સત્તાધિશો દ્વારા પ્રજા પર અનેક દમન થતાં હોવા છતાં પણ પ્રજા શાંત બેસી રહે તો તેવી પ્રજાનું અમીર મરી ગયું છે તેમ...
નવી દિલ્હી: દેશમાં કોરોના (CORONA IN INDIA) સામે તબીબો (DOCTORS) અને મેડિકલ સ્ટાફ (MEDICAL STAFF) જીવના જોખમે લોકોની સારવાર કરે છે ત્યારે...
ન્યૂયોર્ક: કોરોનાવાયરસજન્ય કોવિડ-19ના દર્દીઓ (COVID PATIENTS)માં હવે કેટલીક આડબિમારીઓ જોવા મળી રહી છે, જેમાં ભારતના ગુજરાત (GUJARAT) સહિત અનેક રાજ્યોમાં મ્યુકોર્માઇકોસીસ (MUCORMYCOSIS)...
સુરત: (Surat) સુરતમાં દિવસે દિવસે મ્યુકર માઇકોસિસના (Mucormycosis) કેસો વધી રહ્યા છે, મ્યુકરમાઇકોસિસમાં સંજીવની સમાન ઇન્જેકશનની ભારે અછત જોવા મળી રહી છે....
ભરૂચ: (Bharuch) કોરોના મહામારી બાદ હવે બીજી મ્યુકરમાઇકોસીસ (બ્લેક ફંગસ) મહામારીએ પણ ભરૂચ જિલ્લામાં દસ્તક દેતા 12 કેસ નોંધાયા છે. આ તમામ...
ભરૂચ: રાજ્યના આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા એલોપેથી તબીબોએ તાજેતરમાં જ પેન ડાઉન સહિત આંદોલનના વિવિધ માર્ગ અપનાવી સરકાર પાસે પોતાની માંગણીઓ સંતોષાવ્યા...
ભારતીય બોક્સિંગ ટીમ (Indian boxing team)ના વિમાન (flight)નું દુબઈ એરપોર્ટ (dubai airport) પર ઇમરજન્સી લેન્ડિંગ (emergency landing) કરવામાં આવ્યું હતું. વિમાનમાં મેરી કોમ...
ગાંધીનગર: (Gandhinagar) રાજ્યના પ્રાથમિક શિક્ષકો (Teachers) દ્વારા માંદગી અંગેના ખોટા તબીબી પત્ર પ્રમાણપત્રો રજૂ કરીને જિલ્લા ફેરની બદલીની માગણી કરી છે. આવા...
સુરત: (Surat) કેન્દ્રના ટેક્સટાઇલ મંત્રાલય દ્વારા પાવરટેક્સ યોજના હેઠળ શરૂ કરવામાં આવેલી યાર્ન બેંકની સ્કીમ સાથેની યોજના નિષ્ફળતાનું કારણ આપી બંધ કરવામાં...
સુરત: (Surat) શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા, મનપા દ્વારા જે દુકાનધારકોએ વેક્સીન લીધી હોય કે ટેસ્ટ કરાવ્યા હોય તેઓને જ દુકાન ખોલવાની પરવાનગી...
ચક્રવાત ‘યાસ’ (CYCLONE YAAS) ઓડિશા (ODISHA) અને પશ્ચિમ બંગાળ (WEST BENGAL)ના દરિયાકાંઠાને અસર કરવાની શક્યતા સેવાઈ રહી છે. હવામાન વિભાગ (WEATHER FORECAST DEPARTMENT)...
સુરત: (Surat) શહેરની તમામ બેંકો (Bank) દ્વારા તેમના ખાતાધારકોને મેસેજ કરી 23 મેના રોજ નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર એટલે એનઇએફટી (NEFT) સર્વિસ...
ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે સોશિયલ મીડિયા ( social media) કંપનીઓને તેમના પ્લેટફોર્મ પર કોરોના વાયરસ ( corona virus) ના ભારતીય વેરિયન્ટ...
નવી દિલ્હી: (Delhi) વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) એ આ રેમડેસિવિર ઇંજેક્શનને (Remdesivir Injection) કોરોના દર્દીઓની સારવાર સાથે જોડાયેલા પ્રોટોકોલની યાદીમાંથી હટાવી દીધી...
કોરોના (corona) દેશમાં જ નહીં પરંતુ વિશ્વમાં પણ પાયમાલી લાવી રહ્યો છે. આજે પણ ઘણા દેશોમાં કોરોના રોગચાળા (epidemic)ને કારણે આંતરરાષ્ટ્રીય મુસાફરી (international...
દેશમાં કોરોના ( corona) રોગચાળાની બીજી લહેર વચ્ચે હવે બ્લેક ફંગસ ( black fungus) એટલે કે મ્યુકોરમાયકોસિસ ( mucormycosis )નો પ્રકોપ વધી...
તારા સુતરીયાની કારકિર્દી હજુ પરવાન ચડી નથી ત્યાં તેના અદાર જૈન સાથેના રોમાન્સની ચર્ચા છે. આ રોમાન્સ ગમે ત્યારે લગ્નમાં ફેરવાય શકે...
કુમકુમ ભાગ્ય’ની બુલબુલ અરોરાને થઇ રહ્યું છે કે હવે તેનું ભાગ્ય ખૂલ્યું છે. ફરહાન અખ્તર સાથેની ‘તુફાન’ રજૂ થઇ રહી છે. રાકેશ...
દક્ષિણ ભારતના સુપરસ્ટાર- રજનીકાંતના જમાઈ ધનુષની વાત કરીએ તો ધનુષ તેના સસરા રજનીકાંતની જેમ અભિનયમાં પારંગત છે, સાઉથના તમિલ સુપરસ્ટાર થાલા અજિત...
દરેક કપૂર ચાલતા નથી. અનિલ કપૂર સ્ટાર રહ્યો ને તેના આધારે તેના મોટાભાઇ બોનીકપૂરની નિર્માતા તરીકેની કારકિર્દી ટકી ગઇ પણ ત્રીજા સંજય...
જીતેન્દ્રકુમારને તમે મોટેભાગે આયુષ્માન ખુરાના સાથે ફિલ્મોમાં જોડી જમાવતા જોયો છે, ફિલ્મો સાથે વેબ સિરીઝમાં પણ જિતેન્દ્રકુમાર છવાયેલો રહે છે. ઍમેઝૉન પ્રાઇમ...
આજકાલ કોરોનાકાળમાં દેશભરમાં થિયેટર બંધ છે અને થિયેટર ક્યારે ખુલશે એની કોઈ ખબર નથી ત્યારે ભારતીય પ્રાદેશિક ભાષાના નાટક, એકપાત્રીય અભિનય, મ્યુઝિકલ...
ગૂગલમાં સુનીલદત્ત (Sunil Dutt) સર્ચ કરશો તો તેની ઓળખ લોકસભા સાંસદ તરીકે અંકિત થયેલી છે. આ ખોટું છે. તેઓ ફિલ્મ અભિનેતા, નિર્માતા...
દાદા સાહેબ ફાળકે એવોર્ડ જો કોઇ ગીતકારને મળ્યો હોય તો તે એકમાત્ર મજરુહ સુલતાનપુરી છે. ગુલઝારને ય આ એવોર્ડ મળ્યો છે પણ...
હેએએ…. એ…એ… સુનો રે, સુનો રે, સુનો રે સજજનોઅંધી પ્રજા, અંધા રાજા, ટકે શેર ભાજી, ટકે શેર ખાજાટકે શેર જનતા, ટકે શેર...
‘રાધે’ રજૂ થઇ ને હવે ‘તુફાન’ રજૂ થશે. સલમાન ખાન જેવા સ્ટાર પછી ફરહાન અખ્તરની ફિલ્મ છે. શું સફળ જશે? ફિલ્મ ટ્રેન્ડને...
આણંદ : આણંદ નગરપાલિકાની શુક્રવારના રોજ મળેલી સામાન્ય સભામાં દલા તલવાડીની નીતિ જોવા મળી હતી. કોરોના મહામારી દરમિયાન લોકડાઉનના કારણે ધંધા...
આણંદ : આણંદ – ખેડા જિલ્લાના વતની અને અમેરિકામાં સ્થાયી થયેલા યુવાનોએ કોરોના મહામારી દરમિયાન વેક્સિનેશનના અભિયાનમાં સ્થાનિક સરકાર સાથે ખભેખભા મેળવી...
નવી દિલ્હી, તા. ૨૧: ભારત સાથેની ખરેખરી અંકુશ હરોળ (LAC) ની નજીકના સરહદી ગામડાઓના વિકાસના નામે ચીન ( CHINA) ત્યાં લશ્કરી સવલતોને...
ચોરની હિંમત તો જુઓ! ધોળા દિવસે ઘર પાસે પાર્ક કરેલી બાઈક ચાલુ કરી ચોરી ગયો
ગાંધીનગરમાં CID ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ 30 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
રામ મંદિર આંદોલન સાથે જોડાયેલા રામ વિલાસ વેદાંતીનું નિધન, પાર્થિવ શરીર MPથી અયોધ્યા લવાશે
સિડની હુમલા બાદ ઓસ્ટ્રેલિયામાં બંદૂક રાખવાના નિયમો કડક બનાવાશે, PM અલ્બેનીઝે જાહેરાત કરી
વડસર બ્રિજ ઉપર બે બાઈક સવાર વચ્ચે નજીવો અકસ્માત, બોલાચાલીથી ટ્રાફિક જામ
સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા સ્વાધ્યાય પરિવારના અધ્યક્ષા પૂજ્ય દીદીજીને ‘D.Litt.’ ની માનદ પદવી અર્પણ કરાઇ
નવલખી મેદાનના કૃત્રિમ તળાવમાં ભારે ગંદકી, દુર્ગંધ ફેલાઈ
VMCની ‘થ્રી-વે’ સ્વચ્છતા પહેલ: પશ્ચિમ ઝોનમાં નવી ટેક્નોલોજીથી સજ્જ કચરા સંકલન શરૂ
ખેડા જિલ્લા સહકારી દૂધ સંઘ (અમુલ)ના ચેરમેન તરીકે શાભેસિંહ પરમારની નિમણૂક
વડોદરાના યુવા સ્નૂકર ખેલાડી પાર્થ શાહ ગુજરાત સ્ટેટ જુનિયર ચેમ્પિયન
પતિ માટે ગુટખા લઈને આવતી મહિલાને અજાણ્યા વાહને કચડી મારી
સાવલી નગરપાલિકા વિસ્તારમાં જાહેર શૌચાલયો બિસમાર હાલતમાં, નગરજનો માટે બિનઉપયોગી
દિલ્હીમાં ગાઢ ધુમ્મસના કારણે દૃશ્યતા ઘટતા 40 ફ્લાઇટ્સ રદ, એરલાઇન્સે ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી
વડોદરાવાસીઓ માટે તક: 18મીથી વર્ષના અંત સુધી મતદાર યાદીમાં નામાંકન કરાવી શકાશે
શિનોર : ગીતા જયંતી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ–બજરંગ દળ દ્વારા શૌર્ય યાત્રાનું આયોજન
કપડવંજ તાલુકાનું રામપુરા તળાવ સુકું ભઠ
જો સંયુક્ત પરિવારમાં બાંધછોડ કરવી પડતી હોય તો ભારત તો દુનિયાનો સૌથી મોટો સંયુક્ત પરિવાર છે
ચાંદીના ભાવમાં તેજી યથાવત: બજાર ખુલતાની સાથે 3,000નો ઉછાળો, સોનાના ભાવે પણ રેકોર્ડ તોડ્યો
વંદે માતરમ્
દીકરીનાં સંસારમાં પિયરથી ચંચુપાત ન જ કરવો
‘ધુરંધર’માં ધૂંધળું શું? : જ્યારે સિનેમા માત્ર ઈતિહાસ નહીં પણ ભૂગોળ બદલે ત્યારે…
શાળા છોડનાર બાળકોમાં વિસ્ફોટક વધારો
UPના હાપુડમાં ગાઢ ધુમ્મસની અસર: NH-9 પર એક પછી એક 6થી વધુ વાહનો અથડાયા, 10 લોકો ઘાયલ
16 ડિસેમ્બર 1971
રાજ્યમાં શીતલહરેની અસર, 72 કલાક સુધી ઠંડી વધશે
ગુજરાત ભાજપના દિગ્ગજ નેતાઓ દિલ્હી પહોંચ્યા
નહેરુએ કરેલાં વિકાસકાર્યો આજની જનતાને ખૂબ જ નડે છે
આજે મેસ્સી પોતાના ભારત ટુરના અંતિમ તબક્કા માટે દિલ્હી પહોંચશે, જાણો સંપૂર્ણ શેડયૂલ…
લશ્કરે તૈયબા, જૈશ એ મોહંમદ અને ISIS જેવા આતંકી સંગઠનોએ તેમનું નામ બદલીને ‘નામર્દ સેના’ કરી નાંખવુ જોઇએ
દેવડીનો રસ્તો ખુલ્લો કરો
સત્તાધિશો દ્વારા પ્રજા પર અનેક દમન થતાં હોવા છતાં પણ પ્રજા શાંત બેસી રહે તો તેવી પ્રજાનું અમીર મરી ગયું છે તેમ માની લેવું જોઈએ. ભારતમાં પણ અનેક તકલીફો સહન કરીને પ્રજા સત્તાધિશોનો ત્રાસ વેઠે છે. ભારતમાં અનેક સમસ્યા છે કે જે મુદ્દે પ્રજા સરકારને ભીંસમાં લઈ શકે છે. પરંતુ ભારતીય પ્રજાનો વિદ્રોહ જાગતાં સમય લાગે છે પરંતુ પ્રજા કેવી હોવી જોઈએે તેનું જો કોઈએ હાલમાં ઉદાહરણ પુરૂં પાડ્યું હોય તો તે ઈન્ડોનેશિયાના લોકો છે. ઈન્ડોનેશિયામાં પ્રદૂષણને કાબુમાં લેવામાં નિષ્ફળ રહેવા બદલ ત્યાંના રાષ્ટ્રપતિ સહિત ત્રણ કેબિનેટ મંત્રી સામે કેસ કરી દેવામાં આવ્યાં છે. હાલમાં કોરોનાના સમયમાં પ્રદૂષણ મહામારીને વધુ વકરાવી શકે છે ત્યારે ઈન્ડોનેશિયાની પ્રજાએ શાંત રીતે વિદ્રોહની શરૂઆત કરી છે.

ઈન્ડોનેશિયાના જાકાર્તામાં રહેતા 36 વર્ષના વિડીયોગ્રાફર અદિથો હરિનુગ્રોહો, જાકાર્તાના શિક્ષક ઈસ્તુ પાયોગી સહિતના પક્ષકારો દ્વારા સત્તાધિશો સામે કેસ કરવામાં આવ્યો છે. અદિથોનું કહેવું છે કે જ્યારે હું ઈન્ડોનેશિયામાં જાકાર્તાના ટ્રાફિકજામ ધરાવતા રસ્તા પરથી પસાર થઉં છું, ત્યારે મને ખાંસી આવવા લાગે છે. પરંતુ મોં પર માસ્ક હોવાના કારણે સારી રીતે ખાંસી પણ નથી શકતો. એ પછી જ્યારે પણ હું મોં રૂમાલથી લૂછું છું ત્યારે તેના પર કાળો કચરો દેખાય છે. જો ચહેરાની આવી સ્થિતિ હોય, તો વિચારો કે ફેફસાંમાં કેટલો કાળો ધુમાડો જતો હશે! આજ રીતે જાકાર્તાના શિક્ષક ઈસ્તુએ પાંચ વર્ષ પહેલા પોતાના ફેફસાની તપાસ કરાવી હતી ત્યારે તેમને ખબર પડી કે સિગારેટ પીવા કરતાં પણ વધુ નુકસાન તેમને પ્રદૂષણને કારણે થયું છે. ઈસ્તુ પોતે સિગારેટ પીતા નથી છતાં પણ તેમના ફેફસાને ભારે નુકસાન થયું હતું.
હકીકતમાં આશરે 3 કરોડની વસતી ધરાવતાં ઈન્ડોનેશિયાના પાટનગર જાકાર્તાની ટ્રાફિક જામની સમસ્યા ખુબ મોટી છે.
ટ્રાફિક જામમાં કલાકો સુધી વાહનો ફસાયેલા રહેવાને કારણે ભારે વાયુ પ્રદૂષણ થઈ રહ્યું છે. વાહનોની સાથે લોકો પણ ટ્રાફિક જામમાં ફસાયેલા રહેતાં હોવાથી આ પ્રદૂષણ તેમના શ્વાસ દ્વારા ફેફસામાં જાય છે અને લોકોને નુકસાન થઈ રહ્યું છે. દુનિયાનાં 576 શહેરમાં પર્યાવરણની સ્થિતિ અંગે અભ્યાસ કરનારી ફર્મ વેરસિક મેપલક્રાફ્ટ દ્વારા તાજેતરમાં એક રિપોર્ટ જાહેર કરાયો હતો. આ રિપોર્ટ પ્રમાણે જાકાર્તાની હાલત ખુબ ખરાબ છે. પ્રદૂષણ છે અને સાથે સાથે ભૂકંપ અને પૂરનો મોટો ખતરો રહેલો છે. રિપોર્ટમાં એવું પણ જણાવાયું છે કે ઈન્ડોનેશિયામાં પ્રદૂષણને કારણે ત્યાં રહેતાં લોકોને ભારે અસર થશે, સાથે સાથે કોરોનાના કેસ વણ વધવાની સંભાવના રહેલી છે. પ્રદૂષણનો ભોગ બાળકો બનતાં તેઓ વધુ ઝડપથી કોરોના સંક્રમિત થવાની સંભાવનાઓ રહેલી છે.
આ તમામ સ્થિતિઓને કારણે ત્યાંની પ્રજા દ્વારા આખરે પોતાના જ સત્તાધિશો સામે વિદ્રોહ કરવાની ફરજ પડી છે. પ્રજા દ્વારા ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો, આરોગ્ય મંત્રી અને પર્યાવરણ મંત્રીને કેસમાં ભીંસમાં લેવામાં આવ્યાં છે. આ ઉપરાંત ત્રણ પ્રાંતના ગવર્નરને પણ આરોપી બનાવવામાં આવ્યાં છે. આ કેસમાં આમ તો કુલ 32 પ્રજાજનો પક્ષકાર છે. સ્થાનિક કોર્ટના જજ દ્વારા પણ આ કેસની સુનાવણી શરૂ કરવામાં આવી છે. પ્રદૂષણની સમસ્યા ભારતની સાથે વિશ્વના અનેક દેશોમાં છે. ત્યારે તેની પ્રજાએ પણ ઈન્ડોનેશિયા પરથી ધડો લઈને ત્યાં સત્તાધિશો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. આજના સમયમાં ચૂંટાયેલી પાંખના પ્રજાનો સ્હેજેય ડર નથી ત્યારે આવા સંજોગોમાં સરકારોને પ્રજાનો ડર ઊભો થશે તો જ લોકશાહી ટકશે તે નક્કી છે.