National

જંતર-મંતર વિરોધ પ્રદર્શન મામલે SC એ તપાસ સમિતિની રચના કરી: બળપ્રયોગના આરોપોની તપાસ કરાશે

જંતર-મંતર પર ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) ના પ્રદર્શનકારીઓ પર બળપ્રયોગના આરોપોની તપાસ માટે સુપ્રીમ કોર્ટે પાંચ સભ્યોની ઉચ્ચ-શક્તિવાળી સમિતિની રચના કરી છે. સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ આર. સુભાષ રેડ્ડીને સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી પોલીસ કાર્યવાહીની કોર્ટ-નિયંત્રણમાં તપાસની માંગ કરતી સુપ્રીમ કોર્ટમાં અરજીઓ દાખલ થયા બાદ આ સમિતિની રચના કરવામાં આવી હતી.

તેમના ઉપરાંત સમિતિમાં પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ રવિશંકર ઝા, દિલ્હી હાઇકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ શાલિન્દર કૌર, સીબીઆઈના ભૂતપૂર્વ ડિરેક્ટર ઋષિ કુમાર શુક્લા અને નિવૃત્ત મેઘાલય ડીજીપી ડૉ. એલ.આર. બિશ્નોઈનો સમાવેશ થાય છે.

આરોપો મુકવામાં આવ્યા છે કે વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે અતિશય બળપ્રયોગ જેમાં પેલેટ ગન, લાઠીચાર્જ અને ટીયર ગેસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મહિલા પ્રદર્શનકારીઓ પર હિંસા અને ભીડ નિયંત્રણની અયોગ્ય પદ્ધતિઓ અંગે પણ આરોપ મૂકવામાં આવ્યા હતા. 20 જુલાઈના રોજ CJP સમર્થકોએ જંતર-મંતરથી સંસદ સુધી કૂચ કરી હતી. આ ઘટના દરમિયાન જ પોલીસ કાર્યવાહી થઈ હતી.

દિલ્હી પોલીસે માર્ચ ગેરકાયદેસર હોવાનું જણાવ્યું
મંગળવારે દિલ્હી પોલીસે સુપ્રીમ કોર્ટને જાણ કરી કે 20 જુલાઈના રોજ સંસદ કૂચ ગેરકાયદેસર હતી અને તેની પરવાનગી નહોતી. ગુનાહિત રેકોર્ડ (હિસ્ટ્રી-શીટર્સ) ધરાવતા ઘણા વ્યક્તિઓ પણ વિરોધમાં જોડાયા હતા. પોલીસે જણાવ્યું હતું કે માર્ચ દરમિયાન વિરોધીઓએ બેરિકેડ તોડી નાખ્યા હતા અને પોલીસ કર્મચારીઓ પર હુમલો કર્યો હતો જેનાથી વિરોધના શાંતિપૂર્ણ સ્વરૂપને ખલેલ પહોંચી હતી. પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે બળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો પરંતુ વધુ પડતો નહીં.

Most Popular

To Top