ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 27 આદિવાસી બેઠકો પર કેસરિયો લહેરાય તે માટે બાજપની નેતાગીરીએ બેઠકોનો ધમધમાટ શરૂ કરી દીધો છે. ખાસ કરીને આજે...
રાજ્યમાં વરસાદથી પ્રભાવિત રાજકોટ-જૂનાગઢ અને જામનગર જિલ્લાના અસરગ્રસ્તો વિવિધ સહાયમાં રાજય સરકારે આજે મળેલી કેબિનટ બેઠકમાં નિર્ણય લઈને તેમાં વધારો કર્યો છે....
રૂપાણી સરકાર સામે એક ફરિયાદ એ પણ હતી કે અધિકારીઓ તેમને ગાંઠતા ન હતાં એટલું જ નહીં ધારાસભ્યોના વિકાસના કામો પણ કરતાં...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના સુરત મનપામાં 5 સહિત 20 નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ 20 દર્દીઓ સાજા થયા છે....
સુરત: (Surat) સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હવે વરસાદ (Rain) ધીમે ધીમે વિદાય તરફ છે. આજે જિલ્લાના મહુવામાં એક ઇંચ જેટલો વરસાદ...
પહેલાં ન્યૂઝીલેન્ડ (Newzealand) અને પછી ઈંગ્લેન્ડે (England) પાકિસ્તાનનો ક્રિકેટ પ્રવાસ રદ કરી દેતાં પાકિસ્તાન (Pakistan) ભૂરાંટું બન્યું છે. વૈશ્વિસ્તરે થૂ થૂ થતાં...
પાંચ વર્ષ બાદ રુપાણી સરકારે શરૂઆત કરી હતી.. હવે તમે પૂરી કરજો..અગાઉની સરકાર જેવું તમારું વર્તન નહીં હોય એવી આશા રાખું છું.....
નવી દિલ્હી: (Delhi) સુપ્રીમ કોર્ટના (Supreme Court) સખત ઠપકા બાદ કેન્દ્ર સરકારે (Government) દેશમાં કોરોનાને (Corona) કારણે દરેક મૃત્યુના કિસ્સામાં પરિવારને 50...
ગુજરાતના CM તરીકે ભૂપેન્દ્ર પટેલનું નામ જાહેર થયું તે ઘડીથી જ રાજ્યમાં મેઘરાજા વરસી રહ્યાં છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં પૂરની પરિસ્થિતિનું (Flood)...
હવામાન વિભાગની (Weather Department) આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) વરસાદ વરસી રહ્યો છે. વલસાડ, વાપી, દમણ, સંઘપ્રદેશ વિસ્તારમાં બે દિવસથી ધોધમાર...
સંતરામપુર : કડાણા પાસેથી પસાર થતી મહિસાગર નદી પર પુલ બાંધવા માટે રાજ્ય સરકાર તરફથી 35 કરોડ મંજુર કરવામાં આવ્યા હતા. જે...
સુરત: (Surat) ભેસ્તાનનાં જર્જરીત આવાસોમાં (Bhestan Awas) પ્લાસ્ટરના પોપડા પડતાં માસૂમ બાળકીનું મોત થયા બાદ પણ અહીંના રહીશો મનપા દ્વારા ફાળવવામાં આવેલી...
સુરત: (Surat) સુરત માટે ડ્રીમ પ્રોજેક્ટ એવા મેટ્રો રેલ પ્રોજેક્ટની (Metro Rail Project) કામગીરી તબક્કાવાર ઝડપથી આગળ વધી રહી છે. ખાસ કરીને...
અમદાવાદ (Ahmedabad) પોલીસે અહીંના નરોડા વિસ્તારમાંથી સેક્સ રેકેટનો (sex racket) પર્દાફાશ કર્યો છે. અહીંની એક હોટલમાં દેહવ્યાપારનો ધંધો બેફામ ચાલી રહ્યો હતો....
સુરત: (Surat) શહેરની પાણીની જરૂરિયાતને પૂરી કરતો એકમાત્ર જળસ્ત્રોત તાપી નદીમાં સીંગણપોર ખાતેનો વિયર કમ કોઝવે (Weir cum Causeway) તેના નિર્માણનાં 26...
સુરત: (Surat) લાલ દરવાજા ખાતે આવેલા સુરત મહાનગર પાલિકા (Municipal Corporation) હસ્તકના પ્લોટ પર વર્કશોપ અને ગાર્ડન બનાવવાની તજવીજ વચ્ચે મંગળવારે મેયર...
ભારત (India)માં ઓડી ઇ-ટ્રોન જીટી અને ઓડી આરએસ ઇ-ટ્રોન જીટી ઇલેક્ટ્રિક કાર (Electric car) લોન્ચ કરવામાં આવી છે. જર્મન ઓટોમેકર ઓડી ઇન્ડિયા...
લાંબા સમય બાદ UAE માં શરૂ થયેલા IPL ના Phase-2માંથી ખૂબ જ ચિંતાજનક સમાચારો સામે આવ્યા છે. IPL પર ફરી એકવાર કોરોના...
કોરોનાને (Covid-19) લઈને મોટા સમાચાર આવ્યા છે. હવે કોરોના નબળો પડી ગયો છે. તેનાથી ડરવાની જરૂર નથી. દિલ્હી એઈમ્સના (AIIMS) ડિરેક્ટર ડૉ....
આણંદ : બાલાસિનોરના સલિયાવડી ગામના યુવક સાથે 18 વર્ષ પહેલા લગ્ન કરનાર સલિયાવડીની પરિણીતાને સંતાન ન થતાં ત્રાસ આપી ઘરેથી કાઢી મુકી...
નવી દિલ્હી: ભારત સરકાર (Indian Govt)ના કડક વલણ બાદ બ્રિટન (Britain) કોવિશિલ્ડ (Covishield)ને માન્યતા આપવાની બાબતમાં ઝૂકતું હોય તેવું લાગે છે. ભારતે...
સુરત: સુરત મેટ્રો (Surat metro) રેલના સૂચિત સ્ટેશન (railway station)નું નિર્માણ કરવા માટે હાલમાં ઝડપથી ચાલી રહેલી કામગીરીમાં ખજોદ ગામમાંથી પસાર થતાં...
સુરત: હજીરા (Hazira) સ્થિત આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ (AMNS) ઇન્ડિયા લિમિટેડ દ્વારા હાલના પ્લાન્ટની ક્ષમતામાં વધારો કર્યા વિના સ્થાપિત પ્લાન્ટમાં ફેરફારો કરવાની...
સુરત : સુરત (Surat) સીઆઇડી (CID) ક્રાઇમ દ્વારા જે રીતે ગાર્નેટ કોઇન (garnet coin)ના કહેવાતા ચાર હજાર કરોડના કૌભાંડ (scam)ને ચાલીસ લાખનું...
જાંબુઘોડા: જાંબુઘોડામાં ભાદરવો ભરપૂર કહેવત સાર્થક કરતો હોય એમ લાગે છે. જાંબુઘોડા સહિત સમગ્ર ચેરાપુંજી વિસ્તારમાં પાછલા બે ચાર દિવસથી ધીમી ધારે...
સુરત: વિસ્કોસ ફીલામેન્ટ યાર્ન (Yarn) પરથી એન્ટી ડમ્પિંગ ડયુટી (anti dumping duty) લાગુ કરવાની દરખાસ્ત સરકારે દફતરે કર્યાના એક જ મહિના પછી...
દાહોદ: દેવગઢબારિયા નગરના શાન તેવા ઐતિહાસિક ટાવર ઉપર આકાશી વીજળી પડતાં ટાવરનો અડધો મુંગટ ધરાશય જાનહાની ટળી બે વાહનોને નુકસાન નગરજનો ને ...
દાહોદ : દાહોદ તાલુકાનાં જાલત ખાતે ભૂરીયા ફળિયાના રહીશોને રસ્તાના અભાવે કાદવ કીચડમાંથી પસાર થવું પડે છે અનેકવાર રજૂઆતો બાદ પણ સમસ્યાનું...
વડોદરા : હવામાન ખાતાએ બે દિવસ ભારે વરસાદ ની આગાહી કરી છે. ત્યારે સવારથી કાળા ડિબાંગ વાદળછાયું વાતાવરણ હતું. વહેલી સવારથી જ...
વડોદરા: બરોડા ડેરીમાં પશુપાલકોને વધુ ભાવફેર આપવા મામલે ડેરીના શાસકો અને ભાજપના ધારાસભ્યો સામ-સામે આવી ગયા છે. બરોડા ડેરી અને કલેકટર કચેરી...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 27 આદિવાસી બેઠકો પર કેસરિયો લહેરાય તે માટે બાજપની નેતાગીરીએ બેઠકોનો ધમધમાટ શરૂ કરી દીધો છે. ખાસ કરીને આજે પ્રદેશ ભાજપના કમલમ કાર્યાલય ખાતે આજે આદિવાસી મોરચાની મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં 27 જેટલી આદિવાસી બેઠકો પર વિજય મેળવવા રણનીતિની ચર્ચા થઈ હતી.
કમલમ ખાતે ગુજરાત પ્રદેશ એસ.ટી મોરચાની પ્રથમ કારોબારી બેઠક પ્રદેશના અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબના માર્ગદર્શન અને આદિવાસી મોરચાના પ્રમુખ હર્ષદ વસાવાની અધ્યક્ષતામાં યોજાઇ હતી.આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી તરૂણ ચૂગજી, સાંસદો, ધારાસભ્યોઓ અને મોરચાના હોદેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા.
એસ.ટી મોરચાની બેઠક ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તરૂણ ચૂગે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી એસ.ટી મોરચા દ્વારા ઘણુ સારુ કામ થઇ રહ્યું છે. ગુજરાતના રાજકારણની જો ચર્ચા થાય તો એસ.ટી વોંટ બેંકને કયારેય ન્યાય નથી મળ્યો માત્ર વોંટ બેંક માટે ઉપયોગ કરવામાં આવ્યો.કોગ્રેસ દ્વારા અમરસિંહ ચૌધરી ને મુખ્યમંત્રી બનાવી ગુજરાતમાં એસ.ટી સમાજમાં રાજકારણ કરવામાં આવ્યું . પરંતુ ભારતીય જનતા પાર્ટીએ કયારેય આદિવાસી સમાજને વોંટ બેંકની દ્રષ્ટીએ નથી જોતું. કેન્દ્ર સરકારમાં આજે 8 મંત્રીઓ એસ.ટી ના છે. પહેલી વાર 10 ટકાથી વધારે કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. તો ગુજરાત સરકારના મંત્રીમંડળમાં 4 આદિવાસી સમાજના આગેવાનોને સ્થાન આપવામાં આવ્યું છે.
કારોબારી બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે ગુજરાત રાજયમાં 27 બેઠકો એસ.ટી સમાજની છે તેમાંથી 13 ભારતીય જનતા પાર્ટી પાસે છે.સૌથી વધારે એસ.ટી સમાજની બેઠકો 50 ટકાથી વધુ સીટો ભાજપ પાસે છે. પહેલા લોકો એમ માનતા હતા કે એસ.ટી સમાજના મતદારો કોંગ્રેસ સાથે છે. પરંતુ આજે એવુ રહ્યુ નથી કારણ કે પીએમ નરેન્દ્ર મોદીએ અનેક યોજનાઓ દ્વારા સમાજને લાભો આપ્યા છે.કોંગ્રેસ અત્યાર સુધી એસ.ટી સમાજના લોકોને ફકત મતદાતા તરીકે દુરઉપયોગ કરતું આવ્યું છે. પીએમ મોદીએ તમામ સમાજના લોકોનું ધ્યાન રાખ્યુ છે તેમનો વિકાસ થાય,તેમને અધિકાર પ્રાપ્ત થાય તેવા પ્રયત્નો કર્યા જેમા આદિવાસી સમાજના યુવાનો ને પણ જે તક મળી છે તેના કારણે આદિવાસી સમાજ આજે ભારતીય જનતા પાર્ટી સાથે છે.
એસ.ટી મોરચાની કારોબારી બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી પહેલેથી પરિવાર ભાવનાથી જ કામ કરે છે અને કરતી આવી છે. પક્ષના દરેક કાર્યકરનો સ્વભાવ એક બીજા સાથે પરિવાર જેવો હોય છે અને સાથે મળીને ગુજરાતની જનતાની સેવા કરે છે અને એ જ કારણે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી આજે ગુજરાતની પ્રજાનો વિશ્વાસ સંપાદીત કરી શકી છે અને દેશમાં ડંકો વગાડી શક્યા છીએ. આદિવાસી સમાજમાં વિકાસની યાત્રા આપણા પીએમ નરેન્દ્ર મોદીએ કરી છે અને હજુ આ યાત્રા ચાલુ છે.
પીએમ મોદી મોદી સાહેબ વિરોધીઓને જવાબ પરિણામ સ્વરૂપે આપે છે એટલે વિરોધીઓને પાછળથી બોલવાનો મોકો મળતો નથી કારણે કે કામ બોલતુ હોય છે. અને આવનાર વિધાનસભા ચૂંટણીમાં 182 બેઠકો જીતવાનો પ્રયાસ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો સાથે મળીને કરશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. કારોબારી બેઠકમાં પ્રદેશ આદિવાસી મોરચાના પ્રમુખ હર્ષદ વસાવાએ કહયું હતું કેઆ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 27 વિધાનસભા બેઠક જીતવાની છે.