Entertainment

સૌરવ ગાંગુલીની બાયોપિકમાં આયુષ્માન ખુરાના નિભાવશે ગાંગુલીનો કિરદાર

બોલિવૂડ (Bollywood) ઈન્ડસ્ટ્રીએ સૌરવ ગાંગુલીના (Saurav Ganguli) જીવન પર આધારિત બાયોપિક (Biopic) બનાવવાનું નક્કી કર્યું છે જેમાં આયુષ્માન ખુરાના (Ayushyaman Khurana) મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. સૌરવ ગાંગુલીની બાયોપિક માટે આયુષ્માન ખુરાનાના નામની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી. અહેવાલો અનુસાર દાદા પોતે તેમની ફિલ્મમાં ખૂબ રસ દાખવી રહ્યા છે અને તેઓ આયુષ્માનને વ્યક્તિગત રીતે મળ્યા પણ હતા. આયુષ્માન અને સૌરવ બંને ડાબા હાથથી બેટિંગ કરે છે. આયુષ્માનને ફિલ્મમાં કાસ્ટ કરવા પાછળનું એક કારણ તેનું ડાબોડી હોવાનું પણ કહેવાય છે.

બોલિવૂડમાં અનેક સ્પોર્ટ્સ પર્સનાલિટીની બાયોપિક્સ બની છે. ઘણા સમયથી પૂર્વ ક્રિકેટર અને ક્રિકેટ કોમેન્ટેટર સૌરવ ગાંગુલીની બાયોપિક પર કામ કરવાની ચર્ચા ચાલી રહી છે. અગાઉ રણબીર કપૂરનું નામ તેમની બાયોપિકમાં તેમનું પાત્ર ભજવતા અભિનેતા તરીકે ચર્ચામાં હતું પરંતુ હવે સમાચાર છે કે આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના તેમની ભૂમિકા ભજવવા જઈ રહ્યો છે. peepingmoon.com ના અહેવાલ મુજબ અન્ય એક ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરની બાયોપિક પાઇપલાઇન પર છે કારણ કે બોલિવૂડ સ્ટાર આયુષ્માન ખુરાનાએ સૌરવ ગાંગુલીની ભૂમિકા માટે ઔપચારિક રીતે હસ્તાક્ષર કર્યા છે. વિક્રમાદિત્ય મોટવાણે આ ફિલ્મનું દિગ્દર્શન કરશે જ્યારે લવ રંજન અને અંકુર ગર્ગ આ સૌથી મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સના નિર્માતા હશે.

દર્શકોને હંમેશા બાયોપિક ફિલ્મો પસંદ આવી છે. ખાસ કરીને ખેલાડીઓ પર આધારિત ફિલ્મો લોકોને પસંદ આવી હતી. એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરીથી માંડીને ભાગ મિલ્ખા ભાગ સુધી આવી ઘણી બાયોપિક્સ છે જેને દર્શકો તરફથી ઘણો પ્રેમ મળ્યો છે. હવે સૌરવ ગાંગુલી પર બાયોપિક બનવા જઈ રહી છે. સૌરવ ગાંગુલીએ વર્ષ 2021માં પહેલીવાર તેઓની બાયોપિક ફિલ્મની જાહેરાત કરી હતી. આ પછી ફિલ્મને લઈને ઘણા અપડેટ્સ સામે આવ્યા છે.

જોકે પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે આ ફિલ્મમાં રણબીર કપૂર લીડ રોલમાં જોવા મળી શકે છે. કાર્તિક આર્યનનું નામ પણ ચર્ચામાં હતું પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે મેકર્સે આયુષ્માન ખુરાનાના નામને મંજૂરી આપી દીધી છે. ટૂંક સમયમાં આ ફિલ્મની શૂટિંગ શરૂ થાય તેવી શક્યતા છે. 34 વર્ષીય અભિનેતાએ તેનું શૂટિંગ શરૂ થાય તે પહેલાં ક્રિકેટની સઘન તાલીમ લેવી પડશે. ફિલ્મ 2024 ના બીજા ભાગમાં રિલીઝ થવાની સંભાવના છે.

રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા રજનીકાંત પણ સૌરવ ગાંગુલી ઉર્ફે દાદાની બાયોપિકનું નિર્દેશન કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બે નિર્દેશક અને નિર્માતા અંકુર ગર્ગ અને લવ રંજન તાજેતરમાં સૌરવને તેના બેહાલા ઘરે મળ્યા હતા અને ફિલ્મ વિશે વિગતવાર વાત કરી હતી. ફિલ્મની સ્ક્રિપ્ટ રાઈટિંગ થઈ ગઈ છે અને હવે પૂર્વ ક્રિકેટરના જીવનની કેટલીક રસપ્રદ વાતોને સામેલ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.

Most Popular

To Top