલાઇન સુનાવણીમાં નામદાર હાઇકોર્ટ સમક્ષ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ રજૂઆત કરી હતી કે, ગુજરાતની સરખામણીમાં મહારાષ્ટ્રમાં માત્ર 2 જ કંપનીઓ ઇન્જેકશન બનાવે છે છતાં ત્યાં લાંબી લાઈનો નથી. ભારતમાં પ્રતિ દિવસ 1,75,000 રેમડેસિવીરની આવશ્યકતા છે. ગુજરાત સરકાર એક દિવસમાં 30 હજાર મેળવે છે. ખાનગી લેબોરેટરી વધારી છે અને 70 હજાર આર.ટી.પી.સી.આર ટેસ્ટ કરીએ છીએ. રાજય સરકારના પ્રયત્નોથી ઝાયડસ કેડિલાએ રેમડિસીવર ઈન્જેકશનના ભાવો પણ ઘટાડ્યા છે. જેથી સામાન્ય માણસોને ઈમરજન્સીમાં મળી રહે છે. આ લડાઈ સરકાર અને કોરોના વચ્ચેની લડાઈ નથી, પણ લોકો અને કોરોના વચ્ચેની લડાઈ બની ગઈ છે. રેમડેસિવિર ઈન્જેક્શન (Remdesivir) ની આવશ્યકતા સામાન્ય સંજોગોમાં હોતી નથી. પરંતુ હોમ આઈસોલેટ થયેલા દર્દીઓ પણ રેમડેસિવિરનો આગ્રહ રાખે છે. લોકોને વિનંતી કરુ છું કે રેમડેસિવિર ઇન્જેકશન માટે ભીડ ન કરો.

ગુજરાત હાઇકોર્ટે સવાલો કર્યા હતા કે તમે બીજા રાજ્યની ચિંતા છોડો ગુજરાતની વાત કરોઃ રેમડેસિવિરનો જથ્થો પુરતો છે લાઇન શા માટે? રાજ્ય સરકારે મીડિયામાં અહેવાલ ચાલે છે તે ખોટા છે જણાવી રેમડેસીવીરની સ્થિતિ બીજા રાજ્ય કરતા વધારે સારી છે તેવું જણાવ્યું હતું.. સુરતમાં વહેંચવામાં આવેલા રેમડેસીવીરના ઇન્જેક્શન ચેરિટી માટે હતા.. કમલ ત્રિવેદીએ વધુમાં જણાવ્યું કે, ધન્વન્તરી અને સંજીવની રથ એમ્બ્યુલન્સ દ્વારા ડોકટર હેલ્થ વર્કર પણ ઘરે-ઘરે ટેસ્ટીંગ અને ટ્રેકિંગ યોગ્ય રીતે કરે છે. ગુજરાત રાજયમા ઉપલબ્ધ ઓક્સિઝનના જથ્થા પૈકી 70 ટકા જથ્થો અનામત રાખતુ દેશનું એક માત્ર રાજય છે. આ જથ્થો આરોગ્ય માટે હોસ્પિટલોને ફાળવાય છે. 1262 પથારીઓ ઉપલબ્ધ છે અને નવી 956 વધારી રહ્યા છીએ એટલું જ નહીં કોવિડ કેર સેન્ટર પણ વધારી રહ્યા છીએ. ગુજરાત રાજ્યમાં કુલ 71021 પથારીઓ ઉપલબ્ધ છે. 1127 કોવિડ ડેડીકેટેડ હોસ્પિટલ કાર્યરત છે. સુરતમાં ટેસ્ટીંગ ટ્રેકીંગ અને ટ્રીટમેન્ટમાં લોકોને અવેરનેસ માટે વિશેષ ભાર અપાઈ રહ્યો છે.

Most Popular

To Top