Top News

More Posts

   The Latest

Most Popular

ગુરુવારે સુપ્રીમ કોર્ટે દિલ્હી લિકર પોલિસી કેસમાં અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખતા પહેલા કેજરીવાલ અને સીબીઆઈના મંતવ્યો સાંભળ્યા હતા. કેજરીવાલના વકીલે કોર્ટમાં કહ્યું કે જામીન એ નિયમ છે અને જેલ અપવાદ છે. તેમણે કહ્યું કે આ જ કોર્ટે મનીષ સિસોદિયાને જામીન આપતાં આ વાત કહી હતી. સીબીઆઈએ દલીલ કરી હતી કે કેજરીવાલે પહેલા જામીન માટે ટ્રાયલ કોર્ટમાં જવું જોઈએ અને સીધા સુપ્રીમ કોર્ટમાં ન આવવું જોઈએ.

જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ ઉજ્જવલની ભુઈયા બેંચ કેજરીવાલની જામીન અને સીબીઆઈની ધરપકડ સામેની અરજી પર સુનાવણી કરી રહી છે. કેજરીવાલનું પ્રતિનિધિત્વ વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી કરી રહ્યા છે અને CBIનું પ્રતિનિધિત્વ એડિશનલ સોલિસિટર જનરલ (ASG) SV રાજુ કરી રહ્યા છે. કેજરીવાલને 12 જુલાઈએ સુપ્રીમ કોર્ટમાંથી દારૂની નીતિ સંબંધિત ED કેસમાં જામીન મળ્યા હતા. હવે આ જ કોર્ટે CBI કેસમાં જામીન પરનો પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે.

જામીન અરજી પર સુનાવણી દરમિયાન કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી હતી કે ‘CBI દ્વારા એક્સાઈઝ પોલિસી કેસમાં દાખલ કરવામાં આવેલી FIRમાં કેજરીવાલનું નામ નથી. ઉપરાંત તાજેતરમાં કેજરીવાલને વચગાળાના જામીન આપતાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે દિલ્હીના સીએમ સમાજ માટે ખતરો નથી. સિંઘવીએ એમ પણ કહ્યું કે બે વખત સુપ્રીમ કોર્ટ અને એક વખત ટ્રાયલ કોર્ટે કેજરીવાલને જામીન પર છોડવાનો આદેશ આપ્યો છે.

સિંઘવીની દલીલો પર સીબીઆઈનું પ્રતિનિધિત્વ કરતા એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ કેજરીવાલની જામીન અરજીનો વિરોધ કર્યો અને કહ્યું કે પ્રથમ વાંધો એ છે કે કેજરીવાલે પહેલા જામીન માટે ટ્રાયલ કોર્ટમાં જવું જોઈએ અને સીધી સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવી જોઈએ નહીં. રાજુએ કહ્યું કે એવું લાગે છે કે કેજરીવાલ એક ખાસ વ્યક્તિ છે જેમના માટે અલગ અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે.

To Top