ગાંધીનગર: રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) કચ્છના મુન્દ્રા બંદરેથી રૂ.17 કરોડની કિંમતની વિદેશી બ્રાન્ડની સિગારેટ (માન્ચેસ્ટર)નું (Foreign brand cigarettes) કન્ટેનર જપ્ત કર્યું છે. રેવન્યુ...
ગાંધીનગર: કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલય દ્વારા 18-22 ઓક્ટોબર દરમિયાન ગાંધીનગરમાં (Gandhinagar) મહાત્મા મંદિર ખાતે દ્વિવાર્ષિક સંરક્ષણ પ્રદર્શન-DefExpo 2022ની 12મી આવૃત્તિનું આયોજન થઈ રહ્યું...
વ્યારા: વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી આગામી તા.૨૦/૧૦/૨૦૨૨ના રોજ તાપીના (Tapi) સોનગઢના ગુણસદા ખાતે પધારનાર છે. આ કાર્યક્રમના સુચારુ આયોજન માટે ઉચ્ચ અધિકારીઓની...
અમદાવાદ: ભાજપના (BJP) શાસનમાં ગુજરાત (Gujarat) અને દેશનું અર્થતંત્ર ખાડે ગયું છે. અસહ્ય મોંઘવારી, બેરોજગારી, પેટ્રોલ-ડીઝલ-ખાદ્યતેલના આસમાને જતાં ભાવ, બેરોકટોક ચાલતો ડ્રગ્સનો...
અમદાવાદ: છેલ્લા અઢી દાયકા જેટલા લાંબા સમયગાળાના ભાજપના (BJP) કુશાસન દરમિયાન ગુજરાતની (Gujarat) એક આખી પેઢી બેકારી, બેરોજગારી, દિશાવિહીનતાની ગર્તામાં ધકેલાઈ ગઈ...
રાજપીપળા: ભારતના ઉપરાષ્ટ્રપતિ (Vice President) જગદીપ ધનખડે (Jagdeep Dhankhade) તેમની ગુજરાતની મુલાકાત દરમિયાન નર્મદા જિલ્લાના કેવડિયામાં (Kevadia) અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ...
ગાંધીનગર: રાજ્ય સરકારે ગુજરાત (Gujarat) ગૌણ ખનીજ છૂટછાટ (સુધારા) નિયમો-ર૦રરમાં જાહેરહિત અને વહીવટી સરળીકરણના ધ્યેય સાથે ખાણકામ નિયમોમાં સુધારા જાહેર કર્યા છે....
ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) ચાલુ ઓક્ટો. માસમાં વિધાનસભાની ચૂંટણીની (Election) જાહેરત થાય તેવી તૈયારીઓ ચૂંટણી પંચ દ્વારા ચાલી રહી છે, ત્યારે પીએમ (PM)...
ઈસ્લામાબાદઃ (Islamabaad) પાકિસ્તાનમાં આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવા વિરુદ્ધ ટ્વિટ (Tweet) કરવા બદલ ઈમરાન ખાનની પાર્ટીના એક સાંસદની (MP) ધરપકડ કરવામાં...
મુંબઈ: અભિનેત્રી (Actress) નોરા ફતેહી ફરી એકવાર ચર્ચામાં છે. કોઈ નવો લુક (Look) નહીં, કોઈ ડાન્સ વીડિયો (Dance Video) નહીં, કોઈ ફિલ્મ...
અંકલેશ્વર: ભરૂચ જિલ્લામાં દિવાળી (Diwali) પર્વે (Festival) કાયદો અને વ્યવસ્થા જળવાય રહે એ હેતુસર ફરી ગત તા.૧૨/૧૦/૨૦૨૨ ના રોજ ગંભીર પ્રકારના બનાવ...
નવી દિલ્હી: યુક્રેન (Ukrain) અને રશિયા (Russia) વચ્ચે ચાલી રહેલ યુદ્ધનો (War) હજુ સધી કોઈ અંત આવ્યો નથી. છેલ્લા કેટલાક દિવસોથી રશિયા...
બારડોલી : સુરત જિલ્લા એલ.સી.બી.એ (LCB) બારડોલી (Bardoli) ગ્રામ્ય પોલીસ (Police) મથક વિસ્તારમાંથી પકડેલા વિદેશી દારૂના કેસમાં છેલ્લા સાત મહિનાથી વોન્ટેડ આરોપી...
ગુજરાત: ગુજરાતમાં (Gujarat) આમ આદમી પાર્ટીના (AAP) વડા ગોપાલ ઈટાલિયાના નિવેદનને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે તેમનો વધુ એક વીડિયો (Video) સામે...
સુરત: (Surat) સચીન સુડા સેક્ટર ખાતે કરીયાણાના દુકાનદારને ક્રાઈમ બ્રાંચે (Crime Branch) હોજીવાલામાં ખુલ્લા પ્લોટમાં દાટેલા દેશી તમંચાને (Desi Tamancha) બહાર કાઢીને...
ભરૂચ: દિવાળીના (Diwali) પર્વ નિમિત્તે બજારમાં વેચાતા ફટાકડાઓમાં (Fireworks) હિન્દુ દેવી-દેવતા(Gods) ઓનાં નામથી અને ફોટાવાળા (Photos) ફટાકડાનું વેચાણ બંધ કરાવવાની માંગ સાથે...
સુરતઃ હજીરા (Hazira) ખાતે વિશ્વભરના મોટા ઉદ્યોગો ધમધમી રહ્યા છે. પરંતુ આ ઉદ્યોગોમાંથી નીકળતો ઝેરી કચરો ગામના કેટલાક ટ્રાન્સપોર્ટર સરેઆમ સરકારી જમીન...
સેલવાસ-દમણ: (Daman) સંઘ પ્રદેશ દાનહના સેલવાસમાં હવે ખુલ્લામાં અને જાહેર વિસ્તારોમાં દારૂનું (Alcohol) સેવન કરશો તો જેલમાં જવું પડશે. કારણ કે, પોલીસે...
સિલ્હટ : મહિલા એશિયા કપની (Women’s Asia Cup) આજે ગુરૂવારે અહીં રમાયેલી બીજી સેમી ફાઇનલમાં (Semi Finals) ભારતીય ટીમે (Indian Team) થાઈલેન્ડને...
દેલાડ: ઓલપાડના (Aulpad) સાયણ ટાઉનની પરપ્રાંતિ વસતી ધરાવતી એક સોસાયટીમાં રહેતા શંકર ઉડિયા સહિત ત્રણ શખ્સોએ એક બિહારી (Bihari) શ્રમજીવી ઉપર તલવારથી...
અમદાવાદ : ગુજરાતમાં (Gujarat) ફરી એક વખત વિવાદ થતાં શિક્ષણ જગતમાં ચકચાર મચી જવા પામ્યો છે. સામાન્ય રીતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોઈકને કોઈ...
ગાંધીનગર : રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીનો (National Defense University) બીજો દીક્ષાંત સમારંભ 17મી ઓક્ટોબર 2022ના રોજ યોજાશે. આ દીક્ષા સમારંભમાં કેન્દ્રીય રક્ષા મંત્રી...
કોંગ્રેસ અધ્યક્ષ (Congress President) પદ માટે શશિ થરૂર (Shashi Tharur) અને મલ્લિકાર્જુન ખડગે આમને-સામને છે. આ દરમિયાન શશિ થરૂરે તેમની સાથે પક્ષપાતનો...
નવસારી : ગુજરાત (Gujarat) રાજ્યમાં નગરપાલિકાઓના કર્મચારીઓ અને રોજમદારો પડતર માંગણીઓને લઈ આગામી શનિવારથી અચોક્કસ મુદ્દતની હડતાળ (Strike) પર ઉતરવાની તૈયારી કરી...
ભરૂચ: ગુરુવારે વહેલી સવારે ભરૂચના ઝાડેશ્વર ગામમાં ખાનગી કંપનીનો લક્ઝરી (luxury) બસનો (Bus) ચાલક કર્મચારીઓને લેવા માટે આવ્યો હતો. બસનો ચાલક નારાયણ...
વલસાડ: વલસાડ (Valsad) જિલ્લામાં જિલ્લા, તાલુકા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ ફિડર કેડરમાંથી અપાતા પ્રમોશન (Promotion) અને પ્રતિ નિયુક્તિઓમાં સિનિયોરિટીને (Seniority) ધ્યાનમાં...
વાપી: વાપીમાં (Vapi) રિક્ષા (Auto) ચલાવી ગુજરાન કરતા યુવકના ચાર વર્ષના પુત્રને સ્કૂલ (School) પાસે જ રસ્તા પર બાઈક (Bike) ચાલકે અડફેટે...
વ્યારા: વાલોડ (Valod) તાલુકા (Taluka) પંચાયત (Panchayat) ખાતે વિપક્ષના સભ્યોએ પોતાનાં કામોનો યોજનાકીય ગ્રાન્ટમાં (Grant) સમાવેશ કરવાની માંગણીનો શાસક પક્ષ દ્વારા ઉલાડિયું...
નવી દિલ્હી : બહુપ્રતીક્ષિત વિમેન્સ ઇન્ડિયન પ્રીમિયર લીગ (ડબલ્યુઆઇપીએલ) આવતા વર્ષે મેન્સ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) પહેલા માર્ચમાં (March) યોજાશે, જેમાં પાંચ...
બિગ બોસ (Big Boss) 16 ના સ્પર્ધક અબ્દુલ રાઝિક (Abdul Razik) આ દિવસોમાં ખૂબ ચર્ચામાં છે. તે તેના સુંદર દેખાવ અને પ્રેમાળ...
ન્યાયમૂર્તિ પી. બી. સાવંત અને ન્યાયમૂર્તિ માર્કન્ડેય કાત્જુ અનુક્રમે ૧૯૯૫થી ૨૦૦૧ અને ૨૦૧૧થી ૨૦૧૪નાં વર્ષોમાં પ્રેસ કૌંસિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ હતા. આ બેનો ઉલ્લેખ એટલા માટે કરવો જોઈએ કે તેમણે દેશમાં મિડિયાનાં નીચે જતાં નૈતિક ધોરણો અને ઘટતી વિશ્વાસાર્હતા વિષે દેશનું ધ્યાન દોર્યું હતું અને ઉપાય સૂચવ્યો હતો કે પ્રેસ કાઉન્સિલ કે એના જેવી કોઈ બૉડી હોવી જોઈએ જે મિડિયાનું નિયમન કરે.
દોષી મિડિયાની માત્ર નિંદા કરવાથી કામ નહીં ચાલે, તેને સજા પણ થવી જોઈએ. ન્યાયમૂર્તિ સાવંતના સમયમાં હજુ ચોવીસ કલાકની ન્યુઝ ચેનલો નહોતી આવી અને ન્યાયમૂર્તિ કાત્જુના સમયમાં ચોવીસ કલાકની ટી.વી. ન્યુઝ ચેનલોએ તેની તાકાતનો પરિચય કરાવી દીધો હતો, નૈતિકતાનાં કથળતાં ધોરણોનો પણ પરિચય કરાવી દીધો હતો, પણ હજુ નીચતાનો પરિચય થવાનો બાકી હતો. એ સમયે અખબારો અને ટી.વી. ચેનલોનાં માલિકોએ અને કેટલાંક પત્રકારોએ દલીલ કરી હતી કે આને માટે શાસન નહીં, અનુશાસન હોવું જોઈએ. દોષીને દંડવાનો અધિકાર જો સરકારને આપવામાં આવશે તો પત્રકાર તેનું સ્વાતંત્ર્ય ગુમાવશે, જે લોકતંત્રનો ચોથો મહત્ત્વનો સ્તંભ છે.
પત્રકારત્વ અનુશાસિત હોય એ માટે પ્રયત્નો કરવામાં આવશે. રાજદીપ સરદેસાઈ અને બીજાઓ આવી દલીલ કરવામાં મોખરે હતા, જેમાંથી કેટલાક ગોદમાં બેસીને શાસકોની ખિદમત કરે છે અને બીજા કેટલાક અત્યારે બોલવાની પણ હિંમત ધરાવતા નથી. આનું પરિણામ એ આવ્યું કે પ્રિન્ટ હોય કે ઇલેક્ટ્રોનિક, મિડિયાએ તેની આબરૂ ગુમાવી દીધી છે. ભક્ત પણ જાણે છે કે આ ખોટું છે, પણ મને ગમે છે એટલે મને ગ્રાહ્ય છે. આવા જૂઠને ગ્રહણ કરવા માગનારાઓ માટે અને તેને જાણીબૂજીને આગળ ફેલાવવા માગનારાઓ માટે ગોદી મિડિયા કામ કરે છે. જે આટલી હદે નીચે નથી જતા એ મૂંગા રહે છે. સત્ય અને નૈતિકતાનો પક્ષ લઈને બોલનારા લગભગ કોઈ નથી.
આપ-લેની સમજૂતી હતી અને દર્શકો અને વાચકો જે આપવામાં આવે તેનું ગ્રહણ કરતાં હતાં. પણ આ યુગ એવો છે જેમાં ચિરંજીવી તો છોડો, દીર્ઘજીવી પણ કોઈ નીવડતું નથી. ઝડપભેર ટેકનોલોજી બદલાય છે. ધીરે ધીરે ગ્રહણ કરનારાઓની સંખ્યા ઘટવા લાગી. કેટલાંકની આંખ ઊઘડી, કેટલાંકને બેવકૂફ બનવા માટે શરમ આવવા લાગી અને કેટલાંક તારસ્વરે ભજવાતી ભવાઈથી કંટાળી ગયાં. રોજરોજ એ જ જમવાનું જે જમાડવામાં આવે! બીજી બાજુ ડીજીટલ મિડિયાની વગ વધવા લાગી. એટલી હદે વધી ગઈ કે ઇલેક્ટ્રોનિક મિડિયા અત્યારે તેની વગ ગુમાવી રહ્યાં છે.
આજે વૃદ્ધો અને બેવકૂફોને છોડીને કોઈ ટી.વી. પર ચાલતી ડીબેટ જોતાં નથી. ઇલેક્ટ્રોનિક મિડિયાની સ્થિતિ એવી છે કે ગુમાવેલાં સમજદાર દર્શકો હવે પાછાં મળી શકે એમ નથી એટલે જેને મારી નાખું, કાપી નાખુંનો ભવાઈનો ખેલ ગમે છે તેને માટે ભવાઈનો ખેલ ભજવવો પડે છે. ઘણાં લોકોનું એવું અનુમાન હતું કે ૨૦૨૪નાં ચૂંટણીનાં પરિણામો પછી ગોદી મિડિયા ‘શોલે’ફિલ્મની પાણીની ટાંકી પરથી નીચે ઉતરશે, પણ એવું બન્યું નથી. કિકિયારીઓ કરનારાઓ અને સીટીઓ વગાડનારાઓ સિવાય કોઈ ઓડિયન્સમાં આવે એમ નથી એટલે એ જ ખેલ ચાલી રહ્યો છે.
આ નાછૂટકાનો ખેલ છે, પણ ભજવવો પડે છે, બાકી તેમને પણ ખબર છે કે આ લાંબો સમય ચાલે એમ નથી. તેમને એ પણ જાણ છે કે જેના લાભાર્થે ખેલ ભજવવામાં આવે છે તેને જ્યારે લાભ મળતો બંધ થઈ જશે ત્યારે તે પણ રઝળતાં મૂકીને જતાં રહેશે. ૨૦૨૪ની ચૂંટણીએ બતાવી આપ્યું છે કે ગોદી મિડિયા કામનાં રહ્યાં નથી. ન્યાયમૂર્તિ સાવંતથી વાયા ન્યાયમૂર્તિ કાત્જુ મિડિયાની આ ત્રણ દાયકાની યાત્રા છે જેમાં હવે અનુશાસનની તો કોઈ વાત જ નથી કરતું. ઓછામાં પૂરું ડીજીટલ મિડિયાની વગ કૂદકે ને ભૂસકે વધી રહી છે અને તેનું આખું જૂદું વિશ્વ છે. લાગત ઓછી અને પહોંચ વધારે.
અહીં એક પ્રશ્ન વિચારવો જોઈએ. શું નવી ટેકનોલોજીએ જૂની ટેકનોલોજીને પરાસ્ત કરી? આવું બનતું હોય છે. એક જમાનામાં નોકિયા પાસે મોબાઈલ ફોનનું ૯૦ ટકા માર્કેટ હતું અને અત્યારે તમે જાણો છો કે માત્ર એક દાયકામાં સમૂળગી કંપની જ ઊઠી ગઈ. પણ અહીં સાવ એવું નથી. ઉદાહરણ આપવું હોય તો અલ ઝઝીરાનું આપી શકાય. અલ ઝઝીરા અને તેના જેવી બીજી કેટલીક ટી.વી. ન્યુઝ ચેનલનાં દર્શકોમાં ઉમેરો થઈ રહ્યો છે. એવી જ રીતે કેટલાંક અખબારો તરફ પણ વાચકો પાછાં વળી રહ્યાં છે. પ્રિન્ટ નહીં તો ડીજીટલ ફોરમેટમાં પણ લોકો છાપાં વાંચતાં થયાં છે. પણ આ લાભ એને મળી રહ્યો છે જે ભરોસાપાત્ર છે. જે કોઈના વાજિંત્ર નથી બન્યાં, સ્વતંત્ર અવાજો છે. તો ટેકનોલોજીએ ઇલેક્ટ્રોનિક મિડિયાને ખતમ નથી કર્યાં, લોકોનો ભરોસો ગુમાવ્યો તેને કારણે ખતમ થયાં છે.
હવે કસોટી ડીજીટલ મિડિયાની થવાની છે. એમાં પણ ખોટા સિક્કા ઘણા છે અને ઉમેરાઈ રહ્યા છે. માત્ર નરેન્દ્ર મોદીની તરફેણમાં નહીં તેમનો વિરોધ કરનારાઓમાં પણ ખોટા સિક્કાની ભરમાર છે. તેમને ખબર છે કે ધ્રુવીકરણના આ યુગમાં નરેન્દ્ર મોદી માટે અણગમો ધરાવનારાઓ પણ મોટી સંખ્યામાં છે અને તેમાં વધારો થઈ રહ્યો છે. નરેન્દ્ર મોદીનું સમર્થન અને વિરોધ કરનારાઓનું પ્રમાણ લગભગ ૩૦:૭૦નું છે.
તેમને આમાં કમાવાની તક નજરે પડે છે અને એટલે તેઓ જૂઠ, અર્ધસત્ય અને વધુ તો અતિશયોક્તિનો સહારો લે છે. તમે ભલે નરેન્દ્ર મોદીના વિરોધી હો, પણ પહેલાં માણસ છો જેને ઈશ્વરે બુદ્ધિ આપી છે, વિવેક કરવાની શક્તિ આપી છે, પોતાનાં સંતાનનાં અને એકંદરે સમાજનાં વ્યાપક હિતને પારખવાની દૃષ્ટિ આપી છે. હાથમાં છાપું હોય કે રીમોટ હોય કે મોબાઈલ, માણસ હોવાનું ભાન નહીં ભૂલતા. નહીં તો તમારી સ્થિતિ ઉકરડામાં કચરો ફેંદનારાં ભૂંડ જેવી થશે. કચરો આનો હોય કે પેલાનો એનાથી કોઈ ફરક નથી પડતો. બીજું, તમે કયા મોઢે ભક્તોની ઠેકડી ઉડાડશો? માટે એક જવાબદાર માનવી અને નાગરિક તરીકે સાવધ રહો.
રહી વાત શાસકોની. તો એ બિચારા આ નવી સ્થિતિથી કેમ કામ પાડવું એની તજવીજમાં છે. તેમને ડીજીટલ મિડિયાની વધતી વગની જાણ છે અને તેમને એ પણ જાણ છે ભક્તો કરતાં વિરોધીઓની સંખ્યા ઘણી મોટી છે અને તેમાં વધારો થઈ રહ્યો છે. ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીને એ લોકો પ્રભાવિત કરશે એની પણ તેમને જાણ હતી એટલે સામાન્ય ચૂંટણીની પૂર્વ સંધ્યાએ ૨૦૨૩ની સાલમાં તેમણે ૨૦૨૧ના ઇન્ફોર્મેશન ટેકનોલોજી નિયમન ધારામાં સુધારો કરીને ફેક્ટ ચેક યુનિટની રચના કરવાની જોગવાઈ કરી હતી. આ યુનિટની રચના સરકાર કરે જે નક્કી કરે કે ડીજીટલ મિડિયા પર આપવામાં આવેલી માહિતી સાચી છે કે ખોટી. જો ખોટી હોય તો તેને હટાવી દેવાનું ડીજીટલ મિડિયા હેન્ડલરને કહેવામાં આવે અને જો ન હટાવે તો સજા કરવામાં આવે.
નક્કી કોણ કરે? સરકારે પસંદ કરેલાં માણસો. એ લોકો વિરોધીઓની સાચી માહિતી ખોટી ઠેરવે અને ગોદીજનોની ખોટી માહિતી સામે આંખ આડા કાન કરે અને જો કોઈ ફરિયાદ કરે તો સાચી ઠેરવે. જાણીતા સ્ટેન્ડઅપ કોમેડિયન કુણાલ કામરાએ આ જોગવાઈ મુંબઈની વડી અદાલતમાં પડકારી. સુનવાઈ ન્યાયમૂર્તિ ગૌતમ પટેલ અને ન્યાયમૂર્તિ નીલા ગોખલેની અદાલતમાં ચાલી હતી. ગયા જાન્યુઆરી મહિનામાં બન્ને જજોએ અલગ અલગ અને એકબીજાની વિરુદ્ધમાં ચુકાદો આપ્યો હતો. ગૌતમ પટેલે કહ્યું હતું એ આ જોગવાઈ બંધારણની વિરુદ્ધ છે. અભિવ્યક્તિ સ્વતંત્રનો આમાં ભંગ થાય છે. દેશ હિતમાં જરૂરી હોય એટલાં જ માફકસરનાં નિયંત્રણોની જે અપેક્ષા છે એના કરતાં આમાં વધારે નિયંત્રણની શક્યતા નજરે પડે છે, કારણ કે સરકાર પોતે નિયંત્રણોમાં ફાયદો જોનાર અને મેળવનાર એક પક્ષ છે.
ન્યાયમૂર્તિ નીલા ગોખલેએ ચુકાદો આપ્યો હતો કે સાચી માહિતી તો સરકાર પાસે જ હોય ને! લોકો પાસે ખોટી માહિતી હોઈ શકે અને એ જનતા સુધી ન પહોંચે એટલા માટે સરકારે કાયદામાં સુધારો કર્યો છે. અહીં માત્ર એટલું જ કહેવાનું કે સરકાર સાચી માહિતી ધરાવતી હોય અને એ માહિતીના આધારે સાચો પક્ષ લેતી હોય તો અદાલતો સરકારને સંડોવતા ખટલા શા માટે સાંભળે છે? ભારતમાં ૮૦ ટકા કેસોમાં સરકાર કાં ફરિયાદી છે અથવા બચાવ પક્ષે છે. ખેર, એ કેસ ત્રીજા ન્યાયમૂર્તિ શરદચન્દ્ર ચાંદુરકરની અદાલતમાં રીવ્યુ માટે મોકલવામાં આવ્યો અને તેમણે ૨૦મી સપ્ટેમ્બરે ન્યાયમૂર્તિ ગૌતમ પટેલ સાથે સંમત થતો ચુકાદો આપ્યો. હવે સરકાર કદાચ સર્વોચ્ચ અદાલતમાં અપીલમાં જશે.
ડીજીટલ મિડિયાને અંકુશમાં લેવા સરકાર દરેક પ્રકારના ઉધામા કરવાની છે. એક યુટ્યુબરને જાણીતા ગુજરાતી ઉદ્યોગપતિએ ખરીદી લીધો હોવાની ખબર આવી છે. ગોદી યુટ્યુબરો પણ મેદાનમાં આવી રહ્યા છે. પણ સમસ્યા એ છે કે ડીજીટલ મિડિયાનું સ્વરૂપ અર્થતંત્ર અલગ છે અને તેને દબોચવું સહેલું નથી. પણ આપણે એક સ્વતંત્ર અને વિવેકી માણસ છીએ. સત્ય અને જૂઠા પ્રચાર વચ્ચે નીરક્ષીર વિવેક કરતાં માણસને આવડે છે. તમે વિવેકી આચરણ કરશો તો ખોટાં લોકો એની મેળે નિરસ્ત થઈ જશે. યાદ રહે, એ લોકોનું અસ્તિત્વ તમારા થકી છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.