Top News

More Posts

   The Latest

Most Popular

અમદાવાદ: મોરબી (Morbi) ઝુલતા પુલ દુર્ઘટનામાં (Tragedy) હજુ પણ કેટલાક લોકો ગુમ (Missing) હોવાની માહિતી મળી રહી છે, પરિણામે વહીવટી તંત્ર દ્વારા હજુ પણ આગામી ચાર દિવસ સુધી સર્ચ ઓપરેશન (Search operation) ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યારે એનડીઆરએફ, આર્મી અને નેવીના જવાન ઉપરાંત ફાયર બ્રિગેડના જવાનો મળી અંદાજે 500 જેટલા જવાનો સર્ચ ઓપરેશન હાથ ધરી રહ્યા છે.વહીવટી તંત્રના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગત રવિવારની સાંજે મોરબી ઝુલતાપુલ દુર્ઘટના ઘટી હતી, ત્યારબાદ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું જે ચાલુ છે. હજુ પણ કેટલાક લોકો ગુમ હોવાની માહિતી મળી રહી છે.

ગુમ થયેલા વ્યક્તિના પરિવાર સાથે વહીવટી તંત્ર સંપર્કમાં છે
આગામી ચાર દિવસ સુધી સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવશે. મોરબી કલેકટરના જણાવ્યા પ્રમાણે ઝૂલતા પુલ દુર્ઘટતામાં ઇજાગ્રસ્તો પૈકી 17 લોકો હજુ સારવાર હેઠળ છે. જ્યારે 135 લોકોના મૃત્યુ થયા છે. હજુ એક વ્યક્તિ લાપતા છે. જેની શોધખોળ ચાલી રહી છે. આ ગુમ થયેલા વ્યક્તિના પરિવાર સાથે વહીવટી તંત્ર સંપર્કમાં છે. આ વ્યક્તિ પંજાબનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે.

મૃતકના પરિવારજનોને મળી જાય તે માટે પ્રયાસો શરૂ
આ ઉપરાંત મૃતકોને સહાય જાહેર કરવામાં આવી છે. રાજ્ય સરકાર તરફથી મળવાપાત્ર થતી 4 લાખની સહાયના ચેક પણ મૃતક પરિવારજનોને અર્પણ કરવામાં આવ્યા છે, તેમજ કેન્દ્ર સરકાર દ્વારા બે લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે. તે પણ વહેલી તકે મૃતકના પરિવારજનોને મળી જાય તે માટે પ્રયાસો શરૂ કરાયા છે. આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્તને પણ 50000ની સહાય ચૂકવવાની જાહેરાત કરી છે. જેની ચુકવણી પણ કરવામાં આવી રહી છે.

To Top