SURAT

સુરત અડાજણમાં બે બાઇક વચ્ચેના ઝગડા બાદ ધો.11ના વિદ્યાર્થીનું મોત

સુરતઃ (Surat) અડાજણમાં (Adajan) સંત તુકારામ સોસાયટી નજીક વળાંકમાં બાઇક ધીમે હંકારવા ટકોર કરનાર યુવકનું ઝગડા બાદ રહસ્યમય મોત (Death) નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. પરિવારે જણાવ્યું હતું કે ઋષિને 7 જણા એ સામાન્ય બાબતે જાહેરમાં મારતા એનું મોત થયું છે. ઋષિ ધોરણ-11માં નો વિદ્યાર્થી છે. મળતી માહિતી મુજબ ઋષિ એના પિતરાઈ ભાઈ સાથે બજારમાં ફરવા નીકળ્યો હતો.

રમેશ બિરોડે (મૃતકના પિતા) એ જણાવ્યું હતું કે ઘટના બુધવારની રાતની છે. ઋષિ એના પિતરાઈ ભાઈ રોહિત સાથે ફરવા નીકળ્યો હતો. અડાજણ સંત તુકારામ સોસાયટીમાં બેફામ બાઇક હંકારતા યુવકને વળાંક પર બાઇક ધીમે ચલાવવા ટકોર કરતા ઝગડો થયો હતો. સામાવાળા બાઇકને ચાલકને ફોન કરી એના મિત્રોને બોલાવી હુમલો કરી દીધી હતો.

વધુમાં જણાવ્યું હતું કે બોલાચાલી બાદ ઋષિને ઢીક મુક્કાનો માર મરાતા ઋષિ જમીન પર ઢળી પડ્યો હતો. સોસાયટીના લોકો ભેગા થઈ જતા હુમલાખોર ભાગી ગયા હતા. ત્યારબાદ ઋષિને તાત્કાલિક નજીકની હોસ્પિટલ બાદ સિવિલ લવાતા મૃત જાહેર કરવામાં આવ્યો હતો. હાલ પોલીસ તપાસ ચાલી રહી છે.

વધુમાં જણાવ્યું હતું કે ઋષિ ધોરણ-11 નો વિદ્યાર્થી હતો. એને એક નાનો ભાઈ છે. તે મૂળ મહારાષ્ટ્રના વતની છે. ઋષિના મોત ની ખબર સાંભળી પરિવાર શોકમાં ડૂબી ગયો છે. હુમલા પાછળ સામાન્ય બાબત હતી. મળતી માહિતી મુજબ હુમલાખોરો પણ આજ સોસાયટીના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

Most Popular

To Top