એક દિવસ રુકમણીજી ઊંડા વિચારોમાં ખોવાયેલા હતા. ભગવાન શ્રી કૃષ્ણ ક્યારે ભવનમાં આવ્યા તે પણ તેમને ખ્યાલ ન રહ્યો. ભગવાને પાસે જઈને...
આપણા વડાપ્રધાન મોદી કેટલાક સમયથી કહી રહ્યા હતા કે હવે યુદ્ધોનો સમય રહ્યો નથી. પરંતુ પછી થયું તેનાથી બિલકુલ ઉંધુ! દુનિયામાં અનેક...
ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર દ્વારા 21 જુલાઈના રોજ અચાનક રાજીનામાનું પગલું કેમ લેવામાં આવ્યું તે અંગે અટકળો શરૂ થઈ ગઈ છે. રાજ્યસભા...
ભાષાએ વિકસાવેલ તર્કને વિજ્ઞાન જાણી જે તાર્કિક સિદ્ધાંત વિકસ્યા છે તેમાંનું એક ઉત્તમ ઉદાહરણ કર્મનો સિદ્ધાંત છે. સનાતન હિન્દુધર્મ, જૈન અને બૌદ્ધ...
માનસા દેવી મંદિરમાં થયેલી નાસભાગમાં છ લોકોના મોત, 40 લોકો ઘાયલ થયા. આ ઘટના અફવાથી બની હતી. તાજેતરમાં જગન્નાથપુરીમાં બનેલી ઘટના અને...
હાલ ડાંગમાં સૌંદર્યનો મહાસેલ ચાલી રહ્યો છે. માત્ર એક જ દિવસમાં સવારથી સાંજ સુધીમાં તમે ભરપેટ ખજાનો લૂંટી શકો છો. બસ પાંચ-સાત...
પટણામાં વિધાનસભા ચૂંટણી પહેલા, મુખ્યમંત્રી નીતિશ કુમારે બિહારના આશા અને મમતા કાર્યકરોને તેમના માનદ વેતનમાં વધારો કરીને ખુશખબર આપી છે. આશા કાર્યકરોને...
દવાઓ પણ ડુપ્લિકેટ ! જાણીતા કંપનીઓના નામે નકલી દવા બનાવી ઉમેરાતો હતો ચોક પાવડર ડિસ્કાઉન્ટના ચક્કરમાં ડુપ્લિકેટ દવાઓનું વેચાણ થતું હોવાનું સામે...
હાલ દક્ષિણ પૂર્વ એશિયાના બે દેશો, થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે સરહદી વિવાદને લઈને ચાલી રહેલો સંઘર્ષ ચિંતાજનક છે. આ લડાઈમાં ૧૪ નાગરિકો...
આપણા સૌના સુરતને સાચા અર્થમાં ગ્રાઉન્ડ લેવલે સ્વચ્છ બનાવવાનું અભિયાન ગુજરાતમિત્ર દૈનિક દ્વારા આદરવામાં આવ્યું છે. આ અભિયાનને સુરતની જનતા તરફથી પણ...
માલદીવ્સને ૫૩૫ મિલીયન ડોલર (૪૮૫૦ કરોડ રૂપિયા) ની સહાય બાબતે ગેરસમજ પ્રવર્તે છે. હકીકતમાં ભારતે માલદીવ્સને ૫૬૫ મિલીયન ડોલરની ક્રેડીટ લાઈન (LoC)...
આજ રોજ બુધવારે રશિયાના દૂર પૂર્વ વિસ્તારમાં આવેલ કામચાટકા દ્વીપકલ્પમાં 8.7 તીવ્રતાનો ખુબ જ શક્તિશાળી ભૂકંપ આવ્યો. આ ભૂકંપના કારણે પેસિફિક મહાસાગરના...
શહેરમાં ટ્રાફિક અને લારીગલ્લાની સમસ્યાને લઈ મહાપાલિકામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ પાર્કિંગ વ્યવસ્થા બનાવવા દરેક વોર્ડમાં નવા પાંચ પ્લોટની યાદી તૈયાર કરવા આદેશ...
સાવલી પોલીસ સ્ટેશન નાં પી.આઇ. જે.યું.ગોહિલ દ્વારા ફરી એક રાહદારી યુવક ને દુમાડ ગામ પાસે કાર ઓવરટેક કરવા મુદ્દે રોફ જમાવી યુવકને...
વિશ્વામિત્રી નદીમાંથી ફ્રી માટી મેળવવામાં નેતાઓ અને કાઉન્સિલરોને ભારે ફાયદો થયો ! વિશ્વામિત્રીમાં રિસેક્શનિંગ અને ડિસિલ્ટિંગ દરમિયાન લાખો ટન માટી કોણે કેટલી...
વુડામાંથી ફાઇલ ગાયબ કરનારા અધિકારીઓ વિરુદ્ધ CEO તપાસની માંગ જાગૃત નાગરિક દ્વારા વુડા પાસે માંગવામાં આવેલી માહિતી બાદ સમગ્ર ફાઇલકાંડ સામે આવ્યું...
ભારત સરકાર એક બાજુ રોજગારીની તકો વધારવાની વાત કરી રહી છે તો બીજી બાજુ રોબોટ અને AIને કારણે દુનિયાભરમાં રોજગારીની તકો ઘટી...
વડોદરા શહેરમાં સ્મશાન અંગે તાજેતરમાં થયેલા વિવાદ બાદ આજે મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના ચેરમેન ડો. શીતલ મિસ્ત્રીએ ખાસવાડી સ્મશાનની અચાનક મુલાકાત લીધી હતી....
પારૂલ યુનિવર્સિટીની લિબરલ આર્ટ્સ ફેકલ્ટી દ્વારા લિટરેચર ફેસ્ટ 3.0 નું સફળ આયોજન15,000થી વધુ સાહિત્ય પ્રેમીઓએ લિટરેચર ફેસ્ટનો લાભ લીધો વડોદરાઃ નેક A++...
ચીનમાં બાળકને જન્મ આપવા બદલ સરકારે માતાપિતાને ₹1.30 લાખ આપવાનો નિર્ણય લીધો છે. જન્મ દરમાં સતત ઘટાડો થવાને કારણે સરકારે આ પગલું...
ત્રણ બૂટલેગરો સહિત છ વોન્ટેડ વડોદરા; રાજ્યની સ્ટેટ મોનિટરિંગ સેલે જિલ્લામાં વધુ એક વાત સપાટો બોલાવતા ડભોઇ નજીક પલાસવાડા હદમાં આવેલા ગોડાઉન...
વડોદરા: વડોદરા શહેરના અકોટા બ્રિજ પાસે આજે વિચિત્ર ઘટનાએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. શહેરના આ વિસ્તારમાં પાલિકા દ્વારા રસ્તા પર ખાડા ખોદવાની...
વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગને અટકાવવા અને પર્યાવરણની રક્ષા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. મહાનગરપાલિકાની અખબારી યાદી...
વાઘોડિયા રોડ ઉપર જુના બાપોદ જકાતનાકા વિસ્તારમાં સફાઈની સમસ્યા સતત ગંભીર બની; કચરાના ઢગલા, ડ્રેનેજના પાણી સાથે વધતી બીમારીની ભીતિ વચ્ચે સ્થાનિકોનું...
પાલિકા તંત્ર દ્વારા રેલવેના અલકાપુરી કલ્વર્ટ બ્રિજ પર કોમર્શિયલ જાહેરાત કરાવી અનઅધિકૃત રકમ મેળવેલ તે વેસ્ટર્ન રેલવેને પરત આપવાનો કોમર્શિયલ કોર્ટ તથા...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ઓપરેશન સિંદૂર દરમિયાન દુનિયાના કોઈ પણ દેશે ભારતને પોતાની સુરક્ષા માટે કાર્યવાહી કરતા અટકાવ્યું નહીં. યુએનમાં 193...
શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરતા શહેરીજનોને ઉકળાટભર્યા વાતાવરણથી રાહત હવામાન વિભાગ દ્વારા આગામી તા.02 ઓગસ્ટ સુધી છૂટાછવાયા ભારે વરસાદની આગાહી (પ્રતિનિધિ) વડોદરા તા.29...
3500 ખાડા પૂર્યાનો દાવો છતાં પાલિકાના રાજમાં શહેરના અનેક વિસ્તારોમાં ખાડા રાજ મુખ્ય વિસ્તારોમાં રસ્તાઓ પર ખાડાઓની ભરમારથી વાહનચાલકોને દિન-પ્રતિદિન જોખમ વડોદરા:...
ડભોઇ: ડભોઇમાં શ્રાવણ માસના પ્રથમ દશ દિવસ દશામાંની સ્થાપના કરી ભક્તિભાવ સાથે પુજા અર્ચના કરવામાં આવે છે. ડભોઇ ના યમુના નગરમાં નિવૃત્ત...
પીઢિયા અને પાટીયા પડવાથી અકસ્માત સર્જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ પાલિકા આપણા ઐતિહાસિક વારસાની અવગણના કરી રહી છે : હરિઓમ વ્યાસ ( પ્રતિનિધી...
208 કનેક્શનમાં વીજ ચોરી પકડાઈ, રૂ. 76.43 લાખનો દંડ વસૂલ
ગરબાડા તાલુકાના દેવધા ગામે છકડો પલટી ખાતા એકનું મોત, એક ઇજાગ્રસ્ત
તાઇવાનમાં 6.1 ની તીવ્રતાનો ભૂકંપ: ચીન, ફિલિપાઇન્સ અને જાપાન સુધી ભૂકંપના આંચકા અનુભવાયા
દિલ્હી મેટ્રોનું વધુ વિસ્તરણ: 13 નવા સ્ટેશન બનશે, કેબિનેટે 12,015 કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપી
ગડકરીએ કહ્યું- દેશમાં હિન્દુ-મુસ્લિમ સમસ્યા માટે કોંગ્રેસ જવાબદાર છે
ઉદ્યોગપતિ વિજય માલ્યા અને લલિત મોદીએ પોતાને ભારતના ‘બે સૌથી મોટા ભાગેડુ’ ગણાવ્યા- Video
પ.બંગાળમાં હિન્દુ યુવક પર થયેલી ઘટનાને લઈને ઉગ્ર વિરોધ, BJP કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ
હાલોલ શાકમાર્કેટમાં નગરપાલિકાનું ગેરકાયદે દબાણ અને સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે અભિયાન
આ પંચાયતમાં વેરો ભરો તો જ મરણનો દાખલો મળે !
ગેરકાયદેસર રેતી અને લાકડા વહન કરતા બે ટ્રેક્ટર ઝડપાયા, વાહનો જપ્ત
આઠ વર્ષ જૂના મારામારીના બે ચકચારી કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ
“તું મારી પત્ની સાથે આડા સંબંધ કેમ રાખે છે?” કહી માર માર્યો
સુરેન્દ્રનગર જમીન કૌભાંડમાં EDની મોટી કાર્યવાહી, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ
વૈભવ સૂર્યવંશીએ છગ્ગાનો વરસાદ કરી બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ, ડીવિલ્યિર્સને છોડ્યો પાછળ
ઠાકરે બંધુઓ 20 વર્ષ પછી ફરી ભેગા થયા, ઉદ્ધવ-રાજ ઠાકરેએ કહ્યું કે મરાઠી લોકો માટે એક થાઓ
“જો બધું યોગ્ય હોત તો વેપારીઓ કોર્ટમાં આવ્યા જ ન હોત — કોર્ટનો સમય બરબાદ ન કરો”
ધુરંધર હિટ થયા પછી અક્ષય ખન્નાએ ફીમાં કર્યો વધારો, ‘દ્રશ્યમ 3’ છોડવાની ચર્ચા
કોલસો ભરેલી બોટ મગદલ્લાના દરિયામાં પલ્ટી મારી, જીવ બચાવવા લોકો પાણીમાં કૂદયા
ગોરવામાં વીજ મીટર બદલવા સામે લોકોનો વિરોધ, કર્મચારીઓએ પરત ફરવું પડ્યું
ટેકનોબીટ ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી.કંપનીમાં આગ ભભૂકી,તંત્રમાં દોડધામ
પાકિસ્તાનની ઇન્ટરનેશનલ એરલાઇન્સ PIA 135 બિલિયનમાં વેચાઈ
પરિવારની વિરાસત અને ₹74,427 કરોડની મુંબઈની સત્તા માટેનું _: ‘મહાયુદ્ધ’!
ચલો ન ઇશ્ક હી જીતા, ન અક્લ હાર સકીતમામ ઉમ્ર મઝે કા મુકાબલા તો રહા- જાંનિસાર અખ્તર
દુનિયામાં AI પાર્ટનર પર વધતો ભરોસો, યુવતીએ AI સાથે લગ્ન કર્યા
અમેરિકા ભારત ઉપર જીએમ મકાઈ અને સોયાબીન ખરીદવા માટે કેમ દબાણ કરી રહ્યું છે?
ગીફ્ટસિટીમાં ગુજરાતી સિવાય કોઇ પણ દારુ પી શકશે
રાજ્યમાં ઠંડીનો પારો 2થી 3 ડિગ્રી ગગડશે
સુરેન્દ્રનગરના કલેકટરને ત્યાં EDના દરોડા
CMOમાં ધરખમ ફેરફાર: 26 સિનિયર IASની બદલી
તરત એક્શન લો

એક દિવસ રુકમણીજી ઊંડા વિચારોમાં ખોવાયેલા હતા. ભગવાન શ્રી કૃષ્ણ ક્યારે ભવનમાં આવ્યા તે પણ તેમને ખ્યાલ ન રહ્યો. ભગવાને પાસે જઈને પોતાના મારકણા સ્મિત સાથે પૂછ્યું, ‘દેવી, કોના વિચારોમાં ખોવાયેલા છો. હું આવ્યો તો પણ તમને ખબર ન પડી. શું વિચારો છો?’ રુકમણીજીએ કહ્યું, ‘સ્વામી તમારા વિશે જ વિચારી રહી હતી.’ કૃષ્ણએ મજાક કરતા કહ્યું, ‘એવું તે મારા વિશે શું વિચારતા હતા કે મને જ ભૂલી ગયા’ રુકમણીજી બોલ્યા, ‘સ્વામી, તમે કેવી વાત કરો છો? મારું તો સર્વસ્વ જ તમે છો પણ હું વિચારી રહી હતી કે તમે તમારા અવતાર દરમ્યાન સમાજ અને મનુષ્યને કેટલી વસ્તુઓ શીખવાડી છે. તમે તમારુ જીવન એવી રીતે જીવ્યા છો કે તેમાંથી બીજાને સંદેશ મળે, શીખવા મળે.’
કૃષ્ણ બોલ્યા, ‘પ્રિયે, મને પણ કહો કે મેં એવું તે શું યાદ રાખવા જેવું માનવ સમાજને શીખવાડ્યું છે!’ રુકમણીજી ભાવથી બોલ્યા, ‘પ્રભુ ભલે તમે મારી મજાક કરો પણ હું સાચું કહું છું. હું વિચારી રહી હતી કે તમે જગતના સ્વામી છતાં તમે પાર્થના રથની લગામ ઝાલી તેના સારથી બન્યા અને વિશ્વને સંદેશ આપ્યો કે કોઈપણ કામ નાનું નથી હોતું. પ્રભુ તમે શિશુપાલના સો ગુના માફ કર્યા અને પોતાના ક્રોધને કાબૂમાં કેમ રાખવો તે શીખવ્યું અને ત્યારબાદ તેને સજા પણ કરી એમ પણ શીખવ્યું કે ગુનેગારને સજા કરવી જ જોઈએ. તમે મહાભારતનું યુદ્ધ અટકાવવા સંધી પ્રસ્તાવ માટે પણ ગયા અને મહાભારતના યુદ્ધ વખતે અર્જુનને સાચું જ્ઞાન આપી અધર્મનો નાશ કરવા પ્રેરીત કર્યો અને સંદેશ આપ્યો કે અન્યાય સામે લડવું જ જોઈએ અને જીવનમાં જે કઈ પણ થાય છે તેની પાછળ કોઈ કારણ હોય છે.
નિયતીએ કર્મફળ પ્રમાણે જે નક્કી કર્યું હોય છે તે અનિવાર્ય હોય છે. મનુષ્યે તે સ્વીકારવું જ પડે છે.’ કૃષ્ણ પોતે સ્મિતસહ રુકમણીજીની ભાવભરી વાતો સાંભળી રહ્યા. રુકમણીજી આગળ બોલ્યા, ‘પ્રભુ, તમે જગતને સાચો માર્ગ દેખાડતો જ્ઞાન ગ્રંથ ગીતા આપ્યો અને તે ગ્રંથમાં અને જીવનમાં પણ ભક્ત અને ભક્તિનું મહત્ત્વ સૌથી વધારે આંક્યું અને જગતને સમજાવ્યું કે ભક્તિ સર્વોપરી છે. તમે તમારા ગરીબ મિત્ર સુદામાનું દ્વારકાધીશ હોવા છતાં દોડીને સ્વાગત કર્યું, તેના પગ ધોયા, તેના લાવેલા તાંદુલ પ્રેમથી આરોગ્યા અને તેમના સર્વ દુઃખો દુર કર્યા અને દુનિયાના માણસોને દાખલો આપી સમજાવ્યું કે મૈત્રીનું અમુલ્ય છે. હંમેશા સાચા મિત્ર બનો.
તમે મારો સ્વીકાર કર્યો અને સુભદ્રાને અર્જુન સાથે પરણાવી તમે જગતને જણાવ્યું કે નારીની મનની ભાવનાનું સન્માન કરવું જરૂરી છે. પ્રભુ તમે તમારા જીવન કાર્યો દ્વારા આવા ઘણું યાદ રાખવા જેવું જગતને શીખવ્યું છે. જે મનુષ્ય જીવો આ બધું સમજીને સ્વીકારી જીવનમાં ઉતરશે તેમનું જીવન સુંદર બનશે. ભગવાન કૃષ્ણએ હાથ ઝાલી રુકમણીજીને પોતાની બાજુમાં બેસાડ્યા અને કહ્યું, ‘પ્રિયે, મેં જગતને પ્રેમ, સ્નેહ અને ધર્મનો સંદેશ આપ્યો છે.’
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.