National

હજુ સુધી યુનિ.એ ખાનગી કોલેજોમાં ફી ઘટાડાનો પરિપત્ર જ જાહેર કર્યો નથી!

વીર નર્મદ યુનિ. સલંગ્ન ખાનગી કોલેજોમાં ફી ઘટાડા અંગે યુનિ.એ સિન્ડીકેટના નિર્ણયના પખવાડિયા પછી પણ પરિપત્ર બહાર નહિં પાડતા અનેક તર્કવિતર્ક વહેતા થયા છે. યુનિ. માટે આ વર્ષે કોરોનાએ નવી મુશ્કેલીઓ ઉભી કરી છે. કોરોનાને પગલે યુનિ.એ ખાનગી કોલેજોમાં ફી ઘટાડો જાહેર કયો હતો. આ ફી ઘટાડા પછી સંચાલકો તેમજ શિક્ષકોને આર્થિક નુકસાન સહન કરવું પડે તેવી નોબત આવતા મામલો ગુંચવાયો હતો. યુનિ.એ ટયુશન ફીમાં પહેલા વીસ ટકા ઘટાડો જાહેર કર્યો હતો. પણ આ ઘટાડા સામે સંચાલકોએ પોતાની પરેશાની વ્યકત કરી ફી ઘટાડો પાછો ખેચવા માંગણી કરી હતી. ટયુશન ફીમાં ઘટાડાને પગલે તેની સીધી અસર શિક્ષકોના વેતન ઉપર પડે તેમ હતી.

આ કારણે શિક્ષકોએ પણ ફી ઘટાડાનો વિરોધ વ્યકત કર્યો હતો. આ અંગે વ્યાપક રજૂઆતો બાદ સિન્ડીકેટ સભાએ ગત 21 ડિસેમ્બરના રોજ ફરી વીસ ટકા ફી ઘટાડામાં ફેર નિર્ણય કરી ટયુશન ફી ઘટાડો 12 ટકા કયો હતો. આ ઉપરાંત એફિલિએશન ફી પણ માફ કરવા જાહેરાત કરી હતી. આ વાતને લાંબા સમય પછી યુનિ.એ ફી ઘટાડા અંગેના ફેર નિર્ણયનો પરિપત્ર બહાર નહીં પાડતા અચરજ ફેલાયું છે. સામાન્ય રીતે યુનિ. પરિપત્ર જાહેર કરવામાં પળભરનો ય વિલંબ કરતી નથી. પરંતુ ફી ઘટાડાના મામલે યુનિ.ના વિલંબે અનેક મુંઝવણો પેદા કરી દીધી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top