Top News

More Posts

   The Latest

Most Popular

ચોમાસાના ત્રણ માસ માટે પાલિકા દ્વારા ભરતી કરાશે.

પસંદગી પામેલા ઉમેદવારોને ગાંધીનગરની શ્રમ આયુક્ત કચેરીના આધિન ધોરણ મુજબ નિમણૂક અપાશે.

વડોદરા મહાનગરપાલિકા હવે આગામી વરસાદી મૌસમને ધ્યાને રાખીને મોટા પાયે રાહત અને બચાવ કામગીરી માટે તૈયારી કરી રહી છે. ગત વર્ષે આવેલા ભયાનક પૂર બાદ આ વર્ષે પાલિકા કોઈપણ પ્રકારની કસર છોડવા માંગતી ન હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં જ પાલિકા દ્વારા 200 તરાપા ખરીદ્યા બાદ હવે માત્ર ત્રણ મહિનાની અવધિ માટે 200 “તાલીમબદ્ધ તરવૈયા / રેસ્ક્યુર વોલન્ટિયર્સ”ની તાત્કાલિક ભરતી કરવા બાબતે દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરાઈ છે. દર વર્ષે શહેરમાં યોજાતા ગણેશ વિસર્જન, અતિવૃષ્ટિ, ઉપરવાસમાંથી છોડાતા પાણી, અને અન્ય કુદરતી કે માનવ સર્જિત આપત્તિઓ દરમ્યાન વડોદરાની આગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગ સતત ખડેપગે સેવા આપે છે. આવી પરિસ્થિતિઓમાં જીવન અને મિલકતના રક્ષણ માટે તજવીજ, તાલીમબદ્ધ અને દ્રઢ રેસ્ક્યૂ વોલેન્ટિયરની નિમણૂક અગત્યની બની રહે છે.

વર્ષાઋતુ દરમિયાન મહાનગરમાં સૌથી વધુ પૂરની શક્યતાઓ રહે છે. તે હેતુસર વીએમસી દ્વારા ત્રણ મહિનાની અવધિ (જુલાઈથી સપ્ટેમ્બર-૨૦૨૫) માટે કુલ 200 Rescue Volunteersની પસંદગી કરવાની યોજના છે. આ Volunteersને જરૂરી તાલીમ અને દૈનિક વેતન સાથે વિશેષ ભથ્થું પણ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પાલિકા દ્વારા તાજેતરમાં જ 200 તરાપાની ખરીદી કરવામાં આવી છે. ભરતી પ્રક્રિયા માટે લાયકાત, અનુભવ, આરોગ્ય અને કુશળતાના માપદંડો જાહેર કરવામાં આવશે. પસંદગી પામેલા ઉમેદવારોને ગાંધીનગરની શ્રમ આયુક્ત કચેરીના આધિન ધોરણ મુજબ નિમણૂક અપાશે. ત્રણ મહિના પૂરાં થતાં Volunteersની નિમણૂક સમાપ્ત થશે. આ પૂરી પ્રક્રિયા માટે લાગનારો ખર્ચ ANNEXURE-A મુજબ નક્કી કરવામાં આવ્યો છે જે બજેટ કોડ B-0301101 હેઠળ વેઠવાનો રહેશે.

To Top