છેલ્લી બે સદીમાં કોરોનાએ અનેક દેશને એવો માર માર્યો છે કે જેની કળ વળવી મુશ્કેલ છે. કોરોનાની બે લહેરને કારણે અનેક દેશોમાં...
વડોદરા : કોરોના કાળ માં કેન્દ્ર અને રાજ્ય સરકારમાંથી શહેરના નાગરિકો વ્યવસ્થા માટે ફંડ આપવામાં આવ્યું હતું. પૂર્વ મેયર ડોક્ટર જીગીશાબેન શેઠ...
પ્રખ્યાત ટીવી અભિનેતા સિદ્ધાર્થ શુક્લનું નિધન થયું છે. સિદ્ધાર્થ શુક્લ 40 વર્ષના હતા. ગુરુવારે સવારે તેને હોસ્પિટલમાં લઈ જવાયો હતો જ્યાં ચિકિત્સકોએ તેને મૃત...
વડોદરા : વડોદરા શહેરમાં એક તરફ કોરોના મંદ પડ્યો છે.બીજી તરફ ડેન્ગ્યુ, ચિકનગુનિયા મેલેરિયા જેવા પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોએ ધીમે ધીમે માથું...
વડોદરા : ભાજપના મહિલા કોર્પોરેટર ની એનિવર્સરી માં કેક કટિગ કરતા પતિ સહિત શુભેચ્છક કાર્યકર્તાઓએ માસ્ક નહિ પહેરી સોશિયલ ડિસ્ટન્ટ નહીં જાળવી...
સીંગવડ: સીંગવડની મામલતદાર ઓફિસમાં મામલતદાર ની કાયમી નિમણૂક નહીં કરાતા સીંગવડ તાલુકાના પ્રજાને તકલીફ પડતી હોય છે. જ્યારે સિંગવડ તાલુકા માં આજે...
પાદરા: પાદરા વડુ પંથકમાં શ્રાવણનો જુગાર રમતા શખ્સો સામે પોલીસે લાલ આંખ કરી હતી. જેમાં પાદરા માં ચાર , વડુ માં નવ,...
વડોદરા: શહેરના સનફાર્મ રોડ પર ઓટો ગેરેજ અને તેની બાજુમાં જાડેશ્વર વસાહતમાં મોડી રાત્રે એકાએક આગ ફાટી નીકળી હતી.ઓટો ગેરેજ માં...
વડોદરા: વડોદરા મહાનગર પાલિકા દ્વારા સંસ્થાઓને ફાળવવામાં આવેલા પ્લોટ પરત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.ત્યારે વરિષ્ઠ નાગરિકોની સંસ્થા એજ કેર ફેડરેશનના પાંચ...
આણંદ : પેટલાદ શહેરમાં આવેલી પેટલાદ તાલુકા ખેતી વિકાસ ઔદ્યોગિક મંડળીની આશરે 30 ગુંઠા જેટલી જમીન બારોબાર ભુમાફિયાઓએ વેચી દીધી હતી. આ...
આણંદ : આણંદ જિલ્લામાં જન્માષ્ટમીના દિવસથી વરસાદી વાદળો ઘેરાયા બાદ છુટક-છુટક વરસાદી ઝાપટાં પડતાં હતાં. પરંતુ બુધવારના રોજ મેઘરાજા મન મુકીને વરસ્યા...
નડિયાદ: નડિયાદમાં રહેતી પરણિતાને લગ્નના ૨૦ જ મહિનામાં સાસરિયાઓએ વધુ કરિયાવરની માંગણી કરી પરેશાન કરી હતી અને કેનેડા ગયેલા પતિએ પત્ની સાથે...
આણંદ : અમદાવાદથી વિરસદ કારમાં જતાં પરિવારને તારાપુર પાસે ટ્રક ટક્કરે અકસ્માત સર્જાયો હતો. ટ્રકની ટક્કરે કાર પલ્ટી જતાં તેમાં સવાર પરિણીતાનું...
આણંદ : ઉમરેઠમાં છેલ્લા વીસેક દિવસથી પોલીસ સ્ટેશન તથા આસપાસનાં વિસ્તારમાં એક કપિરાજએ આતંક મચાવ્યો હતો. ટીઆરપી જવાન સહિત લગભગ પાંચેક વ્યક્તિને...
હવામાન ખાતાની આગાહીને ખોટી ઠરાવતા ઓગસ્ટ મહિનામાં દેશમાં 24 ટકા ઓછો વરસાદ પડયો હતો, પણ તાજા આગાહી મુજબ એવી અપેક્ષા છે કે...
આમ જનતાને મફતમાં સરળતાથી વેક્સિંગ મળી રહે એ માટે સરકાર કમર કસી રહી છે. ત્યારે પીપોદરા જીઆઇડીસીમાં ફેક્ટરીમાં કામ કરતાં કામદારોને વેક્સિન...
ગુજરાત રાજયમાં કોરોનાની મહામારીનાં કારણે દોઢ વર્ષથી વાસ્તવિક શિક્ષણથી દૂર રહેલાં ૬ થી ૮ ધોરણનાં વિદ્યાર્થીઓ માટે આવતીકાલથી શાળાઓ શરૂ કરવામાં આવશે....
સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીની કારોબારી મીટિંગ સુરત જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઇની અધ્યક્ષતામાં પ્રભારી ભરતભાઇ રાઠોડ, કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમાર સુરત...
જંબુસર તાલુકાના જંત્રાણ ગામના સઈદભાઈ ખીલજી હાલમાં યુકેમાં બિઝનેસમેન તેમજ ઇન્ટરનેશનલ ટેક્સટાઈલ ઓર્ગેનાઈઝેશનના ચેરમેન છે. તેમને માદરે વતનની યાદ આવતાં અનેક રીતે...
જંબુસર નગરના ઋણ તળાવ વિસ્તારમાં છેલ્લા એક માસથી પાણી નહીં મળતાં હવે બહેનો રણચંડી બની ગઈ છે. જંબુસર નગરપાલિકાના ચીફ ઓફિસરની કચેરીમાં...
માંડવી તાલુકાના સાલૈયા ગામે જમીનના ઝઘડામાં બાબતે દિયર ઉશ્કેરાટમાં આવી ભાભીને માથાના ભાગે કુહાડી વડે હત્યા કરી ભાગી છૂટ્યો હતો. પરંતુ પોલીસે...
સોનગઢના માંડળ ટોલપ્લાઝા પર સ્થાનિક કોમર્શિયલ વાહનો પાસેથી બુધવારે ફરીથી ટોલ ટેક્ષ વસુલવાનું શરૂ કરાયું હતું. જેના કારણે ટોલનાકા પર વાહનચાલકો અને...
સુરત શહેર માટે અત્યંત મહત્ત્વનો એવો કન્વેન્શિયલ બેરેજનો પ્રોજેક્ટ મંજૂર થવાની દિશામાં હવે નક્કર શરૂઆત થઇ ચૂકી છે. રૂંઢ અને ભાઠા વચ્ચે...
ધી ઓલપાડ ગ્રુપ કો.ઓ. કોટન સેલ સોસાયટી લિમિટેડની ૮૫મી વાર્ષિક સાધારણ સભા મંડળીના પટાંગણમાં પ્રમુખ મનહર પટેલના અધ્યક્ષ સ્થાને મળી હતી. સભા...
કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બુધવારે વધતી જતી કિંમતોને લઈને સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે, ખેડૂતો, નાના...
લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (એલપીજી) રાંધણ ગેસના બાટલાના ભાવ સબસિડાઈઝ્ડ સહિતની તમામ કૅટેગરીમાં બુધવારે બાટલા દીઠ 25 રૂપિયા સુધી વધ્યા હતા. બે મહિના...
દિલ્હીમાં બુધવારે સવારે 8:30 વાગ્યે સમાપ્ત થતા 24 કલાકમાં 112.1 મીમી વરસાદ નોંધાયો હતો. જે સપ્ટેમ્બર મહિનામાં છેલ્લા 19 વર્ષમાં એક દિવસમાં...
લીડ્સ ટેસ્ટમાં પરાજીત થયા પછી ભારતીય ટીમ વાપસી કરવાની કવાયતમા જોતરાઇ છે અને ગુરૂવારથી અહીં ઓવલમાં શરૂ થઇ રહેલી ચોથી ટેસ્ટમાં જ્યારે...
ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સમાં બુધવારે અહીં બેડમિન્ટમાં વિશ્વના નંબર વન ખેલાડી પ્રમોદ ભગતે પુરૂષ સિંગલ્સમા જોરદાર શરૂઆત કરીને જીત મેળવી હતી, જો કે...
રાજ્યના મહાનગરો-નગરોમાં સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં જનભાગીદારીથી થતાં વિકાસના કામો અન્વયે ખાનગી સોસાયટીઓ, હાઉસિંગ બોર્ડ વસાહતો અને ફલેટના રહીશોને ભોગવવાના...
બરોડા ડેરી ‘ઠરાવ વિવાદ’: લોકશાહી ઢબે પ્રશ્નોનું નિરાકરણ લાવવા ચૂંટણી અધિકારી સક્રિય
75 મીટરના રસ્તા માટે 87 મકાનો પર તોળાતું જોખમ, પાલિકાના ગેટ પર રહીશોનો ‘હલ્લાબોલ’
છોટાઉદેપુરમાં એમજીવીસીએલની વીજચોરી સામે કાર્યવાહી, રૂ. 47.68 લાખનો દંડ
PM મોદી ઓમાનથી સ્વદેશ રવાના: નાયબ પ્રધાનમંત્રી સૈયદ શિહાબે એરપોર્ટ પર વિદાય આપી
સિંગવડ તાલુકાના પસાયતા ગામે હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
હિજાબ પ્રકરણ: ગુપ્તચર માહિતી બાદ નીતિશ કુમારની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો
વિસ્થાપિત સિંધી પરિવારોની 75 વર્ષ જૂની કેબીનો તોડી પાડતાં રોજગાર છીનવાયો
ડભોઇના વસઈવાલા જીન વિસ્તારમાં રૂ. 8 લાખના દાગીનાની ચોરી
બોડેલી તાલુકાના ઝાંપા ગામે નવી ડીપી સ્થાપન દરમિયાન વોલ્ટેજ વધતા મોટી દુર્ઘટના, ઉપકરણો ફૂંકાયા
શહેરમાં તીવ્ર ઠંડીનો માહોલ,તાપમાનનો પારો 13.2 ડીગ્રી નોંધાયો
સીયુજીમાં 20 સ્નાતકોત્તર વિષયોની 640 બેઠકો પર પ્રવેશ
ફતેગંજમાં ગટર ઉભરાઈ, ‘સ્માર્ટ સિટી’ના દાવા ફેલ
GSFC યુનિવર્સિટી દ્વારા સાતમો દીક્ષાંત સમારોહ, 632 વિધાર્થીઓને ડિગ્રી એનાયત થઈ
શિવ રેસિડેન્સી દુર્ઘટનાઃ 80 લાખનો ફ્લેટ હોવા છતાં 400 લોકો બેઘર થયા, રસ્તે ભટકવા મજબૂર
ભૂતપૂર્વ મિસ યુનિવર્સ હરનાઝ સંધુ પડતાં બચી, સ્ટેજ પર સંતુલન ગુમાવતો વીડિયો વાયરલ
ડભોઈની નવી વોર્ડ રચના : રાજકીય ગણિત ઉથલપાથલ, સમીકરણો ફરી ગોઠવાયા
શિલ્પકળાના સૂર્યનો અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સર્જક રામ સુતારનું 100 વર્ષની વયે નિધન
નવી દિલ્હી ખાતે ગજાનન આશ્રમ માલસરના પૂ.ગુરુજી વિજયભાઈ જોશીનું વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સલેન્ટથી સન્માન
ધુરંધર ફિલ્મના જવાબમાં પાકિસ્તાન ‘મેરા લ્યારી’ ફિલ્મ લાવશે, કહ્યું- ભારતનો પ્રચાર સફળ થશે નહીં
રાજામૌલીની ફિલ્મમાંથી બોલીવુડના અભિનેતાને બહાર કરવામાં આવશે, જાણો શું છે મામલો..?
SMCના ડ્રેનેજ વિભાગના વાંકે કાદરશાની નાળમાં ગટરીયા પૂર ઉભરાયું, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં
વેનેઝુએલા-અમેરિકાનો સંઘર્ષ: પૂર્વી પ્રશાંત મહાસાગરમાં US નેવીનો એક જહાજ પર ઘાતક હુમલો
હિન્દુ સગીરાને મુસ્લિમ યુવક ડિંડોલીની હોટલના રૂમમાં લઈ ગયો, પછી જે થયું…
હાઇકોર્ટથી રાહત બાદ દેવગઢ બારીયા નગરપાલિકા પ્રમુખ તરીકે નિલ સોની યથાવત
હિજાબ વિવાદ પર ભડક્યું બોલીવુડ: જાવેદ અખ્તરે માફી માંગવા કહ્યું, રાખી સાવંતે નીતિશ કુમારને..
ડભોઇના વકીલ બંગલા પાસે હાઈવા ટ્રકે વીજ પોલ ખેંચી કાઢતા અફરાતફરી
શિવ રેસીડેન્સી પર બીજી આફત, હવે ગેસ લાઈનમાં ભંગાણ થયું, 300 પરિવારોની સ્થિતિ કફોડી
ઓનલાઈન સસ્તું મળે તે બધું અસલી હોતું નથી, સુરતમાં નકલી કોસ્મેટિક્સનું કારખાનું પકડાયું
બિલ કેનાલમાં ગાબડું પડતા પાણીની રેલમછેલ, માર્ગ પર ફરી વળ્યું પાણી
લોકસભામાં ‘G RAM G’ બિલ પસાર: વિપક્ષે બિલની નકલ ફાડી, ગૃહમાં ભારે હોબાળો મચ્યો
છેલ્લી બે સદીમાં કોરોનાએ અનેક દેશને એવો માર માર્યો છે કે જેની કળ વળવી મુશ્કેલ છે. કોરોનાની બે લહેરને કારણે અનેક દેશોમાં મોંઘવારીએ માઝા મુકી છે. સામે વેપાર-ધંધાઓ પડી ભાંગે તેવી સ્થિતિ સર્જાઈ છે. ભારત પણ તેમાંથી બાકાત નથી. એટલું છે કે ભારત માટે સ્થિતિ એટલી ખરાબ થઈ નથી કે જેટલી ખરાબ સ્થિતિ ભારતની જ પડોશમાં આવેલા શ્રીલંકા દેશ માટે થઈ છે. કોરોનાએ શ્રીલંકાના પર્યટન ઉદ્યોગને મરણતોલ માર માર્યો છે. જેને કારણે તેની આવક પર મોટી અસર પડી છે. આવક ઘટી જતાં શ્રીલંકા પાસે વિદેશી હુંડિયામણ ઘટી ગયું છે અને સરવાળે હાલમાં શ્રીલંકાની એવી હાલત થઈ છે કે તેણે દેશણાં ફૂડ ઈમર્જન્સી જાહેર કરવી પડી છે. માત્ર એટલું જ નહીં પરંતુ શ્રીલંકાએ દેશભરમાં ખાદ્ય-ચીજવસ્તુઓના સંગ્રહખોરો સામે કડક કાર્યવાહી પણ કરવાની ચેતવણી પણ આપવી પડી છે. શ્રીલંકાનું દેવું પણ વધી જવા પામ્યું છે. સમગ્ર દેશ આર્થિક કટોકટીમાં ફસાઈ જવા પામ્યો છે.

અગાઉ નવેમ્બર, 2019માં શ્રીલંકા પાસે 7.5 અબજ ડોલરનું વિદેશી હુંડિયામણ હતું. કોરોનાને કારણે પર્યટનક્ષેત્રની આવક ઘટી જતાં શ્રીલંકાનું હાલમાં જુલાઈ માસના અંતમાં વિદેશી હુંડિયામણ ઘટીને 2.8 અબજ ડોલર થઈ ગયું છે. કોરોનામાં આવક ઘટતાં જાવકને પહોંચી વળવા માટે શ્રીલંકા દ્વારા 2020માં 650 અબજ ડોલર શ્રીલંકન રૂપિયા છાપવામાં આવ્યા હતા. તેમાંથી 213 અબજ શ્રીલંકન રૂપિયા શ્રીલંકાએ વિદેશી દેવા પેટે ચૂકવી દીધા. જેને કારણે તેની સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. શ્રીલંકા દ્વારા બગડતી પરિસ્થિતિને સુધારવા માટે ગત વર્ષથી અનેક પગલાઓ લેવાની શરૂઆત કરી દેવામાં આવી હતી. જેમાં વિદેશથી આયાત થતાં માલ-સામાન પર પ્રતિબંધ મુકવાની સાથે લાયસન્સ પ્રથા પણ અમલી બનાવવામાં આવી હતી પરંતુ તેમ છતાં પણ તેની વેપાર ખાધ વધી જ રહી છે. કોરોનાની મહામારીએ એવો ફટકો માર્યો છે કે શ્રીલંકાની અર્થવ્યવસ્થા 3.6 ટકા જેટલી સંકોચાઈ ગઈ છે.
આ સ્થિતિથી બચવા માટે શ્રીલંકા દ્વારા ગત માર્ચ માસમાં ખાદ્યતેલથી માંડીને છેક ખાંડ સુધીની અનેક ચીજ-વસ્તુઓની આયાત પર અંકુશો મુકી દેવામાં આવ્યા હતા પરંતુ હજુ સુધી તેનો મેળ પડી શક્યો નથી. હાલમાં જ જુલાઈ માસમાં શ્રીલંકાની મધ્યસ્થ બેંકએ એવું જણાવ્યું હતું કે, શ્રીલંકાએ 1.5 અબજ ડોલરના વિદેશી દેવાની ચૂકવણી કરવાની બાકી હતી. તેમાંથી 1.3 અબજ ડોલર ચૂકવી દેવામાં આવ્યા છે પરંતુ જે રીતે શ્રીલંકાના નાણાંનું અવમૂલ્યન થઈ રહ્યું છે તે જોતાં ભવિષ્યમાં બાકીના દેવાની ચૂકવણી ઘણી અઘરી બની જશે. 1 અબજ ડોલરના બોન્ડની જે આંશિક ચૂકવણી કરવાની છે તેને કારણે પણ શ્રીલંકાના વિદેશી હુંડિયામણમાં મોટો ઘટાડો થશે. પરિસ્થિતિ એવી થઈ છે કે શ્રીલંકા દ્વારા ટ્રેઝરી બિલની હરાજી પણ કરવાની જાહેરાત કરાઈ હતી પરંતુ તે સફળ નહીં રહેતા હાલમાં જ 22મી ઓગષ્ટના રોજ શ્રીલંકાની મધ્યસ્થ બેન્કએ 29 અબજ શ્રીલંકન રૂપિયા છાપ્યા હતા.
શ્રીલંકાની હાલમાં એવી સ્થિતિ છે કે તેના ઉર્જા પ્રધાને દેશના લોકોને પેટ્રોલ-ડિઝલનો કરકસરયુક્ત ઉપયોગ કરવાની અપીલ કરવી પડી છે. કારણે કે ઈંધણ માટે શ્રીલંકાએ મોટાપાયે વિદેશી હુંડિયામણ ચૂકવવું પડી રહ્યું છે. જેની સીધી અસર આવશ્યક દવાઓ તેમજ કોરોનાની વેક્સિનની વિદેશમાંથી ખરીદી પર પડી રહી છે. જો પેટ્રોલ-ડિઝલનો વપરાશ ઘટશે નહીં તો તેના માટે રેશનિંગ કરવામાં આવશે. શ્રીલંકાએ નાણાં એકત્રિત કરવા માટે કોરોનાકાળમાં પણ થાપણો પર વધુ વ્યાજદર આપવાની જાહેરાત કરી હતી. શ્રીલંકામાં હાલમાં મિલ્ક પાવડર, ખાંડની સાથે ખાદ્યતેલ સહિતની રોજિંદી વપરાશની વસ્તુઓ માટે લાઈનો લાગી રહી છે. જો શ્રીલંકન સરકાર ઝડપથી આ સ્થિતિ પર કાબુ નહીં મેળવી શકશે તો શ્રીલંકામાં ફુગાવો આસમાને જતો રહેશે. શ્રીલંકાની જે સ્થિતિ થઈ રહી છે તેની પરથી ભારતે શીખ લેવાની જરૂરીયાત છે અને ભારતમાં પણ સ્થિતિ વણસે તે પહેલા જ કેન્દ્ર સરકાર પગલા લેવા માંડે તે અતિ જરૂરી છે.