સુરત: છેલ્લા ઘણા સમયથી માન દરવાજા ટેનામેન્ટના ( man darvaja tenament) રહીશોને આવાસો ખાલી કરવા માટેની નોટિસ ( notice) આપવા છતાં આવાસો...
ભૂતકાળના ગૌરવને ફરી જીવંત કરવાનું કામ પણ પૂણ્યનું છે ને તે અત્યારે ‘પૂણ્યશ્લોક અહિલ્યાબાઇ’ વડે થઇ રહ્યું છે. જેકસન શેઠીના દિગ્દર્શનમાં બનેલી...
હાલમાં જ અજય દેવગણે જાહેરાત કરી છે કે તેઓ સાઉથની ફિલ્મની હિન્દી રીમેક બનાવી રહ્યા છે , તેલુગુ ફિલ્મ Naandhiની હિન્દી રીમેક...
કાર્તિક આર્યન કોઈ સત્યનારાયણની કથા કરાવી રહ્યો છે. આ તો અહીં વાત થઈ રહી છે કાર્તિકના આગામી પ્રોજેક્ટ વિશે અને તેની જાહેરાત...
અહાના કુમરા ચાહે છે કે તે પણ મોની રોયની જેમ હવે ફિલ્મોમાં જ દેખાતી થાય પણ લાગે છે કે હજુ તેણે વેબ...
મિસ્ટર પરફેક્શનિસ્ટ એટલે કે આમિર ખાનથી. તો ફિલ્મી જાસૂસની વાતને જો સાચી માનવામાં આવે તો મિસ્ટર પરફેક્શનિસ્ટ ‘ફોરેસ્ટ ગમ્પ’ની હિંદી રિમેકમાં કામ...
માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટરની ( twitter) સેવાઓ ફરી એકવાર અટકી ગઈ છે. ટ્વિટરના ડેસ્ક વપરાશકર્તાઓને ઘણી મુશ્કેલી પડી રહી છે. ઘણા વપરાશકર્તાઓએ પેજ...
શાહરૂખ ખાનની છેલ્લી ફિલ્મ ‘ઝીરો’ હતી અને ત્યારપછી તે ‘ઝીરો માંથી હીરો થઈ શકયો નથી. તે એવો બચાવ કરી શકે કે કોરોનાને...
નડિયાદ: વધતી જતી મોંઘવારીની સીધી અસર સામાન્ય જનતાની સાથે સાથે હવે ધાર્મિકસ્થળો ઉપર પણ પડવા લાગી છે. મોંઘવારીને પગલે યાત્રાધામ ડાકોરમાં...
વડોદરા : રાજ્ય ભરમાં કોરોના રસીકરણ મહાઅભિયાન ચાલી રહ્યું છે.જોકે તંત્રના પાપે વેક્સિનના જથ્થાનો અભાવ સર્જાતા વેક્સિન મુકાવા આવેલા લોકો સરકાર સામે...
વડોદરા : મહાનગરપાલિકા દ્વારા સયાજીબાગ ખાતે સાયકલો મૂકવામાં આવી છે. મોર્નિંગ વોકરો સાયકલીગ કરીને પોતાની હેલ્થ સારી રાખી શકે જે ની શરૂઆત...
વડોદરા: મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી પાસે એક્સપરિમેન્ટલ સ્કૂલના ગેટ પાસે પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા લાખો લિટર પાણી રોડ પર અપાયું હતું છેલ્લા...
ડભોઇ: ડભોઇની ઐતિહાસિક ધરોહર સમાન મુખ્ય બજાર માં આવેલ ટાવર ની હાલત ખખડધજ થઈ રહી છે.તંત્ર દ્વારા સમયસસર સમારકામ ના અભાવે દિવસે...
surat : શહેરમાં જુલાઈ માસના અંત સુધીમાં કોરોનાની ( corona) ત્રીજી લહેર ( third wave) ત્રાટકે તેવી સંભાવનાઓ વચ્ચે સમગ્ર તંત્ર તૈયારી...
આણંદ : કેન્દ્ર સરકાર દ્વારા રાતોરાત લાગુ કરાયેલા જીએસટી કાયદાને 1લી જુલાઇ, 2021ના રોજ ચાર વરસ પૂર્ણ થશે. આ કાયદો અમલમાં લાવવામાં...
વડોદરા : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 ના માસ પ્રમોશન પ્રાપ્ત કરેલા નિયમિત વિદ્યાર્થીઓનું મંગળવારે રાત્રે આઠ...
વડોદરા : કોરોના મહામારીની ત્રીજી લહેરની દહેશત વચ્ચે ભગવાન જગન્નાથજીની રથયાત્રા મામલે અમદાવાદમાં આખરે નિર્ણય લેવાઈ ગયો છે.અમદાવાદમાં રથયાત્રા નીકળશે.ત્યારે વડોદરા શહેરના...
સુરત જિલ્લાના બારડોલીમાં વધુ એક બુટલેગરનો બિયર અને દારૂની બોટલો હાથમાં લઈ વર્ષગાંઠ ઊજવતો વિડીયો વાયરલ થયો છે. જો કે, આ વિડીયો...
કોરોના હવે હળવો થતાં રૂપાણી સરકાર હવે વિધાનસબાની ચૂંટણી પર નજર કેન્દ્રિત કરી રહી છે. હવે આગામી દિવસોમાં કેબિનેટ મંત્રીઓ બે જિલ્લાઓના...
નિઝરના ભીલ ભવાલી ગામ નજીકથી લોહીલુહાણ હાલતમાં 5 વર્ષનું હરણ મળી આવ્યું હતું. ગ્રામજનોએ આની જાણ ટાવલી રેંજના આરએફઓ રોહિત વસાવાને કરતાં...
રાજ્યમાં વેપાર-વાણિજ્યના એકમોના કર્મચારીઓ માટે વેક્સિન લેવાનું ફરજિયાત કરી દેવાયુ છે. ત્યારે હવે સરકારે તેની સમયમર્યાદા 10 મી જુલાઈ સુધી લંબાવી છે.આજે...
બારડોલી નગરપાલિકામાં બાંધકામ અને આકારણી બાબતે ભ્રષ્ટાચારના મામલે ગાંધીનગર વિજિલન્સની ટીમે ચીફ ઓફિસર કોમલ ઘીનૈયા અને કર્મચારી પંકજ પટેલની પૂછપરછ શરૂ કરતાં...
ભરૂચમાં ઝાકીર પાર્ક સોસાયટીમાં રહેતા સલીમ અબ્દુલ કરીમ પઠાણ નામના વેપારી જેઓ પાસે બુધલાલ કંપની તથા માવા વેચવાની એજન્સી છે. ભરૂચ જિલ્લાના...
તાજેતરમાં આપ દ્વારા સોમનાથ મંદિરેથી શરૂ કરાયેલી જન સંવેદના યાત્રા દરમ્યાન આજે વિસાવદરના લેરિયા ગામે આપની કારના કાફલા પર હુમલો કરવામાં આવ્યો...
નર્મદા જિલ્લા પાણી પૂરવઠા વિભાગના અધિકારીએ પાણીની ગુણવત્તા સંબંધિત પરિપત્રનો અમલ નહીં કરી અનુભવી એજન્સીઓની જગ્યાએ સિવિલ કામ કરતા હોય એવી એજન્સીને...
માંગરોળ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં તાલુકાની પાંચ જેટલી ગ્રુપ ગ્રામ પંચાયતોના વિભાજન સહિતના વિવિધ ઠરાવો સર્વાનુમતે પસાર કરાયા હતા. માંગરોળ તાલુકા પંચાયતની...
રાજ્યમાં કોરોનાના કેસો 90થી પણ નીચે ઊતરી જતાં હવે અમદાવાદમાં આગામી અષાઢી બીજ-12મી જુલાઈના રોજ જમાલપુરમાં ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા નીકળે તેવી...
દોઢ વર્ષ પહેલાં મોટી નરોલી નજીક સ્ટેબિંગનો બનાવ બન્યો હતો. તેને ગંભીરતાથી નહીં લઈ ફરિયાદ નોંધી ન હતી. અને મરી ગયા બાદ...
SURAT : સુરતના પુણા-સારોલી નજીકની RKLP માર્કેટની મીટર પેટીમાં આગ ( FIRE) લાગી ગઈ હતી. અચાનક ધુમાડા સાથે આગ ફાટી નીકળતા લોકોમાં...
દેશમાં કોરોના રસી ( corona vaccine) ઝુંબેશ 16 જાન્યુઆરીથી શરૂ થઈ ગઈ છે, પરંતુ 21 મી જૂન યોગ દિવસ ( yoga day)...
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સ્માર્ટ સિટી દાહોદમાં 11 રોડ પર 54થી વધુ સ્થળે હેવી ડ્યુટી રબર સ્પીડ બ્રેકર મૂકાશે
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
ઉદ્યોગપતિઓના લાભાર્થે અરવલ્લીની પર્વતમાળાનો વિનાશ કરવામાં આવી રહ્યો છે
માર્ગ અકસ્માતો: લોક જાગૃતિ ઝુંબેશ વધારવા સાથે કાયદા પણ સખત બનાવવા જરૂરી
ગોધરાના પરવડી પાસે ટ્રક પર તાડપત્રી બાંધવા જતા હાઈ ટેન્શન લાઈન અડી જતાં કંડક્ટરનું મોત
સુરત: છેલ્લા ઘણા સમયથી માન દરવાજા ટેનામેન્ટના ( man darvaja tenament) રહીશોને આવાસો ખાલી કરવા માટેની નોટિસ ( notice) આપવા છતાં આવાસો ન છોડતાં આખરે મનપા દ્વારા અહીં મુખ્ય ડ્રેનેજ લાઈન ( Drainage line ) કાપી નાંખવામાં આવી હતી. છેલ્લાં ત્રણ વર્ષથી અહીંનાં 320 આવાસમાં રહેતા લોકોને મકાન ખાલી કરી નાંખવા મનપા ( smc) દ્વારા નોટિસો અપાયા બાદ પણ તેઓ ગાંઠતા નથી.

ટેનામેન્ટમાં ત્રીજો માળ સૌથી વધુ જર્જરિત હાલતમાં હોવાથી મનપા દ્વારા ત્રીજા માળ પર રહેતા 90 જેટલા લોકોને અડાજણ આવાસમાં શિફ્ટ કરવાની વિચારણા ચાલી રહી છે. તેમજ હવે આવનારા દિવસોમાં બીજા માળ પર રહેતા 100 જેટલા લોકોને કઈ જગ્યાએ શિફ્ટ કરવા તે અંગે મનપા દ્વારા સરવે કરવામાં આવી રહ્યો છે.
સુરત મહાનગર પાલિકા માટે જર્જરિત માન દરવાજા ટેનામેન્ટ માથાનો દુખાવો સાબિત થયો છે. ત્યારે મનપાએ કડક વલણ દાખવી સીલ મારવાની કામગીરી શરૂ કરી છે. બુધવારે વધુ 11 આવાસ સીલ કરવામાં આવ્યાં હતાં. ત્યારબાદ સ્થાનિક પૂર્વ કોર્પોરેટર સાથે રહીશોએ વિરોધ કરતાં મનપા તંત્રએ આખરે કડકાઈ દાખવી મુખ્ય ડ્રેનેજ લાઈન જ કાપી નાંખી હતી. આગામી સમયમાં વધુ પોલીસ બંદોબસ્ત સાથે મનપા સીલિંગની કામગીરી કરશે તે માટે પણ તૈયારી કરી દેવામાં આવી છે. 15 દિવસ અગાઉ મનપા દ્વારા 80 લોકોને આવાસો ખાલી કરાવવામાં આવ્યાં હતાં અને સીલ કર્યાં હતાં. ત્યારબાદ ગતરોજ સાત આવાસ સીલ કર્યાં હતાં. ગઈકાલે વિરોધ બાદ બુધવારે વધુ સ્ટાફ સાથે મનપાનો સ્ટાફ સીલિંગની કામગીરી માટે ગયો હતો.

પરંતુ મનપા દ્વારા 11 આવાસ સીલ કરાયાં ત્યારે જ અન્ય આવાસમાં રહેતા લોકોએ વિરોધ પ્રદર્શન કરી હલ્લાબોલ કર્યું હતું. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલા પણ ત્યાં પહોંચી ગયા હતા. સ્થાનિક રહીશોએ આવાસના બદલામાં આવાસ આપો તેવી માંગ સાથે થાળી-વેલણ વગાડી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેના કારણે મનપાના સ્ટાફે ત્યાંથી કામગીરી પડતી મૂકી નીકળી જવાની ફરજ પડી હતી. પરંતુ આ મામલે વધુમાં મળતી માહિતી મુજબ આગામી દિવસોમાં મહાનગર પાલિકા વધુ પોલીસ બંદોબસ્ત સાથે માન દરવાજાના બાકીનાં આવાસો ખાલી કરાવશે. હાલ તો બુધવારે લિંબાયત ઝોનના અધિકારીઓ દ્વારા માન દરવાજામાં જર્જરિત આવાસના રહીશોની મુખ્ય ડ્રેનેજ લાઈન કાપી નાંખવામાં આવી હતી.