Top News

More Posts

   The Latest

Most Popular

પ્રશસ્ત પંડયા

ભારતીય રાજકારણના કોઈ એક સ્થાયી લક્ષણને તારવીને મૂકવું હોય તો તે જોડતોડ છે. એકબીજા સામે ગંભીર આક્ષેપ કરનારા, એક પક્ષમાં બેસનારા અનેક દાખલા છે અને એક પરિવારના જ હોય અને તેઓ આમનેસામને પણ થયા હોય તેવું પણ ચૂંટણીજંગમાં જોવા મળે છે. અંતે, સત્તાનો ઉદ્દેશ્ય સાધવાનો હોય છે. લોકસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે અને દરેક પક્ષના ઉમેદવારોની યાદી આવી રહી છે. આ યાદીમાં કેટલાક એક પરિવારમાંથી આમનેસામને લડનારા છે. હાલમાં જેની ચર્ચા દેશભરમાં થઈ રહી છે તે મહારાષ્ટ્રની બારામતીની બેઠક છે, જ્યાં જે શરદ પવારનો ગઢ કહેવાય છે. આ બેઠક પરથી 1996થી લઈને 2004 સુધી ચાર વાર થયેલી લોકસભાની ચૂંટણીમાં શરદ પવાર ચૂંટાઈને આવ્યા હતા. તે પછી અહીંયા સતત શરદ પવારનાં દીકરી સુપ્રિયા સુલે ચૂંટાઈને આવી રહ્યાં છે પરંતુ પિતા-પુત્રીની આ સુરક્ષિત બેઠક પર હવે તેમના જ પરિવારની એક અન્ય વ્યક્તિએ દાવેદારી માંડી છે અને તે છે મહારાષ્ટ્રના વર્તમાન ઉપ-મુખ્ય મંત્રી અજિત પવારનાં પત્ની સુનેત્રા પવાર. અજિત પવાર શરદ પવાર ભત્રીજા થાય અને આ બંને કાકા-ભત્રીજા થોડા વખત પહેલાં ‘નૅશનલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી’માં સાથે-સાથે હતા પરંતુ અજિત પવાર 2023માં પાર્ટીના મોટા ભાગના વિધાનસભ્યોને સાથે લઈને વર્તમાન મહારાષ્ટ્ર સરકારમાં સામેલ થયા ને ઉપ મુખ્ય મંત્રી બન્યા. અજિત પવારે ‘નૅશનલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી’પર પણ દાવો માંડ્યો અને પોતે પક્ષના પ્રમુખ છે તેમ પણ જણાવ્યું. ફાઈનલી, ઇલેક્શન કમિશને પણ ‘નૅશનલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી’ને સર્વેસર્વા બનાવ્યા. જે શરદ પવારનો વર્ષ પહેલાં દેશભરની રાજનીતિમાં ડંકો વાગતો હતો, તેઓ આજે ગણ્યાગાંઠ્યા વિધાનસભ્યો સાથે એકલા પડી ગયા છે. તેમની દીકરી આવનારી લોકસભામાં બારામતીમાંથી ઉમેદવારી નોંધાવશે અને તેમનો પક્ષ શરદચંદ્ર પવારની ‘નૅશનલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી’હશે. જો કે અજિતને હવે એ પણ પસંદ નથી કે તેમના કાકાની દીકરી સુપ્રિયા સુલે બારામતીથી જીતે અને સંસદમાં જાય એટલે તેમણે પરિવારમાંથી જ પોતાની પત્નીને આ બેઠક પર ઉતાર્યાં છે. આ રીતે આ જંગ પવાર વિ. પવારનો થવાનો છે અને તેમાં એકબીજા પર આક્ષેપ પણ થવાના છે. BJP જે રીતે દેશભરમાં વર્ચસ્વ જમાવી રહી છે તેનાથી સ્થાનિક પક્ષો તૂટી રહ્યા છે. આ અગાઉ ઠાકરે પરિવારની શિવસેના તૂટી ચૂકી છે. તેમાં રાજ ઠાકરેએ પોતાનો એક અલગ ‘મહારાષ્ટ્ર નવનિર્માણ સેના’ નામનો પક્ષ રચ્યો છે. જો કે હવે તો શિવસેનાના મોટા ભાગના વિધાનસભ્યો ઉદ્ધવ ઠાકરેથી અલગ થઈને મહારાષ્ટ્રના વર્તમાન મુખ્ય મંત્રી એકનાથ શિંદેના કેમ્પમાં જોડાયા છે. બાલાસાહેબ ઠાકરેના અવસાન પછી મહારાષ્ટ્રમાં ઠાકરે વિ. ઠાકરેનો જંગ જોવા મળી રહ્યો છે અને તેમાં અત્યારે શિવસેનાનું સુકાન ઠાકરે પાસે નથી રહ્યું, બલકે શિંદે પાસે જતું રહ્યું છે. એ રીતે ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવનો પક્ષ મજબૂત ગણાય છે. તેઓ વર્તમાન BJP સરકારની ટીકા કરવામાં ક્યાંય પાછા નથી રહેતા. દેશભરમાં BJPનો જોરશોરથી વિરોધ કરનારાઓમાં અખિલેશ યાદવનું નામ આવે છે પરંતુ યાદવ પરિવારમાંથી ગત વર્ષે જ અપર્ણા યાદવ BJPમાં સામેલ થયાં છે. મુલાયમ સિંઘ યાદવનાં બીજાં પત્ની સાધના ગુપ્તાનું સંતાન પ્રતીક યાદવ છે અને પ્રતીકની પત્ની અપર્ણા યાદવ છે. 2017માં અપર્ણા યાદવે BJP સામે વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું પરંતુ તેઓ હારી ગયાં હતાં. યુનિવર્સિટી ઑફ માન્ચેસ્ટરમાંથી આંતરરાષ્ટ્રિય સંબંધો અને રાજકારણ વિષયમાં પોસ્ટગ્રેજ્યુએશન કરનારાં અપર્ણા 2022માં BJPમાં સામેલ થયાં છે. સામેલ તો થયાં પણ BJP પ્રત્યેની નિષ્ઠા દર્શાવવા માટે તેમણે 370ની કલમ હટાવવાનું સમર્થન કર્યું. રામમંદિર માટે તેમણે 11 લાખ રૂપિયા દાન આપ્યા. આમ, તેઓ સમાજવાદી પક્ષની જે પણ નીતિ હતી તેનાથી વિરુદ્ધ વર્ત્યાં છે અને સાથે સાથે તેમણે BJPનું ખૂલીને સમર્થન કર્યું છે. અપર્ણાને આ લોકસભામાં ટિકિટ મળવાની શક્યતા હતી પરંતુ હજુ સુધી તેમનું નામ યાદીમાં આવ્યું નથી. જો કે પ્રચારમાં ચોક્કસ યાદવ વિ. યાદવ થાય તેવો પ્રયાસ BJP કરશે. ખાસ કરીને ઉત્તર પ્રદેશના કનૌજ બેઠક પર અપર્ણાને પ્રચાર માટે ઉતારવામાં આવશે. આ બેઠક પર અખિલેશ યાદવનાં પત્ની ડિમ્પલ યાદવ છેલ્લા બે ટર્મથી સાંસદ તરીકે ચૂંટાઈ આવે છે. આજે જેમ સ્થાનિક પક્ષોમાં થઈ રહ્યું છે તેવું રાષ્ટ્રીય પક્ષોના પરિવારોમાં પણ ફૂટફાટ થઈ ચૂકી છે. તેનું સૌથી મોટું ઉદાહરણ સોનિયા અને મેનકા ગાંધી છે. મેનકા ગાંધી શરૂઆતના જ તબક્કામાં ગાંધી પરિવારથી અલગ થઈ ચૂક્યાં હતાં અને તે 1984માં અપક્ષ ઉમેદવાર તરીકે અમેઠીમાં રાજીવ ગાંધી સામે ઊભા રહ્યાં હતાં. તે વખતે તેઓ અઢી લાખથી વધુ માર્જિનથી રાજીવ ગાંધી સામે હારી ગયાં હતાં. તે પછી તેઓ 1989માં જનતા દળમાં ગયા અને પીલીભીત બેઠક પરથી સાંસદ બન્યાં. 1991 સિવાય તેઓ પીલીભીતથી કાયમ જીતતાં રહ્યાં. જો કે અગાઉ તેમણે જનતા દળ અને પછી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. 2004થી તેઓ BJPમાં સામેલ થયા અને હરહંમેશ માટે કોંગ્રેસની સામે થયા. કોંગ્રેસ સાથે તેઓ ગાંધી પરિવારની પણ વિરોધમાં રહ્યાં. ગાંધી વિ. ગાંધીની તેમની લડાઈ બીજી પેઢીમાં પણ યથાવત્ રહી છે. તેમનો દીકરો વરૂણ ગાંધી પણ BJPમાંથી સાંસદ બન્યો છે. ગાંધી વિ. ગાંધીની લડાઈમાં હવે આ વાત એટલી આગળ વધી ચૂકી છે કે આજે મેનકા ગાંધી અને વરૂણ ગાંધીને કૉંગ્રેસ સાથે કોઈ સંબંધ રહ્યો નથી. દક્ષિણના રાજકીય પરિવારો તરફ આપણી નજર જતી નથી, પણ દેશભરમાં રાજકારણનો રંગ બધે સરખો જ ચઢે છે. આંધ્ર પ્રદેશના વર્તમાન મુખ્ય મંત્રી વાય. એસ. જગમોહન રેડ્ડી છે. તેમના પક્ષનું નામ YSR કોંગ્રેસ પાર્ટી છે. વાય. એસ. જગમોહન રેડ્ડી આંધ્ર પ્રદેશમાં મજબૂત સ્થાન ધરાવે છે પરંતુ હવે જગમોહન રેડ્ડી સામે તેમની જ નાની બહેન વાય. એસ. શર્મિલા આવી છે. સૌથી પહેલાં તો તેમણે જગમોહન રેડ્ડીની પાર્ટી સામે પોતાની એક અલગ પાર્ટી રચી, જેનું નામ હતું : ‘YSR તેલંગાણા પાર્ટી. જો કે તેમાં સફળતાનો અવકાશ ન દેખાયો એટલે વાય. એસ. શર્મિલાએ હવે કોંગ્રેસ પક્ષ સાથે પોતાના પક્ષનો વિલય કરી દીધો છે. એ રીતે આંધ્ર પ્રદેશમાં આ લોકસભાની ચૂંટણીમાં રેડ્ડી વિ. રેડ્ડી થવાનું છે.
આ તો લોકસભાની ચૂંટણીમાં પરિવાર આમનેસામને થવાની વાત છે. વિધાનસભાની ચૂંટણીમાં પણ આ રીતે પરિવારના સભ્યો એકબીજાની સામે આવે છે. ગુજરાતમાં જ ગત વિધાનસભાની ચૂંટણીમાં જામનગર ઉત્તરમાંથી BJP વતી ઉમેદવારી નોંધાવનારા રિવાબા જાડેજા હતાં, તો બીજી તરફ કોંગ્રેસ વતી રિવાબા સામે પ્રચાર કરનારાં તેમના જ નણંદ નૈના જાડેજા હતાં. જામનગરમાં જ્યારે જાડેજા વિ. જાડેજા જંગ જામ્યો ત્યારે મીડિયાએ તેની ખૂબ સ્ટોરીઝ બનાવી. આ સ્થિતિ ઝારખંડમાં પણ થઈ હતી. ઝારખંડમાં પાંચ દાયકાથી પણ વધુ સમયથી સોરેન પરિવારનું વર્ચસ્વ રહ્યું છે. સોરેન પરિવાર ઝારખંડ મુક્તિ મોરચાનું નેતૃત્વ કરે છે. સોરેન પરિવારમાંથી સીતા સોરેન હવે BJPમાં સામેલ થઈ ચૂક્યાં છે. સોરેન પરિવારના હેમંત સોરેન હાલમાં ઝારખંડના મુખ્ય મંત્રી હતા પરંતુ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા તેમની ધરપકડ થઈ છે અને હાલમાં તેઓ જેલમાં છે. એવું કહેવાય છે કે હેમંત સોરેનની ધરપકડ થઈ તેમાં BJPએ મુખ્ય ભૂમિકા ભજવી છે પરંતુ હવે સોરેન પરિવારમાંથી જ સીતા સોરેન BJPમાં સામેલ થઈ ચૂક્યાં છે અને તેઓ લોકસભાની ચૂંટણીમાં BJP વતી પ્રચાર કરશે. એ રીતે હરિયાણાના ચૌટાલા પરિવારમાં પણ પરિવારના સભ્યો એકબીજા સામે ચૂંટણીમાં આવી ચૂક્યા છે. રાજકારણમાં આવીને જ્યારે ધ્યેય સત્તા હોય ત્યારે તેમાં કોઈની પણ સાથે જોડતોડ કરવાનો પ્રયાસ થાય છે અને તેમાં સામે પરિવારનો સભ્ય આવે તોય તેમાં પીછેહઠની શક્યતા રહેતી નથી. ઉપરના દાખલાઓ પરથી તો એવું જ લાગે છે.

રતીય રાજકારણના કોઈ એક સ્થાયી લક્ષણને તારવીને મૂકવું હોય તો તે જોડતોડ છે. એકબીજા સામે ગંભીર આક્ષેપ કરનારા, એક પક્ષમાં બેસનારા અનેક દાખલા છે અને એક પરિવારના જ હોય અને તેઓ આમનેસામને પણ થયા હોય તેવું પણ ચૂંટણીજંગમાં જોવા મળે છે. અંતે, સત્તાનો ઉદ્દેશ્ય સાધવાનો હોય છે. લોકસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે અને દરેક પક્ષના ઉમેદવારોની યાદી આવી રહી છે. આ યાદીમાં કેટલાક એક પરિવારમાંથી આમનેસામને લડનારા છે. હાલમાં જેની ચર્ચા દેશભરમાં થઈ રહી છે તે મહારાષ્ટ્રની બારામતીની બેઠક છે, જ્યાં જે શરદ પવારનો ગઢ કહેવાય છે. આ બેઠક પરથી 1996થી લઈને 2004 સુધી ચાર વાર થયેલી લોકસભાની ચૂંટણીમાં શરદ પવાર ચૂંટાઈને આવ્યા હતા. તે પછી અહીંયા સતત શરદ પવારનાં દીકરી સુપ્રિયા સુલે ચૂંટાઈને આવી રહ્યાં છે પરંતુ પિતા-પુત્રીની આ સુરક્ષિત બેઠક પર હવે તેમના જ પરિવારની એક અન્ય વ્યક્તિએ દાવેદારી માંડી છે અને તે છે મહારાષ્ટ્રના વર્તમાન ઉપ-મુખ્ય મંત્રી અજિત પવારનાં પત્ની સુનેત્રા પવાર. અજિત પવાર શરદ પવાર ભત્રીજા થાય અને આ બંને કાકા-ભત્રીજા થોડા વખત પહેલાં ‘નૅશનલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી’માં સાથે-સાથે હતા પરંતુ અજિત પવાર 2023માં પાર્ટીના મોટા ભાગના વિધાનસભ્યોને સાથે લઈને વર્તમાન મહારાષ્ટ્ર સરકારમાં સામેલ થયા ને ઉપ મુખ્ય મંત્રી બન્યા. અજિત પવારે ‘નૅશનલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી’પર પણ દાવો માંડ્યો અને પોતે પક્ષના પ્રમુખ છે તેમ પણ જણાવ્યું. ફાઈનલી, ઇલેક્શન કમિશને પણ ‘નૅશનલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી’ને સર્વેસર્વા બનાવ્યા. જે શરદ પવારનો વર્ષ પહેલાં દેશભરની રાજનીતિમાં ડંકો વાગતો હતો, તેઓ આજે ગણ્યાગાંઠ્યા વિધાનસભ્યો સાથે એકલા પડી ગયા છે. તેમની દીકરી આવનારી લોકસભામાં બારામતીમાંથી ઉમેદવારી નોંધાવશે અને તેમનો પક્ષ શરદચંદ્ર પવારની ‘નૅશનલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી’હશે. જો કે અજિતને હવે એ પણ પસંદ નથી કે તેમના કાકાની દીકરી સુપ્રિયા સુલે બારામતીથી જીતે અને સંસદમાં જાય એટલે તેમણે પરિવારમાંથી જ પોતાની પત્નીને આ બેઠક પર ઉતાર્યાં છે. આ રીતે આ જંગ પવાર વિ. પવારનો થવાનો છે અને તેમાં એકબીજા પર આક્ષેપ પણ થવાના છે. BJP જે રીતે દેશભરમાં વર્ચસ્વ જમાવી રહી છે તેનાથી સ્થાનિક પક્ષો તૂટી રહ્યા છે. આ અગાઉ ઠાકરે પરિવારની શિવસેના તૂટી ચૂકી છે. તેમાં રાજ ઠાકરેએ પોતાનો એક અલગ ‘મહારાષ્ટ્ર નવનિર્માણ સેના’ નામનો પક્ષ રચ્યો છે. જો કે હવે તો શિવસેનાના મોટા ભાગના વિધાનસભ્યો ઉદ્ધવ ઠાકરેથી અલગ થઈને મહારાષ્ટ્રના વર્તમાન મુખ્ય મંત્રી એકનાથ શિંદેના કેમ્પમાં જોડાયા છે. બાલાસાહેબ ઠાકરેના અવસાન પછી મહારાષ્ટ્રમાં ઠાકરે વિ. ઠાકરેનો જંગ જોવા મળી રહ્યો છે અને તેમાં અત્યારે શિવસેનાનું સુકાન ઠાકરે પાસે નથી રહ્યું, બલકે શિંદે પાસે જતું રહ્યું છે. એ રીતે ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવનો પક્ષ મજબૂત ગણાય છે. તેઓ વર્તમાન BJP સરકારની ટીકા કરવામાં ક્યાંય પાછા નથી રહેતા. દેશભરમાં BJPનો જોરશોરથી વિરોધ કરનારાઓમાં અખિલેશ યાદવનું નામ આવે છે પરંતુ યાદવ પરિવારમાંથી ગત વર્ષે જ અપર્ણા યાદવ BJPમાં સામેલ થયાં છે. મુલાયમ સિંઘ યાદવનાં બીજાં પત્ની સાધના ગુપ્તાનું સંતાન પ્રતીક યાદવ છે અને પ્રતીકની પત્ની અપર્ણા યાદવ છે. 2017માં અપર્ણા યાદવે BJP સામે વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું પરંતુ તેઓ હારી ગયાં હતાં. યુનિવર્સિટી ઑફ માન્ચેસ્ટરમાંથી આંતરરાષ્ટ્રિય સંબંધો અને રાજકારણ વિષયમાં પોસ્ટગ્રેજ્યુએશન કરનારાં અપર્ણા 2022માં BJPમાં સામેલ થયાં છે. સામેલ તો થયાં પણ BJP પ્રત્યેની નિષ્ઠા દર્શાવવા માટે તેમણે 370ની કલમ હટાવવાનું સમર્થન કર્યું. રામમંદિર માટે તેમણે 11 લાખ રૂપિયા દાન આપ્યા. આમ, તેઓ સમાજવાદી પક્ષની જે પણ નીતિ હતી તેનાથી વિરુદ્ધ વર્ત્યાં છે અને સાથે સાથે તેમણે BJPનું ખૂલીને સમર્થન કર્યું છે. અપર્ણાને આ લોકસભામાં ટિકિટ મળવાની શક્યતા હતી પરંતુ હજુ સુધી તેમનું નામ યાદીમાં આવ્યું નથી. જો કે પ્રચારમાં ચોક્કસ યાદવ વિ. યાદવ થાય તેવો પ્રયાસ BJP કરશે. ખાસ કરીને ઉત્તર પ્રદેશના કનૌજ બેઠક પર અપર્ણાને પ્રચાર માટે ઉતારવામાં આવશે. આ બેઠક પર અખિલેશ યાદવનાં પત્ની ડિમ્પલ યાદવ છેલ્લા બે ટર્મથી સાંસદ તરીકે ચૂંટાઈ આવે છે. આજે જેમ સ્થાનિક પક્ષોમાં થઈ રહ્યું છે તેવું રાષ્ટ્રીય પક્ષોના પરિવારોમાં પણ ફૂટફાટ થઈ ચૂકી છે. તેનું સૌથી મોટું ઉદાહરણ સોનિયા અને મેનકા ગાંધી છે. મેનકા ગાંધી શરૂઆતના જ તબક્કામાં ગાંધી પરિવારથી અલગ થઈ ચૂક્યાં હતાં અને તે 1984માં અપક્ષ ઉમેદવાર તરીકે અમેઠીમાં રાજીવ ગાંધી સામે ઊભા રહ્યાં હતાં. તે વખતે તેઓ અઢી લાખથી વધુ માર્જિનથી રાજીવ ગાંધી સામે હારી ગયાં હતાં. તે પછી તેઓ 1989માં જનતા દળમાં ગયા અને પીલીભીત બેઠક પરથી સાંસદ બન્યાં. 1991 સિવાય તેઓ પીલીભીતથી કાયમ જીતતાં રહ્યાં. જો કે અગાઉ તેમણે જનતા દળ અને પછી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. 2004થી તેઓ BJPમાં સામેલ થયા અને હરહંમેશ માટે કોંગ્રેસની સામે થયા. કોંગ્રેસ સાથે તેઓ ગાંધી પરિવારની પણ વિરોધમાં રહ્યાં. ગાંધી વિ. ગાંધીની તેમની લડાઈ બીજી પેઢીમાં પણ યથાવત્ રહી છે. તેમનો દીકરો વરૂણ ગાંધી પણ BJPમાંથી સાંસદ બન્યો છે. ગાંધી વિ. ગાંધીની લડાઈમાં હવે આ વાત એટલી આગળ વધી ચૂકી છે કે આજે મેનકા ગાંધી અને વરૂણ ગાંધીને કૉંગ્રેસ સાથે કોઈ સંબંધ રહ્યો નથી. દક્ષિણના રાજકીય પરિવારો તરફ આપણી નજર જતી નથી, પણ દેશભરમાં રાજકારણનો રંગ બધે સરખો જ ચઢે છે. આંધ્ર પ્રદેશના વર્તમાન મુખ્ય મંત્રી વાય. એસ. જગમોહન રેડ્ડી છે. તેમના પક્ષનું નામ YSR કોંગ્રેસ પાર્ટી છે. વાય. એસ. જગમોહન રેડ્ડી આંધ્ર પ્રદેશમાં મજબૂત સ્થાન ધરાવે છે પરંતુ હવે જગમોહન રેડ્ડી સામે તેમની જ નાની બહેન વાય. એસ. શર્મિલા આવી છે. સૌથી પહેલાં તો તેમણે જગમોહન રેડ્ડીની પાર્ટી સામે પોતાની એક અલગ પાર્ટી રચી, જેનું નામ હતું : ‘YSR તેલંગાણા પાર્ટી. જો કે તેમાં સફળતાનો અવકાશ ન દેખાયો એટલે વાય. એસ. શર્મિલાએ હવે કોંગ્રેસ પક્ષ સાથે પોતાના પક્ષનો વિલય કરી દીધો છે. એ રીતે આંધ્ર પ્રદેશમાં આ લોકસભાની ચૂંટણીમાં રેડ્ડી વિ. રેડ્ડી થવાનું છે.
આ તો લોકસભાની ચૂંટણીમાં પરિવાર આમનેસામને થવાની વાત છે. વિધાનસભાની ચૂંટણીમાં પણ આ રીતે પરિવારના સભ્યો એકબીજાની સામે આવે છે. ગુજરાતમાં જ ગત વિધાનસભાની ચૂંટણીમાં જામનગર ઉત્તરમાંથી BJP વતી ઉમેદવારી નોંધાવનારા રિવાબા જાડેજા હતાં, તો બીજી તરફ કોંગ્રેસ વતી રિવાબા સામે પ્રચાર કરનારાં તેમના જ નણંદ નૈના જાડેજા હતાં. જામનગરમાં જ્યારે જાડેજા વિ. જાડેજા જંગ જામ્યો ત્યારે મીડિયાએ તેની ખૂબ સ્ટોરીઝ બનાવી. આ સ્થિતિ ઝારખંડમાં પણ થઈ હતી. ઝારખંડમાં પાંચ દાયકાથી પણ વધુ સમયથી સોરેન પરિવારનું વર્ચસ્વ રહ્યું છે. સોરેન પરિવાર ઝારખંડ મુક્તિ મોરચાનું નેતૃત્વ કરે છે. સોરેન પરિવારમાંથી સીતા સોરેન હવે BJPમાં સામેલ થઈ ચૂક્યાં છે. સોરેન પરિવારના હેમંત સોરેન હાલમાં ઝારખંડના મુખ્ય મંત્રી હતા પરંતુ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા તેમની ધરપકડ થઈ છે અને હાલમાં તેઓ જેલમાં છે. એવું કહેવાય છે કે હેમંત સોરેનની ધરપકડ થઈ તેમાં BJPએ મુખ્ય ભૂમિકા ભજવી છે પરંતુ હવે સોરેન પરિવારમાંથી જ સીતા સોરેન BJPમાં સામેલ થઈ ચૂક્યાં છે અને તેઓ લોકસભાની ચૂંટણીમાં BJP વતી પ્રચાર કરશે. એ રીતે હરિયાણાના ચૌટાલા પરિવારમાં પણ પરિવારના સભ્યો એકબીજા સામે ચૂંટણીમાં આવી ચૂક્યા છે. રાજકારણમાં આવીને જ્યારે ધ્યેય સત્તા હોય ત્યારે તેમાં કોઈની પણ સાથે જોડતોડ કરવાનો પ્રયાસ થાય છે અને તેમાં સામે પરિવારનો સભ્ય આવે તોય તેમાં પીછેહઠની શક્યતા રહેતી નથી. ઉપરના દાખલાઓ પરથી તો એવું જ લાગે છે.

To Top