Top News

More Posts

   The Latest

Most Popular

અમદાવાદ: (Ahmedabad) વાયદાઓની ભાજપા (BJP) સરકાર છેલ્લા ૨૫ વર્ષથી ગુજરાતમાં (Gujarat) સત્તા સ્થાને હોવા છતાં ગુજરાતની જનતાને અન્યાય કરી રહી છે. પ્રદેશ કોંગ્રેસ મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડો. મનિષ દોશીએ આ વાત કરી હતી. દોશીએ કહ્યું હતું કે રાજસ્થાનમાં નવા વર્ષની ભેટ તરીકે ૪૫૦ રૂ.ના એલ.પી.જી. ગેસ સિલિન્ડરની (Gas Cylinder) જાહેરાતો કરાઈ રહી છે. બીજી બાજુ ગુજરાતમાં ૨૫ વર્ષથી સત્તા સ્થાને બેઠેલી ભાજપા ગુજરાતના લાખો પરિવારોને મોંઘવારીમાં રાહત આપવાનું વિચારતી નથી અને ગુજરાતના ૬૧,૩૫,૪૮૭ ગેસ કનેક્શન ધારકોને મોંઘા ગેસ સીલીન્ડર ખરીદવા મજબુર કરી રહી છે. બેફામ મોંઘવારીમાં પીસાતી ગુજરાતની જનતાને ભાજપા સરકાર અન્યાય કરી રહી છે.

પ્રદેશ કોંગ્રેસ મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું કે રાજસ્થાનમાં નવા વર્ષની ભેટ તરીકે ૪૫૦ રૂ. ના એલ.પી.જી. ગેસ સીલીન્ડરની જાહેરાતો કરાઈ રહી છે. બીજી બાજુ ગુજરાતના ગેસ કનેક્શન ધારકોને મોંઘા ગેસ સીલીન્ડર ખરીદવા મજબુર કરીને ગુજરાતને અન્યાય કરી રહી છે. પેટ્રોલ-ડીઝલ-ગેસ સહિત ખાદ્ય ચીજવસ્તુઓના સતત વધતા જતા ભાવના કારણે ગરીબ-સામાન્ય-મધ્યમવર્ગને જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે.

ડો. મનિષ દોશીએ વધુમાં કહ્યું હતું કે ભાજપા સરકાર સત્તા મેળવવા માટે રાજસ્થાનમાં ૪૫૦ રૂ. ગેસ સીલીન્ડર આપી શકતી હોય તો ગુજરાતમાં છેલ્લા ૨૫ વર્ષથી સત્તામાં રહેલી ભાજપા ગુજરાતના નાગરિકોને કેમ અન્યાય કરી રહી છે? ગુજરાતમાં ઉજવલા યોજના હેઠળ ૪૦ લાખ ગેસ કનેક્શનમાંથી ૩૫ ટકા એટલે કે ૧૪ લાખ જેટલા ઉજવલા ગેસ કનેક્શન ધારકો પુનઃ ગેસ સીલીન્ડર ભરાવી શકતા નથી. ગરીબી રેખા નીચે જીવતા પરિવારોની સંખ્યામાં સતત વધારો થતો જાય છે. સરકારના આંકડા મુજબ ગુજરાતમાં ૫૪ ટકા કરતા વધુ પરિવારો ગરીબી રેખા નીચે જીવન પસાર કરી રહ્યાં છે અને બિનસરકારી આંકડો તેનાથી પણ વધુ છે. આવક સતત ઘટતી જાય છે. મોંઘવારીની માર વચ્ચે ખર્ચા સતત વધતા જાય છે ત્યારે ગુજરાતના નાગરિકો ખાસ કરીને ગુજરાતની મહિલાઓને ક્યારે મોંઘવારીમાંથી રાહત મળશે ?

To Top