gandhinagar : અમદાવાદ આજે ગાંધીનગરમાં છેલ્લા કેટલાંક દિવસથી ભારે ઉકળાટ અને બફારાની સ્થિતિ વચ્ચે રવિવારે ગાજવીજ સાથે મેઘરાજાની ( monsoon) બીજી ઈનિંગનો...
અમદાવાદ શહેરમાં કોરોના ( corona ) ની વચ્ચે આજે બે વર્ષના અંતર બાદ ભગવાન જગન્નાથની ( jagannath yatra) 144મી રથયાત્રા નીકળી હતી...
ઇશ્વર સાક્ષાત નથી એમ માની પોતાનું ઘર તજી દેનાર દયાનંદ સરસ્વતી એક વખત એક નદિ કિનારે બેઠા બેઠા ચિંતન કરતા હતા. તેઓ...
સૃષ્ટિના નિર્માણમાં શકિતમાતાનો પુરુષાર્થ મહત્વનો છે. દેવદેવતા, ઋષિ-મહર્ષિ, પરમકૃપાળુ પરાક્રમી મા-ભવાનિની પ્રાર્થના કરે છે. અને ધર્મધુરંધર, આચાર્ય શ્ર મચ્છશંકરાચાર્ય પ્રાર્થના કરે છે....
we all are meaning making Machine આપણે સૌ અર્થ કાઢવાની મશીનો છીએ. આપણે દરેક વાતોના અર્થો કાઢીએ છીએ એ અર્થો એટલે સુધી...
માતા, પિતા, પછી જો કોઈ મીઠો, મધુરો સંબંધ હોય તો તે મૈત્રી છે. કાકા-કાકી, મામા-મામી, ભાઈ-બહેન વગેરે સંબંધો સગાઈના સંબંધો છે. તે...
ઉત્સવપ્રિય રાષ્ટ્રના વર્ષ દરમ્યાન યોજાતા અનેક ધાર્મિક, રાષ્ટ્રીય અને લોક ઉત્સવોમાં જગન્નાથપુરીની રથયાત્રા મહોત્સવ માત્ર દેશમાં જ નહિ વિશ્વ વિખ્યાત અને લોકપ્રિય...
મનની ચંચળતાને ટાળવાની વાત કરીને હવે ભગવાન કૃષ્ણ આપણને સંયમના પાઠ દૃઢાવી રહ્યા છે. ઘડામાં છિદ્ર હોય તો પાણી કેટલા સમય ટકે?...
પોતાની ખુશમિજાજ, આનંદદાયક મનોસ્થિતિની આપણને કિંમત નથી હોતી, પરિણામે નાનીનાની ક્ષુલ્લક વાતો પર મનથી દુઃખનો અનુભવ કરતા રહીએ છીએ અને પછી મનથી...
લોકમાન્ય ગંગાધર તિલક એક આદર્શ પિતા પણ હતા. તેમનાં સંતાનોમાં કોઇ દુર્ગુણો ન પ્રવેશે તેની એ ખૂબ કાળજી રાખતા હતા. એક દિવસ...
SURAT : સુરત મેટ્રોની કામગીરી હવે ધીમે ધીમે ગતિ પકડી રહી છે. સુરત મેટ્રોના પ્રથમ ફેઈઝ કે જે સરથાણા-ડ્રીમ સિટી છે. જેમાં...
‘સત્યમ વદ’, ‘ધર્મ ચર’ જેવી આજ્ઞાઓ ઋષિઓએ આપેલી છે તેને સ્વસ્થ જીવન સાથે સંબંધ છે. માણસ જાણ્યે અજાણ્યે ખોટું કામ કરે કે...
સુરતના પ્રત્યેક તંત્રના વડાએ ‘નગરચર્યા’કરવા જેવી છે! તેમાં સ્વચ્છતા તંત્રે ખાસ ધ્યાન આપવાની આવશ્યક્તા છે. ‘ડોર ટુ ડોર’કચરો લેવા ગાડી આવે જ...
માનવજાતનો ઉપકારક જીવ સાપને જોતાં જ આપણને બીક લાગે છે, પણ નવાઈની વાત એ છે કે 95% જેટલા સાપ ઝેરી હોતા જ...
જાણવા મળ્યું છે કે ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના ગંગાનગર ગામમાં કોરોના માતાનું મંદિર બનાવવામાં આવ્યું છે, જ્યાં નિયમિત પૂજા, આરતી તથા જ્યજ્યકાર...
સુરત: વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન પર એન્ટી સબસીડી ડ્યૂટી ( duty) લાગુ કરવાની ડીજીટીઆરની ભલામણ સામે સુરતના વણાટ ઉદ્યોગમાં નારાજગી જોવા મળી રહી...
27/6ના રોજ પાકિસ્તાન સ્થિત કોઇક આતંકી સંગઠને પાકિસ્તાન બોર્ડરથી 14 કિ.મી. દૂર જમ્મુમાં આવેલા ભારતીય એરફોર્સ મથક ઉપર ડ્રોન વિમાન દ્વારા આતંકી...
એક વખત રવીન્દ્રનાથ ટાગોર યુરોપના પ્રવાસે ગયા હતા. ત્યાં એમને કોઈકે પૂછ્યું કે તમારે ત્યાં ગાંધીની બહુ બોલબાલા છે? આ ત્યારની વાત...
દેશ અને દુનિયાની જો કોઇ સૌથી મોટી સમસ્યા હોય તો તે વધતી જતી વસ્તી છે. જો આજ પ્રકારે વસ્તી વધતી જશે તો...
surat : શહેરમાં છ જેટલા ખાનગી રેલવે કાઉન્ટર શહેરમાં રેલવેની ટાઉટગીરી કરનારને જ સોંપી દેવાયા છે. કાગળ પર ખાનગી રેલવે ટિકીટ ઘરમાં...
રથયાત્રાના સમગ્ર રૂટ દરમિયાન પોલીસના જવાનો ખડેપગે રહી સરકારી ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવ્યું ડાકોર : ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ શ્રી...
નડિયાદ: નડિયાદ તથા આણંદ શહેરમાં મોડી સાંજે ૬.30 વાગ્યાના અરસામાં શરૂ થયેલ વરસાદ સતત ૨ કલાક ચાલુ રહ્યો હતો. ભારે વરસાદને કારણે...
વડોદરા: બરોડા ડેરીએ અમૂલ ગોલ્ડ દૂધના લિટરે 4 રૂપિયાનો ભાવ વધારો કરતા ભાવ વધારાના વિરોધ. દૂધ વિનાની ચા બનાવતા પોલીસે 25...
યુપી-રાજસ્થાનમાં વીજળી ત્રાટકતા 64 લોકોના મૃત્યુ થયા છે. જયપુરમાં ભારે વરસાદ દરમિયાન રવિવારે આમેર મહેલમાં ( AAMER MAHEL) બનેલા વોચ ટાવર (...
વડોદરા: મહાનગરપાલિકા દ્વારા શહેરના ચાર ઝોનમાં સફાઇ ઝુંબેશ વધુ સર્ચ કરવામાં દાવા કર્યા છે 270 જેટલા જાહેર જગ્યાઓ નક્કી કરવામાં આવ્યા છે....
મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) એ અષાઢી બીજના પાવન અવસરે 144 મી જગન્નાથ રથયાત્રા (Jagannath Rath Yatra) ને પ્રસ્થાન કરાવતા પૂર્વે અમદાવાદ...
કોરોના ( CORONA) સંકટ વચ્ચે ભગવાન જગન્નાથની ( GOD JAGANNATH) રથયાત્રા ( RATHYATRA) સોમવારે ઓડિશાના પુરી અને ગુજરાતમાં અમદાવાદમાં નીકળી રહી છે....
દાહોદ: દાહોદ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીના પગલે જિલ્લામાં સર્વત્ર વરસાદી પાણી છવાઈ ગયા હતા. લાંબા સમયથી જોવાથી મેઘરાજાની રાહની આતુરતાનો અંત આવ્યો...
વડોદરા: અષાઢી બીજને દિવસે વડોદરામાં ઇસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથજીની નિકળનારી રથયાત્રાને પગલે વડોદરા પોલીસ દ્વારા રથયાત્રાના રૂટ રેલવે સ્ટેશનથી બગીખાના સુધી...
વડોદરા : ભારતીય જનતા પાર્ટી ના બક્ષીપંચ યુવા મોરચાની ઉપપ્રમુખ મંત્રી અને કારોબારી સભ્યોની નિમણૂંક કરાઇ છે. જેમાં ગુનાઈત ભૂતકાળ ધરાવતા અને...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
gandhinagar : અમદાવાદ આજે ગાંધીનગરમાં છેલ્લા કેટલાંક દિવસથી ભારે ઉકળાટ અને બફારાની સ્થિતિ વચ્ચે રવિવારે ગાજવીજ સાથે મેઘરાજાની ( monsoon) બીજી ઈનિંગનો આરંભ થયો હતો. ગુજરાત પર સરકીને આવેલી લો પ્રેશર સિસ્ટમ ( law pressure system) ની અસર હેઠળ રાજ્યમાં રવિવારે પોરંબદરમાં દોઢ ઈંચથી વધારે વરસાદ થયો છે. જ્યારે સરેરાશ 52 તાલુકાઓમાં હળવો વરસાદ થયો છે. જેમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ થાય છે. રાજ્યમાં આગામી ચાર દિવસ માટે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 156 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ થયો હતો. જેમાં 32 તાલુકાઓમાં સાડા ત્રણ ઈંચથી 1 ઈંચ જેટલો વરસાદ થયો હતો. ખાસ કરીને ધોરાજીમાં સાડા ત્રણ ઈંચ વરસાદ થયો હતો. તે પછી બીજા ક્રમે ડાંગ આહવામાં 3.2 ઈંચ , ધરમપુરમાં 3 ઈંચ, નર્મદાના નાદોદમાં પોણા ત્રણ ઈંચ, જુનાગઢના માળિયામાં પોણા બે ઈંચ વરસાદ થયો હતો.

ચોમાસાની મોસમમાં અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 15.92 ટકા વરસાદ થયો છે. જેમાં કચ્છમાં 12.62 ટકા, ઉત્તર ગુજરાતમાં 13.34 ટકા, મધ્ય – પૂર્વ ગુજરાતમાં 16 ટકા, સૌરાષ્ટ્રમાં 13.69 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 18.14 ટકા વરસાદ થયો છે.અમદાવાદમાં સાંજે ગાજવીજ સાથે વરસાદ થયો હતો. જેના પગલે અસહ્ય ગરમીનો સામનો કરી રહેલા શહેરીજનોને રાહત મળી હતી. સાંજે ગાંધીનગરમાં પણ ગાજવીજ શરૂ થઈ જવા પામી હતી. તે પછી ભારે વરસાદ થયો હતો.

રવિવારે સાંજે 6 વાગ્યા સુધીમાં પોરબંદરમાં દોઢ ઈંચ, સાબરકાંઠાના વિજયનગરમાં સવા ઈંચ, સુરેન્દ્રનરના સાયલામાં સવા ઈંચ, જામજોધપુરમાં સવા ઈંચ, ઈડરમાં સવા ઈંચ, ભાણવડમાં સવા ઈંચ, ચુડામાં પણ સવા ઈંચ, ચોટીલા – થાનગઢમાં 1 ઈંચ, જ્યારે અન્ય તાલુકાઓમાં 20 મીમીથી ઓછો વરસાદ થયો હતો.