સુરત મહાનગરપાલિકાની વેબસાઈઠ પર હવે ડેશબોર્ડ મુકાયું છે. જેમાં શહેરના તમામ કોરોના કેસની માહિતી અપડેટ થશે. કોરોના પોઝીટીવ દર્દીના એરિયા વગેરેની માહિતી...
હાલમાં કોરોના વાયરસનો પગપેસારો દેશભરમાં થઈ રહ્યો છે. સુરત શહેર પણ તેમાંથી બાકાત નથી. જે માટે તંત્ર દ્વારા પણ ઘણી તૈયારીઓ કરવામાં...
મનપા સંચાલિત હેલ્થ સેન્ટરોમાં તમામ ટેસ્ટમાં રાહત સુરત મહાનગરપાલિકા ખાતે કાર્યરત તમામ અર્બન હેલ્થ સેન્ટર તેમજ મેટરનીટી હોમ, તમામ શહેરી આરોગ્ય કેન્દ્ર(ગુજરાત...
શુક્રવારે સાંજે શહેરમાં વધુ ત્રણ શંકાસ્પ્દ નોંધાયા હતા. હાલમાં શહેરમાં કુલ 164 શંકાસ્પ્દ કેસ છે. અને 10 પોઝિટિવ કેસ છે. 150 નેગેટિવ...
સુરતમાં છેલ્લા 24 કલાકમાં એક પણ પોઝીટીવ કેસ ન આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ દરરોજ શંકાસ્પદ કેસો નોંધાઈ રહ્યા છે....
સુરત શહેર માં કોરોના વાયરસ ની ગંભીર પરિસ્થતિ અને તેના કારણે લોક ડાઉન હોવાથી શહેર ના હેર કટીંગ સેલુન ની તમામ દુકાનો...
હાલમાં લોકડાઉનની સ્થિતિ ચાલી રહી છે. ત્યારે પરિવારને એકસાથે હળીમળી રહેવાનો સમય મળ્યો છે. પરંતુ સુરતમાં કેટલાક કિસ્સામાં સાથે રહેવું એ પણ...
કોરોના વાયરસને લઇને શહેરમાં લોકડાઉન છે ત્યારે લોકોની સેવા કરવા તેમજ લોકોને કોરોના વાયરસથી બચાવવા અને તેઅોને ઘરમાં જ રહેવાની ફરજ પાડનારા...
મહિલાઓ માટેના રાષ્ટ્રીય પંચને દેશવ્યાપી લૉકડાઉન શરૂ થયો ત્યારબાદથી ૨૫૦થી વધુ ફરિયાદો મળી છે જેમાંથી ૬૯ કેસો ઘરેલુ હિંસાના છે. મહિલા પંચે...
કોરોનાવાયરસ રોગચાળાને કારણે ટોક્યો ઓલિમ્પિક્સ એક વર્ષ માટે સ્થગિત કરી દેવાતા અને રમત ગતિવિધિઓ ઠપ થવાને કારણે ઇન્ટરનેશનલ રમત ફેડરેશન તેમજ એસોસિએશનની...
કોરોના વાઈરસની મહામારીએ વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 10 લાખથી વધારે થઈ ગઈ છે. 53 હજારથી...
કોરોનાના ડર વચ્ચે સુરતમાં આજે વધુ પાંચ શંકાસ્પદ કેસ નોંધાયા હતા. સુરતની આંકડાકિય માહિતી પર નજર કરીએ તો અત્યાર સુધી સુરતમાં કોરોનાના...
સુરતમાં 3 તારીખ સુધીમાં 11 વાગ્યા સુધીમાં કોરોનાના 10 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે તેમાં સેન્ટ્રલ ઝોનની મહિલા છે જેણે ઓડિસા, યુપી અને...
ગુજરાતમાં આજે કોરોનાના વધુ 7 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 95 પર પહોંચી ગયો છે. આજે જે સાત દર્દીઓ અમદાવાદમાં...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના રોગચાળા વચ્ચે શુક્રવારે દેશવાસીઓ સાથે 12 મિનિટનો વીડિયો સંદેશ શેર કર્યો. તેમણે કહ્યું કે લોકોએ કોરોના સામે...
ફિલિપાઇન્સમાં સોમવારે સવારે આવેલા 7.8ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપે ભારે તબાહી મચાવી છે. ભૂકંપના કારણે અનેક ઇમારતોને નુકસાન પહોંચ્યું છે, જ્યારે અત્યાર સુધીમાં 32 લોકોનાં મોત અને 200થી વધુ લોકો ઘાયલ થયાની માહિતી સામે આવી છે. મૃતકોની સંખ્યા વધવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કારણ કે અનેક વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી હજુ ચાલુ છે. ભૂકંપનું કેન્દ્ર મિન્ડાનાઓ ટાપુ નજીક સમુદ્રમાં હોવાનું જણાવવામાં આવ્યું છે. ભૂકંપ એટલો શક્તિશાળી હતો કે તેના આંચકા દેશના અનેક વિસ્તારોમાં અનુભવાયા હતા. અનેક વેપારી સંકુલો, ઓફિસો અને દુકાનોમાં તિરાડો પડી ગઈ હતી, જ્યારે કેટલીક નાની ઇમારતો આંશિક રીતે ધરાશાયી થઈ ગઈ હતી.

ભૂકંપ બાદ સુનામી પણ આવી હતી. દરિયામાં 1.4 મીટર એટલે કે લગભગ 4.5 ફૂટથી વધુ ઊંચા મોજા ઉછળ્યા હતા. સાવચેતીના ભાગરૂપે ઇન્ડોનેશિયા, મલેશિયા અને જાપાન સહિત અનેક દેશોએ સુનામીની ચેતવણી જાહેર કરી હતી. જોકે સ્થિતિનું મૂલ્યાંકન કર્યા બાદ થોડા કલાકોમાં કેટલીક ચેતવણીઓ પાછી ખેંચી લેવામાં આવી હતી. સૌથી વધુ નુકસાન જનરલ સેન્ટોસ શહેરમાં નોંધાયું છે. આશરે 7 લાખની વસ્તી ધરાવતા આ બંદર શહેરમાં અનેક ઇમારતોમાં તિરાડો પડી ગઈ હતી, કેટલીક ઇમારતો ધરાશાયી થઈ ગઈ હતી અને એક પુલને પણ નુકસાન પહોંચ્યું હતું. અહીં અનેક લોકો કાટમાળ નીચે ફસાઈ ગયા હોવાની આશંકા વચ્ચે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર એક બે માળની શાળાની ઇમારતને પણ ભારે નુકસાન થયું છે. શાળાઓ ફરી શરૂ થયાના પ્રથમ જ દિવસે આ કુદરતી આપત્તિ સર્જાતા વિદ્યાર્થીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. અનેક વિદ્યાર્થીઓને સામાન્ય ઈજાઓ પહોંચી હતી, જ્યારે કેટલાક બાળકો ડરના કારણે બેભાન થઈ ગયા હતા.
મુખ્ય ભૂકંપ પછી પણ સ્થિતિ શાંત થઈ નથી. સ્થાનિક ભૂકંપ નિરીક્ષણ એજન્સીના જણાવ્યા અનુસાર માત્ર બે કલાકની અંદર 138 આફ્ટરશોક નોંધાયા હતા. આ આંચકાઓની તીવ્રતા 1.3થી 6.7 વચ્ચે રહી હતી. નિષ્ણાતોનું કહેવું છે કે આવા આફ્ટરશોક ઘણા દિવસો અથવા અઠવાડિયા સુધી ચાલુ રહી શકે છે અને પહેલાથી જ નબળી પડી ગયેલી ઇમારતો માટે વધુ જોખમ ઊભું કરી શકે છે. ભૂકંપની અસર ફિલિપાઇન્સની બહાર પણ જોવા મળી હતી. ઇન્ડોનેશિયાના કેટલાક વિસ્તારોમાં જોરદાર આંચકા અનુભવાયા હતા, જ્યારે મલેશિયા અને જાપાનના દરિયાકાંઠાના વિસ્તારો માટે પણ સાવચેતીરૂપે સુનામી એલર્ટ જાહેર કરવામાં આવ્યા હતા. પ્રશાંત મહાસાગરના કેટલાક ટાપુ વિસ્તારોમાં પણ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિએ તમામ સરકારી એજન્સીઓને તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી તેજ કરવા સૂચના આપી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી ચાલુ છે અને કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે બચાવ દળો સતત કાર્યરત છે. ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા અને જાપાન વિશ્વના સૌથી સક્રિય ભૂકંપીય વિસ્તાર ગણાતા ‘રિંગ ઓફ ફાયર’માં આવેલા છે. આ વિસ્તારમાં ટેક્ટોનિક પ્લેટોની સતત હિલચાલને કારણે વારંવાર ભૂકંપ અને જ્વાળામુખી વિસ્ફોટ જેવી કુદરતી આપત્તિઓ સર્જાતી રહે છે. આ જ કારણ છે કે ફિલિપાઇન્સ વિશ્વના સૌથી વધુ આપત્તિગ્રસ્ત દેશોમાં સામેલ છે.