ગુજરાતમાં કોરોનાવાયરસ પોઝિટિવ કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. શનિવારે ગુજરાતમાં નવા 10 પોઝિટિવ કેસો નોંધાયા બાદ તંત્રની ચિંતામાં વધારો જોવા મળી...
કોરોના વાઇરસના વધતા જોખમને જોતાં દિલીપકુમારે કવિતા લખીને સૌને ઘરમાં રહેવાની સલાહ આપી છે. અનેક સેલિબ્રિટીઝ પણ સોશ્યલ મીડિયાના માધ્યમથી લોકોને ઘરમાં...
કુછ કુછ હોતા હૈ, હર દિલ જો પ્યાર કરેગા અને બાદલ જેવી ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ કરનાર સના સઇદ હાલ શોકમાં...
રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચે ક્રુડ ઓઇલના ઉત્પાદન કાપના મામલે થયેલા વિવાદ બાદ સાઉદી અરેબિયાએ ઉત્પાદન વધારીને પ્રાઇસ વોર શરૂ કરી દીધું...
કોરોના વાયરસનો કહેર ૧૦ લાખ કેસ તરફ પહોંચી જવા પામ્યો છે, અને ૫૩૦૦૦ લોકોના મોત નિપજ્યાં છે, જેમાં ભારતમાં ૨૩૦૦ કેસોના પોઝિટિવ...
કરન્સી બજારમાં ડોલરની સામે રૂપિયામાં નરમાઇ આગળ વધતી જોવા મળી છે. જેને ૭૬ની સપાટી તોડી નાંખી હતી. આજે કરન્સી બજારમાં ડોલરની સામે...
ચીનના વુહાનના વહીવટીતંત્રએ શુક્રવારે તેના નાગરિકોને ઘરમાં જ રહેવાની અને બિન જરૂરી બહાર ન જવાની સલાહ આપી હતી, નોવેલ કોરોના વાયરસના મુખ્ય...
સુરત મહાનગરપાલિકાની વેબસાઈઠ પર હવે ડેશબોર્ડ મુકાયું છે. જેમાં શહેરના તમામ કોરોના કેસની માહિતી અપડેટ થશે. કોરોના પોઝીટીવ દર્દીના એરિયા વગેરેની માહિતી...
હાલમાં કોરોના વાયરસનો પગપેસારો દેશભરમાં થઈ રહ્યો છે. સુરત શહેર પણ તેમાંથી બાકાત નથી. જે માટે તંત્ર દ્વારા પણ ઘણી તૈયારીઓ કરવામાં...
મનપા સંચાલિત હેલ્થ સેન્ટરોમાં તમામ ટેસ્ટમાં રાહત સુરત મહાનગરપાલિકા ખાતે કાર્યરત તમામ અર્બન હેલ્થ સેન્ટર તેમજ મેટરનીટી હોમ, તમામ શહેરી આરોગ્ય કેન્દ્ર(ગુજરાત...
શુક્રવારે સાંજે શહેરમાં વધુ ત્રણ શંકાસ્પ્દ નોંધાયા હતા. હાલમાં શહેરમાં કુલ 164 શંકાસ્પ્દ કેસ છે. અને 10 પોઝિટિવ કેસ છે. 150 નેગેટિવ...
સુરતમાં છેલ્લા 24 કલાકમાં એક પણ પોઝીટીવ કેસ ન આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ દરરોજ શંકાસ્પદ કેસો નોંધાઈ રહ્યા છે....
સુરત શહેર માં કોરોના વાયરસ ની ગંભીર પરિસ્થતિ અને તેના કારણે લોક ડાઉન હોવાથી શહેર ના હેર કટીંગ સેલુન ની તમામ દુકાનો...
હાલમાં લોકડાઉનની સ્થિતિ ચાલી રહી છે. ત્યારે પરિવારને એકસાથે હળીમળી રહેવાનો સમય મળ્યો છે. પરંતુ સુરતમાં કેટલાક કિસ્સામાં સાથે રહેવું એ પણ...
કોરોના વાયરસને લઇને શહેરમાં લોકડાઉન છે ત્યારે લોકોની સેવા કરવા તેમજ લોકોને કોરોના વાયરસથી બચાવવા અને તેઅોને ઘરમાં જ રહેવાની ફરજ પાડનારા...
મહિલાઓ માટેના રાષ્ટ્રીય પંચને દેશવ્યાપી લૉકડાઉન શરૂ થયો ત્યારબાદથી ૨૫૦થી વધુ ફરિયાદો મળી છે જેમાંથી ૬૯ કેસો ઘરેલુ હિંસાના છે. મહિલા પંચે...
કોરોનાવાયરસ રોગચાળાને કારણે ટોક્યો ઓલિમ્પિક્સ એક વર્ષ માટે સ્થગિત કરી દેવાતા અને રમત ગતિવિધિઓ ઠપ થવાને કારણે ઇન્ટરનેશનલ રમત ફેડરેશન તેમજ એસોસિએશનની...
કોરોના વાઈરસની મહામારીએ વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 10 લાખથી વધારે થઈ ગઈ છે. 53 હજારથી...
કોરોનાના ડર વચ્ચે સુરતમાં આજે વધુ પાંચ શંકાસ્પદ કેસ નોંધાયા હતા. સુરતની આંકડાકિય માહિતી પર નજર કરીએ તો અત્યાર સુધી સુરતમાં કોરોનાના...
સુરતમાં 3 તારીખ સુધીમાં 11 વાગ્યા સુધીમાં કોરોનાના 10 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે તેમાં સેન્ટ્રલ ઝોનની મહિલા છે જેણે ઓડિસા, યુપી અને...
ગુજરાતમાં આજે કોરોનાના વધુ 7 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 95 પર પહોંચી ગયો છે. આજે જે સાત દર્દીઓ અમદાવાદમાં...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના રોગચાળા વચ્ચે શુક્રવારે દેશવાસીઓ સાથે 12 મિનિટનો વીડિયો સંદેશ શેર કર્યો. તેમણે કહ્યું કે લોકોએ કોરોના સામે...
વિકાસના નામે પર્યાવરણનો ખો નિકળ્યો | ખેડા વન વિભાગ અને સિંચાઇ વિભાગની બેદરકારીથી પરિએજ તળાવની ઘોર ખોદાઇ
પરિએજ તળાવના ડેવલપમેન્ટ પ્રોજેકટમાં કોન્ટ્રાક્ટરની નફાખોરી અને વન વિભાગ – સિંચાઇ વિભાગનું પાપ
(પ્રતિનિધિ) માતર તા.19
માતરના પરિએજ તળાવના બ્યુટિફિકેશનના ચાલતા પ્રોજેક્ટમાં મુઠીભર નાણા બચાવવા તથા વન વિભાગ – સિંચાઇ વિભાગની ભ્રષ્ટાચારની ખોરી દાનતના કારણે તળાવના મગર સહિતના જીવોના અસ્તિત્વ પર જોખમ ઉભુ થયું છે. હાલમાં પાંચેક દિવસથી લાગેલી આગમાં મગરનું મોત નિપજ્યું છે. આમ છતાં વન વિભાગ હજુ ખોંખારો ખાઇને સ્વીકારતું નથી. સરકારી તંત્રના પાપના કારણે પરિએજ તળાવ અને આસપાસના વિસ્તારમાં પર્યાવરણની ખો નિકળી ગયો છે.
માતરના પરિએજ તળાવના બ્યુટિફિકેશનની કામગીરી પાછળ કરોડોનો ખર્ચ કરી વાહવાહ મેળવવા જતાં પર્યાવરણનો ખો નિકળી રહ્યો છે. માતર પરિએજનું બ્યુટિફિકેશન કરતાં કોન્ટ્રાક્ટરે તળાવની આસપાસ ઘાસ, ઝાડી – ઝાંખર દુર કરી તેને સળગાવવાનું મોટું પાપ કર્યું હતું. આ ઝાડી – ઝાંખર, ઘાસ સળગાવતા ત્રણ મગરના મોત નિપજવાનો બનાવ બહાર આવતાં પર્યાવરણ પ્રેમીમાં અરેરાટી વ્યાપી છે. આ ઉપરાંત વન વિભાગ અને સિંચાઇ વિભાગની બેદરકારી સામે રોષ પણ વ્યક્ત કર્યો છે.
વિદ્યાનગરના નેચર હેલ્પ ફાઉન્ડેશનના રાહુલ સોલંકીએ જણાવ્યું હતું કે, પરિએજ તળાવની ચાલતી કામગીરીમાં બે – અઢી મહિના પહેલા તળાવ ખાલી કરવામાં આવ્યું હતું. જોકે, આ તળાવ ખાલી કર્યા બાદ નજીકના વેસ્ટ લેન્ડ કે જ્યાં ઊંચા ઘાસનો વિસ્તાર છે. અહીં મગરોની વસાહત આવેલી છે. જ્યાં પાંચેક દિવસ પહેલા આગ લાગી હતી. આ આગ દરમિયાન મગર જોવા મળતાં તુરંત સંસ્થાને જાણ કરતા 40થી 50 સ્વયંસેવકો સાથે સ્થળ પર પહોંચ્યાં હતાં. અહીં મગરના રેસક્યુ દરમિયાન વિવિધ વસાહત જોવા મળી હતી. આથી, વધુ મગર હોવાનું જણાતાં તુરંત બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં છ મગર તેની ગુફામાં મળી આવ્યાં હતાં. જોકે, તેમાંથી એકનું મોત નિપજ્યું હતું. જ્યારે બાકીના પાંચનું રેસક્યુ કરી તેને છોડી દેવામાં આવ્યાં હતાં.
આગનું મુખ્ય કારણ જાણવા લીંબાસી સિંચાઈ વિભાગના અધિકારી સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે, પરિયેજ તળાવની જ્યાં કામગીરી ચાલે છે ત્યાં આગ લાગી નથી. આગ બાજુમાં ખેડૂતના ખેતરના પાળા બનાવ્યા હોય તેમાં આગ લાગી હતી.
વન વિભાગે પોતાની બેદરકારી પર ઢાંક પીછોડા શરૂ કર્યા
માતરના ફોરેસ્ટ અધિકારી પ્રિતેશભાઈના જણાવ્યા અનુસાર, પરિયેજ તળાવમાં હાલ કામગીરી ચાલુ હોય ત્યાં કામ કરતા મજૂરોને એક મગર દેખાતા તેમને અમોને જાણ કરી હતી. તે પછી અમારા સ્ટાફે ત્યાં જઈને મગરનો રેસ્ક્યુ કર્યો હતો. બાદમાં આજુબાજુમાં બીજા મગર છે કે નહી તે તપાસ કરતા બીજા પણ મગર જોવા મળતા તેના પણ રેસ્ક્યુ કર્યા હતા. આ આગ ત્રણ દિવસ પહેલા લાગી હતી અને તપાસ કરતા ત્યાં મગર મૃત હાલતમાં જોવા મળ્યો હતો.