(પ્રતિનિધિ) વડોદરા, તા.17 ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે વડોદરાનું ન્યાય મંદિર શહેરના આત્મા સમાન છે,તેની સાથે નગરજનો ના ધબકાર...
વડોદરા: સરદાર સાહેબની વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમા “સ્ટેચ્યુ ઓફ યુનિટી” તથા તેની આસપાસ કેવડીયાના સંકલિત વિકાસના અનેકવિધ પ્રોજેકટ્સ બાદ હવે આજે એક...
વાપી: (Vapi) વલસાડ (Valsad) જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી ઠંડીમાં વધઘટ થયા કરે છે. બપોરે થોડી ગરમીનો પણ અહેસાસ થાય છે અને વહેલી...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) આવતીકાલે તા.૧૮મીના રોજ સવારે ૯.૩૦ વાગે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સુરત મેટ્રો ટ્રેન (Metro Train) પ્રોજેકટનું ભૂમિપુજન કરશે....
પલસાણા: (Palsana) પલસાણા તાલુકાના ગંગાધરા ખાતે આવેલા રામદેવપીર મહારાજના મંદિર અલખધામમાં ધાડપાડુઓએ સેવકને બંધક બનાવી લૂંટ (Robbery) ચલાવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી...
કોરોના વાયરસ એવો વૈશ્વિક રોગચાળો (PANDEMIC) છે જેણે વિશ્વને તબાહ કરી નાખ્યું છે, આના ફેલાવવાની ગયા વર્ષે ચીનના વુહાનમાં શરૂ થઈ હતી....
સુરત: (Surat) શહેરમાં વિવિધ વિસ્તારોમાં ચોરી કરેલાં વાહનો (Vehicles) લઇ જઇ અન્ય જગ્યાએ પાર્ક કરી દેવામાં આવે છે. નો-પાર્કિંગ ઝોન તેમજ અન્ય...
સમગ્ર દેશ સહીત છોટાઉદેપુર (chhota udepur) જિલ્લામાં પણ શનિવારે વેક્સીનેશન (vaccination)નો પ્રારંભ કરાયો હતો. જેમાં બે આશાવર્કર બહેનોને રિએક્શન થઇ આવ્યું હોવાના...
સુરત: (Surat) પોલિયેસ્ટર યાર્નની (Polyester Yarn) સતત વધી રહેલી કિંમતો અને એન્ટિ ડમ્પિંગ મુદ્દે શનિવારે ફોગવા અને વિવર્સ સંગઠનોની મીટિંગ મળી હતી....
ભાજપના સાંસદ મનોજ કોટકે માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરને પત્ર લખીને વેબસીરીઝ પર કાર્યવાહી કરવાની માંગ કરી છે. કોટક મુજબ, તાંડવ...
સુરત: (Surat) સુરત શહેર અને જિલ્લામાં સ્કૂલ એજ્યુકેશન જેમતેમ મહામહેનતે ચાલુ થયું છે, તેવામાં ગુજરાત શિક્ષણ બોર્ડે (Gujarat Education Board) પરીક્ષાનાં (Exam)...
કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટીને (statue of unity) દેશના 6 રાજ્યો સાથે જોડતી 8 ટ્રેનોને પીએમ મોદીએ (PM Modi) આજે વર્ચ્યુઅલ લોકાર્પણ...
એવું કહેવામાં આવી રહ્યું છે કે વિમાનમાં થોડી તકનીકી ખામી હતી. જે બાદ વિમાનનો માર્ગ ફેરવવામાં આવ્યો છે અને તેને મધ્યપ્રદેશની રાજધાની...
કોંગ્રેસે બ્રાઝિલ (BRAZIL)માં કોરોના રસીના 20 મિલિયન ડોઝ નિકાસના સરકારના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું છે કે...
કહેવાય છે કે પ્રેમ (LOVE)ની કોઈ ઉંમર હોતી નથી, તે ગમે ત્યારે થાય છે. પરંતુ બિહારના મુઝફ્ફરપુરમાં પ્રેમ પ્રણયનો એક ખૂબ જ...
નવસારી: નવસારી એલ.સી.બી. (LOCAL CRIME BRANCH POLICE) પોલીસે બાતમીના આધારે વાડા ગામેથી આંતરરાજ્ય બાઇક ચોરી કરતા 3 આરોપીને ઝડપી પાડી રાજ્યના 9...
ત્રીજા દિવસના અંતે ઓસ્ટ્રેલિયાએ છ ઓવરમાં કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના 21 રન બનાવ્યા હતા. ભારતની પ્રથમ ઇનિંગ્સ એટલે કે 336 રનના...
સુરત: સુરત શહેર અને જિલ્લામાં સ્કૂલ એજ્યુકેશન (EDUCATION) જેમતેમ મહામહેનતે ચાલુ થયું છે, તેવામાં ગુજરાત શિક્ષણ બોર્ડે પરીક્ષાનાં ફોર્મ (EXAM FORM) ભરતી...
સુરત: અમરોલીમાં ઉતરાયણની રાત્રે સગીર સહિતના બે યુવકો ટ્રેન (TRAIN)ના હોર્ન સાંભળ્યા બાદ પણ રેલવે ટ્રેક પર પતંગને પકડવા જતા બંને યુવકોના...
ઘટના જબલપુરના ગૌર પોલીસ સ્ટેશન વિસ્તારની છે. જ્યાં સ્ટાર ગ્રીન સિટીમાં રહેતા 54 વર્ષીય વ્યક્તિનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં તે ઘરની...
સુરત: શહેરના સહરા દરવાજા ખાતે આવેલી યસ બેંકમાંથી 20 જેટલા રેતી કપચી, ટ્રાવેલ્સ સહિતના વ્યવસાય સાથે સંકળાયેલા 20 જેટલા આરોપીઓએ વર્ષ 2016થી...
સુરત: શહેરમાં વેક્સિનેશનનો પ્રારંભ શરૂ થયો હતો. પરંતુ પ્રથમ દિવસે જ સામાન્ય ટેક્નિકલ ભૂલ આવતાં શરૂઆતના તબક્કામાં કર્મચારીઓમાં ગણગણાટ શરૂ થઇ ગયો...
શનિવારે કોરોના રસીકરણ (VACCINATION)ના પ્રથમ દિવસે દેશમાં આશરે ત્રણ લાખ આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી છે. રસીકરણ પછી, કોવિન વેબસાઇટ દ્વારા આ...
વિશ્વના ઘણા દેશોમાં કોરોના વાયરસ સામે નિર્ણાયક લડાઇ માટે રસીકરણ શરૂ થયું છે. પરંતુ નોર્વેમાં રસી લાવ્યા બાદ લોકોના મોતથી ત્યાંની સરકારની...
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મની લોન્ડરીંગના આરોપમાં બે ચીનના નાગરિકો (CHINESE CITIZEN)ની ધરપકડ કરી છે. તેમના નામ ચાર્લી પેંગ અને કાર્ટર લી...
સુરત: (Surat) સુરત શહેરની તાપી નદીમાં (Tapi River) ગઇકાલ રાતથી ભારે દુર્ગંધ અને આંખમાં બળતરા થાય તેવું ઓઇલ પાણીના વહેણમાં આવી જતા...
ગાંધીનગર: (Gandhinagar) વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. ૧૭ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે દેશના વિવિધ પ્રદેશો સાથે કેવડિયા (Kevadia) સ્થિત સ્ટેચ્યુ ઓફ...
સુરત: (Surat) શહેરમાં શનિવારે વહેલી સવારે ભારે ધુમ્મસ (Fog) છવાયો હતો. જેના કારણે વાહનચલાકોને લાઈટો ચાલુ રાખવાની ફરજ પડી હતી. તેમ છતાં...
WHO દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે વેક્સીનેશન કોરોના વાયરસ સામે સુરક્ષાની સંપૂર્ણ ગેરેન્ટી આપતું નથી. એવામાં જ્યાં...
સુરત: (Surat) શહેરમાં શનિવારે માત્ર 80 પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. કુલ આંક 38,479 પર પહોંચ્યો છે. શનિવારે એક પણ મોત શહેરમાં નોંધાયુ...
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
(પ્રતિનિધિ) વડોદરા, તા.17
ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે વડોદરાનું ન્યાય મંદિર શહેરના આત્મા સમાન છે,તેની સાથે નગરજનો ના ધબકાર જોડાયેલા છે ત્યારે ન્યાયમંદિરની ભવ્ય ઈમારતમાં શહેરની શાન સમાન સંગ્રહાલય બને તેવી લાગણી માનનીય મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજૂ કરીશ.
ન્યાય મંદિરની ભવ્ય અને ઇતિહાસની આરસી જેવી ઈમારતમાં કલા અને સંસ્કૃતિના શહેર વડોદરાની શાન બની રહે તેવું સંગ્રહાલય બનાવવાની શક્યતાનો સંકેત આપતાં કાયદા અને ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ આજે એ ઈમારતમાં જ યોજાયેલા કાર્યક્રમમાં કાયદા વિભાગ વતી આ ઇમારત માર્ગ અને મકાન વિભાગ – જિલ્લા પ્રશાસનને હસ્તાંતરીત કરી હતી.જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે આ ઇમારત ના દસ્તાવેજ અને પ્રતીકાત્મક ચાવી સ્વીકારી હતી.માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર એસ.પી. પટેલ તેમની સાથે જોડાયા હતા.
ઇતિહાસના આયના સમી ન્યાય મંદિરની ઈમારતમાં દશકાઓ સુધી અદાલત ચાલી ,તેની સાથે તેના ભવ્ય પરિસરમાં મહર્ષિ અરવિંદ, બંધારણ ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર જેવા નરરત્નોના પ્રવચનો પણ યોજાયા એ ભવ્ય ઇતિહાસની યાદ અપાવતા ગૃહ રાજ્ય મંત્રીએ જણાવ્યું કે આ સ્થળે આગામી દિવસોમાં એક સમૃદ્ધ સંગ્રહાલય બને તેવી નગરજનોની લાગણીની નોંધ લીધી છે.
તેમણે આ ઇમારતની ભવ્યતા અને અદભૂત સ્થાપત્યની પ્રસંશા કરી હતી. તેમણે મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ કોરોનાના પડકાર સામે રાજ્ય સરકારે આપેલી સફળ લડતની વિગતો આપવાની સાથે,શહેર ભાજપ અધ્યક્ષ ડો.વિજય શાહ તેમજ શ્રી કિર્તીભાઇ પરીખ અને ટીમ વડોદરાને આ સંવેદનશીલ બાબત રાજ્ય સરકારના ધ્યાને લાવવા માટે અભિનંદન આપ્યાં હતાં.
આ ઈમારતમાં ૪૦ કરતાં વધુ વર્ષો સુધી કરેલી સફળ વકીલાતના સંસ્મરણો વાગોળતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે મંત્રી જાડેજાએ અગાઉ વડોદરાને ટ્રાફિક મુક્ત વિસ્તારમાં વડી અદાલતને સમકક્ષ ભવ્યતા ધરાવતી જિલ્લા અદાલતની ભેટ આપી અને હવે તેમના લીધે શહેરની મધ્યમાં એક સમૃદ્ધ સંગ્રહાલય ની વધુ એક શાનદાર ભેટ મળશે.રાજ્ય સરકારે આ જે નિર્ણય લીધો એ લોક લાગણીને સંવેદનશીલતા દાખવીને માન આપવાની તત્પરતાની પ્રતીતિ કરાવે છે.
૧૮૯૬ માં નિર્માણ પામેલી આ ઈમારતમાં જ સ્વતંત્રતા પછી વડોદરા રાજ્યના ભારત સંઘમાં વિલીનીકરણનો સમારોહ યોજાયો હતો અને પ્રતાપસિંહ મહારાજે પ્રવચન કર્યું હતું. સયાજીરાવ મહારાજે માર્કેટના હેતુસર બંધાયેલી આ ઇમારતને ન્યાય મંદિર બનાવી એ દૂરંદેશીને તેમણે યાદ કરી હતી.સુરસાગરની ઐતિહાસિક શિવ પ્રતિમા સન્મુખ શહેરના હૃદય જેવી જગ્યાએ વધુ એક દર્શનીય સ્થળ વિકસશે એનો તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો.
ન્યાય મંદિરની ઇમારત એ વડોદરાની શોભા છે ,શહેરની શાન છે એવી લાગણી વ્યક્ત કરતાં નર્મદા વિકાસ રાજ્ય મંત્રી યોગેશ પટેલે આ ઐતિહાસિક ભવ્ય ધરોહરની જાળવણીમાં પ્રશાસન સાથે નાગરિકો સહભાગી બને તેવો અનુરોધ કર્યો હતો. ડો.વિજય શાહે પ્રાસંગિક પ્રવચનમાં ન્યાય મંદિરનું ગૌરવ જળવાય એવો નિર્ણય લેવા માટે રાજ્ય સરકારને અભિનંદન આપ્યાં હતાં.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી જીતુભાઈ સુખડીયા,મનીષા બહેન વકીલ,શૈલેષ મહેતા,કેતન ભાઈ ઈનામદાર,સીમા મોહિલે, પૂર્વ મંત્રીશ્રી લાખાવાલા, પદાધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.
મંત્રી જાડેજા તેમજ મહાનુભાવોએ મહારાણી ચિમનાબાઈની પ્રતિમાને આદર ભાવ સાથે પુષ્પાંજલિ આપી હતી.