Top News

More Posts

   The Latest

Most Popular

સ્થાયી સમિતિના ચેરમેન ડો. શીતલ મિસ્ત્રીએ વડોદરા શહેરના ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓને આવનારી બોર્ડ પરીક્ષાઓ માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે

તેમણે વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા અને સમયનું યોગ્ય આયોજન રાખવાની સલાહ આપી. સતત મહેનત, નિયમિત અભ્યાસ અને સકારાત્મક વિચારસરણીથી સફળતા પ્રાપ્ત થાય છે તેવો સંદેશ પણ આપ્યો. ડો. મિસ્ત્રીએ માતા-પિતા અને શિક્ષકોના માર્ગદર્શનને મહત્વપૂર્ણ ગણાવી વિદ્યાર્થીઓને તણાવમુક્ત રહી શ્રેષ્ઠ પ્રદર્શન કરવા પ્રેરણા આપી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે વડોદરાના વિદ્યાર્થી ઉત્તમ પરિણામ મેળવી શહેર અને રાજ્યનું નામ રોશન કરશે.

To Top