Top News

More Posts

   The Latest

Most Popular

ટ્રક પાછળ કાર ઘુસી જતા કારમાં સવાર ચાર પૈકી બે લોકોના ઘટના સ્થળ પર મોત


પ્રતિનિધિ વડોદરા તા.20
દિલ્હી મુંબઇ એક્સપ્રેસ હાઇવે પર છેલ્લા બે દિવસમાં સતત બે અકસ્માતના બનાવ નોંધાયા છે. તાજેતરમાં રોડ પર કામગીરી કરતા શ્રમિકોને કાર ચાલકે અડફેટે લેતા 2ના મોત નિપજ્યાં હતા. જ્યારે બીજા અકસ્માતમાં ટ્રક પાછળ કાર ઘુસી જતા કારમાં સવાર ચાર પૈકી બે લોકોના ઘટના સ્થળ પર મોત નિપજ્યાં હતા. જ્યારે અન્ય બે ઇજાઓ થતા પાદરા સીએસસીમાં સારવાર માટે ખસેડાયાં છે. અકસ્તામાં કારનો તો કચ્ચરઘાણ વળી ગયો હતો. મૃતકોને પીએમ પણ પાદરા સીએચસી ખાતે કરાવવામાં આવ્યાછે. તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તાજેતરમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર ગોઝારો અકસ્માત સર્જાતા 2 શ્રમિકનાં મોત થયાં છે.પાદરાના સરસવણી ગામ નજીક હાઇવે પર 5 શ્રમિક કામ કરતા હતા. તે દરમિયાન કારચાલક ડોક્ટરે 5 શ્રમિકને અડફેટે લેતાં બેના ઘટના સ્થળ પર મોત થયાં છે. જ્યારે 3 લોકોનો આબાદ બચાવ થયો છે. જ્યારે આ અકસ્માતની વાતો લોકોના મોઢા પરથી સુકાઇ નથી ત્યાં તો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ફરી અકસ્માત સર્જાયો છે. એવી વિગત છે તે લક્ષ્મીપુરા ગામ પાસે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં આગળ ચાલતી ટ્રકમાં કાર પાછળથી ઘુસી ગઇ હતી.. જેના પગલે હાઈવે પર લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા. દરમિયાન કોઇએ 108 એમ્બ્યુલન્સને ફોન કરતા ડોક્ટર તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યાં હતા. બીજી તરફ અકસ્માતની જાણ થતા તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ પણ દોડી ગઈ હતી અને કાર્યવાહી શરૂ કરી છે.

અકસ્માતના પગલે કારનો કચ્ચર ઘાણ નીકળી ગયો હતો. કારમાં સવાર બે લોકોના ગંભીર ઇજાઓ થવાના કારણે ઘટના સ્થળ પર મોત નિપજ્યાં હતા. ત્યારે બંને મૃતકોને હાલ પાદરા સીએસસી ખાતે પોસ્ટમોર્ટમ ખાતે લઇ જવામાં આવ્યા છે. જ્યારે અન્ય બે ઇજાગ્રસ્ત લોકોને સારવાર પણ કરવામાં આવી રહી છે.

સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ સુરતના કતારગામ રહેતા મેહુલભાઇ જંયતિભાઇ ગલાણી, અશ્વિન પુરુષોત્તમભાઇ પટેલ (રહે. સુરત) પ્રશાંતભાઈ પ્રવીણચંદ્ર ઘામેચા (રહે.રહે અમરોલી, સુરત) તથા ઉમેશભાઈ નારાયણભાઈ વિરાણી (રહે. વેલેન્ઝા, ઉમરા, સુરત)કારમાં બેસીને હાઇવે પરથી પસાર થા હતા ત્યારે તેમને અકસ્માત નડ્યો હતો અને બે લોકો ગંભીરના પગલે સ્થળ પર મોતને ભેટ્યાં હતા.

To Top