સુરત: (Surat) કોરોનાની બીજી લહેરને લીધે સુરતના કાપડ ઉદ્યોગને (Textile industries) મોટો ફટકો પડ્યો છે. 2016 પહેલાં સુરતમાં દરરોજનું 4 કરોડ મીટર...
સુરત: સુરતના (Surat) પાંડેસરા ભેસ્તાન ખાતે સુરત મહાનગર પાલિકા સંચાલિત ભેસ્તાન આવાસમાં રાત્રી દરમિયાન જર્જરિત મકાનમાં પોપડા પડ્યા (Slab Collapse) હતા. આ ઘટનામાં...
કહ્યું છે ને કે, સંતોષી નર સદા સુખી જેને સંતોષ જ નથી એ કાયમ દુ:ખી રહે છે. દુ:ખને શોધવા જવું પડતું નથી....
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અવારનવાર વિશ્વની પ્રજા માટે અહેવાલ બહાર પાડે છે. આ સંસ્થાનો છેલ્લો અહેવાલ ભારત અંગે વિચાર માંગે તેવો છે....
ભગવાને બોધ આપ્યો હતો કે માણસે સદા પોતે પણ એવું આચરણ કરવું જોઈએ જેવું તે બીજા પાસેથી ઇચ્છે છે. હવે શ્રી કષ્ણ...
કેટલાંક માનવીઓ શોધ માટે આખું જીવન વ્યતીત કરે છે, તો કેટલાંક માનવીઓ સમયના ખંડને પસાર કરવા જીવે છે. જિંદગી એ શોધની સનાતન...
જીવનમાં બીજું કશું કરીએ કે ન કરીએ પણ બે વસ્તુ અવશ્ય કરવી જરૂરી છે એક છે સેવા અને બીજો છે, સત્સંગ. આ...
શાંતિથી મોટું કોઈ સુખ નથી. ધનમાં આળોટતા ધનવાનો કે સત્તાના મદમાં મસ્ત માણસોને જો મનની શાંતિ ન હોય તો તેઓનું સુખ એ...
સુરત (Surat)માં માતા-પિતા (Parents) માટે લાલ બત્તી સમાન કહી શકાય એક એવી ઘટના (Red light incident) સામે આવી છે. જેમાં મોબાઈલ ફોનમાં...
હિન્દુસ્તાનના શિરમુકુટ સમાન હિમાલયની પર્વતમાળાઓમાં હિન્દુઓની આસ્થાના પ્રતિકસમા અનેક શિખરો વિખ્યાત છે. કૈલાસ માનસરોવર એમાંનું એક છે. કૈલાસ પર્વત સાથે વેદ-પુરાણો અને...
સફળતા કયારેય એમ જ આપવામાં આવતી નથી એને કમાવવી પડે છે અને તેના માટે મહેનત કરવી પડે છે. જો તમારે સફળ વ્યકિત...
અલુણા વ્રત, (ગૌરી વ્રત) જે કુંવારી કન્યાઓ દ્વારા ઉજવાય છે. પાંચ દિવસનું આ વ્રત નાની નાની બાળાઓ અને કુંવારી યુવતીઓ, મીઠા વગરનો...
બધી સ્ત્રીઓમાં દર મહિને માસિક સ્રાવ હોય છે, જ્યાં ડોકટરો તેને સામાન્ય પ્રક્રિયા માને છે. તે જ સમયે, ધાર્મિક માન્યતાઓ અનુસાર, તે...
ત્યારે હું બ્રાઇન ડસ્ટન હતો. ૨૨ વર્ષની ઉંમર હતી. કટોવા જિલ્લાના બહેરામપુર ગામમાં જલંગી નદીના કાંઠે આશ્રમ બાંધી રહેતાં અને લોકોમાં ‘બાદામી...
બારડોલી: (Bardoli) રસીકરણ અભિયાન અંતર્ગત આજે બારડોલી શહેર અને તાલુકામાં પણ સ્થળ પર જ નોંધણી સાથે વોક ઇન વેક્સિનેશન (Vaccination) કાર્યક્રમનો પ્રારંભ...
અમેરિકાના અલાબામામાં દક્ષિણપૂર્વ વિસ્તારમાં વાવાઝોડાને કારણે 12 લોકોનાં મોત થયા છે આમાંથી ૧૦નાં મોત તો વાહનો સંભવત: વાવાઝોડાને કારણે જ એકબીજા સાથે...
સુરતના શ્રીમતી તન્વી નિલેશ પંડયા જેઓ કલા રસિક તરીકે ખ્યાતિ પામ્યા છે. તેઓનો ઇશ્વર અને ધર્મ પ્રત્યેની અતૂટ આસ્થા સાથે બ્રાહ્મણ પરિવારમાં...
રંગભક્ત અને દુખીયાઓની તબીબી સેવા માટે આજે પણ ઇચ્છપોર ગામનો જ પાલવ પકડી રાખનાર ડૉ. પ્રવીણસિંહ ખરચિયાએ વોટ્સએપ પર વર્ષોજૂની ભુલાઈ ગયા...
સુરત: (Surat) વિશ્વ યોગ દિવસે સમગ્ર રાજ્યની સાથે સુરત શહેરમાં પણ નાગરિકોને ફ્રી વેક્સિનેશનની (Free Vaccine) શરૂઆત કરાઈ હતી. સુરતમાં 230 વેક્સિનેશન...
દેશભરમાં આજથી મહા વેક્સિનેશન ( vaccination) અભિયાનની શરૂઆત થઈ છે , ત્યારે શહેરના બોડકદેવના વેક્સિનેશન સેન્ટર ( vaccination centre) પર દેશના ગૃહમંત્રી...
દેશમાં ગંગા દશેરાનો ( ganga dashera) તહેવાર ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવ્યો હતો. આ તહેવાર દર વર્ષે જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની દસમી...
નડિયાદ : સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ભગવાન રણછોડરાયજીની રથયાત્રાને લઇ ભાવિક ભક્તોમાં ભારે ઉત્સુકતા છે. દર વરસે પુષ્યનક્ષત્ર પ્રમાણે ભગવાન રણછોડરાયજી નગરચર્યા કરે...
surat : બેરોજગારીનું વધતું પ્રમાણ હવે નોકરી મેળવવા માટે શિક્ષિત લોકોને ખોટું કરવા પ્રેરી રહ્યું છે. સુરત મહાનગર પાલિકામાં સફાઈ કામદાર, બેલદારની...
surat : શહેરમાં લારી-ગલ્લાઓના દબાણનું ન્યુસન્સ હવે માથા ઉપરવટ જઇ રહયું છે. મનપાના ( smc) નગર સેવકોની અવાર નવાર ફરીયાદ છતાં કોઇ...
આણંદ: આણંદ જિલ્લામાં આજથી તા.૨૧/૬/૨૦૨૧થી સવારે નવ વાગ્યેથી શરૂ થતાં રસીકરણ મહાઅભિયાનમાં યુવાનો જોડાય અને સંભવિત ત્રીજી લહેર સામે સુરક્ષિત થવા અનુરોધ...
વડોદરા: મધ્યગુજરાતમાં મેઘરાજાનું આગમન થઈ ગયું છે.ગત ગુરુવારે વડોદરામાં માત્ર અડધો કલાકમાં દોઢ ઈંચ વરસેલા વરસાદે અંધાધૂંધી સર્જી હતી.જે બાદ રવિવારે ફરી...
વડોદરા: કરજણના લીલોડ ગામમાં રહેતા યુવકે ગામમાં આવેલી પોતાની મિલકતનું મકાન અને ગામઠાણના ઘાટવાળા ફળિયામાં આવેલ ગભાણનું ગીરો ખત તેમજ ભાગીદારી ખતથી...
વડોદરા: ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા ઉડાવતી ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે. બીજી તરફ બુટલેગરો પણ શહેરમાં દારૂ ઘુસાડવા અવનવા નુસ્ખાઓ અપનાવતા...
વડોદરાં નવા શૈક્ષણિક સત્ર ૨૦૨૧-૨૨ ની શરૂઆત થઈ ચૂકી છે અન ખાનગી તેમજ સરકારી શાળામાં ઓનલાઈન શિક્ષણ શરૂ કરાયું છે. વડોદરા મહાનગર...
આપણી સરકાર કાયમ કહે છે કે તેના માટે દેશની સુરક્ષા સર્વોચ્ચ પ્રાધન્ય ધરાવે છે. હવે ભાજપના સંસદસભ્ય ડૉ. સુબ્રમણ્યમ સ્વામીએ સોઇ ઝાટકીને...
બરોડા ડેરી ‘ઠરાવ વિવાદ’: લોકશાહી ઢબે પ્રશ્નોનું નિરાકરણ લાવવા ચૂંટણી અધિકારી સક્રિય
75 મીટરના રસ્તા માટે 87 મકાનો પર તોળાતું જોખમ, પાલિકાના ગેટ પર રહીશોનો ‘હલ્લાબોલ’
છોટાઉદેપુરમાં એમજીવીસીએલની વીજચોરી સામે કાર્યવાહી, રૂ. 47.68 લાખનો દંડ
PM મોદી ઓમાનથી સ્વદેશ રવાના: નાયબ પ્રધાનમંત્રી સૈયદ શિહાબે એરપોર્ટ પર વિદાય આપી
સિંગવડ તાલુકાના પસાયતા ગામે હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
હિજાબ પ્રકરણ: ગુપ્તચર માહિતી બાદ નીતિશ કુમારની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો
વિસ્થાપિત સિંધી પરિવારોની 75 વર્ષ જૂની કેબીનો તોડી પાડતાં રોજગાર છીનવાયો
ડભોઇના વસઈવાલા જીન વિસ્તારમાં રૂ. 8 લાખના દાગીનાની ચોરી
બોડેલી તાલુકાના ઝાંપા ગામે નવી ડીપી સ્થાપન દરમિયાન વોલ્ટેજ વધતા મોટી દુર્ઘટના, ઉપકરણો ફૂંકાયા
શહેરમાં તીવ્ર ઠંડીનો માહોલ,તાપમાનનો પારો 13.2 ડીગ્રી નોંધાયો
સીયુજીમાં 20 સ્નાતકોત્તર વિષયોની 640 બેઠકો પર પ્રવેશ
ફતેગંજમાં ગટર ઉભરાઈ, ‘સ્માર્ટ સિટી’ના દાવા ફેલ
GSFC યુનિવર્સિટી દ્વારા સાતમો દીક્ષાંત સમારોહ, 632 વિધાર્થીઓને ડિગ્રી એનાયત થઈ
શિવ રેસિડેન્સી દુર્ઘટનાઃ 80 લાખનો ફ્લેટ હોવા છતાં 400 લોકો બેઘર થયા, રસ્તે ભટકવા મજબૂર
ભૂતપૂર્વ મિસ યુનિવર્સ હરનાઝ સંધુ પડતાં બચી, સ્ટેજ પર સંતુલન ગુમાવતો વીડિયો વાયરલ
ડભોઈની નવી વોર્ડ રચના : રાજકીય ગણિત ઉથલપાથલ, સમીકરણો ફરી ગોઠવાયા
શિલ્પકળાના સૂર્યનો અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સર્જક રામ સુતારનું 100 વર્ષની વયે નિધન
નવી દિલ્હી ખાતે ગજાનન આશ્રમ માલસરના પૂ.ગુરુજી વિજયભાઈ જોશીનું વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સલેન્ટથી સન્માન
ધુરંધર ફિલ્મના જવાબમાં પાકિસ્તાન ‘મેરા લ્યારી’ ફિલ્મ લાવશે, કહ્યું- ભારતનો પ્રચાર સફળ થશે નહીં
રાજામૌલીની ફિલ્મમાંથી બોલીવુડના અભિનેતાને બહાર કરવામાં આવશે, જાણો શું છે મામલો..?
SMCના ડ્રેનેજ વિભાગના વાંકે કાદરશાની નાળમાં ગટરીયા પૂર ઉભરાયું, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં
વેનેઝુએલા-અમેરિકાનો સંઘર્ષ: પૂર્વી પ્રશાંત મહાસાગરમાં US નેવીનો એક જહાજ પર ઘાતક હુમલો
હિન્દુ સગીરાને મુસ્લિમ યુવક ડિંડોલીની હોટલના રૂમમાં લઈ ગયો, પછી જે થયું…
હાઇકોર્ટથી રાહત બાદ દેવગઢ બારીયા નગરપાલિકા પ્રમુખ તરીકે નિલ સોની યથાવત
હિજાબ વિવાદ પર ભડક્યું બોલીવુડ: જાવેદ અખ્તરે માફી માંગવા કહ્યું, રાખી સાવંતે નીતિશ કુમારને..
ડભોઇના વકીલ બંગલા પાસે હાઈવા ટ્રકે વીજ પોલ ખેંચી કાઢતા અફરાતફરી
શિવ રેસીડેન્સી પર બીજી આફત, હવે ગેસ લાઈનમાં ભંગાણ થયું, 300 પરિવારોની સ્થિતિ કફોડી
ઓનલાઈન સસ્તું મળે તે બધું અસલી હોતું નથી, સુરતમાં નકલી કોસ્મેટિક્સનું કારખાનું પકડાયું
બિલ કેનાલમાં ગાબડું પડતા પાણીની રેલમછેલ, માર્ગ પર ફરી વળ્યું પાણી
લોકસભામાં ‘G RAM G’ બિલ પસાર: વિપક્ષે બિલની નકલ ફાડી, ગૃહમાં ભારે હોબાળો મચ્યો
સુરત: (Surat) કોરોનાની બીજી લહેરને લીધે સુરતના કાપડ ઉદ્યોગને (Textile industries) મોટો ફટકો પડ્યો છે. 2016 પહેલાં સુરતમાં દરરોજનું 4 કરોડ મીટર કાપડનું ઉત્પાદન થતું હતું. તે પછી 2016-17માં નોટબંધી અને જીએસટી લાગુ થયા પછી કાપડનું ઉત્પાદન 1.50 કરોડ મીટર ઘટીને 2.50 મીટર થયું હતું. કોરોનાની પ્રથમ લહેર સમયે ઉત્પાદન (Production) ઘટીને 1.75 કરોડ મીટર થયું હતું પરંતુ કોરોનાની બીજી લહેરની સર્વાધિક અસર દક્ષિણ અને ઉત્તર ભારતનાં રાજ્યોમાં વધુ રહેતા કાપડની ડિમાન્ડ ઘટી હતી. સાથે સાથે કાપડની મંડીઓ પણ બંધ થઇ ગઇ હતી. હજી પણ દક્ષિણ અને ઉત્તર ભારતમાં વેપારીઓ (Traders) પાસે અગાઉનો સ્ટોક પડ્યો છે. તેના લીધે સુરતના વેપારીઓને ડિમાન્ડ જેટલા જ ઓર્ડર મળી રહ્યા છે. સરવાળે તેની અસર એવી થઇ છે કે સુરતમાં કાપડનું ઉત્પાદન બે દાયકા પછી સૌથી ઓછું થઇને 1 કરોડ મીટર રહી ગયું છે.

ઉત્પાદન ઘટવા પાછળનાં કેટલાંક કારણો જવાબદાર છે. જેમાં મુખ્યત્વે દેશનાં અન્ય રાજ્યોનાં મોટાં બજારોમાં લાંબો સમય ચાલેલું લોકડાઉન અને તેના લીધે તળિયે પહોંચેલી માંગ તથા કોરોનાથી ડરીને કારીગરો વતન જતાં રહ્યા હોય તેમની અછત જવાબદાર માનવામાં આવે છે. હાલમાં અનેક કારખાના બહાર કારીગરો જોઈએ છે તેનાં પાટિયાં લાગેલાં છે. ફોગવા પ્રમુખ અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, કોરોનાની પ્રથમ લહેર કરતાં બીજી વધુ ઘાતક રહી હતી. કારણ કે, પહેલી લહેર વખતે સુરત સિવાય દેશનાં અન્ય બજારો વહેલાં ખૂલી ગયાં હતાં. જેના લીધે એકદમ માંગ નીકળી હતી. પરંતુ આ વખતે દેશનાં મોટા ભાગનાં બજારો સુરત કરતાં વધુ લાંબા સમય સુધી બંધ રહ્યાં છે. જેના લીધે માંગ તળિયે પહોંચી છે.

વળી, બીજી તરફ સુરતમાં કાપડ માર્કેટ બંધ હતી. પરંતુ વિવર્સનાં કારખાનાં ચાલુ રહ્યાં હતાં. જેના લીધે વિવર્સ પાસે ગ્રેનો ભરાવો થયો છે. એટલે મિની લોકડાઉન હટ્યા બાદ વિવર્સે ધીમી ગતિએ ઉત્પાદન શરૂ કર્યું હતું અને હવે આ વિવર્સ કારીગરોની અછતનો સામનો કરી રહ્યાં છે. 50 ટકા કારીગરો ઓછા હોવાથી મશીનોનો ધમધમાટ પણ 50 ટકા ઓછો છે. હાલમાં માંડ 1 પાળી એટલે કે 12 કલાક જ મશીનો ચાલી રહ્યાં છે. 50 હજાર વિવર્સનાં 6.50 લાખ મશીનો પર માંડ 1 કરોડ મીટર કાપડનું ઉત્પાદન થઈ રહ્યું છે. ફિયાસ્વીના ચેરમેન ભરત ગાંધીના જણાવ્યા અનુસાર કોરોનાની બીજી લહેરે સમગ્ર ઉદ્યોગને નુકસાન પહોંચાડ્યું છે. હવે માર્કેટ ખૂલતાં વેપાર વધે તેવી શક્યતા છે.