National

સિક્કિમની ધરા ધ્રુજી, બિહાર સુધી આંચકા અનુભવાયા, આટલી હતી તીવ્રતા

નવી દિલ્હી: સિક્કિમમાં (Sikkim) આજે શુક્રવારે સવારે 6.57 કલાકે ભૂકંપના (Earthquake) આંચકા અનુભવાયા હતા. તેમજ રિક્ટર સ્કેલ (Richter scale) પર તેની તીવ્રતા 4.4 આંકવામાં આવી હતી. જો કે ભૂકંપનું કેન્દ્ર સિક્કિમમાં હોવા છતાં તેના આંચકા બિહારમાં પણ અનુભવાયા હતા. અસલમાં બિહારના કિશનગંજમાં અનેક લોકોએ ભૂકંપનો આંચકા અનુભવ્યા હતા.

ઘટનાની વિગતો મુજબ ભૂકંપનું કેન્દ્ર પશ્ચિમ બંગાળના સિલીગુડીની ખૂબ નજીક હતું. આવી સ્થિતિમાં ભૂકંપની અસર ભારતમાં પશ્ચિમ બંગાળ અને બિહારમાં પણ જોવા મળી હતી. તે જ સમયે નેપાળ અને ભૂટાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે ભૂકંપની તીવ્રતા વધુ ન હોવાના કારણે જાન-માલનું બહુ નુકશાન થયું નથી. આમ છતા ચોમાસા દરમિયાન પર્વતીય વિસ્તારોમાં ભૂકંપને કારણે ભૂસ્ખલનનું જોખમ વધી જાય છે. તેમજ ભૂસ્ખલન મોટા વિનાશનું કારણ બની શકે છે.

ભૂકંપ શા માટે થાય છે?
હાલના સમયમાં દેશ અને દુનિયાના ઘણા વિસ્તારોમાં ભૂકંપની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. વાસ્તવમાં, આપણી પૃથ્વીની અંદર 7 ટેકટોનિક પ્લેટો છે. આ પ્લેટો તેમની જગ્યાએ સતત ફરતી રહે છે. જો કે, ક્યારેક સંઘર્ષ અથવા ઘર્ષણ થાય છે. આ કારણથી ધરતીની સપાટી ઉપર ભૂકંપ આવે છે.

દર વર્ષે વિશ્વમાં લગભગ 20 હજાર ભૂકંપ આવે છે.
દર વર્ષે વિશ્વમાં લગભગ 20 હજાર ભૂકંપ આવે છે પરંતુ તેની તીવ્રતા એટલી વધુ હોતી નથી કે લોકોને મોટું નુકસાન થાય. ત્યારે રાષ્ટ્રીય ધરતીકંપ માહિતી કેન્દ્ર આ ભૂકંપોને રેકોર્ડ કરે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, 20 હજારમાંથી માત્ર 100 ભૂકંપ એવા છે જે નુકસાન પહોંચાડે છે. ઇતિહાસમાં સૌથી લાંબો સમય ચાલતો ભૂકંપ હિંદ મહાસાગરમાં 2004માં આવ્યો હતો. આ ભૂકંપ 10 મિનિટ સુધી અનુભવાયો હતો.

રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતાનો અંદાજ કેવી રીતે લગાવી શકાય?

  • 0 થી 1.9 સિસ્મોગ્રાફથી માહિતી મેળવવામાં આવે છે.
  • 2 થી 2.9 બહુ ઓછા કંપન દર્શાવે છે
  • 3 થી 3.9 એવું જણાશે કે જાણે કોઈ ભારે વાહન ત્યાંથી પસાર થયું હોય
  • 4 થી 4.9 ઘરમાં રાખેલી વસ્તુઓ તેમની જગ્યાએથી નીચે પડી શકે છે.
  • 5 થી 5.9 ભારે વસ્તુઓ અને ફર્નિચર પણ ખસેડી શકે છે
  • 6 થી 6.9 બિલ્ડિંગના પાયામાં તિરાડ પડી શકે છે
  • 7 થી 7.9 ઈમારતો ધરાશાયી
  • 8 થી 8.9 સુનામીનો ભય, વધુ તબાહીની સંભાવના

Most Popular

To Top