નવી દિલ્હી : ટી-20 વર્લ્ડકપ (T-20 world cup) માટેની બુધવારે જાહેર કરવામાં આવેલી ટી-20 ટીમમાં પસંદગીકારોએ ક્રિકેટ ચાહકો (cricket fans)ને સરપ્રાઇઝ આપતા...
આજકાલ યુધ્ધભૂમિ પરની ફિલ્મો ખૂબ બની રહી છે. ભારત માટે દુ:શ્મન તો ચીન પણ છે. પરંતુ ચીન સાથેની સરહદ પર ખેલાયેલી જંગ...
વાણી કપૂર હમણાં થોડી બેચેન રહે છે. ના, ના પ્રેમભંગ થયા જેવું યા તેનો પ્રેમી કોઈ બીજીને પરણી ગયો હોય એવું તો...
રાધિકા મદાનની બબ્બે વેબસિરીઝ આ વર્ષ દરમ્યાન આવી, એક તો ‘રે’ ને બીજી ‘ફીલ્સ લાઇક ઇશ્ક’. મંદી ચાલતી હોય ને કોઇ સારો...
આમીરખાને નિર્માતા- અભિનેતા તરીકે બનાવેલી ‘લગાન’ ફિલ્મને હમણાં વીસ વર્ષ પૂરા થયા. આ એ ફિલ્મ છે જેનાથી તે નિર્માતા તરીકે અને આશુતોષ...
ટીવી. નું માધ્યમ અનેક ટેલેન્ટનું શો કેસ બની ગયું છે. ફિલ્મવાળાઓ હવે ઘણીવાર ટી.વી.માંથી પોતાના કલાકારો શોધી લે છે. આજકાલ તો ઓટીટી...
સલમાન જેવા સ્ટાર સાથે ફિલ્મો કરવામાં ફાયદા ય છે ને ખોટ પણ છે. જો બીજા નિર્માતાની નજરે ચઢો ને પ્રેક્ષકને ય ગમો...
આણંદ : આણંદ સહિત રાજ્યભરની કોઇ પણ આરટીઓ કચેરીમાં રજીસ્ટ્રેશન થયેલા વાહનોની બોગસ આરસી બુકો બનાવવાનું મસમોટું કૌભાંડ સ્થાનિક ગુના શોધક શાખાએ...
આણંદ: બોરસદ નગરમાં અનેક પાણી ટાંકી હોવા છતા રહીશો દ્વારા પાણીના નળ ખુલ્લા રાખી દેતા પાણીની અછત સર્જાતી હોવાની બુમ ઉઠી રહી...
સંતરામપુર : સંતરામપુરના બસ ડેપોનો વહીવટ મનસ્વી રીતે કરાતો જોવા મળે છે. લોકડાઊન દરમિયાન ગામડાંઓની બસ બંધ કરવામાં આવી હતી. જે પૈકી...
ગોધરા: ગોધરા સહિત સમગ્ર જિલ્લામાં બુધવારના વરસાદની આવન જાવન શરૂ રહેતા વાતાવરણમાં થોડી ઘણી ઠંડક પ્રસરી હતી. જ્યારે શહેરના અમુક વિસ્તાર સહિત...
દાહોદ: દાહોદ જિલ્લાના મુખ્ય મથક એવા દાહોદ શહેરમાં આવેલ ચર્ચ કાઉન્સિલ ઈન્ડિયન કેનેડિયન પ્રેસબિટેરિયન મિશન કાઉન્સીલની માલિકીની જમીનને ભુમાફિયાઓ દ્વારા પચાવી પાડવાની...
કાલોલ: વેજલપુર પોલીસ સ્ટેશનના પી એસ આઈ આર ડી ચૌધરી પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે તેઓને બાતમી મળેલ કે વેજલપુર નાના...
દાહોદ સુખસર: ફતેપુરા તાલુકાના માધવા ગામે મંગળવારના રોજ એક 52 વર્ષીય આગળ ઉપર વીજળી ત્રાટકતા ઘટનાસ્થળે જ મોત નિપજવા પામેલ હોવાનું જાણવા...
વડોદરા: નર્મદા જિલ્લાના તિલકવાડાની રહેવાસી અને કુંવારી માતા બનેલી ફેશન ડિઝાઇનર યુવતીએ લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર બે સંતાનોના પિતા વિરુદ્ધ ફરિયાદ...
વડોદરા: શહેરમાં રસ્તા પરના ખાડા દૂર કરવા પાલિકા દ્વારા આધુનિક પદ્ધતિ અપનાવી જેટ પેચર્સ મશીન વડે પેચ વર્ક કરવાની કામગીરી શરૂ કરવાની...
વડોદરા: જિલ્લા આરોગ્ય તંત્રમાં વિવિધ સ્તરે કોરોના રસીકરણને વેગવાન બનાવવાના વિચાર વિમર્શ અને શિબિરો તથા વર્કશોપ યોજીને આરોગ્ય કર્મચારીઓ અને આશા બહેનોને...
હાલોલ: હાલોલ તાલુકા ના ઉજેતી ગામે આવેલ સનફાર્મા મેડીકેર લિમિટેડ કંપનીમાં કામ કરતા 33 વર્ષીય યુવાન વર્કરનું કંપનીની સીડીના પગથિયા પરથી પડી...
વડોદરા : જરૂરિયાત મંદ અને ગરીબ લોકો માટે જીવાદોરી કહેવાતી વડોદરા શહેરની અને મધ્યગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલ મહારાજા સર સયાજીરાવ ગાયકવાડે...
તાલિબાને અફઘાનિસ્તાન પર પોતાનો કબજો જમાવ્યો તે પછી અચાનક અમેરિકા, રશિયા અને બ્રિટનના જાસૂસી વડાઓને ભારતનું મહત્ત્વ સમજાયું છે. ઇતિહાસમાં અલભ્ય કહી...
રીઝર્વ બેંક ઓફ ઇંડિયા વારંવાર જુદી જુદી રીતે બેંકના ગ્રાહકોને સતર્ક રહેવા મેસેજ આપતી રહે છે તે ઘણી સારી વાત છે. પણ...
દેશમાં સ્ત્રીઓ પર અત્યાચાર કે બળાત્કારની ઘટના સતત બનતી રહે છે. પણ થોડા ઉહાપોહ પછી પાછું જૈસે થે! તાજેતરમાં ગોવાના બીચ પર...
રાજીવ ગાંધી ખેલરત્નનું નામ બદલી હોકીના જાદુગર એવા ધ્યાનચંદના નામે ચઢાવી વિવાદનો મધપૂડો છેડાયો છે. ધ્યાનચંદ કે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી એ...
ભારતીય સંસદના સત્રના પ્રારંભે રાષ્ટ્રપતિશ્રીનું અભિભાષણ હોય છે અને તે પછી જ અન્ય કાર્યવાહી થાય છે. તે અભિભાષણમાં રાષ્ટ્રપતિજી સત્તાધીશ સરકારને પોતાની...
આપણો ભારત દેશ ઉત્સવપ્રિય દેશ છે અને અલગ અલગ તહેવારોનું મહત્ત્વ છે, તેમાંય ગણેશોત્સવ જેમ મહારાષ્ટ્રમાં ધામધૂમથી ઉજવાય છે તેમ ગુજરાતમાં અનોખી...
એક અતિ શ્રીમંત શેઠનું અવસાન થયું.અવસાન બાદ તેનો પુત્ર શેઠની ગાદીએ આવ્યો.અત્યાર સુધી પિતાજી હતા એટલે કોઈ દિવસ વેપારમાં ધ્યાન આપ્યું ન...
બૌદ્ધિકતા અને કર્મશીલતાનો સંગમ ઓછો જોવા મળતો હોય છે, કેમ કે, બૌદ્ધિકતામાં સિદ્ધાંતો અને સંશોધનના આધારે કામ કરવાનું હોય છે, જ્યારે કર્મશીલતામાં...
અફઘાનિસ્તાનમાં તાલેબાનોની સરકાર રચાઈ ગઈ છે; જેમાં એક પણ મહિલા નથી, જેમાં માત્ર ત્રણ પ્રધાનો ગેરપુશ્તુ છે એટલે કે ઉત્તર અફઘાનિસ્તાનના પ્રાંતોના...
તાલિબાને જ્યારે અફઘાનિસ્તાન પર કબજો કર્યો ત્યારે સુફિયાણી વાતો કરી હતી. તાલિબાને ત્યાં સુધી જણાવ્યું હતું કે તે અગાઉ જેવું તાલિબાન નથી....
ભાવનગર જિલ્લામાં મંગળવારે મોડી રાત્રિથી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. જેના કારણે નદી નાળાઓ છલકાઇ ગયા હતાં.ત્યારે ભાવનગર જિલ્લાના પાલિતાણા શહેરના મોટી...
કાલોલ તાલુકાના મોટી કાનોડ ગામે રેતી ભરવાના વિવાદમાં ધારીયા વડે હુમલો
નવાપુરામાં મંદિરના ખોદકામ દરમિયાન બોમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ મળતાં હડકંપ
GSFC પાસે ડિવાઈડર સાથે ભટકાતા બાઈક સવાર યુવકનું મોત
શું 1 જાન્યુઆરી, 2026 થી આઠમા પગાર પંચનું એરિયર્સ ચૂકવવામાં આવશે?, જાણો અપડેટ
”અહમદ તમે ઓસ્ટ્રેલિયાના હીરો છો..”, આતંકીનો સામનો કરનારને PM અલ્બનીઝ મળ્યાં
IPL હરાજીમાં મલેશિયન સ્ટાર ઓલરાઉન્ડર સહિત અચાનક 19 નવા ખેલાડીઓનો સમાવેશ
ધુમ્મસના લીધે યમુના એક્સપ્રેસ વે પર 8 બસ, 3 કાર ભટકાયા, 4ના મોત, 25 ઈન્જર્ડ
સોનિયા-રાહુલ ગાંધીને મોટી રાહત, નેશનલ હેરાલ્ડ કેસમાં ED ચાર્જશીટ પર નોંધ લેવાનો કોર્ટનો ઇનકાર
ગુજકેટની પરીક્ષા માટે ઓનલાઈન આવેદનપત્ર ભરવાનું આજથી શરૂ
11.42 કરોડના ડિજિટલ એરેસ્ટના કેસમાં CID ક્રાઈમે વધુ એક આરોપીને દબોચ્યો
ગુજરાત ઠંડીમાં ઠુંઠવાયું નલિયામાં 12.8 ડિગ્રી
સ્પીપાના 76 તાલીમાર્થી UPSCની પર્સનાલિટી ટેસ્ટમાં ક્વોલિફાય
રાજ્યમાં મતદાર યાદીમાં 10.69 લાખ વિસંગતતાની ચકાસણી
2.19 કરોડના રોકાણ ફ્રોડના ગુનામાં બે સહિત ત્રણની ધરપકડ
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ગાંધી બ્રિજનું રિપેરીંગ શરૂ કરાયું
રાજકોટમાં 10 જાન્યુએ વાઈબ્રન્ટ રિજનલ કોન્ફરન્સ
ખોખરાની સેવન્થ ડે હાઈસ્કૂલ સરકારે હસ્તગત કરી લીધી
CID ક્રાઈમના PI તથા કોન્સ્ટેબલ 30 લાખની લાંચ લેતા ઝડપાયા
કાયમી ધોરણે પોલીસચોકીનું નિર્માણ જરૂરી છે!
ફિલ્મમાં પાકિસ્તાનની ગુનાખોરીનો બિહામણો ચહેરો બેનકાબ કરવામાં આવ્યો છે
માણસની શક્તિઓ
પાલિકાની બેદરકારી છલકાઈ! નવીધરતી બુસ્ટરમાં લીકેજ, રોડ પર નદી વહેતી—હજારો લિટર પાણી વેડફાયું
ખાંસીની હલકી સસ્તી નશીલી સીરપ
શહેરમાં વાહન નિયમન ક્યારે થશે
લગ્નમાં થતો બેફામ ખર્ચ
નિકાસ કરશે રૂપિયાનો વિકાસ
નેશનલ હાઈવે પર વરણામા પાસે ટ્રકનો ગમખ્વાર અકસ્માત, કેબિનનું કચ્ચરઘાણ
સવારની શુભેચ્છાનાં સુરસુરિયાં
ગુજરાતમાં નવી શિક્ષણનીતિનો અમલ એટલે ‘આંખનું કાજળ ગાલે ઘસ્યું’
યુરોપમાં વિદેશીઓ માટેનો રોષ ઉગ્ર બન્યો છે
નવી દિલ્હી : ટી-20 વર્લ્ડકપ (T-20 world cup) માટેની બુધવારે જાહેર કરવામાં આવેલી ટી-20 ટીમમાં પસંદગીકારોએ ક્રિકેટ ચાહકો (cricket fans)ને સરપ્રાઇઝ આપતા આઇકોનિક માજી કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (M S Dhoni)ની ટીમના મેન્ટર (Mentor) તરીકે વરણી કરી છે.
BCCIના સચિવ જય શાહે જાહેર કર્યું હતું કે માજી ભારતીય કેપ્ટન ધોની મેન્ટર તરીકે ટી-20 વર્લ્ડકપમાં ટીમ સાથે રહેશે. તેમણે કહ્યું હતું કે મેં દુબઇમાં તેની સાથે આ બાબતે વાત કરી હતી અને તેણે વર્લ્ડ ટી-20માં મેન્ટર તરીકે જોડાવાની હામી ભરી હતી. મેં મારા સાથીઓ સથે વાત કરવાની સાથે જ કેપ્ટન વિરાટ કોહલી (Virat kohli) અને રોહિત શર્મા (Rohit shrma) સાથે પણ વાત કરી હતી અને બધાએ તે માટે સંમતી આપી હતી. યુએઇ (UAE)માં રમાનારા આગામી ટી-20 વર્લ્ડકપ માટેની ભારતીય ટીમની બુધવારે જાહેરાત કરવામાં આવી હતી. જેમાં સીનિયર ઓફ સ્પીનર રવિચંદ્રન અશ્વિનનો 15 સભ્યોની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અપેક્ષા અનુસાર શિખર ધવનને ટીમમાં સામેલ કરાયો નથી. આ સાથે જ ટીમમાં ઇશાન કિશન, અક્ષર પટેલ અને વરૂણ ચક્રવર્તીનો પણ સમાવેશ કરાયો છે. 34 વર્ષિય અશ્વિને છેલ્લે 2017માં ભારત વતી મર્યાદિત ઓવરોની મેચ રમી હતી. વોશિંગ્ટન સુંદર ઇજાગ્રસ્ત હોવાથી એક ઓફ સ્પીનરની ટીમમાં જરૂર હોવાથી અમે અશ્વિનનો સમાવેશ કર્યો છે એવું પસંદગી અધ્યક્ષ ચેતન શર્માએ જણાવ્યું હતું.

ઇશાન કિશન અને વરૂણ ચક્રવર્તીને તેમના આઇપીએલના સાતત્યપૂર્ણ પ્રદર્શનનું ઇનામ મળ્યુ છે એમ કહી શકાય. વર્લ્ડકપ માટે પસંદ કરાયેલી 15 સભ્યોની ટીમમાં ઓપનર તરીકે રોહિત શર્માની સાથે કેએલ રાહુલ છે. તેની સાથે જ ઇશાન કિશન પણ ઓપનીંગ કરી શકે છે. આ ઉપરાંત ટીમમાં યુવા ખેલાડી સૂર્યકુમાર યાદવનો પણ સમાવેશ થયો છે, જ્યારે પૃથ્વી શોને ટીમમાં સામેલ કરાયો નથી. જો ટીમને ધ્યાને લેવામાં આવે તો તેમાં રવિન્દ્ર જાડેજાની સાથે કુલ પાંચ સ્પિનરને સામેલ કરવામાં આવ્યા છે. જ્યારે ઝડપી બોલરોમાં બુમરાહ, શમી અને ભુવનેશ્વર મળીને માત્ર ત્રણ જ બોલર છે. આ ઉપરાંત શ્રેયસ ઐય્યર, દીપક ચાહર અને શાર્દુલ ઠાકુરનો રિઝર્વ ખેલાડી તરીકે સમાવેશ કરાયો છે.

ટી-20 વર્લ્ડકપ માટેની ભારતીય ટીમ : વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), ઇશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચાહર, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, વરૂણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, મહંમદ શમી. ( સ્ટેન્ડબાય : શ્રેયસ ઐય્યર, દીપક ચાહર અને શાર્દુલ ઠાકુર)
ટી-20 વર્લ્ડકપ માટેની ટીમમાં ચાર વર્ષ પછી વાપસી કરનાર અશ્વિન સાથે કુલ પાંચ સ્પીનર
યુએઇમાં રમાનારા ટી-20 વર્લ્ડકપ માટેની જાહેર થયેલી ભારતીય ટીમમાં સીનિયર ઓફ સ્પીનર રવિચંદ્રન અશ્વિનની ચાર વર્ષ પછી ટીમમાં વાપસી થઇ છે અને ટીમમાં તેની સાથે કુલ પાંચ સ્પીનરનો સમાવેશ કરાયો છે. લાંબા સમયથી મર્યાદિત ઓવરોની ટીમમાં સામેલ થતાં આવેલા યજુવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવને ટીમમાં સામેલ કરાયા નથી. અશ્વિનની સાથે જ ટીમમાં રવિન્દ્ર જાડેજા, રાહુલ ચાહર, વરૂણ ચક્રવર્તી અને અક્ષર પટેલને સામેલ કરવામાં આવ્યા છે.