ગુજરાતમાં નગર-તાલુકા-જિલ્લા પંચાયતમાં રવિવારે 2 કરોડ 98 લાખ 29 હજાર 645માંથી 1 કરોડ 95 લાખ 71 હજાર 184 મતદારોએ મત આપ્યો હતો....
નડિયાદ: ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાંચ પાલિકા અને આઠ તાલુકા પંચાયતની ચૂંટણીની મતગણતરી મંગળવારે તાલુકા કક્ષાએ થશે. આ મતગણતરીના આગલા દિવસે...
શહેરા: શહેરાની ગાંગડીયા તાલુકા પંચાયત બેઠક પર ચૂંટણીના ચટપટા માહોલ વચ્ચે શનિવારની મોડી રાત્રે સાજીવાવ ધાવડિયા ફળિયા પાસે સ્થાનિક ગામના ચૂંટણી...
શહેરા: શહેરા ૩૪-વાડી જિલ્લા પંચાયતના ભાજપના સ્ત્રી ઉમેદવારના પતિ દ્વારા એક પરિવારને કોંગ્રેસના પ્રચાર કેમ કરે છે ની વાતને લઈ આપી...
મોડાસા: અરવલ્લી જીલ્લામાં સ્વચ્છ છબી ધરાવતા પોલીસવડા સંજય ખરાતના આગમન પછી જીલ્લા પોલીસતંત્ર વાઇબ્રન્ટ બન્યું છે જીલ્લામાં સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન...
મોડાસા: ગુજરાતમાં દારૂબંધીનો કડક કાયદો કાગળ પર હોય તેમ ઠેર ઠેર દેશી-વિદેશી દારૂનો વેપલો અને હેરાફેરી થઇ રહી છે. અમદાવાદ નિકોલની અક્ષરધામ...
વડોદરા: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે રાજકારણીઓ સામે નતમસ્તક થઈ ગયેલી વડોદરા શહેર પોલીસ ચૂંટણી પુરી થતાં જ એક્શનમાં આવી છે. માસ્ક દંડ...
વડોદરા: ગઈકાલે રવિવારના રોજ જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીના દિવસે ભાજપના કેટલાક કાર્યકરો વાઘોડીયા નગર સ્થિત ઈન્દ્રપુરી સોસાયટીમાં મતદારોને રૂ. 100ની નોટ આપી...
શિનોર : શિનોર તાલુકાના દીવેર ગામ નર્મદા નદી કિનાર રવિવારે એક સાધલીનો એક અને કરજણના ત્રણ યુવાનો નાહવા જતાં ઊંડા વહેણમાં...
વડોદરા કોર્ટ કોરોનાને કારણે છેલ્લા એક વર્ષ જેટલાં સમયથી બંધ હતી. સોમવારથી કોર્ટનું ફીઝીકલ કામકાજ ફરીથી શરૂ કરાયું હતું. કોર્ટના સ્ટાફ, વકિલો...
પૂર્વી લદ્દાખમાં એલએસીમાં ઘુસણખોરી કરવામાં નિષ્ફળ ગયેલ ચીન (CHINA) હવે ભારત (INDIA) પર સાયબર એટેક (CYBER ATTACK) કરવામાં વ્યસ્ત છે. ચીન દ્વારા...
વડોદરા: જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલના માર્ગદર્શન હેઠળ વડોદરા જિલ્લા પંચાયત, 8 તાલુકા પંચાયતો અને 3 નગરપાલિકાઓની મત...
બિટકોઈનના વધતા જતા ભાવોથી માત્ર આપણી સરકાર જ નહીં પણ દુનિયાભરની સરકારો ચિંતિત છે. ભારત સરકારે સંસદમાં તમામ ખાનગી ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ...
કેટલાયે દોરની વાતચીત પછી ભારત અને ચીન વચ્ચે સમજુતી થઇ ગઇ. બંને દેશ એપ્રીલ 2020ના પહેલાની સ્થિતિ બહાલ કરશે. ગલવાનના સંઘર્ષ પછી...
ગયા વર્ષે મુંબઇમાં વીજળીનો ગંભીર આઉટેજ થયો હતો. એવું કહેવામાં આવતું હતું કે આ પાવર આઉટેજ એ દાયકાઓમાં સૌથી ગંભીર વીજળી આઉટેજ...
દરેક સીઝનમાં બધા જ ફળો અને શાકભાજી મળતા નથી ગયા છે. જે સીઝન પૂરતા જ મળતા હતા તે શાકભાજી ફળો બારે માસ...
ભારત અને પાકિસ્તાન (India and Pakistan) ને એક નજરથી જોવા માટેના સપના ઘણા લોકોએ જોયા છે. ધર્મ અને સીમા વિવાદને ભૂલી ભાઈચારાથી...
રાજયસભાના સાંસદ ગુલામનબી આઝાદ હાલમાં નિવૃત્ત થવાથી વડા પ્રધાન એમનાં સ્મરણો તાજાં કરતાં સભાગૃહમાં ભાવુક બની ગયા.વિદાય સમયે આપણે કરેલ કાર્યોની કદર...
હાલમાં વોટસ અપ પર ગુજરાતની આદિવાસી મહિલાઓનું અનોખુ રેન્ટોરન્ટ વનશ્રી રેસ્ટોરન્ટ વ્યારા ખાતે (તાપ્તી લાઇન) પર આવેલ છે. દેશી પધ્ધિતિથી જેવી કે...
ગુજરાતની છ મહાનગરાલિકાઓની ચૂંટણીના પરિણામો આવી ગયા જેમાં કોંગ્રેસનો અત્યંત ખરાબ દેખાવ રહ્યો, એમ કહીએ તો ખોટું નહી કે કોંગ્રેસનો રકાસ થયો....
દિલ્હી : પેટ્રોલ, એલપીજીના ભાવમાં વધારા પછી વાહનોમાં ઉપયોગમાં લેવાતા સી.એન.જી. અને પાઈપો દ્વારા ઘરોના રસોડામાં પહોંચતા ગેસની કિંમતમાં પણ વધારો કરવામાં...
ન્યુયોર્કના ચાઇનાટાઉનમાં દક્ષિણ એશિયન વંશનો એક વ્યક્તિ ચાકુથી હુમલો કરતાં ઘાયલ થયો હતો. 31 જાન્યુઆરીએ, સિલિકોન વેલીમાં એક 19 વર્ષિય હુમલાખોરે 84...
ક્રોધ અને આક્રમકતા માનવીની માનસિકતા બગાડે છે. ગુસ્સો આગ કરતા પણ વધુ તેજ અને ભભુકતો છે; પવન કરતા પણ વધુ ઝડપથી વહેતો...
એક મહાત્મા હતા ..તેમના એક યુવાન શિષ્યએ એક દિવસ પ્રશ્ન કર્યો, ‘ગુરુજી જીવનમાં કઈ વસ્તુઓથી અંતર રાખવું અને જો તે વસ્તુઓ જીવનમાં...
અમુકનો કલર આથમતી સંધ્યાએ જ પકડે એમ, શ્રીશ્રી ભગાને ઢળતી ઉમરે રાજકારણમાં ઝંપલાવવાનો ચટકો લાગ્યો. શરીરે મધમાખી વળગી હોય એમ, એક જ...
સરકારે ભલે નવી શિક્ષણનીતિ જાહેર કરી, પણ સમાજ પોતાના અનુભવ, સમજણ અને જરૂરિયાત મુજબ પોતાની એક શિક્ષણનીતિ તૈયાર કરી જ દેતો હોય...
ભારતીય ક્રિકેટ ટિમનો કેપ્ટન વિરાટ કોહલી પોતાના વિરાટ ફોલોઅર્સ સાથે હવે સોશિયલ મીડિયાનો અસલી રાજા બની ગયો છે. ઇન્સ્ટાગ્રામ પર 100 કરોડ...
કોરોનાનો કહેર ફરી દેખાઇ રહ્યો છે. મહારાષ્ટ્ર, કેરળ, ગુજરાત જેવા રાજ્યોમાંથી આવતા ડેટા ચિંતાનો વિષય છે. લોકડાઉનનો ભય લોકોમાં ફેલાઈ રહ્યો છે....
ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ ભારતના ભાગોમાં દિવસનું તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની સંભાવના છે, એમ હવામાન વિભાગ (આઇએમડી) એ સોમવારે માર્ચથી મે...
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 14મી સિઝનના આયોજન માટે નક્કી કરવામાં આવેલા છ સ્થળોમાંથી એક સ્થળ અમદાવાદ મામલે રાજસ્થાન રોયલ્સ, પંજાબ કિંગ્સ અને...
પશ્ચિમ બંગાળમાં રાજકીય અને સામાજિક પરિસ્થિતિ બંને બગડ્યા છે. આર.જી.કર હોસ્પિટલમાં તાલીમી ડોક્ટર પર બળાત્કાર અને હત્યાનો બનાવ એ હવે માત્ર બંગાળની ઘટના રહી નથી. રાષ્ટ્રપતિ મુર્મુએ પણ આ મુદે ટીપ્પણી કરી છે અને આકરી ટીપ્પણી કરી છે. ભાજપનાં વિરોધનાં કારણે આ આખી ઘટના રાજકીય તો બની જ ગઈ છે. પણ મમતા બેનર્જીનો મિજાજ હજુ નરમ પડ્યો નથી. અને એમ કહે છે કે, બંગાળમાં કંઈક થશે તો દિલ્હી સુધી એની આગ પહોચશે. પણ મમતાએ એ સમજવું રહ્યું કે, ડોક્ટરની ઘટના બાદ વિદ્યાર્થી આંદોલનની આગ એમની ખુરશી નીચે પહોચી ગઈ છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપને તૃણમુલ કોંગ્રેસે હંફાવી દીધો એ સાચું પણ એ કારણે બેફામ શાસન કરવાનો પરવાનો મળતો નથી. અગાઉ પણ એવી ઘટના બની છે જેમાં હાઈકોર્ટથી માંડી સુપ્રીમ કોર્ટ સુધી મમતાને ઠપકો મળ્યો છે. માત્ર રાજ્યપાલના વલણની આ વાત રહી નથી. છેલ્લે સંદેશખાલી પ્રકરણ પણ મમતાના વિરુદ્ધમાં ગયું હતું અને પછી શું થયું એ બધા જાણે છે.
બીજું કે, તમારા સામે કોઈ વિરોધ કરે તો એનું દમન એ સાચો રસ્તો નથી. અલબત ભાજપ સરકારે પણ એવું કેટલીક બાબતોમાં કર્યું છે. ગુજરાતમાં પણ એવી ઘટના બની છે. પણ વિદ્યાર્થી આંદોલન થાય અને યુવાઓમાં આક્રોશ જાગે એનાથી મમતાએ ચેતવાની જરૂર છે. ગુજરાતમાં મોરબીની એલ.ડી કોલેજમાં ફી વધારાના મુદ્દે આંદોલન થયું અને એ અનામત આંદોલનમાં ફેરવાયું હતું અને ચીમન પટેલની સરકાર ગઈ હતી. બંગાળમાં પણ વિદ્યાર્થી આંદોલન થયું છે અને એ સંપૂર્ણ પણે રાજકીય જ હોય એવું જરૂરી નથી. બંગાળમાં નબન્ના આંદોલન થયું છે અને એના પર દમન કરવાથી વિદ્યાર્થીઓનો રોષ વધી શકે છે. મમતાના રાજીનામાંની માગણી ભાજપ જ નહિ પણ વિદ્યાર્થીઓ દ્વારા પણ થઈ છે.
અલબત મમતાએ આ રોષ ખાળવાનો પ્રયત્ન કર્યો છે. પોતાની વિદ્યાર્થી પાંખની વર્ષગાંઠને ડોક્ટરની હત્યા મુદે સમર્પિત કરી છે. અને સોરી પણ કહ્યું છે. પણ અત્યારે જે રોષ છે એ એમ શમવાનો નથી. ભલે ત્યારે કોઈ ચૂંટણી આવવાની નથી. પણ આવો લોક રોષ લાંબા સમયે મમતાને રાજકીય રીતે નુકસાન કરી શકે છે. આર જી કર હોસ્પિટલની ઘટના બાદ પોલીસે જે વિલંબ કર્યો એનો બચાવ કરી ના શકાય. હવે મમતાએ બળાત્કાર વિરુદ્ધ વધુ કડક કાયદાની તરફેણ કરી છે. રાહુલ ગાંધીએ પણ આ બનાવની ટીકા કરી છે અને એ મમતાને ગમ્યું નથી. હા, દેશના બીજા રાજ્યોમાં પણ બલાત્કારનાં ઘટનાઓ બનતી રહે છે પણ એ કારણે બંગાળની ઘટના મુદે કુણું વલણ ચલાવી ના લેવાય. દરેક રાજ્યની આ જવાબદારી છે અને એમાં નિષ્ફળ જાય એ સામે વિરોધ થવો જ જોઈએ.
ગુજરાતમાં વરસાદ અને રસ્તાઓ બેહાલ
ગુજરાતમાં ચિકાર વરસાદ થયો. ત્રણ સીસ્ટમ ભેગી થઇ અને એ કારણે વધુ પડતો વરસાળ થયો અને સરકારની પોલ ખુલ્લી થઇ છે. જે રીતે રસ્તાઓનું ધોવાણ થયું છે એ નજરઅંદાજ કરી શકાય એમ નથી. રાજકોટના એરપોર્ટ નજીક રસ્તો ઉપસી ગયો છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના રસ્તે તો જે રીતે પોપડા ઉખડી ગયા છે એ દર્શાવે છે કે, રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર થયો છે. અને આવું આખા રાજ્યમાં બધે બન્યું છે. રસ્તા તૂટી જાય, પુલ ભાંગી પડે અને મેટ્રોનું કામ ચાલતું હોય ત્યાં બીમ તૂટી જાય … આ ઘટનાઓ ગંભીર છે. અને વરસાદ તો અગાઉ પણ ગુજરાતમાં પડતો રહ્યો છે પણ આ વેળા રસ્તાઓને જે નુકસાન થયું છે એ વધુ પડતું છે. લોકો આ બધું જુએ છે. અરે, અમદાવાદ – મુંબઈ એક્સપ્રેસ હાઇવેમાં પણ ગાબડા પડ્યા છે. એનો બચાવ કેમ થાય?
માત્ર રસ્તા બનાવનારી કંપની કે કોન્ટ્રેકટર સામે તો પગલા લેવાય એ પુરતું નથી પણ આ માટે જવાબદાર ખાતા એ એના અધિકારી સામે પણ પગલા લેવાવા જોઈએ, કેટલીક ઘટનામાં દાખલા બેસવા જોઈએ. પણ કમનસીબી છે કે, રાજકોટની ગેમ ઝોન દુર્ઘટનામાં પણ કેટલાક અધિકારીઓને દંડવા સિવાય કઈ થયું નથી . પડદા સતાધીશો જવાબદાર હોય જ છે એમની સામે પણ પગલાં લેવાવા જોઈએ.
કેજરીવાલ પણ હવે છૂટશે?
દિલ્હીનાં શરાબ ગોટાળામાં પકડાયેલા નેતાઓ એક પછી એક છુટ્ટા જાય છે. સંજયસિંહ જામીન પર છે. મનીષ સિસોદિયા પણ બહાર આવી ગયા છે અને હવે આંધ્રના પૂર્વ મુખ્યમંત્રી કે.ચન્દ્રશેખર રાવની પુત્રી કે. કવિતા પણ જામીન પર છૂટી છે. એટલે એમ મનાવાના કારણ છે કે, અરવિંદ કેજરીવાલ પણ જલદીથી જેલ બહાર આવશે. આ કેસમાં ખાસ કરીને ઇડીની કાર્યવાહી સામે કોર્ટે જે સવાલો ઉઠાવ્યા છે એ દર્શાવે છે કે, એજન્સીઓ સ્વતંત્ર પણે કામ કરતી નથી , એમના પર રાજકીય દબાણ છે. કોઈને કોઈ રીતે એ વિપક્ષના નેતાને જેલમાં રાખવા માંગે છે.
હેમંત સોરેનનાં કિસ્સામાં પણ શું થયું? જામીન નહિ જેલ અપવાદ છે. આવી ટીપ્પણી થાય એ ઇડી અને અન્ય એજન્સીઓ માટે બોધપાઠ બનવો જોઈએ. પીએમએલએ કેસમાં પણ જમીન મળી શકે એ કોર્ટનું વલણ દર્શાવે છે કે, હવે એ કાયદાનો શસ્ત્ર તરીકે ઉપયોગ થઇ નહિ શકે. કેજરીવાલને હવે વધુ જેલમાં રાખી શકાય એમ લાગતું નથી. એ જરૂર જલ્દીથી બહાર આવશે અને આ મુદાઓ ભાજપને ભારે પડી શકે છે. ઝારખંડમાં આ વર્ષે જ ચૂંટણી થવાની છે અને દિલ્હીમાં આવતા વર્ષે. બંને જગ્યાએ આ મુદાઓ બની શકે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.