Top News

More Posts

   The Latest

Most Popular

રાજધાની દિલ્હીના સમાયપુર બદલી વિસ્તારમાં થયેલી ભયાનક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. એક વ્યક્તિએ પોતાની બે મહિનાની ગર્ભવતી પત્ની અને ત્રણ નાની દીકરીઓની હત્યા કરી હોવાનો આરોપ છે. પોલીસ ના જણાવ્યા મુજબ આ ઘટનાની પાછળ પુત્રની ઇચ્છા એક સંભવિત કારણ હોઈ શકે છે.

મળતી માહિતી પ્રમાણે 27 વર્ષીય અનિતા અને તેની ત્રણ દીકરીઓ (ઉંમર આશરે 3, 4 અને 5 વર્ષ)ના મૃતદેહો બુધવારે સવારે પડોશીઓ અને સગાઓને જોવા મળ્યા હતા. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી. પોલીસની ટીમ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી. ઘટના સમયે આરોપી મુંચુન કેવટ ઘરેથી ફરાર થઈ ગયો હતો.પોલીસે પ્રાથમિક તપાસમાં જણાવ્યું કે પરિવાર એક રૂમના મકાનમાં રહેતો હતો અને મુંચુન કેવટ શાકભાજી વેચવાનું કામ કરતો હતો. પરિવાર છેલ્લા બે વર્ષથી આ વિસ્તારમાં રહેતો હતો. સગા-સંબંધી મુજબ દંપતી વચ્ચે સામાન્ય રીતે ઝઘડા થતા નહોતા, પરંતુ ઘટનાના એક દિવસ પહેલાં રાત્રે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હોવાનું પડોશીઓએ જણાવ્યું છે.

બુધવારે સવારે લગભગ 8 વાગ્યાના આસપાસ પોલીસને PCR કોલ મળ્યો હતો કે એક ઘરમાં ચાર લોકો બેભાન હાલતમાં પડ્યા છે. પોલીસ સ્થળે પહોંચી ત્યારે ચારેયના મોત થઈ ચૂક્યા હતા. ત્યારબાદ કેસ નોંધવામાં આવ્યો અને તપાસ શરૂ કરવામાં આવી. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી ઘટના બાદ સવારના સમયે વિસ્તાર છોડીને ભાગી ગયો હતો. CCTV ફૂટેજના આધારે તેની શોધખોળ ચાલુ છે.

પોલીસ વિવિધ એંગલથી મામલો તપાસી રહી છે. જેમાં પારિવારિક તણાવ, સંભવિત સંબંધોની બાબતો તેમજ પુત્ર ન હોવાને કારણે ઉપજેલા મતભેદ જેવા મુદ્દાઓ પણ તપાસ હેઠળ છે.પોલીસએ હત્યાનો કેસ નોંધ્યો છે અને આરોપીને ઝડપી લેવા માટે અનેક ટીમો બનાવવામાં આવી છે.આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોક અને રોષનો માહોલ સર્જ્યો છે. પડોશીઓ અને સ્થાનિક લોકોનું કહેવું છે કે આ ઘટના ખૂબ જ દુઃખદ છે અને આવા ગુનાઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ. પોલીસે આશ્વાસન આપ્યું છે કે આરોપીને વહેલી તકે પકડી લેવામાં આવશે અને સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ કરવામાં આવશે.

To Top