Charchapatra

વાડા/જાળાં

આપણા દેશમાં અનેક ધર્મો, સંપ્રદાયો, પંથો, ભાષાઓ, બોલીઓ, કોમો અને જ્ઞાતિઓ હોવા છતાં રાષ્ટ્રીય એકતા જોવા મળે છે. સૌ નાગરિકો રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપે છે. અહીં કેટલાક કહેવાતા બુદ્ધિશાળીઓ  જુદી જ માન્યતાના વાડામાં, જાળામાં વિચરતા જોવા મળે છે. દેશના બદલે પરદેશમાં સારું એમ કહીને પોતાને બીજાથી અલગ દર્શાવે છે. આપણો દેશ કેમ પાછળ છે? એ માટે અનેકાનેક દ્રષ્ટાંત આપે છે. આવા દેશને વફાદાર ન રહેનારા સ્વચ્છંદી, સ્વકેન્દ્રી લોકો અનેક કહેવાતી માન્યતાઓના ભોગ પણ બને છે.

આવા ભણેલા બુદ્ધિનો ઉપયોગ ન કરે અને રૂઢિ, વહેમ, અંધશ્રદ્ધા અને જૂનવાણી માન્યતા મુજબ ચાલે અને બીજાને તેમ કરવા પણ કહે ત્યારે આશ્ચર્ય થયા વિના રહેતું નથી. માનવી એકવાર માન્યતાના ખોટા જાળાં-પદડામાં ફસાતા, વાદળાં એકબીજાની સાથે ગૂંથાઈ ગયેલા ડાળાંવાળા છોડવા અને વાંટવાની જેમ બંધાઈને પરવશ બને છે.-ગ્રૂપિઝમ, પક્ષાપક્ષી કરીને અલગ અલગ વાડામાં બંધાવું પણ ક્યારેક જોખમી બને છે. આપણી ફરતે રક્ષણ માટે ફરતે દીવાલ કે વાડ કરી હોય તેવી વાડાની સ્થિતિ જોખમી બને ત્યારે જાળાં-ઝાંખરા ફગાવીને વાડાબંધીમાંથી ત્વરિત બહાર આવી જવું જોઈએ. દેશભક્ત બનવાની જરૂર છે.
નવસારી – કિશોર આર. ટંડેલ. – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top