Latest News

More Posts

તહેવારોને લઇ રેલવે એસપી સરોજકુમારીએ થાણા અમલદારો સાથે શાંતિ સમિતિની બેઠક યોજી

રેલવે સ્ટેશન વિસ્તારમાં ફુટ પેટ્રોલિંગ કરાયું, અનિચ્છનીય બનાવ ના બને તેની તકેરદારી રાખવા સુચના

પ્રતિનિધિ વડોદરા તા.11

હાલમાં ચાલી રહેલા ગણેશોત્સવ તથા આગામી ઇદ-એ-મિલાદના તહેવાર અન્વયે પશ્ચિમ રેલ્વે પોલીસ વડોદરાના પોલીસ અધિક્ષક સરોજ કુમારી દ્વારા કાયદો અને વ્યવસ્થા સબંધે જરૂરી આગોતરા પગલા લેવામાં આવ્યા છે. જેમાં કેટલાક પોલીસ સ્ટેશન સંવેદનશીલ છે અને અવરજવર પણ વધુ રહેતી હોય કોઇ અનિચ્છનીય બનાવ ના બને માટે ફુટ પેટ્રોલિંગ સાથે વાહનો સહિતની જગ્યા પર ચેકિંગ કરવા માટેની સૂચના આપી હતી .જેના આધારે પોલીસ દ્વારા રેલવે સ્ટેશન વિસ્તારમાં ચેગિંક કરાયું હતું.

        પશ્ચિમ રેલ્વે પોલીસ યુનિટ વડોદરા હસ્તકમાં 10 પોલીસ સ્ટેશનો આવેલા છે. જેમાં વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ, વાપી, આણંદ, નડિયાદ, ગોધરા, દાહોદ, ડભોઇ રેલ્વે પોલીસ સ્ટેશનો સમાવેશ છે. આ પૈકી ઘણા પોલીસ સ્ટેશનો સંવેદનશીલ છે અને મુસાફરોની અવર-જવર પણ વધુ રહેતી હોય છે. હાલમાં હિંદુ ધર્મનો તહેવાર ગણપતિ ઉત્સવ ચાલી રહ્યો છે અને આગામી સમયમાં ગણપતિનું વિસર્જન થનાર છે. તેમજ નજીકના સમયમાં મુસ્લીમ સમાજનો ઇદ-એ-મિલાદનો તહેવાર પણ આવી રહ્યો છે. જેને ધ્યાનમાં લઇને કાયદો અને વ્યવસ્થા ન જોખમાય અને કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે હેતુથી પશ્ચિમ રેલ્વે પોલીસ યુનિટ વડોદરાના પોલીસ અધિક્ષક સરોજ કુમારીએ તાબાના તમામ પોલીસ સ્ટેશનોમાં થાણા અમલદારઓને જરૂરી સુચનો કરી શાંતી સમિતીની બેઠકો યોજવામાં આવી હતી. ઉપરાંત તકેદારીના ભાગરૂપે થાણા અમલદારઓને પોલીસ કર્મચારીઓને સાથે રાખી પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્ર વિસ્તારમાં ફુટપેટ્રોલીંગનું આયોજન કરવામાં આવ્યુ હતું તેમજ રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવતા જતાં વાહનોનું સઘન ચેકીંગ પણ હાથ ધરાયું હતુ. કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે સબંધે જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.

To Top