Top News

More Posts

   The Latest

Most Popular

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 17 કેસ નોંધાયા છે. જ્યારે ઘણા સમય પછી રાજકોટ મનપામાં એક દર્દીનું મૃત્યુ થયું હતું. આમ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 10,078 મૃત્યુ નોંધાયા છે.ગુરૂવારે નવા કેસમાં સૌથી વધુ અમદાવાદ મનપામાં 8, સુરત મનપા, વડોદરા મનપામાં 3-3, આણંદ, દેવભૂમિ દ્વારકા અને રાજકોટ ગ્રામ્યમાં 1-1 નવો કેસ નોંધાયો છે.

બીજી તરફ રાજ્યમાં કોરોનાના 28 દર્દીઓ સાજા થતાં થયા છે. આમ સાજા થવાનો રીકવરી રેટ 98.76 ટકા રહ્યો છે. અત્યાર સુધી કુલ 8,14,858 દર્દીઓ સાજા થયા છે. કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 182 થઈ છે, જેમાંથી 04 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 178 દર્દીઓ સ્ટેબલ છે.

ગુરૂવારે 144 હેલ્થ કેર વર્કર અને ફન્ટ લાઈન વર્કર પ્રથમ ડોઝ અને 5,416ને બીજો ડોઝ જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરના 1,37,451 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 73,656 વ્યક્તિને બીજો ડોઝ તેવી જ રીતે 18-45 વર્ષ સુધીના 3,97,908 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 19,214 વ્યક્તિને બીજો ડોઝ મળી કુલ 6,33,789 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 3,85,90,661 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું છે.

To Top