કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે મંગળવારે કોરોના વાયરસના ચેપની બીજી લહેરનો સામનો કરી રહેલા દેશમાં રોગચાળાની પરિસ્થિતિ વિશે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન...
દેશમાં કોરોના વાયરસ (CORONA VIRUS IN INDIA)ને હરાવવા રસીકરણ (VACCINATION)ની કામગીરી ચાલી રહી છે. દરમિયાન, રસીની નીતિઓ સતત બદલાતી (CONSTANT CHANGE POLICY) રહે...
ગાંધીનગર: (Gandhinagar) અરબી સમુદ્રમાં ઉત્પન્ન થયેલું ‘તાઉ’તે’ વાવાઝોડું (Cyclone) ધીરે ધીરે નબળું પડી રહ્યું છે, તેમ છતાં ગુજરાતમાં (Gujarat) વાવાઝોડાની અસર જોવા...
સુરત: (Surat) સોમવાર સાંજથી સમગ્ર સુરત શહેર તૌકતે વાવાઝોડાની (Cyclone) ચપેટમાં છે. હજી પણ સાંજ સુધી તેની અસર રહેવાની શક્યતા છે. દરમ્યાન...
આણંદ : રાજ્યભરની સાથે આણંદ – ખેડા જિલ્લામાં પણ ‘તાઉ-તે’ વાવાઝોડાના પગલે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ચરોતરમાં રવિવાર સાંજથી જ...
સુરત: (Surat) સુરતમાં સમગ્ર રાત્રિ દરમ્યાન તૌકતે વાવાઝોડાએ (Cyclone) એ સુરતીઓની ઉંઘ હરામ કરી હતી. સમગ્ર રાત્રિ દરમ્યાન ભારે સુસવાટા સાથે કલાકનાં...
એક યુવાન વૈદ ગુરુ ગોવિંદસિંહજીના દર્શન માટે ગયો.દર્શન માટે ગયો,, ગુરુજીએ આશીર્વાદ આપતા કહ્યું, ‘જા, વત્સ જીવનભર બિમાર,દુઃખી,જરૂરિયાતમ્ન્દની સેવા કરજે.’ બસ યુવાન...
કોરોના વાયરસના દરદીઓની સંખ્યા પ્રસિધ્ધ થાય છે તે ખરી દરદીઓની સંખ્યા બતાવતી નથી. ખરેખર શહેરમાં બધી હોસ્પટલોમાં દરદીઓની સંખ્યા (અ) બાદ સારા...
ઇતિ એટલે એ પ્રમાણે અને હાસ એટલે હતું. માર્ચ ૨૦૨૦ થી વિશ્વમાં કોરોનાએ ભરડો લીધો. રોજનું લાવી રોજ ખાનારાની હાલાકી અસહ્ય બની....
સંબંધો હંમેશાં વિશ્વાસથી ટકતા હોય છે. શંકાશીલ સ્વભાવ રાખવાથી બહુ મોટી સમસ્યાઓ થાય છે. કેટલાક માનવી મર્યાદાઓ ઓળંગી બીજા ઉપર શંકા કરે...
ભારત દેશ જેટલો પ્રાચીન છે, એટલું એના સાંસ્કૃતિક કળા-વારસામાં પણ વૈવિધ્ય છે. આજે આપણો દેશ દરેક ક્ષેત્રે પાશ્ચાત્ય સંસ્કૃતિએ રંગાઈ ગયો છે....
ગત 8 માર્ચના રોજ રાજયકક્ષાના નાણામંત્રી અનુરાગસિંહ ઠાકુરે લોકસભામાં રિઝર્વ બેન્કના આંકડા પ્રમાણે માહિતી આપતા ઠંડે કલેજે કહયું હતું કે દેશની અનુસૂચિત...
બંદાએ રસોડાની છાબડીમાં લીંબુ-મરચાં કદાચ રાખ્યાં હશે, બાકી બારણાં ઉપર ફાંસીએ લટકાવ્યાં નથી. હા…દરવાજા ઉપર ચાર્લી ચેપ્લીનનો ફોટો ચણેલો છે, જેના વાઈબ્રેશનને...
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે અંતે ધોરણ દસની બોર્ડ પરીક્ષા રદ કરી તમામ રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દીધું છે.વર્તમાન કોરોના મહામારીમાં આ...
માણસજાતે તેના વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ સંશોધનો વડે વિકરાળ જંગલી જાનવરો પર પણ સફળતાપૂર્વક કાબૂ મેળવી લીધો છે પરંતુ અનેક વૈજ્ઞાનિક સિદ્ધિઓ છતાં...
તાજેતરમાં બહાર પડેલા ચીનના વસ્તીગણતરીના અહેવાલ પછી એ વાતની ચર્ચા શરૂ થઇ છે કે ભારત હવે થોડા વર્ષમાં વિશ્વનો સૌથી વસ્તી ધરાવતો...
વિદેશી મલ્ટિનેશનલ કંપનીઓ ભારતમાં ધંધો કરવા આવે તેમાં અનેક જોખમો હોય છે. પહેલું જોખમ એ હોય છે કે તેઓ ભારતનો નફો પોતાના...
તૌકતે વાવાઝોડા ( tauktea cyclone ) ને કારણે હાલ ગુજરાત હાઈઅલર્ટ ( highelaert ) પર મુકાઈ ગયું છે. વાવાઝોડાને કારણે ગુજરાતના કેટલાંક...
દાહોદ: સારસી ગામ નજીક ટોઇંગ ક્રેનના ચાલકે બે મોટર સાયકલને અડફેટે લેતા એક બાળકનું ઘટનાસ્થળે મોત:અન્ય ત્રણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત દાહોદના અમદાવાદ...
કડાણા અને માછણ નાળા ડેમ નજીક હોવા છતાં ગામ પાણી માટે તરસી રહયું છે દાહોદ: ઝાલોદ તાલુકાના ગરાડુ ગામના બે ફળિયામાં પાણીની...
વડોદરા: સમગ્ર ગુજરાતમાં સંભવિત તૌકતે વાવાઝોડાની અસરને લઈ વહીવટી તંત્ર સજાગ થયું છે. બેઠકોના દોર શરૂ થવાની સાથે સાથે આગોતરા આયોજનના ભાગ...
વડોદરા: મહાનગર પાલિકા દ્વારા શહેરીજનો માટે શહેરમાં બાગ બગીચા બનાવેલા છે જ્યાં તેઓ હરિ ફરી શકે તેમજ સવાર સાંજ કસરત કરી...
કર્ણાટક, કેરલ, મહારાષ્ટ્ર અને ગોવામાં પ્રક્રોપ બતાવ્યા બાદ હવે અરબ સાગરમાં ઉદભવેલા ચક્રવાત તૌકતે સોમવારે ગુજરાત પહોંચ્યું હતું. ગુજરાતમાં તૌકતે વાવાઝોડાએ સોમવારે...
વડોદરા : કોરોનાં પોઝિટિવના વધુ 908 દર્દી શહેરમાં નોંધાયા હતા.જે સાથે કોરોનાં સંક્રમિત દર્દીઓનો કુલ આંક 59,976 ઉપર પહોંચ્યો છે.જ્યારે સોમવારે...
વડોદરા : કેન્દ્રના ધોરણે પગાર, ગ્રેજ્યુઈટી, નર્સિંગ એલાઉન્સ,આઉટ સોર્સિંગ પ્રથા બંધ કરો તેમજ નર્સિંગ સ્ટુડન્ટસના સ્ટાઈપેન્ડમાં વધારો કરવા સહિતની પડતર પ્રશ્નોની...
વાવાઝોડાની ( cyclone ) સંભવિત અસરો ઉપર ત્વરિત નિયંત્રણ મેળવવા અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર સાબદું થયું છે. અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાંગલેના માર્ગદર્શન...
તૌકતે વાવાઝોડા (Cyclone Tauktae) થી માત્ર સૌરાષ્ટ્રના જિલ્લાઓ જ પ્રભાવિત છે એવુ નથી, દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે આવેલા જિલ્લાઓ પર પણ વાવાઝોડાની મોટી...
સીએમ વિજય રૂપાણીએ ગુજરાત ઉપર આવનારા સંભવિત તૈકતે વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્ર, કચ્છના સમુદ્રી વિસ્તારના જિલ્લા કલેકટરો સહિતના જિલ્લાઓ સાથે ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી...
રાજ્યમાં કોરોનાની મહામારી તથા વાવાઝોડાની કપરી પરિસ્થિતિ સંદર્ભે આરોગ્ય વિભાગના અધિકારી કર્મચારીઓને કોઇપણ જાતની રજા, હડતાળ, ફરજ પરથી અળગા રહેવા, દેખાવો કરવા...
ગુજરાતના ખેડૂતોનો ઉનાળુ પાક ન બગડે એ માટે ગુજરાત સરકારે આખા ત્રીજથી આગામી તા.30 જૂન સુધી સરકાર સરોવર નર્મદા ડેમમાંથી ખેડૂતોને સિંચાઈનું...
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ફતેગંજ વિસ્તારમાંથી આરોપીને દબોચ્યો, પરંતુ વડોદરા પોલીસને ગંધ શુદ્ધા ન આવી
વડોદરા : ‘સિંઘમ’ સ્ટાઈલમાં આરોપી પકડવા આવેલી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સામે વડોદરામાં જનતા લાલઘૂમ થઈ ગઈ હતી. બગોદરા લૂંટ કેસના આરોપીને ઝડપી પાડ્યા બાદ પોલીસની કારથી થયેલા અકસ્માતને લઈ સ્થાનિકોએ રસ્તો રોકી ભારે હોબાળો મચાવ્યો હતો.
અમદાવાદના બગોદરા નજીક થયેલી લૂંટના ગુનાનો મુખ્ય આરોપી વડોદરાના ફતેગંજ વિસ્તારમાં છુપાયો હોવાની બાતમી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. આ માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ વડોદરા આવી હતી અને ફતેગંજ પોલીસ મથકની નજીક આવેલા એક શોરૂમ પાસેથી આરોપીને દબોચી લીધો હતો. પોલીસે આરોપીની ધરપકડ સાથે લૂંટમાં વપરાયેલી સ્કોર્પિયો કાર પણ કબજે કરી હતી.
આરોપી અને કબજે કરેલી કાર સાથે પરત ફરી રહેલી ક્રાઈમ બ્રાન્ચની ટીમ દરમિયાન ડ્રાઈવિંગ કરતી વખતે પોલીસ કર્મીએ રાત્રીના સમયે બે-ત્રણ વાહનોને ટક્કર મારી હતી. અચાનક થયેલા અકસ્માતને કારણે વાહનચાલકો અને સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. પોલીસ હોવા છતાં બેદરકારીપૂર્વક ડ્રાઈવિંગ કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે લોકોએ સ્કોર્પિયો કારને ઘેરી લીધી હતી અને કારમાં બેઠેલા પોલીસ કર્મીઓ સામે ઉગ્ર પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.
ઘટનાસ્થળે થોડીવાર માટે અફરાતફરી અને તણાવનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતાં જ ફતેગંજ પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. સ્થાનિક પોલીસે ઉશ્કેરાયેલા લોકોને શાંત પાડી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જવાનો સાથે વાતચીત કરી સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.
અંતે મામલો શાંત પડતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ આરોપી અને સ્કોર્પિયો કાર લઈને રવાના થઈ ગઈ હતી. જોકે આરોપીને પકડી લઈ જવામાં આવ્યો હોવા છતાં શરૂઆતમાં વડોદરા પોલીસને ઘટનાની ગંધ સુદ્ધા ન આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.