Top News

More Posts

   The Latest

Most Popular

ગુજરાત પર તૌકતે વાવાઝોડુ ત્રાટકયા બાદ તેના કારણે ભારે નુકસાન પણ થવા પામ્યુ છે. દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં કેરી અને નાળિયેરી પકવતાં ખેડૂતોને ભારે નુકસાન થવા પામ્યુ છે , આ ઉપરાંત ૧૩ લોકોએ જાન ગૂમાવ્યો છે ત્યારે , સમગ્ર સ્થિતિની જાત માહિતી મેળવવા આવતીકાલે પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહયા છે.

આવતીકાલે મોદી હવાઈ માર્ગે ભાવનગર આવશે , એટલું જ નહીં અમરેલી , ગીર સોમનાથ , અને ભાવનગર જિલ્લાના વાવાજોડાથી અસર પામેલા વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે.તે પછી મોદી અમદાવાદ આવશે અને રાજયના સીએમ વિજય રૂપાણી તેમજ સીનીયર સચિવો સાથે બેઠક કરીને નુકસાનીની વિગતો મેળવશે , બેઠક બાદ મોદી નવી દિલ્હી જવા રવાના થશે.

To Top