National

કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ કોરોના પોઝિટિવ, દિલ્હીના મુખ્ય પ્રધાન પણ થયા હોમ આઇસોલેટ

દિલ્હીના મુખ્ય પ્રધાન (DELHI CM) અરવિંદ કેજરીવાલ(ARVIND KEJRIWAL)ની પત્ની (WIFE) સુનીતા કેજરીવાલ કોરોના પોઝિટિવ થઇ છે. પત્ની કોરોના પોઝિટિવ (CORONA POSITIVE) થયા પછી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ પોતાને હોમ આઇસોલેટ (HOME ISOLATE) કરી દીધા છે. 

મળતી માહિતી મુજબ અરવિંદ કેજરીવાલની પત્ની સુનિતાએ પણ પોતાને આઇસોલેટ કરી દીધી છે. જ્યારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ખુદ હોમ આઇસોલેટ થઇ ગયા છે. અરવિંદ કેજરીવાલને ગયા વર્ષે જૂનમાં પણ કોરોના સંબંધિત કેટલીક ફરિયાદો હતી, જોકે તેમનો અહેવાલ નેગેટિવ આવ્યો હતો. દિલ્હીની વર્તમાન પરિસ્થિતિ વચ્ચે અરવિંદ કેજરીવાલ સતત સક્રિય છે અને બેઠકો સાથે ઘણી જગ્યાએ મુલાકાત પણ લઈ રહ્યા છે.

દિલ્હીમાં હાલત વણસી રહી છે
તમને જણાવી દઇએ કે પાટનગર દિલ્હીમાં કોરોના ચેપ સતત ફેલાઈ રહ્યો છે અને હવે દરરોજ રેકોર્ડ કેસ નોંધાઈ રહ્યા છે. પાછલા દિવસે પણ આશરે 23 હજાર કોરોના કેસ દિલ્હીમાં નોંધાયા હતા. હોસ્પિટલોમાં પથારીની અછતને કારણે દરરોજ દિલ્હીમાં હજારો કોરોના કેસ આવી રહ્યા છે, જ્યારે ઓક્સિજનની પણ અછત વર્તાય રહી છે. હવે રાજ્ય સરકાર દ્વારા હંગામી હોસ્પિટલો બનાવવામાં આવી રહી છે અને પથારીની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે.

કોરોના વાયરસ સંકટને કારણે દિલ્હીમાં એક અઠવાડિયાનું લોકડાઉન લાગુ કરાયુ છે. જે 26 એપ્રિલના રોજ સવારે 5 વાગ્યા સુધી ચાલુ રહેશે. 

Most Popular

To Top