Vadodara

લાલબાગ બ્રિજ પાસે રાહદારીને એસ.ટી.બસે અડફેટે લેતા મોત

વડોદરા: લાલબાગબ્રિજ પાસે રોડ ક્રોસ કરતા રાહદારીને એસટી બસ અડફેટમાં લેતા ફુટબોલની જેમ ફંગોળાઈને નીચે  પટકાયો હતો. યુવાનનું સયાજી હોસ્પિટલમાં કરૂણ મોત નિપજયું હતું. બારડોલીથી મોડાસા જતી બસના ચાલકે રાહદારી હિતેશ રાણાને (રહેવાસી :- ગણેશનગર, તુલસીવાડી, ફતેપુરા) અડફેટમાં લેતા ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ હતી. અકસ્માત એટલે કરૂણ હતો કે, 30 વર્ષીય યુવાનના પગ ઉપર બસના તોતિંગ ટાયર ફરી વળતા લોહીના ખાબોચીયામાં ઘટનાસ્થળે જ બેભાન થઈ ગયો હતો. ભરબપોરે સર્જાયેલા અકસ્માતના પગલે ટ્રાિફક જામ થઈ ગયો હતો.

તુરંત પોલીસને જાણ કરવામાં આવતા ઈજાગ્રસ્તને એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે એસએસજીમાં ખસેડવામાં આવ્યો હતો. શરીર પર ગંભીર ઈજાઓના થવાના કારણે લોહી પુષ્કળ પ્રમાણમાં વહી ગયું હતું. તબીબોએ તુરંત સારવાર હાથ ધરતા ટુંક સમયમાં જ જુવાનજોધ હિતેશ રાણા મોતને ભેટયો હતો. શહેરમાં મર્યાદિત ગતિમાં ભારદારી વાહન ચલાવવાના બદલે પુરઝડપે વાહન હંકારતા ચાલકોને નાના વાહન અને રાહદારીઓના જીવની લેશમાત્ર િચંતા થતી નથી અને નિર્દોષોનો ભોગ લેવામાં આવે છે.

Most Popular

To Top