સુરતના (Surat) પાસના નેતા જીજ્ઞેશ મેવાસાએ સુરત કોંગ્રેસમાં મહામંત્રી પદેથી રાજીનામું આપી દીધુ છે. ત્યારે હવે કોંગ્રેસ પક્ષમાં શહેર મહામંત્રી ચંદુભાઈ સોજીત્રાએ...
નવી દિલ્હી (New Delhi): કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ (Senior Congress leader Gulam Nabi Azad) આજે રાજ્યસભામાંથી નિવૃત્ત થઈ રહ્યા છે. તેમના...
બોલીવુડથી વધુ એક દુ:ખદ સમાચાર આવી રહ્યા છે. રાજ કપૂરના સૌથી નાના પુત્ર અને રણધીર અને ઋષિ કપૂરના નાના ભાઇ રાજીવ કપૂરનું...
ઉત્તરાખંડ દુર્ઘટનામાં મૃતકોનો આંકડો 31 પર પહોંચ્યો છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે (Uttarakhand Chief Minister Trivendra Singh Rawat) મંગળવારે કહ્યું કે 1,500...
પટણા (Patna): મંગળવારે બિહારના CM નીતીશ કુમાર (Bihar CM Nitish Kumar) સરકારના મંત્રીમંડળનો વિસ્તાર થયો હતો. ગયા વર્ષે યોજાયેલી ચૂંટણીઓ પછી લાંબા...
પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડે ભારતને 227 રનથી હરાવ્યું હતું. ટીમ ઇન્ડિયા (TEAM INDIA)સામે 420 રનનો મોટો લક્ષ્યાંક હતો, જેની સામે ભારતની ટીમ માત્ર 192...
નવી દિલ્હી (New Delhi): એક સમયે સુરતના પોલીસ કમિશનર રહી ચૂકેલા રાકેશ અસ્થાનાનાને (Rakesh Asthana) લઇને મોટા સમાચાર આવ્યા છે. CBIએ તેના...
એક વિવાદાસ્પદ પગલામાં, ગૃહ મંત્રાલય (Ministry of Home Affairs-MHA ) ના સાયબર ક્રાઇમ સેલે એક નવો કાર્યક્રમ શરૂ કર્યો છે, જે અંતર્ગત...
સૌથી ચર્ચિત ક્રિપ્ટોક્રેન્સી (Cryptocurrency) બિટકોઇન (Bitcoin) ની વેલ્યૂ સોમવારે 13% ના વધારા સાથે નવી ઑલટાઈમ હાઈ લેવલ પર પહોંચી ગઈ. પહેલા ઇલેક્ટ્રિક...
નવી દિલ્હી (New Delhi): કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ (Senior Congress leader Gulam Nabi Azad) આજે રાજ્યસભામાંથી નિવૃત્ત થઈ રહ્યા છે. તેમના...
આજે સોના-ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. સોનામાં રૂ .94 નો ઉછાળો થયો અને તે 10 ગ્રામ દીઠ રૂ. 46,877 ના...
કાલોલ: ઝાલોદ કેળવણી મંડળ દ્વારા મંડળ ની માલિકી ના શોપિંગ સેન્ટર નું ધાબુ નિયમો નેવે મૂકી અને ફાળવી દેવામાં આવ્યું હોવાની ચર્ચાઓ...
કાલોલ: કાલોલ તાલુકાના બરોલા ગામમાં આવેલી બ્રિકેસ ઈટોના ભઠ્ઠામાં કામ કરતા પીરવાકાંત મેધનાથ કાઢી ઉ. વ ૪૫ મૂળ રે. ખુનીકાંગરા તા ધોધાવ...
કાલોલ: કાલોલ તાલુકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૈકી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સામાન્ય ચુંટણી જાહેર થવાને પગલે સોમવારથી ઉમેદવારો માટે ફોર્મ ભરવાની...
લુણાવાડા: મહીસાગર જિલ્લા પંચાયત અને છ(૬) તાલુકા પંચાયતોની ચૂંટણી યોજવા મહીસાગર જિલ્લા વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. મહીસાગર જિલ્લા પંચાયત અને તાલુકા...
ઉત્તરાખંડમાં રવિવારે જે તારાજી થઇ તેમાં અત્યાર સુધી ઘણી જાનહાનિ થઇ છે, એ સિવાય નુકસાનનો અંદાજ પણ ઊંચો છે. વરિષ્ઠ નેતા ઉમા...
વડોદરા: મને કડવા સવાલ પુછશો તો કોઈકને કહીને ઠોકાવી દઈશની ખુલ્લેઆમ ધમકી શિસ્તને વરેલા ભાજપ પક્ષના દબંગ નેતા અને વાઘોડીયા ધારાસભ્ય...
વડોદરા: અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવનાર દબંગ નેતાના પુત્રને ત્રણ સંતાનો હોવાના મામલે જિલ્લા પંચાયત કચેરીમાં ચૂંટણી અધિકારીએ ફોર્મ રદ્દ કરતા જ ઉશ્કેરાયેલા ધારાસભ્ય...
વડોદરા: વડોદરા મહાનગર પાિલકાની ચૂંટણીમાં ફોર્મ ચકાસણીની કાર્યવાહીમાં ભાજપને રામ રામ કરી અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવનાર રાજુ ઠક્કરનું ફોર્મ ટેકનીકલ ખામીને કારણે રદ્દ...
વડોદરા : વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણી માટે વિવિધ રાજકીય પક્ષના 461 ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે અને આ ચૂંટણી માટે 461 ઉમેદવારો મેદાનમાં...
સુરત: રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ (Local Body Polls-2021) જેમ જેમ નજીક આવી રહી છે. રાજકારણમાં રોજ નવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે....
પાદરા: પાદરા નગર પાિલકામાં સંભવીત ઉમેદવારોના નામોનું ભાજપા સંગઠનના ગાંધીનગરથી પેપર ફુટી જતાં પાદરા નગર પાિલકાના સ્થાિનક નેતાઓ હોદેદારો કાર્યકરો કપાયાની...
ઉત્તરાખંડમાં જ્યારે જ્યારે કોઇ દુર્ઘટના બને છે ત્યારે ત્યારે દોષનો ટોપલો કુદરતના માથા પર ઢોળી દેવામાં આવે છે. હકીકત એ છે કે...
વાસ્તવિકતા એ છે કે આપણા ધર્મમાં ગરબડ છે. એ બાબત આપણા બુધ્ધિજીવી વિદ્વાનો આપણાથી છુપાવે છે. ધર્મ વિશેની કોઇપણ ચર્ચાથી તેઓ એમ...
સનાતન ધર્મપ્રેમીઓ સહુ બહુધા આસ્તિકોએ એ વાત માથે ચઢાવેલી છે કે દેહધારી મનુષ્યનું આયુષ્ય ગર્ભગૃહે પિંડ બંધાતા પહેલા જ નિશ્ચિત થયેલું હોય...
હમણાં ટી.વી. ઉપર એક ઘટના જોઇ. પાકિસ્તાનમાં એક મુસ્લીમ ધર્મ ગુરુ, એક હિન્દુ યુવતીને ધર્મ પરિવર્તન કરાવે છે. હિન્દુ યુવતિના ચહેરા ઉપર...
તા.૧૮ જાન્યુઆરીના ગુજરાતમિત્રમાં શ્રી સુનીલ રા બર્મનનું ‘ દીકરી ‘ વિશેનું ચર્ચાપત્ર વાંચ્યું. તે વાંચ્યા પછી અન્યત્ર વાંચવામાં આવેલી, તેમણે જે લખ્યું...
કબ્રસ્તાનમાં એક કબર પાસે એક છ વર્ષનો નાનો છોકરો મોટા મોટા આંસુ સારીને રડતો હતો અને કંઈ ન સમજાય તેવું બોલતો જતો...
26 જાન્યુઆરીએ, દિલ્હીની હિંસાના મુખ્ય આરોપી દીપ સિધ્ધુને પોલીસે પકડ્યો છે. લગભગ 15 દિવસ સુધી ફરાર ચાલી રહેલો દીપ સિધ્ધુ મંગળવારે વહેલી...
બરડા ઉપર વીંછી ફરતો હોય એમ, યુવાની તો કાઢી નાંખી ને કાંઠે પણ આવી ગયા. પણ જીવવા જેવો જમાનો હવે આવ્યો! જેમ...
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
સુરતના (Surat) પાસના નેતા જીજ્ઞેશ મેવાસાએ સુરત કોંગ્રેસમાં મહામંત્રી પદેથી રાજીનામું આપી દીધુ છે. ત્યારે હવે કોંગ્રેસ પક્ષમાં શહેર મહામંત્રી ચંદુભાઈ સોજીત્રાએ પણ રાજીનામું આપી દીધું છે. એટલું જ નહીં પાસના સમર્થનમાં ચંદુભાઈ સોજીત્રાના પત્નીએ વોર્ડ નં-3માંથી ઉમેદવારી ફોર્મ પરત ખેચી લીધું છે. સુરતના વોર્ડ નંબર 3ના ઉમેદવાર કાનજી ભરવાડે પણ ફોર્મ પરત ખેંચી લીધુ હોવાની માહિતી મળી રહી છે. જ્યોતિ સોજીત્રા અને તેમના પતિએ ખૂબજ ભાવુક થતાં જણાવ્યું હતું કે પાટીદારો સાથે કોંગ્રેસે દગો કર્યો છે. જ્યારે જીજ્ઞેશ મેવાસાએ (Jignesh Mevasa) આ વિશે પોતાના ફેસબુક પર એક લાંબી પોસ્ટ કરી છે અને લખ્યુ છે કે કોંગ્રેસ પાટીદારોનું ઋણ ભૂલી ગઇ છે. તેમણે કોંગ્રેસ (Congress) પાર્ટીના નેતાઓ પર પાછલા બારણે ભાજપના નેતાઓ સાથે મળી જવાના આરોપો પણ લગાવ્યા છે.

પાસ દ્વારા પાટીદાર (Patidar) સમાજના સમર્થનમાં કોંગ્રેસ પક્ષ તરફથી ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનાર ઉમેદવારોને અપીલ કરી હતી કે સમાજના સમર્થનમાં ઉમેદવારીપત્ર પાછું ખેંચવામાં આવે, જેને ધ્યાનમાં રાખીને સમાજના સમર્થનમાં જ્યોતિબેન સોજીત્રાના પતિ ચંદુભાઈ સોજીત્રા કે જે કોંગ્રેસ પક્ષમાં શહેર મહામંત્રી છે તેમણે તેમના પદેથી રાજીનામું આપી દીધું છે. ત્યારે એ કહેવું ખોટું નથી કે સુરતમાં પાસ અને કોંગ્રેસ વચ્ચેનો વિવાદ વધુને વધુ વકરી રહ્યો છે. ઉપરાઉપરી રાજીનામા આપવામાં આવી રહ્યાં છે. પાસ અને કોંગ્રેસ વચ્ચેની લડાઈને કોંગ્રેસને જ ફટકો પડી રહ્યો છે તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.
આ પહેલા સવારે પાટીદાર અનામત આંદોલન સમિતિના સમર્થનમાં સુરત શહેર અને જિલ્લા કોંગ્રેસ મહામંત્રીએ રાજીનામું આપ્યું હતું. કહેવાય છે કે આજે કોંગ્રેસમાથી 500 કાર્યકર્તા રાજીનામુ આપીને ભાજપમાં જોડાશે. જાણવા મળ્યા મુજબ સુરત કોંગ્રેસ એસસી સેલના ઉપપ્રમુખ કિરીટ રાણા પણ રાજીનામુ આપીને ભગવો ધારણ કરશે. તેમને બે ટર્મથી કોંગ્રેસે ટિકિટ ના આપતા નારાજગી વ્યક્ત કરી હતી અને ભાજપનો ખેસ પહેર્યો છે.

જણાવી દઈએ કે, વિજય પાનસુરિયાને કોંગ્રેસ ટિકિટ ન આપતા પાસમાં રોષ જોવા મળ્યો હતો. વિજય પાનસુરિયાની ટિકિટ કપાતા પાસના અન્ય ઉમેદવારોએ પણ અગાઉ ફોર્મ ન ભરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ હવે જે લોકોએ ફોર્મ ભર્યા તે પણ પાછા ખેંચી રહ્યા છે. જણાવી દઇએ કે આજે એટલે કે 9 ફેબ્રુઆરીએ મનપાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ છે. ચૂંટણીને લઇને પાસના નેતાઓમાં રોષ છે. ત્યારે કાલે ચિત્ર સ્પષ્ટ થશે કે પાસ કોની સાથે છે અને કેટલા ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે.

જે લોકોએ ફોર્મ પાછા ખેંચ્યા છે તેમનું ઋણ એ ક્યારેય નહીં ભુલીએ– અલ્પેશ કથીરિયા
કોંગ્રેસ પાર્ટીએ જે કૃત્ય કર્યું છે તે બદલ તેમને માફ ન કરી શકાય. જે કોઈ પણ પાર્ટીથી નારાજ છે તેઓ ધીમે ધીમે સામે આવશે. જે લોકોએ ફોર્મ પાછા ખેંચ્યા છે તેમને હું અભિનંદન આપુ છું. જેઓએ પાર્ટી કરતા પણ સમાજને વધુ મહત્વ આપ્યું છે તે લોકોનું ઋણ હું ક્યારેય નહીં ભુલું. જે લોકોએ પોતાનો ભોગ આપ્યો છે તેમને હંમેશને માટે અમે યાદ રાખીશું. પાસ નેતા અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે જાહેર કોલ આપેલો છે, આ કોલને કેટલા લોકો સ્વીકારે છે તે તેમની વ્યક્તિગત વિચારસરણી પર આઘારિત છે. જેમ જેમ સમય જતો જશે તેમ તેમ ચિત્ર સ્પષ્ટ થતું જશે.