જેને ગરબા કરતાં આવડતા નહી હોય તે ગુજરાતી નહી હોય. ગરબા અને ગુજરાત એકબીજાના પર્યાય બની ચૂક્યા છે પરંતુ ગત વર્ષે કોરોનાને...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી (MP Modi)અને અમેરિકા (America)ના રાષ્ટ્રપતિ જો બિડેન (President Joe Biden) શુક્રવારે વ્હાઈટ હાઉસ (White House)માં મળ્યા હતા. બંને નેતાઓએ...
એક સમય એવો હતો કે બ્રિટનના સામ્રાજ્યમાં કદી સૂર્યનો અસ્ત થતો નહોતો. આજે બ્રિટનનું સામ્રાજ્ય બ્રિટીશ ચેનલ પૂરતું મર્યાદિત થઈ ગયું છે,...
નડિયાદ: નડિયાદ શહેરના માર્ગોની અવદશાની સાથે સાથે દાંડી માર્ગ પણ હાલમાં અત્યંત જર્જરિત અને જોખમી હાલતમાં જોવા મળી રહ્યો છે. આ માર્ગ...
નડિયાદ: નડિયાદમાં રહેતાં એક પરિવારે સવા બે વર્ષ અગાઉ પોતાનું મકાન વેચ્યાં બાદ આજદિન સુધી ખરીદનારને મકાનનો કબ્જો ન સોંપતાં મામલો જિલ્લા...
આણંદ : સોજિત્રા નગરના સામુહિક આરોગ્ય કેન્દ્ર લઇને વિવાદ ઉભો થયો છે. અહીં સીએચસીને લગતા કોઇ રેકર્ડ મળી રહ્યાં નથી. જેના કારણે...
પલસાણા: સુરત (Surat)ના લિંબાયત ખાતે રહેતા 24 વર્ષીય યુવાનને બલેશ્વરના એક યુવાને પોતે કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશન (Kadodara gidc police station)માં નોકરી...
દાહોદ: સંજેલી મુખ્યમાર્ગ પર સરપંચના ઘર નજીક બસ સ્ટેશનના ગેટ પર જ પંચાયત દ્વારા ડોર ટુ ડોર કલેકશન થતો કચરાનો ડમ્પિંગ કરાતાં...
ગોધરા: ગોધરાના ફાઇનાન્સ કંપની વેરા વસૂલીમાં રિઝર્વ બેંકના નિયમોનો ભંગ કરતા ચેક રીટર્ન થવાના કેસમાં ફરિયાદીને રૂપિયા પાંચ હજારનો દંડ અને આરોપીને...
નવસારી, ઘેજ : ચીખલી પોલીસ મથક (Police station)માં વઘઇના બે આદિવાસી યુવકો (tribal youth)ના શંકાસ્પદ મોત (mysterious death)માં હત્યા (murder)ના આરોપી તત્કાલિન...
દાહોદ: લીમડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલા લીમડી પોલીસને ભરૂચ જિલ્લાના તાલુકા પોલીસ સ્ટેશનના ધાડ લૂંટના ગુના છેલ્લા 14 વર્ષથી નાસતા...
દાહોદ: ગરબાડા તાલુકાના નેલસુર ગામની મુખ્ય પ્રાથમિક શાળા નો જર્જરિત ઓરડો તારીખ 21 ના સાંજના એકાએક ધરાશાયી થયો હતો. સદનસીબે આ ઘટનામાં...
વડોદરા : ગોત્રી પોલીસ મથકના પીઆઈ સુનીલ ચૌધરી પાસેથી ગર્ભશ્રીમંત રાજુ ભટ્ટ અને અશોક જૈનની બળાત્કારના ગુનાની તપાસ આંચકી લેવાઈ હતી. ક્રાઈમ...
જાંબુઘોડા : પાવાગઢ પોલીસે શિવરાજપુર પાસેના ટાઢોડિયા ગામે થી કતલ ના ઈરાદે લઈ જવાતા ૧૦ ગૌવંશ ને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસ...
વડોદરા : શહેરના ઓડનગર અને સમા વિસ્તારમાં બાલાજી ગ્રુપ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાની સ્કીમમાં ચેરિટી થઈ હોવાનો વિવાદ ચાલી રહ્યો છે અને...
વડોદરા : વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં વર્ષોથી એજન્સી ચલાવતા ડીજી નાકરાણી અને એમ.જે.સોલંકીના કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા 750 જેટલા વર્ગ- 3 અને...
વડોદરા : પાંચ વર્ષમાં ક્યારેય લગ્નજીવનનું સુખ માણી શકેલી નહીં શિક્ષિત પરિણીતાનો પતિ નંપુશક જણાયો હતો. દોઢ કરોડ દહેજ અને 1 કરોડના...
સુરત: કડોદરા – નિયોલ ચેક પોસ્ટ પાસે ફોર વ્હીલર (Car) ગાડીમાં મુંબઈથી મેફેડ્રોન નાર્કોટિક્સ ડ્રગ્સ (Drugs) નો જથ્થો આવી રહ્યો હોવાની બાતમી...
વડોદરા : વડોદરા શહેરના લહેરીપુરા ન્યુ રોડ ઉપર સુલતાનપુરાની સામે આવેલી વર્ષોજૂની રેશ્મા ટ્રેડર્સ નામની દુકાનમાં વહેલી સવારે આગ લાગતા અફરાતફરી મચી...
વડોદરા: વડોદરા શહેરમાં રસિકરણ વધારવાના પાલિકા મસ મોટા દાવાઓ કરે છે પરંતુ હકીકત એ છે કે પાલિકાના અણઘડ વહીવટને કારણે રસીકરણની ઝુંબેશને...
વડોદરા: ક્રિકેટની પ્રતિભા માટે વડોદરામાં કોઈ કમી નથી. બરોડામાં ઘણા સારા ખેલાડીઓ છે અને બરોડા જોઈન કરતા મને ખૂબ આનંદ થયો છે...
વડોદરા : વડોદરા શહેરના ખોડિયારનગર તરફથી એરપોર્ટ સર્કલ તરફ જવાના માર્ગે ગુરુવારે રાત્રે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો.આ માર્ગ પરથી પસાર થઈ રહેલી...
જ્યોર્જિયાના ભારત સ્થિત રાજદૂત (એમ્બેસેડર) આર્ચિલ ઝુલીઆશ્વિસીએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લીધી હતી, ત્યારે જ્યોર્જિયાના એમ્બેસેડરે ગુજરાત સાથે ખાસ કરીને...
કુદરતી આપદામાં પશુ મરે તો પણ ૫૦,૦૦૦ની જાહેરાત અને કોરોના કાળમાં સ્વજન ગુમાવનાર પીડિત પરિવારને પણ માત્ર ૫૦,૦૦૦નું વળતર એટલે પશુ અને...
કોરોના કાળમાં તમામ મોરચે નિષ્ફળ નીવડેલી ભાજપની પૂર્વ સરકારે પોતાની નિષ્ફળતાઓને છુપાવવા માટે વિધાનસભાનું ટૂંકું ચોમાસુ સત્ર બે દિવસ પૂરતું સીમિત કર્યું...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 17 કેસ નોંધાયા છે. બીજી તરફ 12 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં રીકવરી રેટ 98.76 ટકા...
ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ બનવાનો શ્રેય કચ્છના મહિલા ધારાસભ્ય ડૉક્ટર નીમાબેન આચાર્યને મળ્યો છે. જ્યારે ઉપાધ્યક્ષ પદ માટે કોંગ્રેસ તરફથી ડો....
આગામી તા.27 અને 28મી સપ્ટે. એમ દિવસ માટે વિધાનસભાનું ટૂંકુ ચોમાસુ સત્ર મળી રહ્યું છે. જેમાં વિપક્ષ દ્વારા કોરોના સહિત વિવિધ મુદ્દે...
સુરત: સુરત આવકવેરા વિભાગની DI વિંગ દ્વારા સુરત અને નવસારીની જાણીતી ડાયમંડ કંપનીના 20 સ્થળો પર કરવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન કરોડોની...
ગરમીથી રાહત મેળવવા માટે ઠંડાપીણાનો સહારો લેનાર એક યુવકને મોત મળ્યું છે. ચીનમાં આ ઘટના બની છે. અહીં એક યુવાન સખ્ત ગરમીથી...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી

જેને ગરબા કરતાં આવડતા નહી હોય તે ગુજરાતી નહી હોય. ગરબા અને ગુજરાત એકબીજાના પર્યાય બની ચૂક્યા છે પરંતુ ગત વર્ષે કોરોનાને કારણે રાજ્યમાં ગરબાના આયોજનો કરી શકાયા નહોતા. સરકારે શેરી ગરબાને પણ મંજૂરી આપી નહોતી. કોરોના વધે તેવી સંભાવનાને કારણે સરકારે અંકુશો રાખ્યા હતા પરંતુ આ વર્ષે કોરોનાના કેસ ઘટી જતાં અને વેક્સિનેશન મોટાપાયે થતાં આખરે ગુજરાત સરકારે રાજ્યમાં ગરબાઓ રમવા માટે મંજૂરી આપી દીધી છે. સરકારે જાહેર કર્યું છે કે આ વર્ષે શેરી ગરબા યોજી શકાશે પરંતુ ધંધાદારી આયોજનો કરી શકાશે નહીં. એટલે કે પાર્ટી પ્લોટ અને ક્લબમાં થતાં ગરબાના આયોજનો કરી શકાશે નહીં. સરકારે ગરબા માટે વધુમાં વધુ 400 લોકોની મર્યાદા જાહેર કરી છે. સરકારે ગરબા માટે કરફ્યુના સમયમાં પણ એક કલાકનો ઘટાડો કર્યો છે અને તેને કારણે આ વખતે ગુજરાતમાં જોરશોર સાથે શેરી ગરબા થશે.
પહેલા માત્ર ગુજરાતમાં અને ગુજરાતીઓ દ્વારા જ ગરબાઓ કરવામાં આવતા હતા પરંતુ બાદમાં ગુજરાતી જ્યાં પણ ગયા ત્યાં ગરબાને લઈ ગયા. દરેક શુભ પ્રસંગોની સાથે હવે રાજકારણીઓ પણ પોતાની પ્રચારયાત્રામાં ગરબાને જોડતા થઈ ગયા છે અને તેને કારણે ગરબામાં હવે ગુજરાતીઓની સાથે તમામ સમાજ જોડાવવા લાગ્યો છે. ગુજરાતમાં તો ઠીક પરંતુ મુંબઈમાં જ્યારે ગરબા થાય છે ત્યારે જાણે આખું ભારત ગરબામાં જોડાય છે. જેવી રીતે પંજાબમાં ભાંગડા સામાન્ય છે તેવી રીતે ગુજરાતમાં ગરબાનું મહત્વ છે. ગરબાને ધાર્મિકની સાથે ફિટનેસ તરીકે પણ જોડવામાં આવ્યા છે. ગરબા કરનાર વ્યક્તિની તંદુરસ્તી પણ અકબંધ રહેતી હોવાથી કેટલાક ખાસ ફિટનેસ માટે પણ ગરબા શીખતા અને કરતા હોય છે. સરકારે ગરબાને મંજૂરી આપીને ગુજરાતીઓની લાગણી જીતવા માટે મોટો પ્રયાસ કર્યો છે પરંતુ સાથે સાથે જે મૂળભૂત ડર છે તે કોરોનાના કેસ વધવાનો ડર પણ તેની સાથે રહેલો જ છે.
ગરબા થશે, મોટી સંખ્યામાં લોકો પણ તેમાં જોડાશે પરંતુ સાથે સાથે લોકોએ કોરોનાની ગાઈડલાઈનનું ધ્યાન પણ રાખવું પડશે. ગરબા કરવા માટે વેક્સિન લઈ લેવી જરૂરી છે. વેક્સિન લીધા હોય તે જ વ્યક્તિ ગરબા કરી શકે તેવો નિયમ નથી. સરકાર આવો નિયમ બનાવીને તેને પાળી શકે તેમ પણ નથી. લોકોએ જાતે જ કોરોનાથી બચવાનું રહેશે. શેરી ગરબાના આયોજનમાં પણ આયોજકોએ એ ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે શક્ય હોય ત્યાં સુધી કોરોનાની ગાઈડલાઈનને પાળવાનો પ્રયાસ કરવામાં આવે. કોરોનાના કેસ ઘટ્યા છે પરંતુ કોરોના જતો રહ્યો નથી. ગમે ત્યારે કોરોનાના કેસમાં ઉછાળો આવી શકે તેમ છે. બે-બે ડોઝ વેક્સિન લીધી હોય તો પણ કોરોના થઈ રહ્યો હોવાનો કેસ વધી રહ્યાં છે.
શક્ય છે કે વેક્સિન લીધી હોય તેને કારણે કોરોના ગંભીર રીતે થતો નથી પરંતુ કોરોના વાયરસ સતત બદલાતો રહેતો હોવાથી જોખમ લેવા જેવું નથી. સરકાર અને સાથે સાથે લોકો આ બાબતને ખાસ ધ્યાનમાં રાખે. સરકારે કોરોનાના કેસ ઘટી ગયા હોવાથી શેરી ગરબાને મંજૂરી આપી દીધી છે. સાથે સાથે દુર્ગાપૂજા, વિજ્યાદશમી ઉત્સવ, શરદપૂર્ણિમા ઉત્સવ જેવા આયોજનોને પણ 400 લોકોની મર્યાદામાં ઉજવવા માટે મંજૂરી આપી દેવામાં આવી છે પરંતુ ગરબાની સાથે આ તમામ તહેવારોમાં તકેદારી હવે લોકોએ જ રાખવાની રહેશે. લોકો સમજશે તો કોરોનાને કાબુમાં રાખી શકાશે અન્યથા કોરોનાની ત્રીજી લહેર દરવાજા પર દસ્તક દેતી ઊભી જ છે તે નક્કી છે.