ભારતીય નૌકાદળના ભૂતપૂર્વ આઠ કર્મચારીઓ કે જેઓ નિવૃત્ત થયા પછી કતારની એક ખાનગી સંરક્ષણ કંપનીમાં ઘણા ઊંચા પગારે નોકરી કરતા હતા. કતારની...
કાલોલ, તા.2બાકરોલ ગામે સર્વે નંબર ૧૬૭૭ની જમીન જે ફરિયાદી ધર્માભાઈ રવજીભાઈ ગોહિલના કાકા બળવંતસિંહ પુજાભાઇના દિકરા ગોહીલ લાલસિંહ બળવંતિસહના નામની સાથે ફરીયાદીની...
માનવજાતિના સાંસ્કૃતિક વિકાસની સમજ માટે સાહિત્ય ઉપયોગી છે. જેવી સમાજની પરિસ્થિતિ તે મુજબ સાહિત્યસર્જન થતું રહે છે. સાહિત્ય એ ચિત્ત કોષના તંતુઓને...
સામાન્ય માન્યતા પ્રમાણે વિદેશની પ્રજાને પ્રામાણિક અને કૌભાંડોથી મુકત ગણવામાં આવે છે. સમાચાર પ્રમાણે અમેરિકી પ્રમુખ બાઇડેનના પુત્ર હન્ટર પર નાણાંની ગેરરીતિનાં...
રસ્તા પર બેફામ ઝડપે કે ટ્રાફિક નિયમોની અવગણના કરી દોડતાં વાહનો દ્વારા થતાં હીટ એન્ડ રન એક્સિડન્ટ કેસમાં કેન્દ્ર સરકારે આકરી સજાની...
દાહોદ, તા.2દાહોદ તાલુકાના જેસાવાડા રોડ ઉપર નગરાળા ગામે ધમધમતો ઈંટો ના ભઠ્ઠો કોઈપણ પ્રકારની વહીવટી તંત્રની મંજૂરી વગર ચાલતો હોવાનું દાહોદના વહીવટી...
આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે, જેને અનુસંધાને ભાજપ અને વિપક્ષનાં દળો એમ બંને મોરચે જોરશોરથી તૈયારીઓ શરૂ થઈ હોય એવો માહોલ...
સરકાર કોઇ પણ પક્ષની, તેના નેતૃત્વ હેઠળ ચાલતી હોય, આ પત્રલેખકને કોઇ ગમો-અણગામો કે આંતરિક કોલાહલ નથી! તેમ છતાં નબળી નેતાગીરી, સ્વચ્છંદી...
લુણાવાડા, તા.7લુણાવાડા ખાતે સીએચઓની યુનિયનની બેઠક યોજાઇ હતી. જેમાં ડિસ્ટ્રીક્ટ બોડીની રચના કરવામાં આવી હતી.ગુજરાત સ્ટેટ સીએચઓ દ્વારા મહિસાગર જિલ્લાના સીએચઓની યુનિયન...
સેવાલિયા, તા.7ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના મેનપુરા ઞામેથી પસાર થઇ રહેલા અમદાવાદ ઇન્દોર હાઈવે ઉપર છેલ્લા કેટલાક સમયથી સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં જોવા...
ગિરનાર દૂરદર્શન પરથી દરરોજ સાંજે 6.30થી 7 સહ્યાદ્રિ દૂરદર્શન યોજિત તરાને પુરાને (જૂની ફિલ્મોનાં લોકપ્રિય ગીતો)નો કાર્યક્રમ રીલે થાય છે. કયારેક તો...
આણંદ તા.7વડતાલધામ શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવ ઉપક્રમે વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે સફલા એકાદશીનાએ શ્રી સ્વામિનારાયણ મહામંત્રના રરરમા પ્રાગટય દિનની ધામધૂમથી ઉજવણી કરવામાં...
નડિયાદ તા.7નડિયાદમાં દિવસ-રાત ધમધમતો એવા વાણીયાવાડ ક્રોસિંગ પાસે ટ્રાફિક સિગ્નલ કાર્યરત કરાયા છે. ટ્રાફિકનુ ભારણ ઘટાડવા અને આ વિસ્તારમાં યોગ્ય રીતે ટ્રાફિક...
એક દિવસ યુધિષ્ઠિરને નાના ભાઈ નકુલે પૂછ્યું, ‘ભ્રાતાશ્રી જીવનમાં આપણે એવું તે શું કરવું જોઈએ જેનાથી આપણે બધાના પ્રિય થઇ જઈએ?’ યુધિષ્ઠિર...
નવેમ્બર, 2019માં સર્વોચ્ચ અદાલતની કોન્સ્ટિટ્યુશન બેન્ચ દ્વારા અયોધ્યા ખાતે રામ જન્મભૂમિ બાંધવાની મંજૂરી આપવામાં આવી તે પછીના ચાર વરસમાં યોગી અને મોદી...
અમેરિકા મધ્ય-પૂર્વમાં તણાવને શાંત કરવા માટે નવેસરથી રાજદ્વારી પગલાં લઈ રહ્યું છે કારણ કે લેબનોનમાં હમાસના નેતા પર શંકાસ્પદ ઇઝરાયેલી સ્ટ્રાઇકથી માંડી...
બલૂચિસ્તાનની સ્વતંત્રતાની માંગ 1947થી સ્વીકારવામાં આવતી નથી. બ્રિટિશ શાસન દરમિયાન આખા વિસ્તારમાં ચાર રજવાડાં હતાં અને એક વિસ્તાર ચીફ કમિશનર હેઠળ હતો....
સુરત: (Surat) અઠવાગેટ પાસે બ્લુ બસમાં ચડતી વખતે એક મહિલાનો હાથ બસના (Bus) દરવાજામાં ફસાઈ ગયો હતો. જેથી મહિલાને હાથમાં ઈજા પહોંચી...
બીલીમોરા: (Bilimora) બીલીમોરા ખાડા માર્કેટ નજીક વિઠ્ઠલનગર સોસાયટીમાં શનિવારે રાત્રે તસ્કરોએ (Thief) 6 બંધ મકાનને નિશાન બનાવતા ચકચાર મચી હતી. બે મકાનોનાં...
વાપી: (Vapi) ઉમરગામ તાલુકામાં 16 બંધ મકાનના તાળા તોડી ચોરી (Theft) કરનારી ગેંગને વલસાડ જિલ્લા એલસીબીએ (LCB) પકડી પાડતા 9 ગુના ડિટેક્ટ...
અફઘાનિસ્તાન (Afghanistan) સામે 11 જાન્યુઆરીથી શરૂ થનારી ત્રણ મેચની T20 શ્રેણી માટે આખરે રવિવારે સાંજે ભારતીય ટીમની (Indian Team) જાહેરાત કરવામાં આવી...
વલસાડ: (Valsad) વલસાડ જિલ્લાના કપરાડા, ધરમપુર વન વિભાગના (Forest Department) અધિકારીઓ અને ડબલ્યુસીસી મુંબઈની સંયુક્ત ટીમે કપરાડા- નાશિક માર્ગ ઉપર દિક્ષલ ગામ...
ઝઘડિયા, ભરૂચ: (Bharuch) ઝઘડીયા GIDCમાં ટેન્જેન્ટ સાયન્સ કંપનીમાં (Company) રવિવારે નાઇટ્રિક એસિડની ટેન્ક નજીક રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી, તે વેળા ટેન્કમાંથી...
નવી દિલ્હી: (New Delhi) ભારે ઠંડી અને હિમવર્ષા વચ્ચે મધ્યરાત્રિએ ભારતીય વાયુસેનાએ (Indian Air Force) પાકિસ્તાન અને ચીન બંનેને એક સાથે ચોંકાવી...
માલદીવ સરકારે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે ‘અપમાનજનક’ ટિપ્પણી કરવા બદલ મરિયમ શિઉના સહિત તેના ત્રણ પ્રધાનોને સસ્પેન્ડ કર્યા છે. માલદીવના...
મુંબઇ: અભિનેત્રી નયનતારાની ફિલ્મ ‘અન્નપૂર્ણાની’ના નિર્માતાઓ પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેમજ મુંબઈ પોલીસે આ મામલે ફિલ્મના નિર્માતાઓ...
અયોધ્યા: (Ayodhya) 22 જાન્યુઆરીને લઈને સુરક્ષા એજન્સીઓ (Security Agencies) એલર્ટ છે. રાજ્યની (Uttar Pradesh) એજન્સીઓ ઉપરાંત કેન્દ્રીય એજન્સીઓએ પણ જિલ્લામાં ધામા નાખ્યા...
અમદાવાદ: આજથી ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024નો (International Kite Festival 2024) થયો છે. જેનો અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ (Sabarmati Riverfront) ખાતે આજે સવારે...
નવી દિલ્હી: મધ્યપ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે (BJP) મોટી જીત નોંધાવી છે. જ્યારે કોંગ્રેસને (Congress) જોરદાર હારનો સામનો કરવો પડ્યો છે. પરંતુ હાર...
પંજાબ ફરી હારી ગયું, RCB શાનદાર વિજય સાથે પ્લેઓફ માટે ક્વોલિફાય થયું
કેરળ: વીડી સતીસન કાલે સવારે 10 વાગ્યે CM પદના શપથ લેશે
યુક્રેને રશિયા પર 1,000 ડ્રોનથી હુમલો કર્યો, સેમિકન્ડક્ટર પ્લાન્ટ, ઓઇલ રિફાઇનરીને નિશાન બનાવ્યું
અમેરિકા WHOથી અલગ થયું, ટ્રમ્પ સરકારનો ગંભીર આરોપ, કહ્યું- અબજો ડોલરનું નુકસાન કરાવ્યું
સંજય દત્તની ફિલ્મ રાષ્ટ્રપતિ ભવનમાં પ્રદર્શિત થશે, UAE માં પ્રતિબંધ મુકવા મામલે વિવાદ
યુકેની રાજનીતિમાં મોટો ભૂકંપ! કીર સ્ટાર્મર ટૂંક સમયમાં આપી શકે રાજીનામું
સોના-ચાંદીમાં મોટો કડાકો: સોનું 1000 અને ચાંદી 4500 સસ્તી, ગોલ્ડ ઇમ્પોર્ટ વધ્યો છતાં બજારમાં મંદી
રજનીકાંતે મૌન તોડ્યું: CM વિજય પ્રત્યે ઈર્ષ્યાનો ઇનકાર કર્યો, સ્ટાલિન સાથે મુલાકાત અંગે કહી આ વાત
અબુ ધાબીના બરાકાહ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર ડ્રોન હુમલો, આગથી ભય ફેલાયો
દિલ્હીમાં મહિલાઓ માટે સારા સમાચાર: સ્ટાર્ટઅપ્સને હવે વગર ગેરંટી 10 કરોડ સુધીની લોન મળશે
પેન્ડિંગ કેસો ઘટાડવા સુપ્રીમ કોર્ટમાં હવે 38 જજ: 4 નવા ન્યાયાધીશોની નિમણૂકને રાષ્ટ્રપતિની મંજૂરી
ગુજરાતમાં બનશે સુપરચિપ્સ! નેધરલેન્ડની ASML સાથે ભારતની મેગા ડીલથી ચીન ટેન્શનમાં
રતલામ પાસે રાજધાની એક્સપ્રેસમાં ભીષણ આગ, તમામ મુસાફરોનો સુરક્ષિત બચાવ, 8 ટ્રેનોના સમયપત્રક ખોરવાયા
વધુ એક LPG ટેન્કર હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને ભારત પહોંચ્યું: 20,000 ટન LPG લઈ કંડલા પોર્ટ પર આવ્યું
ઇઝરાયલે હમાસના લશ્કરી વિંગના વડાની હત્યા કરી, 7 ઓક્ટોબરના હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો
રશિયાની રિફાઇનરીમાં ભીષણ આગ, વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ઉછળવાની આશંકા
નેધરલેન્ડથી ભારત પરત આવ્યા 1000 વર્ષ જૂના ચોલ તામ્રપત્ર, PM મોદીએ કહ્યું, ગર્વની ક્ષણ
સુપરસ્ટાર્સ વગર રમત આગળ વધી શકે નહીં’, ગૌતમ ગંભીરની વિચારધારાથી અલગ બોલ્યા રાહુલ દ્રવિડ
મમતા સરકારની ઓળખ હટાવવા ભાજપ એક્શનમાં, બિસ્વ બાંગ્લાની લોગોની જગ્યાએ અશોક સ્તંભ લગાવાયો
ડાયમંડ ઉદ્યોગ ને વેગ આપવા અનોખો પ્રયાસ,જૂના હીરાઓની ભારત વાપસી
ગુજરાતમાં જનગણનાનો મહાઅભિયાન શરૂ, હવે લોકો જાતે પણ ઓનલાઈન આપી શકશે માહિતી
અમેરિકાની સૌથી વ્યસ્ત રેલ સેવા LIRRમાં 30 વર્ષ બાદ ઐતિહાસિક હડતાલ
“તેમણે દેશના યુવાનોનું અપમાન કર્યું”, CJI સૂર્યકાંતના નિવેદન પર અભિનેત્રી કુનિકા સદાનંદ ભડક્યાં
ઈટાલીમાં ભયાનક ઘટના, કાર ફૂટપાથ પર ચઢાવી લોકો પર હુમલો,
ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રીના સંકેત
“સંકટ નહીં થમે તો કરોડો લોકો ફરી ગરીબીમાં ધકેલાઈ જશે”
વડોદરામાં હિટ એન્ડ રનની ભયાનક ઘટના, NH-48 પર કાર ચાલકે એક્ટિવા સવાર બે મિત્રોને 300 ફૂટ સુધી ફંગોળ્યા
તમિલનાડુના CM વિજયનો મોટો નિર્ણય
દેવભૂમિ દ્વારકાધીશ મંદિરમાં પુરૂષોત્તમ અધિક જેઠ માસનો ભવ્ય મહોત્સવ શરૂ
ઉત્તર પ્રદેશમાં ‘રીલબાજ’ પોલીસ કર્મીઓ સામે કડક કાર્યવાહી
ભારતીય નૌકાદળના ભૂતપૂર્વ આઠ કર્મચારીઓ કે જેઓ નિવૃત્ત થયા પછી કતારની એક ખાનગી સંરક્ષણ કંપનીમાં ઘણા ઊંચા પગારે નોકરી કરતા હતા. કતારની સરકારને લાગ્યું કે તેઓ ઇઝરાયેલને ખાનગી માહિતીઓ આપતા હતા. એટલે એમને આઠ જણને જાસૂસ તરીકે ગણીને કતારની એક કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી. ભારત સરકારની શરમ અને દરમ્યાનગીરીથી એ આઠેયને ફાંસીની સજામાંથી મુકિત આપીને ત્રણ વર્ષથી માંડીને પચીસ વર્ષ સુધીની સજા કરવાના અહેવાલો બહાર આવ્યા છે.
આ સજામાંથી હવે કતારની એ એપેલેટ કોર્ટ ફરીથી વિચારીને આવી સજામાં કશોક ઘટાડો કરે છે કે કેમ એ જોવાનું રહ્યું. હવે સવાલ એ ઊઠે છે કે આ નૌકાદળના નિવૃત્ત અધિકારીઓ કતારમાં ભલે નોકરી કરતા હતા. પણ એમને આવી કતાર જેવા મુસ્લિમ રાષ્ટ્રની જાસૂસી કરવાનું એમને કોણે કહ્યું હતું? શું ભારતના જાસૂસી ખાતાએ એમને આવી જાસૂસી કરવાનું કહ્યું હતું? કે પછી વધુ પૈસા મેળવવાની લાલચે એ અધિકારીઓ ભારતની જાણ બહાર જાસૂસી કરતા હતા? કતારમાં નોકરી કરનારાઓને ત્યાંના કાયદાઓનું શું ભાન નહિ હોય?
અન્ય દેશ સાથે જોડાઇને જાસૂસી કરવાની હિંમત જ આ ભારતીય માજી નૌકાદળના અધિકારીઓને કઇ રીતે આવી? કે પછી માત્ર કશીક ધડમાથા વગરની માહિતીને આધારે શંકાના દાયરામાં ખડા કરીને આવી સજા ફટકારવામાં તો નથી આવી ને? ખબર છે ને કે એક ભારતીય યુવાન જાદવને જાસૂસ સમજીને પાકિસ્તાન સરકારે એના તાબામાં કેદ નથી કરીને રાખેલો? વાત એમ જ છે કે ખાસ કરીને મુસ્લિમ રાષ્ટ્રોમાં ગુનાઓ સબબ ખૂબ જ આકરી સજાઓ થતી હોય છે. માટે ત્યાં ભારત જેવા દેશમાંથી નોકરીએ જનારી વ્યકિતઓએ ખૂબ જ સંભાળીને ત્યાં રહેવું જોઇએ. પેલા આઠ અધિકારીઓ જો ખરે જ નિર્દોષ હોય તો હજુ પણ ભારત સરકારે કતારના શેખ સાથે નમ્ર ભાવે ચર્ચા કરીને એમને છોડાવીને ભારત પરત લાવવા થાય એટલું કરી છૂટવું જોઇએ.
સુરત – બાબુભાઇ નાઇ .આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.