કોરોનાવાયરસ જન્ય કોવિડ-૧૯નો ભોગ બનેલા બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જૉન્સનને ગઇકાલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ પણ તેમની સ્થિતિ વધુ બગડેલી જણાતા તેમને...
કોરોના વાયરસના કેસોમાં વધારો થતા જાપાનના વડા પ્રધાન શિંજો આબેએ મંગળવારે ટોક્યો અને દેશના અન્ય 6 ભાગોમાં એક મહિના માટે કટોકટીની જાહેરાત...
દેશમાં કોરોનાવાયરસ મહામારીના પ્રસાર પર અંકુશ લગાવવા માટે લૉકડાઉન લગાવ્યા પહેલા જ માર્ચ મહિનામાં બેરોજગારી 43 મહિનાના ઉચ્ચસ્તમ સ્તર પર પહોંચી ગઇ...
કોરોનાના જોખમથી બચવા 21 દિવસનું લોકડાઉન લાગુ કરાયું હતં જે 14 એપ્રિલના રોજ સમાપ્ત થશે. જો કે અત્યારે સ્પષ્ટ નથી કે ત્યારબાદ...
કોરોનાવાયરસને રોકવા લોક ડાઉન ચાલી રહ્યું છે અને ૧૪૪ નું જાહેરનામું પણ પ્રસિદ્ધ હોવા છતાં ભરૂચમાં સસ્તા અનાજની દુકાનના સંચાલકો સામૂહિક રાજીનામાં...
સમગ્ર વિશ્વમાં હાલ કોરોનાની મહામારીને કારણે લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે અમરેલીના રાજુલાના વિસળિયા નેસડીમાં ઘરમાં ચાલતા કજિયાને કારણે માતાએ બે પુત્ર,...
કોરોનાના જોખમથી બચવા 21 દિવસનું લોકડાઉન લાગુ કરાયું હતં જે 14 એપ્રિલના રોજ સમાપ્ત થશે. જો કે અત્યારે સ્પષ્ટ નથી કે ત્યારબાદ...
પોતાના સમયની દિગ્ગજ ટેનિસ સ્ટાર અને માજી યુએસ ઓપન ચેમ્પિયન ગેબ્રિયેલા સબાટિનીને લાગે છે કે કોવિડ-19 રોગચાળાને કારણે 2020માં પ્રોફેશનલ ટેનિસની વાપસી...
ભારતે એન્ટિ-મેલેરિયલ ડ્રગ હાઇડ્રોક્સિક્લોરોક્વિનની નિકાસ પરનો પ્રતિબંધ આજે આંશિક રીતે ઉઠાવી લીધો હતો જેના પરિણામે આ દવા અમેરિકા તથા કોરોનાવાયરસના રોગચાળાથી સખત...
સુરત શહેરના કુલ કેસના 35 ટકા કેસ માત્ર રાંદેર વિસ્તારમાં આવ્યા હોવાની જાણકારી મનપા કમિશનર બંછાનિધિ પાની દ્વારા આપવામાં આવી છે. રાંદેર...
દક્ષિણ કોરિયાના ડાએગુ શહેરમાં ક્વોરેન્ટાઇનમાં મૂકવામાં આવેલા અને સાજા થઇ ગયેલા કેટલાક દર્દીઓને રજા આપી દેવાઇ તેના કેટલાક દિવસ પછી આ દર્દીઓમાં...
ભારતના વિવિધ ફિલ્મ ઉદ્યોગોના કલાકારો કોરોના વાયરસ પર જાગરૂતતા માટે એક શોર્ટ ફિલ્મ માટે એકઠા થયા. વર્ચ્યુઅલ રીતે પ્રસૂન પાંડે દ્વારા દિગ્દર્શિત...
સુરતમાં કોરોના વાયરસને કારણે મંગળવારે વધુ બે મોત નિપજ્યા છે. સુરતમાં કોરોના વાયરસથી મોતનો આંકડો 4 પર પહોંચ્યો છે. આ સાથેજ મંગળવારે...
કોરોનાના કહેર વચ્ચે સૌથી ખરાબ હાલત શ્રમજીવીઓની થઈ રહી છે. ગરીબોને ભોજન કરાવવા માટે સેવાભાવી સંસ્થાઓ તો આગળ આવી જ રહી છે...
કવૉરન્ટાઇનના નિયમોના ભંગ બદલ દિલ્હી પોલીસે 176 લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. આ એ લોકો છે જેમના ફોનના લૉકેશન ચકાસણી દરમિયાન તેમના...
વિશ્વભરમાં કોરોનાનો હાહાકાર છે. વિશ્વના 200 દેશોમાં કોરોનાએ પગપેસારો કરી દીધો છે. અને જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. ભારતમાં 4500 થીૂ...
ગયા મહિને ચીને માસ્ક અને વેન્ટિલેટરોથી ભરેલું એક વિમાન ઇટાલી મોકલ્યું હતું ત્યારે ઘણા એવું સમજ્યા હતા કે ચીન ઇટાલીની મદદ કરી...
સુરત શહેરમાં પોઝીટીવ કેસનો કુલ આંક 17 પર પહોંચી ગયો છે. જેમાં છેલ્લા બે દિવસમાં કુલ 6 પોઝીટીવ કેસ નોંધાતા તંત્રની ચિંતામાં...
કોરોના વાયરસને રોકવા માટે લેવામાં આવતા પગલાઓની વચ્ચે એક નવી માહિતી બહાર આવી છે જે લોકો માટે મુશ્કેલીનું કારણ બની શકે છે....
આખરે ભારતે યુએસને મેલેરિયા ડ્રગ હાઇડ્રોક્સાઇક્લોરોક્વિન અને બીજી મહત્વપૂર્ણ ડ્રગ પેરાસીટામોલની નિકાસને મંજૂરી આપી દીધી છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ખુદ વડા...
સુત્રોના જણાવ્યા પ્રમાણે કોરોના વાયરસને લઇને ૧૪ એપ્રિલ સુધીનું લોકડાઉન વધું લંબાવવું જોઈએ તેવુ રાજ્યોની વિનંતી પર કેન્દ્ર વિચાર કરી રહ્યું છે....
કોરોનાવાયરસના રોગચાળાએ અમેરિકાના અર્થતંત્રને જબરો ફટકો માર્યો છે અને હજી તો સ્થિતિ બગડતી જાય છે ત્યારે ફ્લોરિડામાં એક અજબ દ્રશ્ય જોવા મળ્યું...
વોટ્સએપ અને સોશ્યલ મીડિયા પર કોરોના વાયરસ અંગે ફેલાતી અફવાને લઈને વોટ્સએપે મોટો નિર્ણય લીધો છે. વોટ્સએપે મેસેજ ફોરવર્ડિંગને મર્યાદિત કરી દીધું...
સુરત જિલ્લા વહિવટી તંત્ર દ્વારા એપીએમસી શાક માર્કેટ આગામી 8 તારીખથી જાહેર કરી છે ત્યારે સુરત મહાનગર પાલિકા દ્વારા પણ શહેરીજનોના હિતમાં...
કોરોના વાયરસથી બુધવારે બપોર સુધીમાં દેશમાં ચાર લોકોનાં મોત નીપજ્યાં હતાં. મધ્યપ્રદેશના ઇન્દોરમાં 49 વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું. દર્દીને શહેરની શ્રી અરબિંદો...
મંગળવારે બપોરે 12 વાગ્યે રક્ષામંત્રી રાજનાથસિંહના નિવાસસ્થાને કોરોના સંકટને લઇને ગ્રૂપ ઓફ મિનિસ્ટર્સની બેઠક મળી હતી. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ પણ...
લંડનમાં વર્ષોથી સ્થાયી થયેલા અને મૂળ નવસારીના તબીબનું કોરોનાને કારણે નિધન થયું હોવાનું જાણવા મળે છે. તેઓ લંડનમાં કોરોનાના દર્દીઓની સારવારની જવાબદારી...
કોરોનાને કારણે સમગ્ર વિશ્વ પર ચિંતાના વાદળ ઘેરાયા છે દરમિયાન મંગળવારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેસને જાહેર કરેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં સમગ્ર...
ગુજરાતમાં કોરોના પોઝિટિવનો આંકડો 165 પર પહોંચી ગયો છે. આજે આણંદમાં કોરોના પોઝિટિવનો પહેલો કેસ નોંધાયો છે આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં હિંમતનગરમાં...
સુરતમાં આજે વધુ આઠ શંકાસ્પદ કોરોનાના દર્દીઓ સામે આવ્યા છે. સુરત મહાનગર પાલિકાની સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર રૂસ્તમપુરામાં રહેતા 62 વર્ષીય પુરૂષને...
રાજેશ્રી ટોકીઝ સામે અચાનક લાગેલી આગથી દહેશત, ફાયર બ્રિગેડે કાબુ મેળવ્યો, શોર્ટ સર્કિટની શક્યતાઓ તપાસ હેઠળ
વડોદરા : શહેરના વ્યસ્ત કાલાઘોડા વિસ્તાર પાસે આવેલ રાજેશ્રી ટૉકીઝ સામેની પાર્કિંગ જગ્યામાં મંગળવારે બપોરે બે કારમાં અચાનક ભીષણ આગ લાગી હતી. ઘટનાએ આસપાસ ભારે દહેશત ફેલાવી હતી. આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઉડતા જોઈને લોકોને ભયનો માહોલ સર્જાયો હતો.
મળતી માહિતી અનુસાર પાર્કિંગમાં ઉભેલી બે કાર અચાનક સળગી ઉઠતાં સ્થળેથી ધુમાડાના ઘેરા વાદળો ઉઠવા લાગ્યા હતા. ઘટનાની જાણ તાત્કાલિક વડોદરા મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. જાણ મળ્યા બાદ ફાયર ફાઇટર્સની ટીમ ફાયર ટેન્ડર સાથે સ્થળ પર પહોંચી હતી અને તાત્કાલિક આગ પર કાબુ મેળવ્યો હતો. આગના કારણે બંને કાર બળીને ખાક થઇ ગઈ હતી.
ઘટનાસ્થળે પોલીસ પણ પહોંચી હતી અને સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે. હાલ સુધીમાં આગ લાગવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી, પરંતુ પ્રાથમિક તારણો મુજબ શોર્ટ સર્કિટ અથવા ઇંધણ લીકેજને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.
ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, જો સમયસર આગ ઉપર કાબુ મેળવવામાં ન આવ્યો હોત તો ફાયર જ્વાળાઓ વધુ ફેલાઈ આસપાસના વાહનો કે દુકાનોને પણ નુકસાન થતા વીતી શક્યા હોત. સદનસીબે કોઈ જાનહાનીની ઘટના બની નથી.
પોલીસ તેમજ ફાયર વિભાગે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે અને આગની પાછળનું કારણ જાણવા ફોરેન્સિક તપાસ પણ હાથ ધરવામાં આવશે એવી માહિતી મળેલ છે.