વડોદરા : વડોદરા શહેર સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાના વાદળો વિખેરાયા છે.પરંતુ સંભવિત ત્રીજી લહેરની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.એક તરફ આગામી...
તનામ લેખક ‘ઑસ્કાર વાઈલ્ડની વિખ્યાત વાર્તા ‘પિક્ચર ઑફ ડોરિયન ગ્રે’ આધારિત વાર્તા, જેના વિશે લેખકે તેમની ડાયરીમાં લખ્યું છે કે ‘આ એક...
માહ્યાવંશી કુટુંબમાં જન્મેલા ભારતીબેને વારસામાં માતા-પિતા પાસેથી સંસ્કારનો ખજાનો પ્રાપ્ત કર્યો. માતા-પિતા ગરીબ હોવાથી નાનેથી જ આશ્રમ શાળામાં રહી ધોરણ-12 સુધીના અભ્યાસ...
આવતા રવિવારે સ્વતંત્રતા દિવસ છે, બેશક રાષ્ટ્રીય ભક્તિ અને શક્તિનો દિવસ છે, પણ ચારેકોર જે જૂથ અને જૂઠનો માહોલ રચાયો છે તેમાં...
પરમાત્મા માણસને પોતાની અનુભૂતિ માટે રાહ જોવડાવતા નથી પણ માણસે પોતાના આત્મભાવમાં, બ્રહ્મભાવમાં અને આત્મિક સત્યમાં સ્થિર થઈને, નિર્વિચાર, અહંકારશૂન્ય થવું જ...
શરીરનું અંગે અંગ સત્સંગ કરે એ જ પરમાર્થ છે. ઈશ્વર સર્વત્ર છે. પરમેશ્વર સર્વજ્ઞ છે. પરમાત્મા સંપૂર્ણ છે. માણસના સર્વાંગમાં સ્થિત છે....
આજના શુભ સોમવારથી પ્રારંભ થઇ રહ્યો છે પવિત્ર શ્રાવણ માસ… શ્રાવણ માસ એટલે શિવ ઉપાસનાનું પર્વ, શ્રાવણ માસ એટલે તહેવારોની શૃંખલાનું પર્વ…...
શ્રાવણ માસના પ્રારંભ સાથે વ્રતો-તહેવારોનો પણ પ્રારંભ થઇ જાય છે. જીવંતિકા માતાનું વ્રત ભારતીય સન્નારીઓ અને કુંવારિકાઓ રાખે છે. સૌભાગ્યવતી બહેનો પરિવારના...
ઋગ્વેદ અને અવેસ્તા એ બંને ઈન્ડો ઈરાનીયન યુગના સૌથી પ્રાચીન ગ્રંથો છે. આ બંને ગ્રંથોના સંયુકત અભ્યાસ ઉપરથી ઈન્ડો ઈરાનીયન સંસ્કૃતિઓ...
આપણે સાધનાના ફળની નિશ્ચિતતાને સમજ્યા. હવે ભગવાન કૃષ્ણ શ્રદ્ધાની વિભાવનાને પ્રસ્તુત કરી રહ્યા છે. શ્રીકૃષ્ણ ભગવાને ગીતાના ૬/૪૭ શ્લોકમાં અર્જુનને શ્રદ્ધાનો મહિમા...
જીવનશૈલી એટલે આપણે જે અનુસાર આપણું જીવન જીવીએ છીએ તે પધ્ધતિ. અર્થાત્ આપણા વિચારો, બોલચાલ, ઊઠવું–બેસવું, વ્યવહાર, ખાણી-પીણી, પહેરવેશ, રહેણી-કરણી વગેરેનું સંયુકત...
જીવનમાં સદ્દવિચાર સાથે એનું આચરણ પણ જરૂરી હોય છે. એકલા સદ્દવિચારો રાખે તે કામ ન લાગે. એનું આચરણ કરવું પડે. એક સ્ત્રીએ...
મૃત્યુ પછી શ્રાદ્ધ મોટે ભાગે લોકો કરે જ છે. આવો જ ખ્યાલ લગભગ જુદા સ્વરૂપે ઇંગ્લેન્ડમાં પણ જોવા મળે છે. જે તિથિએ...
ફરી એક વખત ૧૫મી ઓગસ્ટ આવશે અને ફરી એક વખત આપણે સ્વતંત્રતા દિનની ઉજવણી કરીશું. આપણા વડા પ્રધાન લાલ કિલ્લા ઉપરથી ધ્વજવંદન...
દર વર્ષની જેમ સુરત મહાનગરપાલિકાએ સરકારની વિવિધ યોજનાઓના પ્રમાણપત્રો કાઢી આપવાનો કાર્યક્રમ ઝોન વાઇઝ રાખેલ હતો. જે ખરેખર પ્રશંસનીય છે. પરંતુ આયોજનના...
“બ્યુટીફીકેશનને બદલે બની ગયા ગરીબોના બસેરા” એ હેડીંગ હેઠળ પ્રગટ થયેલી તસવીર અત્યંત હૃદયદ્રાવક છે. દેશની જનતાની આર્થિક સ્થિતિ પર આ તસ્વીરનું...
હાઈપાવરલૂપ ટેકનિક ટ્રાંસપોર્ટેશનની આધૂનિકતમ ટેકનિક છે. કહે છે કે આનાથી વિમાનથી પણ તેજ ગતિથી ટ્રેન દોડશે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે 2040 સુધીમાં...
તા. ૩૧ જુલાઇ ૨૦૨૧ ના ‘ગુજરાતમિત્ર’ના પાના નંબર ૭ ઉપર પ્રકાશિત થયેલા સમાચાર પ્રમાણે સ્મીમેર, મસ્કતી, નવી સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી જ...
પગરખાંની ચાલ ચલગત અંતર્ગત યુસુફભાઇ ગુજરાતીનું ચર્ચાપત્ર વાંચી એક કિસ્સો ઉમેરવા પ્રેરાઇ છું. તેમણે પગરખાંની ઉપયોગીતા અંગે સરસ લખ્યું છે. હાલમાં જ...
ભારત એવો દેશ છે કે જેની જનસંખ્યા 135 કરોડ છે અને અહીં ખૂણે ખૂણે રમતવીરો વસે છે. જો તેમને પ્રોત્સાહિત કરવામાં આવે...
રાજ્યમાં વરસાદની કોઈ સિસ્ટમ હાલમાં દેખાતી નથી, જેના પગલે હવે ખેડૂતો વરસાદ માટે ચિંતિત બની ગયા છે. બીજી તરફ વાદળછાયા વાતાવરણના કારણે...
મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં સરકારને પાંચ વર્ષ પૂર્ણ થતાં આવતીકાલે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવનાર છે. રાજ્ય સરકારના સુશાસનના કાર્યક્રમો અંતર્ગત...
આગામી ડિસે. 2022માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે, બીજી તરફ ભાજપના આંતરિક વર્તુળોમાં યુપીની સાથે વેહલી ચૂંટણી ગુજરાતમાં આવી શખે છે તેવી...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 25 કેસ નોંધાયા છે. જ્યારે સારવાર દરમ્યાન એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી. રાજ્યમાં 28 જિલ્લા અને...
ટોક્યો ઓલિમ્પિક ગેમ્સમાં ભારતે મીરાબાઇ ચાનુના સિલ્વર મેડલથી પોતાના અભિયાનની પ્રભાવક શરૂઆત કરી અને તે પછી મેડલના ઘણાં દાવેદારોનું અભિયાન મેડલ વગર...
કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહ અને કેન્દ્રિય માર્ગ-પરિવહન મંત્રી નીતિન ગડકરીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયેલા સમારંભમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે શાસન...
”પાંચ વર્ષ આપણી સરકારના” અંતર્ગત રાજ્ય સરકારના પાંચ વર્ષના સફળ શાસનની મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને શુભકામનાઓ પાઠવતા કેન્દ્રીય...
રાજ્યભરમાં રેસિડેન્ટ ડોક્ટર્સ બોન્ડની શરતોમાં ફેરફારને લઇ હડતાળ પર ઉતર્યા છે. રાજ્ય સરકાર દ્વારા હડતાળ સમેટી લેવા તેમજ હોસ્ટેલ ખાલી કરી દેવા...
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે વિકાસ માટેનાં જે બીજ...
બોલિવૂડ (bollyઅભિનેત્રી શિલ્પા શેટ્ટી (Shilpa shetty)ના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુન્દ્રા (Raj kundra)આ દિવસોમાં ચર્ચામાં છે. મુંબઈની ક્રાઈમ બ્રાન્ચે તેની પોર્ન વીડિયો (Pornography)...
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
વડોદરા : વડોદરા શહેર સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાના વાદળો વિખેરાયા છે.પરંતુ સંભવિત ત્રીજી લહેરની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.એક તરફ આગામી પરિસ્થિતિને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.તો બીજી તરફ કેરાલા પ્રવાસેથી પરત ફરેલા વડોદરા શહેરના પિતા-પુત્રમાં શંકાસ્પદ ડેલ્ટા વેરીએન્ટ દેખા દેતા હડકંપ મચ્યો છે.હાલ બંનેની સયાજી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં સારવાર ચાલી રહી છે.ઉપરાંત બંનેના સેમ્પલ પુના લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે.
મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરા શહેરની સયાજી હોસ્પિટલના કોવિડ ઓબ્ઝર્વર ડો.ઓ.બી.બેલીમે માહિતી આપતા જણાવ્યું હતું કે ત્રણ દિવસ પહેલા બે દર્દીઓ જેમના આર્ટિફિશિયલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા તેઓ અહીં દાખલ છે જે બંને પિતા-પુત્ર છે જૂન મહિનાના એન્ડમાં તેઓ તેમના સામાજિક પ્રસંગ માટે કેરાલા ખાતે ગયા હતા.ત્યાંથી પરત ફરતા તેમનામાં છેલ્લા 15-20 દિવસ પછી લક્ષણો શરૂ થયા હતા.જેની માટે બંને પિતા-પુત્રએ ખાનગી હોસ્પિટલમાં આર્ટિફિશિયલ રિપોર્ટ કરાવ્યો હતો. જે બન્નેના પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતા.ખૂબ મોટું પરિવાર હતું.પરંતુ તેમના પરિવારમાંથી માત્ર પિતા અને પુત્ર જ પોઝિટિવ આવ્યા છે.જેઓને ખાનગી હોસ્પિટલમાંથી હોમ આઇસોલેટેડ કરી ઘરેથી સારવાર ચાલતી હતી.જેમાં 65 વર્ષીય પિતા છે. તેમને શ્વાસોશવાસની તકલીફ થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા.ખાનગી હોસ્પિટલ સત્તાધીશો દ્વારા જણાવ્યું કે કદાચ તેમને વેન્ટિલેટરની જરૂર પડે.જેથી તુરત જ તેમને એસએસજી હોસ્પિટલમાં રીફરથી દાખલ કરવામાં આવ્યા અને હાલ તેઓ બાયપેપ વેન્ટિલેટર ઉપર છે.
જ્યારે તેમનો પુત્ર 39 વર્ષનો છે તેને સાધારણ લક્ષણો હતાં.ત્યારબાદ ધીમેધીમે શ્વાસ લેવામાં તકલીફ પડી હતી જેને પણ બે-ત્રણ દિવસ પહેલા એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.જેઓને સાદા ઓક્સિજન ઉપર રાખવામાં આવેલા છે.બંનેમાંથી પુત્રની તબિયત સાધારણ છે.જ્યારે પિતાની તબિયત થોડી ગંભીર કહી શકાય.બંનેની મુસાફરી કેરાલા ખાતે થઈ હોવાથી સયાજી હોસ્પિટલની કોવિડ ટીમે નક્કી કર્યું કે બન્નેના રિપોર્ટ શંકાસ્પદ ડેલ્ટા તરીકે લેવા અને તે પ્રકારે ડેલ્ટા તરીકે ગણવાનું નક્કી કરવામાં આવ્યુ હતું.
સયાજી હોસ્પિટલની માઇક્રો બાયોલોજીની ટીમ દ્વારા મેડિકલ ડીન તનુજા જાવડેકરની સુચનાથી બંનેના સેમ્પલ લઈ પુના ખાતે મોકલી આપવામાં આવ્યા છે. હવે 15 દિવસ સુધી રિપોર્ટની રાહ જોવાની છે.હાલમાં બંને પિતા-પુત્ર સયાજી હોસ્પિટલના કોરોના વોર્ડમાં સારવાર લઈ રહ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું કે કોઈપણ વેરીએન્ટ આવે તે ગંભીર જ કહેવાય તેને સામાન્ય ગણી ન શકાય.વાયરસ તેની બદલવાની પ્રક્રિયા કરતો હોય છે.જ્યારે પણ વાયરસ તેનું સ્વરૂપ બદલતો હોય તો તે પહેલાં કરતા ઘાતક બને છે માટે સરકારની જે ગાઈડલાઈન છે તેને ચોક્કસપણે પાલન કરવું જોઈએ તેમ જણાવ્યું હતું.