Top News

More Posts

   The Latest

Most Popular

રાજ્યમાં દિવાળી પછી ધીમે ધીમે કોરોનાનું જોર વધી રહ્યું છે. રોજે રોજ નવા કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને અમદાવાદમાં કેસની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા વધુ 36 કેસ નોંધાયા છે. જ્યારે વલસાડમાં વધુ એક દર્દીનું મૃત્યુ નોંધાયું છે.

શુક્રવારે સૌથી વધુ અમદાવાદ મનપામાં 10 કેસ ઉપરાંત વડોદરા મનપામાં 8, નવસારીમાં 4, સુરત મનપામાં 3, આણંદ, જામનગર મનપા, મહેસાણામાં 2-2, ગાંધીનગર મનપા, કચ્છ, સાબરકાંઠા, સુરત ગ્રામ્ય, વલસાડમાં 1-1 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો થયો છે ને આંકડો 331 થયો છે. 5 દર્દીઓ વેન્ટિલેટર પર અને 326 દર્દીઓ સ્ટેબલ છે. વલસાડમાં વધુ એક દર્દીનું મૃત્યુ આંક વધીને 10,091 પર પહોંચ્યો છે. બીજી તરફ રાજ્યમાં શુક્રવારે વધુ 16 કોરોનાના દર્દીઓ સાજા થયા છે. આમ અત્યાર સુધીમાં કુલ 8,16,726 દર્દીઓ સાજા થયા છે.

વધુ 3,42,151 વ્યક્તિને રસી આપવામાં આવી
શુક્રવારે 08 હેલ્થ કેર વર્કર અને ફન્ટ લાઈન વર્કરને પ્રથમ ડોઝ અને 1,575ને બીજો ડોઝ જ્યારે 18-45 વર્ષ સુધીના 31,438ને પ્રથમ ડોઝ અને 2,17,802ને બીજો ડોઝ, તેવી જ રીતે 45 વર્ષથી વધુ ઉંમરના 10,821ને પ્રથમ ડોઝ અને 80,507ને બીજો ડોઝ મળી કુલ 3,42,151 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 7,65,69,351 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું છે.

To Top