Top News

More Posts

   The Latest

Most Popular

દાહોદ: દાહોદ જિલ્લા ના ફતેપુરા ના ભીચોર પ્રાથમિક શાળા મા મધ્યાન ભોજન અંતર્ગત બાળકોને આપવામાં આવેલા ચોખા સડેલા અને અખાધ્ય આપવામાં આવતા વાલી ઓ મા રોષ જોવા મળિયો હતો. સરકાર દ્વારા બાળકો મધ્યાન ભોજન મા પૌષ્ટિક અને ગુણવત્તાસભર ભોજન આપવા માટે ના પરિપત્રો જાહેર કરવા મા આવ્યા છે બાળકો ને આપવા આવતા અનાજ ને પહેલા આચાર્ય તેમજ શિક્ષકો દ્વારા ચકાસણી કર્યા બાદ આપવા મા આવતું હોય છે પરંતુ ભીચોર પ્રાથમિક શાળા ના આચાર્ય દ્વારા આ પરિપત્ર ના જાણે કે ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે જયારે આ અનાજ આચાર્ય દ્વારા જાતે જ વિતરણ કરવા મા આવ્યું હોવા નુ બાળકો તેમજ બાળકો ના વાલી ઓ દ્વારા જણાવી રહ્યું છે જે બાબતે આચાર્ય નો સંપર્ક કરતા આચાર્ય જવાબ આપવા નુ ટાળ્યું હતું.

સડેલા ચોખા મળી આવતા આચાર્ય નો સંપર્ક કરતા આચાર્ય દ્વારા અલ્લાતલા કરતા હતો જયારે બાળકો ના વાલી ઓ દ્વારા આચાર્ય નો સંપર્ક કરતા આચાર્ય એ એસ.એમ.સી સભ્યો ની હાજરી મા આપ્યા હતા અને અમે વિતરણ કર્યા છે તેવું વાલી ઓ ને જણાવ્યું હતું. તો શું શાળા ના આચાર્ય ને પણ બાળકો ના આરોગ્ય સાથે ખિલવાડ કરી રહ્યા છે? શુ આચાર્ય ને બાળકો ની કશું જ પડી નથી? જેવા અનેક સવાલો ગામ લોકો દ્વારા ચર્ચાઈ રહ્યા છે.જયારે આ બાબતે મામલતદાર ફતેપુરા અને નાયબ મામલતદાર સાથે સંપર્ક કરતા ફોન રીસિવ કર્યો ન હતો ત્યાર બાદ નાયબમામલતદાર દ્વારા પણ ફોન રિસિવ કરવા આવ્યો ન હતો.પુરવઠા વિભાગના ડેપો મેનેજરને પુછતાં તેમણે જણાવ્યું હતું કે અમારી પાસો આવો કોઈ મુદ્દો આવ્યો નથી અને કોઈ પણ મધ્યાહન ભોજન માટે મોકલવામાં આવતા ચોખા કે કઠોળને અમે અહીંયા લેબ ટેસ્ટ કરી અને ત્યારબાદ જ
મોકલીએ છીએ.

તો શું ભીચોર ગામની શાળામાં મળી આવેલા ચોખા ની ચકાસણી કરવામાં આવી નહોતી કે પછી લેબ ટેસ્ટની વાતો પોકળ છે ? સવાલ એ છે કે જો ગોડાઉન માંથી આનાજ ચકાસણી કર્યા બાદ ટેસ્ટ કર્યા પછી જ આનાજ નો જથ્થો મોકલવા મા આવે છે તો આ સડેલા ચોખા આવ્યા ક્યાં થી તેવા અનેક સવાલો છે. કે પછી ચકાસણી કરવા ની વાતો હવા મા ગોળીબાર સમાન છે? એક તરફ બાળકોને કુપોષણથી બચાવવા માટે સરકાર દિવસરાત એક કરી ગુજરાતના કુપોષિત બાળકોના આંકડા ઓછા કરવા માટે મહેનત કરી રહી છે અને બીજી તરફ આવી હલકી ગુણવત્તાનું અનાજ બાળકો માટે મોકલી અને તેમના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવી રહયા છે.

ભીચોર પ્રાથમિક શાળા ના આચાર્ય દ્વારા કબૂલવા મા આવી રહ્યું છે કે અમે બાકી રહેલા બાળકો ને આનાજ વિતરણ કર્યું છે જે ચોખા સડેલા હતા. વાલી ઓ જોડે પણ આચાર્ય ની વાત થઇ છે અને આચાર્ય દ્વારા કહેવા મા આવ્યું છે કે એસ.એમ.સી સભ્યો ની હાજરી મા ચોખા આપ્યા છે તો બાળકો સાથે જાણી જોઈ ને આરોગ્ય સાથે છેડા કરી રહ્યા છે જેવા અનેક સવાલો વાલી ઓ ના મન મા ઉઠી રહ્યા છે. ફતેપુરા પુરવઠા વિભાગ દ્વારા સબ સલામતી ની વાતો કેમ કરવા મા આવી રહી છે? તો શું આ તંત્ર ની મિલી ભગત છે કે બધું લોલામલોલ ચાલી રહ્યું છે.

To Top