Vadodara

પ્રબોધ જીવન સ્વામી જૂથના સંતો પર બહાર નિકળવા પર પાબંદી?

વડોદરા: સોખડા હરિધામ મંદિરનો વિવાદ વધુને વધુ વકરી રહ્યો છે ત્યારે વલ્લભ સ્વામી દ્વારા બનાવેલી સલાહકાર સમિતિમાંથી પ્રબોધ સ્વામી જૂથના સંતોની બાદબાકીને લઈ વકરેલો વિવાદ હવે પ્રબોધ જીવન સ્વામીના સંતોની મંદિર બહાર  નીકળવાની સુધી પહોંચી ગયો હોવાનું જાણવા મળી છે આ ઉપરાંત બંને જૂથના હરિભક્તો વચ્ચે વર્ચસ્વ વધારવા શક્તિ પ્રદર્શન  કરવામાં આવી રહ્યા છે. હરિધામ સોખડા મંદિરનો ચાલતો ગાદી માટેનો ગજગ્રાહ ચરમસીમાએ પહોંચ્યો છે પ્રબોધ જીવન સ્વામીનું કદ ન વધે તે માટે પ્રેમ સ્વરૂપ સ્વામી જૂથ દ્વારા તમામ જોર લગાવાઈ રહ્યું હોવાની વાતો શરૂ થઈ છે પ્રબોધ જીવન સ્વામીના  જૂથના 22 સંતોના રાજીનામાં  લઈ લેવાનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં પ્રભુ જીવન સ્વામી જૂથના સંતોને મંદિરની બહાર નિકળવા પર પાબંધી લગાવી દેવાઈ હોવાની ચર્ચાએ પણ પણ જોર પકડ્યું છે.

જાણવા મળ્યા મુજબ આણંદ ખાતે હોસ્પિટલના ઉદઘાટન માટે સંચાલકે પ્રબોધ જીવન સ્વામી, સંતોષ સ્વામી તથા ગુરૂપ્રસાદ સ્વામીને નિમંત્રણ આપ્યું હતું પરંતુ પ્રબોધ જીવન સ્વામી નું વર્ચસ્વ વધી ન જાય તેને ધ્યાને રાખી ત્રણેય સંતો ને મંદિરમાંથી બહાર નીકળવા દેવાયા ન હોવાની ચર્ચાઓ હરિભક્તોમાં જોર પકડી રહી છે પ્રબોધ જીવન સ્વામી જૂથના સંતો પર પાબંધી લગાવાઈ રહી હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે બીજી તરફ બંને જૂથો પોતપોતાના વર્ચસ્વ માટે શક્તિ પ્રદર્શન પણ કરી રહ્યા છે કરજણમાં પ્રેમ સ્વરૂપ સ્વામી જૂથ દ્વારા મૂર્તિ પ્રતિષ્ઠા નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને પોતાની શક્તિ બતાવવાનો પ્રયાસ કર્યો હતો જ્યારે પ્રબોધ જીવન સ્વામી જૂથે પણ પોતાની તાકાત બતાવતા લાંભવેલ ખાતે ભવ્ય કાર્યક્રમ કર્યો હતો આમ સોખડાની ગાદી માટે બે  મોટા સંતોના જૂથો અને હરિભક્તો વચ્ચે શક્તિના પારખા થઈ રહ્યા છે વર્ચસ્વની લડાઈમાં વિવાદ પણ ચરમસીમાએ પહોચી રહ્યો છે અને આવનાર સમયમાં વિવાદની આગ વધુ વિકરાળ બનવાની આશંકા છે.

Most Popular

To Top