સુરત: (Surat) શહેરમાં ગુરૂવારે માત્ર 98 પોઝિટિવ દર્દી નોંધાવાની સાથે કુલ આંક 37,666 પર પહોંચ્યો છે તેમજ વધુ 1 મોત સાથે કુલ...
અમદાવાદ: (Ahmedabad) ભાજપ (BJP) પ્રદેશ સંગઠનનું નવું માળખું જાહેર કરતા ટીમમાં 90 ટકા ફેરફાર થયા છે. સીઆર પાટીલના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ...
ખેરગામ: (Khergam) ખેરગામમાં તસ્કરોને ચોરી કરવાની જાણે ગમ્મત પડી ગઈ હોય એવું લાગી રહ્યું છે. પોલીસ હજુ કોઈ ઘટનાનો ભેદ ઉકેલે એ...
ગાંધીનગર : રાજ્યમાં જુદી જુદી જગ્યાએ પોલીસ એકેડમી દ્વારા દિક્ષાંત પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જુનાગઢના કરાઈ એકેડમી, ખલાલ, પીટીએસ, વડોદરા,...
અંકલેશ્વર : એક તરફ કોરોના સ્ટ્રેન (CORONA NEW STRAIN) સમગ્ર વિશ્વ ઉપરાંત ભારત અને ગુજરાતમાં પણ ફેલાઈ રહ્યો છે એવા સમયે પણ...
એક બંગલા બને ન્યારા… એ તો દરેકનું પોતીકું સપનું હોવાનું.વળી,એ માટે દરેક પોતાની કેપેસીટી પ્રમાણે ઘર બનાવે. આજે અહીંથી એવા ઘરની વાત...
રાજકોટ : ગુજરાત એટીએસ અને દેવભૂમિ દ્વારકા એસઓજી (Dwarka SOG) એ નિશા ગોંડલીયા ફાયરિંગ કેસમાં 2 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. અને...
અમદાવાદ: ગુજરાત રાજ્યમાં ઠંડી (Cold) અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં ફરી વધારો થયો હતો. જોકે, સાઇક્લોનિક સર્ક્યુલેશન (Cyclonic circulation) નબળું પડતા...
સુરત: સુરતીઓ માટે સ્પાઇસજેટ ફ્લાઇટ (FLIGHT) દ્વારા વધુ બે શહેરોની કનેક્ટિવિટી આપવામાં આવી રહી છે. આગામી 12 જાન્યુઆરીથી સુરતથી વારાણસી અઠવાડિયામાં 4...
ડીસી ડિઝાઇનના સ્થાપક અને પ્રખ્યાત કાર ડિઝાઇનર દિલીપ છાબરીયાના (DILIP CHABARIYA) કથિત છેતરપિંડી અને બનાવટી બનાવના નિવેદનો નોંધવા માટે ગુરુવારે હાસ્ય કલાકાર...
બોટાદ: ઘણીવાર લગ્નજીવન (MARRIED LIFE) માં પતિ-પત્ની વચ્ચે અણબનાવ થાય ત્યારે વાત છુટાછેડા સુધી પહોચી જતી હોય છે. પરંતુ છૂટાછેડા લીધા બાદ...
સુરત: સુરત મહાનગરપાલિકા (SMC) ની ચૂંટણીની જાહેરાત નજીકના દિવસોમાં થવાની છે. ત્યારે બંને મુખ્ય પક્ષ ભાજપ અને કોંગ્રેસમાં ચૂંટણીનો ધમધમાટ શરૂ થઇ...
સુરત (Surat): કોરોનાએ (Corona Virus/Covid-19/Sars Cov-2) સરકારની મુશ્કેલીઓમાં બેસુમાર વધારો કર્યો છે. ગુજરાત સરાકરે કોરોના વચ્ચે આગામી આગામી 11 જાન્યુઆરીથી ધોરણ 10/12ની...
ડો.હર્ષ વર્ધન (DR HARSH VARDHAN) દ્વારા આજે તમામ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર...
સુરત: (Surat) સામાજિક સંસ્થા સાથી સેવા ગ્રુપની (Sathi Seva Group) ટીમે માનવતા મહેકાવતું કાર્ય કર્યું છે. એક જ ઓરડીમાં છેલ્લાં 13 વર્ષથી...
લખનઉ (Lucknow): ઉત્તરપ્રદેશના બદાયુમાં (Budaun, UP) મંદિરમાં દર્શન કરવા ગયેલી 50 વર્ષીય મહિલા પર મંદિરના પૂજારી, તેના શિષ્ય અને એક ડ્રાઇવર દ્વારા...
સુરત (Surat): દેશમાં ટૂંક સમયમાં કોરોના રસીકરણ (Corona Vaccination) કાર્યક્રમ શરૂ થવાનો છે. લોકોનું અને સરકારનું ધ્યાન હાલમાં રસીકરણ કાર્યક્રમ પર છે....
આણંદ: (Anand) આણંદથી અઢી માઈલ દૂર આવેલ જીટોડીયા ગામની પશ્વિમ દિશામાં મોગરી તરફ જવાના માર્ગ ઉપર અંદાજિત ૧૦૧ર વર્ષ કરતાં પણ પુરાણું...
આણંદ: ઉનાળાના આગમનને હજુ બે માસનો સમય બાકી છે ત્યારે ગ્લોબલ ર્વોમિંગની અસરના કારણે આણંદ શહેરમાં આંબા પર કેરીઓ લાગી ગઈ છે....
વડોદરા: પાડોશી રાજયો સહિતના સ્થળોએબર્ડ ફલુનો રોગ વકરતા વિવિધ જિલ્લાઓમાં બર્ડ ફલુના સર્વેલન્સ તથા અટકાયત પગલાં લેવાની કામગીરી કરવા રાજ્ય સરકારના આરોગ્ય...
વડોદરા: શહેરના સયાજીપુરા વિસ્તારમાં આવેલા બ્રહ્મા નગર પાછળના મેદાનમાં એક યુવકની ભેદી સંજોગોમાં હત્યા કરેલી લાશ મળી આવી હોવાના બનાવથી ભારે ચકચાર...
શિયાળાની ઋતુમાં ગુજરાતીઓ ઘણા શિયાળુ પાક ખાતા હોય છે જે શરીરને પોષણ પૂરું પડે છે, એમાં પણ લોકો ઘણીવાર ગુંદરનાં લાડુ ખાવાનું...
ભારત એક ગરીબ દેશ છે. ભારત સરકારની તિજોરી હંમેશા તળિયું દેખાડતી હોય છે. સરકાર પાસે કોઈ પણ વિકાસનું કામ માગવામાં આવે ત્યારે...
આ શહેરના અલથાણ વિસ્તારમાં રહેતા પત્રકાર સંજીવ ઓઝાના અઢી વર્ષના માસુમ દીકરાનું પડી જવાથી મૃત્યુ થયું. બ્રેઇન ડેડ થયેલા દીકરાના ડોનેટ લાઇફ...
આકાશવાણી એફ. એમ. સુરત કેન્દ્રએ ‘‘ફોન ઈન કાર્યક્રમ રજુ કરે છે. ઊધઘોષક ભાઈ બહેનો શ્રોતા મિત્રો સંગાથે વાતો ખુબજ સારી રીતે કરે...
આજના યુવાન – યુવતિઓમાં મોટાભાગે સંસ્કારનો અભાવ છે, જેના કારણે સમય પ્રમાણે વર્તતા નથી. અને તમિઝ પણ જાળવતા નથી. હાલમાં જ માંડવીથી...
યુ.એસ. માં હિંસાની વચ્ચે, કોંગ્રેસે રાષ્ટ્રપતિ જો બિડેનની જીતને મંજૂરી આપી દીધી છે. યુએસ કોંગ્રેસના સંયુક્ત સત્રમાં ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના વિજયને પણ...
જાન્યુઆરી 2020 માં દેશમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. ત્યારબાદ માર્ચ 2020 થી દેશવ્યાપી લોકડાઉન થઈ ગયું. દરમિયાન, દરેક કોલ પહેલાં કોરોના...
નવી દિલ્હી (New Delhi): સુપ્રીમ કોર્ટે (Supreme Court-SC) ગુરુવારે ખેડૂત આંદોલનમાં (Farmers’ Protest) કોરોનાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે કેન્દ્રને...
સુરત: (Surat) સામાન્ય રીતે કોઈપણ વાહન ખરીદી કરતી વખતે કોઈપણ રેન્ડમ નંબર આપવામાં આવે છે. જેમાં લોકોને ગમતા નંબર માટે પણ માર્ગ...
લાખોના ‘ઈ-કાર્ટ’ કે તંત્રના ‘અહંકાર’નું પ્રદર્શન ?
20 લાખના ‘ઈ-કાર્ટ’ શોભાના ગાંઠિયા, વૃદ્ધ દર્દીના સ્વજનો જાતે સ્ટ્રેચર ખેંચવા મજબૂર
(પ્રતિનિધિ), વડોદરા. તા.28
વડોદરા :- મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલ ફરી એકવાર વિવાદોના વમળમાં છે. દર વખતે ‘સ્ટાફ નથી’ નું રટણ કરતું તંત્ર આ વખતે પોતાની વહીવટી નિષ્ફળતા છુપાવવામાં સાવ ઉઘાડું પડી ગયું છે. આ ઘટના માત્ર બેદરકારી નથી, પણ ગરીબ દર્દીઓની લાચારીની મજાક છે. હજુ માંડ બે દિવસ પહેલાં જ એકસરેલોન અને યુનાઈટેડ વે ઓફ વડોદરા દ્વારા અત્યંત ઉમદા ભાવના સાથે 20 લાખ રૂપિયાના ખર્ચે 4 અત્યાધુનિક ઈ-કાર્ટ અર્પણ કરવામાં આવ્યા હતા. હેતુ સાફ હતો, હોસ્પિટલના વિશાળ કેમ્પસમાં ગંભીર કે અશક્ત દર્દીઓને ટ્રોમા સેન્ટરથી એક્સ-રે કે સોનોગ્રાફી અને અન્ય કોઈ પણ હોસ્પિટલના પરિસરમાં જવા માટે વ્હીલચેર કે સ્ટ્રેચર પર ધક્કા ન ખાવા પડે. પરંતુ, લોકાર્પણના ફોટા પાડી લીધા પછી આ ઈ-કાર્ટ ક્યાં ગયા ? શું તે માત્ર વીઆઈપી મહેમાનોના સ્વાગત માટે છે ? કે પછી તે હોસ્પિટલના શો-કેસની શોભા વધારવા માટે છે ? હોસ્પિટલના પટાંગણમાં આજે એવા દ્રશ્યો જોવા મળ્યા જે જોઈને કોઈપણ સંવેદનશીલ માણસનું લોહી ઉકળી ઉઠે. એક વૃદ્ધાને તેમના પરિવારજનો ધોમધખતા તાપમાં જાતે સ્ટ્રેચર ખેંચીને સોનોગ્રાફી રૂમ સુધી લઈ જઈ રહ્યા હતા. જ્યારે આ પરિવાર પરસેવે રેબઝેબ થઈને સ્ટ્રેચર ખેંચતો હતો, ત્યારે 20 લાખના ઈ-કાર્ટ શોભાના ગાંઠિયા બનીને ઊભા હતા ? હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડૉ. રંજન ઐયર પાસે જ્યારે પણ કોઈ સમસ્યાનો જવાબ માંગવામાં આવે ત્યારે તેઓ દર વખતે એક જ તૈયાર ભાણું પીરસે છે, “સ્ટાફનો અભાવ છે.” પરંતુ આ વખતે દ્રશ્યો કંઈક અલગ જ વાર્તા કહી રહ્યા છે. અહીં સ્ટાફની કમી કરતા સંચાલનનો અભાવ વધુ સ્પષ્ટ દેખાય છે. જો સ્ટાફ નથી, તો 20 લાખની સુવિધા સ્વીકારી જ કેમ ? શું આ ઈ-કાર્ટ ચલાવવા માટે પીએચડી કરેલા નિષ્ણાતોની જરૂર છે ? કે પછી હોસ્પિટલના એસી કેબિનમાં બેસતા અધિકારીઓને ગ્રાઉન્ડ લેવલ પર શું ચાલી રહ્યું છે તેની કોઈ પડી જ નથી ? સયાજી હોસ્પિટલના વહીવટી અધિકારીઓએ હવે એસી ઓફિસમાં આરામ છોડીને દર્દીઓની લાઈનમાં ઉભા રહેવાની જરૂર છે. ઈ-કાર્ટ કયા ખૂણે ધૂળ ખાય છે અને તેનો ઉપયોગ દર્દીઓને બદલે કોણ કરી રહ્યું છે, તેની તપાસ થવી જોઈએ. જો દાનમાં મળેલી સુવિધાઓ પણ જનતા સુધી ન પહોંચતી હોય, તો એ વહીવટને ‘નિષ્ફળ’ જ ગણવામાં આવે. જો દાતાઓ દર્દીઓની પીડા સમજીને લાખોનું દાન કરી શકતા હોય, તો સરકારી પગાર લેતા અધિકારીઓ આ સુવિધાનો અમલ કેમ નથી કરાવી શકતા ? સયાજી હોસ્પિટલમાં સુવિધાઓની કમી નથી, પણ તે સુવિધાઓને યોગ્ય રીતે ચલાવવાની દાનતની કમી છે. જો જનતાની સેવા ન થઈ શકે, તો આવી મોંઘી ભેટ-સોગાદોનો કોઈ અર્થ રહેતો નથી. તંત્રએ ‘સ્ટાફની અછત’ના બહાના છોડી જવાબદારી સ્વીકારવી પડશે.