આઝાદીના અમૃત પર્વે આયોજીત યુથ પાર્લામેન્ટ યુવાનો માટે અવિસ્મરણિય અનુભૂતિનું પર્વ બન્યું છે. યુથ પાર્લામેન્ટથી જનહિત સેવા માટે, રાષ્ટ્રનિર્માણ માટે સમર્પિત યુવા...
નવી દિલ્હી: (Delhi) ઝાયકાની વાત હોય કે નિર્ભિક પત્રકારીતાની વાત હોય, જેઓનું નામ સૌથી ઉપર લેવાતું તેવે વરિષ્ઠ પત્રકાર (Journalist) વિનોદ દુઆનું...
સુરત: (Surat) અમદાવાદ અને સુરત આવકવેરા વિભાગની (Income Tax Department) જુદી જુદી ટીમોના ૧૦૦ જેટલા અધિકારી – કર્મચારીઓએ ગઇકાલે શુક્રવારે સુરતના સંગીની,...
ગાંધીનગર: રાજયમાં (Gujarat) વેસ્ટર્ન ડિસ્ટબન્સ તથા લો પ્રેશર સિસ્ટમ ખસી ગયા પછી આજે ઉઘાડ નીકળ્યો હતો. છતાં દિવસભર વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું...
નવી દિલ્હી: (Delhi) દેશમાં ઓમિક્રોનનો (Omicron) ચોથો કેસ નોંધાયો છે. મુંબઈમાં (Mumbai) કોરોના વાયરસના ઓમિક્રોન વેરિએન્ટની એન્ટ્રી થઈ ગઈ છે. વિદેશથી મુંબઈની...
કીમ: (Kim) ઓલપાડ (Olpad) તાલુકાની બોલાવ ગ્રામ પંચાયતની ચૂંટણીનો (Election) ગ્રામજનોએ બહિષ્કાર (Boycott) કર્યો હતો. અનુસૂચિત જાતિનો કેટેગરીના વોર્ડમાં એકપણ મતદાર ન...
માંડવી-કીમ રોડ (Mandvi Kim Road) ઉપર આવેલું ગોડસંબા ગામ (Godsamba Village) પહેલાં ઘોડા ચરાવવાનું ગામ તરીકે જાણીતું હતું. જ્યાં રાજા રજવાડાના (King...
કાનપુર: ઉત્તરપ્રદેશ(Uttar pradesh)ના કાનપુર(Kanpur)માં ઓમિક્રોન (Omicron)ના ભયના કારણે બનેલી એક ઘટના સામે આવી છે. કોરોના અને ઓમિક્રોન વાયરસ(virus)ના ભયથી એક ડોક્ટરે જ...
સુરત: (Surat) સુરત શહેરમાં મહાપાલિકા દ્વારા અત્યાર સુધીમાં ઇડબ્લ્યૂએસ અને મુખ્યમંત્રી-પ્રધાનમંત્રી આવાસ યોજના (Mukhyamantri-Pradhan Mantri Awas Yojana) હેઠળ 1 લાખ જેટલાં આવાસો...
સુરત: (Surat) બે દિવસ પહેલા પૂણા વિસ્તારમાંથી પકડાયેલા અફીણના (Opium) કેસમાં પોલીસે (Police) બાળકને જૂવેનાઇલ કોર્ટમાં રજૂ કરીને સગીરને બાળહોમમાં મોકલી આપ્યો...
સુરત: (Surat) સુરત મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં અંદાજે 12 રૂટ પર મેટ્રોની (Metro Train) કામગીરી શરૂ કરવાના કારણે વાહનવવહારને ડાયવર્ટ કરવામાં આવ્યા છે...
સુરત: (Surat) સુરત મનપાના (Municipal Corporation) કતારગામ ઝોન દ્વારા શુક્રવારે સીગણપોર ચાર રસ્તાની આજુબાજુમાં ન્યુસન્સ રૂપ દબાણો સામે કડક કાર્યવાહી કરીને સપાટો...
નવસારી : યુ.કે.થી (UK) નવસારી (Navsari) આવેલા ડોક્ટરનો (Doctor) રિપોર્ટ કોરોના પોઝિટિવ (Corona Positive) આવતા ઓમિક્રોન (Omicron) વેરિયન્ટના ખતરાથી જિલ્લા આરોગ્ય વિભાગ...
સુરત : ઇચ્છાપોરમાં આવેલી ઝીરો વન ટેક ટ્રોનીર્ક્સ કંપનીના માલિકને કર્મચારીઓના કૌભાંડ અંગેની માહિતી પાસઓન કરી દેવાની ધમકી આપીને 10 લાખની ખંડણી...
સુરત: સુરત એરપોર્ટ (Surat Airport) પર વહેલી સવારે અને મોડી રાત્રે આવતી ફ્લાઇટના (Flight) પેસેન્જર્સને (Passengers) ટેક્સી (Taxi Fair) ભાડા અને ઓટો...
દિલ્હી: રશિયા(Russia)ના રાષ્ટ્રપતિ વ્લાદમીર પુતિન (Vladimir Putin) આવતા અઠવાડિયે એટલ કે 6 ડિસમ્બરના રોજ ભારતની મુલાકાત લેશે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને ભારતના...
જામનગર: વિશ્વ આખાયને હચમચાવી દેનારા કોરોનાના (Corona) નવા વેરિએન્ટ ઓમિક્રોન વાયરસે (Omicron Virus) ગુજરાતમાં પગપેસારો કરી દીધો છે. રાજ્યના જામનગર (Jamnagar) જિલ્લામાં...
મુંબઈ: (Mumbai) મુંબઈમાં જન્મેલા એજાઝ પટેલે (Ajaz Patel) આજે મુંબઈના જ વાનખેડે ગ્રાઉન્ડ પર એક ઈનિંગમાં 10 વિકેટ (10 Wicket) લેવાનો વર્લ્ડ...
દિલ્હી: કોરોના વાયરસ (Corona virus) નો નવો વેરિઅન્ટ ઓમિક્રોન (Omicron Variant) ઝડપથી દક્ષિણ આફ્રિકા (South Africa)માં ફેલાઈ રહ્યો છે. જેને લઈને તબીબી...
ડોક્ટર્સ પર સારવાર દરમ્યાન થતા હુમલાના સતત વધતા જતા આંકડાએ એક ભયજનક રાષ્ટ્રીય રૂપ આપી દીધું છે. મેડિકલ લાઈનમાં ભણતા ૮૦ ટકા...
માનવવ્યવહારમાં કેટલીક વાર બોલાચાલી થાય એ સામાન્ય બાબત છે. ક્યારેક શાબ્દિક પ્રહારોને લીધે ઝઘડાનું સ્વરૂપ બદલાતાં વાત વણસી જતી હોય છે. ગુસ્સાથી...
ઘણા સમયથી ‘ગુજરાતમિત્ર’ની ‘રવિવારીય પૂર્તિ’માં સાક્ષર શ્રી મકરન્દ મહેતા, ‘એ સુરત – આ સુરત’ નામની જબ્બરદસ્ત જાણકારી આપતી ઐતિહાસિક કોલમ લખતા રહ્યા...
દરિયા કાંઠે એક દાદા પોતાના પૌત્રને લઈને રોજ સાંજે ફરવા જતા.યુવાન થતો પૌત્ર અને વૃદ્ધ થતા જતા દાદા વચ્ચે સંબંધ મસ્તીભર્યો અને...
બેલ્જિયન માલિનોઈસ જાતિના કૂતરાઓ વિશિષ્ટ હુમલાઓ માટે પ્રશિક્ષિત છે. ખાસ તેમને સૈન્ય માટે તાલીમ આપવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં સૈન્ય દ્વારા બેલ્જિયન...
Omicron ની દહેશતના પગલે BCCI દ્વારા ભારતીય ક્રિકેટ ટીમનો (Indian Cricket Team) દક્ષિણ આફ્રિકાના (South Africa Tour) પ્રવાસ માં ફેરબદલ કરી છે....
આખરે ગુજરાત કોંગ્રેસને તેના નવા સુકાની મળ્યા ખરા. ગુજરાતમાં કોંગ્રેસની હાલત ખરેખર દયનીય છે. એક સમયે જે ગુજરાતમાંથી કોંગ્રેસને સરદાર વલ્લભભાઈ પટેલ...
સિંગવડ: સિંગવડ તાલુકા પ્રાથમિક શાળા દ્વારા ૩ ડિસેમ્બર 2021 વિશ્વ વિકલાંગ દિવસ નિમિત્તે શાળાના બાળકો દ્વારા સીંગવડ બજારના મુખ્ય માર્ગો પર બેનર...
વાપી, નવસારી : વલસાડ (Valsad) જિલ્લામાં ગત બે દિવસ કમોસમી માવઠું અને વાદળછાયા વાતાવરણને લઈ લોકો અને ખાસ કરીને ખેડૂતો (Farmers) હેરાન...
સુરત : (Surat) સુરતના નવી સિવિલ હોસ્પિટલ (New Civil Hospital) કેમ્પસમાં આવેલી ટ્રોમા (Troma) હોસ્પિ.ની હાલત હાલમાં અત્યંત જર્જરિત છે. આ ટ્રોમા...
શહેરા: શહેરા તાલુકાની 58 ગ્રામ પંચાયતમાં ચૂંટણીનો માહોલ જામતા સરપંચ અને વોર્ડ સભ્યના ઉમેદવાર તેમના સમર્થકો સાથે મોટી સંખ્યામાં વાહનોના કાફલા...
ગાંધીનગર : 2027ની વિધાનસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીને મજબૂત થતી અટકાવવા માટે હવે ભારતીય જનતા પાર્ટી દ્વારા તેજ ગતિએ રાજકીય કવાયત હાથ ધરાઈ છે. ભાજપે સૌરાષ્ટ્રમાં તેનો ગઢ મજબૂત કરવાની સામાજીક અને રાજકીય કાર્યક્રમો થકી આ શરૂઆત કરી છે. આજે રાજકોટના કાગવડ ખોડલધામ ખાતે, ગુજરાત ભાજપના નવા વરાયેલ પ્રદેશ પ્રમુખ અને ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા પ્રધાનોનો સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાજપના સૌરાષ્ટ્રના પાટીદાર આગેવાનો, પાટીદાર પ્રધાનો, ધારાસભ્યો, પાટીદાર પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.
ખોડલધામના નરેશ પટેલ અને શક્તિશાળી પાટીદાર નેતા જયેશ રાદડિયાએ એક બીજા સાથે હાથ મિલાવ્યો હતો. જયારે કૃષિ મંત્રી જીતુ વાઘાણીને પણ નરેશ પટેલે ગળે લગાડયા હતા. આ રીતે એક એવો સંદેશ વહેતો કરવાનો પ્રયાસ કરાયો છે કે નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે કોઈ મનદુખ કે ગજગ્રાહ નથી.
ખોડલધામ ખાતે આજે લેઉવા પાટીદાર સમાજનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું હતું. આજના સમારંભમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી, મંત્રી કૌશિક વેકરીયા, કમલેશ પટેલ સહિતના હાજર રહ્યાં. ચેરમેન નરેશ પટેલ સહિતના ટ્રસ્ટીઓ દ્વારા પાટીદાર મંત્રીઓનું સન્માન કરવામાં આવ્યું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સૌપ્રથમ આઈ ખોડલના દર્શન કર્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું સાફા પહેરેલી 121 દીકરીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. તાજેતરમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પણ ખોડલધામ ખાતે દર્શન કર્યા હતા.
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પોતાના સંબોધનમાં નરેશ પટેલની સરખામણી સરદાર પટેલ સાથે કરી. તેમણે કહ્યું કે, 562 રજવાડાઓને એક કરવાનું કામ સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું, તેમ લેઉવા પટેલ સમાજને એક કરવાનું કામ નરેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે.
ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે કાગવડ ખોડલધામ મંદિર ખાતે આયોજીત કાર્યક્રમમાં સંબોધન કરતા કહ્યું હતું કે, ખોડલધામ એક મંદિર નહીં પરંતુ એક વિચાર છે. સંગઠન અને સંગઠિત બની 18 વર્ણની સેવા કરવાનું કામ ખોડલધામ કરી રહ્યું છે.