યુ.એસ. માં અત્યાર સુધીમાં 2,77,000 લોકોને કોરોના રોગનો ચેપ લાગ્યો છે, જ્યારે 7 હજાર 392 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ બધાની વચ્ચે...
દેશમાં આજે કોરનાવાયરસ ચેપના નવા 78 કેસ નોંધાયા છે. તેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 47 દર્દીઓ છે. આ પછી રાજસ્થાનમાં 19, ગુજરાતમાં 10,...
વલસાડ જિલ્લા માટે એક સારા સમાચાર પ્રાપ્ત થયા છે. જિલ્લામાં કુલ ૧૦પ૯ વ્યક્તિઓને ૧૪ દિવસના હોમ કવોરન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા હતા. જે...
લોકડાઉન દરમિયાન ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને અનાજ-કરિયાણાની અછત નહીં પડે તે માટે સરકારે 1 લી એપ્રિલથી 3 જી એપ્રિલ સુધી સસ્તા અનાજની...
ઘણા લોકો એવુ માને છે કે, ખાસી, શરદી, તાવ, માથા અને હાથ-પગનો અતિશય દુખાવો હોય તેવા દર્દીઓના લક્ષણો કોરોના વાયરસના માનવામાં આવે...
સુરતમાં આજે નવા 19 શંકાસ્પદ દર્દીઓને જુદી જુદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં પાલની 47 વર્ષીય સ્ત્રી છે જેને સ્મીમેરમાં દાખલ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ સામેની લડતમાં 21 દિવસના લોકડાઉનના આપેલા આદેશ પછી આજે આગામી રવિવારે રાત્રે 9:00 કલાકે ઘરની તમામ લાઇટો...
ચીનના વુહાનથી શરૂ થયેલા કોરોના વાયરસે ગણતરીના દિવસોમાં સમગ્ર વિશ્વને તેની લપેટમાં લઇ લીધું છે. ચીનમાં તો તે કાબૂમાં આવી ગયો છે...
સુરતમાં કોરોનાના કુલ 179 શંકાસ્પદ દર્દીઓ નોંધાયા છે જેમાં કુલ 12 પોઝિટિવ કેસ છે જે પૈકી બે સુરત જિલ્લાના છે. નેગેટિવ કેસ...
ગુજરાતમાં આજે કોરોનાના વધુ 10 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 105 પર પહોંચી ગયો છે. પાટણમાં કોરોનાનો પ્રથમકેસ પોઝિટિવ કેસ...
ગુજરાતમાં કોરોનાવાયરસ પોઝિટિવ કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. શનિવારે ગુજરાતમાં નવા 10 પોઝિટિવ કેસો નોંધાયા બાદ તંત્રની ચિંતામાં વધારો જોવા મળી...
કોરોના વાઇરસના વધતા જોખમને જોતાં દિલીપકુમારે કવિતા લખીને સૌને ઘરમાં રહેવાની સલાહ આપી છે. અનેક સેલિબ્રિટીઝ પણ સોશ્યલ મીડિયાના માધ્યમથી લોકોને ઘરમાં...
કુછ કુછ હોતા હૈ, હર દિલ જો પ્યાર કરેગા અને બાદલ જેવી ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ કરનાર સના સઇદ હાલ શોકમાં...
રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચે ક્રુડ ઓઇલના ઉત્પાદન કાપના મામલે થયેલા વિવાદ બાદ સાઉદી અરેબિયાએ ઉત્પાદન વધારીને પ્રાઇસ વોર શરૂ કરી દીધું...
કોરોના વાયરસનો કહેર ૧૦ લાખ કેસ તરફ પહોંચી જવા પામ્યો છે, અને ૫૩૦૦૦ લોકોના મોત નિપજ્યાં છે, જેમાં ભારતમાં ૨૩૦૦ કેસોના પોઝિટિવ...
કરન્સી બજારમાં ડોલરની સામે રૂપિયામાં નરમાઇ આગળ વધતી જોવા મળી છે. જેને ૭૬ની સપાટી તોડી નાંખી હતી. આજે કરન્સી બજારમાં ડોલરની સામે...
ચીનના વુહાનના વહીવટીતંત્રએ શુક્રવારે તેના નાગરિકોને ઘરમાં જ રહેવાની અને બિન જરૂરી બહાર ન જવાની સલાહ આપી હતી, નોવેલ કોરોના વાયરસના મુખ્ય...
સુરત મહાનગરપાલિકાની વેબસાઈઠ પર હવે ડેશબોર્ડ મુકાયું છે. જેમાં શહેરના તમામ કોરોના કેસની માહિતી અપડેટ થશે. કોરોના પોઝીટીવ દર્દીના એરિયા વગેરેની માહિતી...
હાલમાં કોરોના વાયરસનો પગપેસારો દેશભરમાં થઈ રહ્યો છે. સુરત શહેર પણ તેમાંથી બાકાત નથી. જે માટે તંત્ર દ્વારા પણ ઘણી તૈયારીઓ કરવામાં...
મનપા સંચાલિત હેલ્થ સેન્ટરોમાં તમામ ટેસ્ટમાં રાહત સુરત મહાનગરપાલિકા ખાતે કાર્યરત તમામ અર્બન હેલ્થ સેન્ટર તેમજ મેટરનીટી હોમ, તમામ શહેરી આરોગ્ય કેન્દ્ર(ગુજરાત...
શુક્રવારે સાંજે શહેરમાં વધુ ત્રણ શંકાસ્પ્દ નોંધાયા હતા. હાલમાં શહેરમાં કુલ 164 શંકાસ્પ્દ કેસ છે. અને 10 પોઝિટિવ કેસ છે. 150 નેગેટિવ...
સુરતમાં છેલ્લા 24 કલાકમાં એક પણ પોઝીટીવ કેસ ન આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ દરરોજ શંકાસ્પદ કેસો નોંધાઈ રહ્યા છે....
સુરત શહેર માં કોરોના વાયરસ ની ગંભીર પરિસ્થતિ અને તેના કારણે લોક ડાઉન હોવાથી શહેર ના હેર કટીંગ સેલુન ની તમામ દુકાનો...
હાલમાં લોકડાઉનની સ્થિતિ ચાલી રહી છે. ત્યારે પરિવારને એકસાથે હળીમળી રહેવાનો સમય મળ્યો છે. પરંતુ સુરતમાં કેટલાક કિસ્સામાં સાથે રહેવું એ પણ...
કોરોના વાયરસને લઇને શહેરમાં લોકડાઉન છે ત્યારે લોકોની સેવા કરવા તેમજ લોકોને કોરોના વાયરસથી બચાવવા અને તેઅોને ઘરમાં જ રહેવાની ફરજ પાડનારા...
મહિલાઓ માટેના રાષ્ટ્રીય પંચને દેશવ્યાપી લૉકડાઉન શરૂ થયો ત્યારબાદથી ૨૫૦થી વધુ ફરિયાદો મળી છે જેમાંથી ૬૯ કેસો ઘરેલુ હિંસાના છે. મહિલા પંચે...
કોરોનાવાયરસ રોગચાળાને કારણે ટોક્યો ઓલિમ્પિક્સ એક વર્ષ માટે સ્થગિત કરી દેવાતા અને રમત ગતિવિધિઓ ઠપ થવાને કારણે ઇન્ટરનેશનલ રમત ફેડરેશન તેમજ એસોસિએશનની...
કોરોના વાઈરસની મહામારીએ વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 10 લાખથી વધારે થઈ ગઈ છે. 53 હજારથી...
કોરોનાના ડર વચ્ચે સુરતમાં આજે વધુ પાંચ શંકાસ્પદ કેસ નોંધાયા હતા. સુરતની આંકડાકિય માહિતી પર નજર કરીએ તો અત્યાર સુધી સુરતમાં કોરોનાના...
સુરતમાં 3 તારીખ સુધીમાં 11 વાગ્યા સુધીમાં કોરોનાના 10 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે તેમાં સેન્ટ્રલ ઝોનની મહિલા છે જેણે ઓડિસા, યુપી અને...
ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર એક અનોખા કારણસર ચર્ચામાં આવ્યા હતા. એક જર્મન-સાઉથ આફ્રિકન મોડલ અને ઇન્ફ્લુએન્સર લિઝલાઝની તસવીર કથિત રીતે વિરાટ કોહલીએ લાઈક કરી હતી, ત્યારબાદ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા શરૂ થઈ ગઈ હતી. હવે આ સમગ્ર મામલે લિઝલાઝે એક મોટો દાવો કરીને ફરી ચર્ચા જગાવી છે. તેણે કહ્યું છે કે વિરાટ કોહલીનું નામ ઉછાળવા અને ક્રિકેટરને બદનામ કરવા માટે કેટલીક મેગેઝિન અને પત્રકારોએ તેને પૈસાની ઓફર કરી હતી. એક એન્ટરટેઇનમેન્ટ વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યુમાં લિઝલાઝે જણાવ્યું કે વિરાટ કોહલીની કથિત લાઈક પછી તેની જિંદગી રાતોરાત બદલાઈ ગઈ હતી. સોશિયલ મીડિયા પર લોકો સતત તેને મેસેજ અને કોલ કરવા લાગ્યા હતા. દરેક વ્યક્તિ એ જ વાત કરી રહી હતી કે વિરાટ કોહલીએ તેની પોસ્ટ લાઈક કરી છે. લિઝલાઝે કહ્યું કે તે પોતે વિરાટ કોહલીની મોટી ફેન છે અને આ ઘટના બાદ ખૂબ ખુશ અને ભાવુક થઈ ગઈ હતી.
તેણે કહ્યું કે તેને બિલકુલ અંદાજ નહોતો કે એક લાઈક બાદ આટલો મોટો હોબાળો મચી જશે. અલગ-અલગ મેગેઝિન અને મીડિયા પ્લેટફોર્મ્સમાંથી સતત ફોન આવવા લાગ્યા હતા. શરૂઆતમાં તેને આ બધું અચંબિત કરનારું લાગ્યું, પરંતુ થોડા સમય પછી કેટલીક ઓફરોએ તેને ચોંકાવી દીધી હતી. લિઝલાઝના જણાવ્યા અનુસાર કેટલાક પત્રકારો અને મીડિયા હાઉસોએ તેને વિરાટ કોહલી વિશે ખોટી વાતો કહેવા માટે દબાણ કર્યું હતું. તેણે દાવો કર્યો કે કેટલાક લોકોએ તો પૈસા આપવાની પણ ઓફર કરી હતી જેથી તે વિરાટ પર એવા આરોપો મૂકે જે તેમણે ક્યારેય કર્યા જ નથી. જોકે, લિઝલાઝે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તે પૈસા માટે કોઈની છબી ખરાબ કરવા તૈયાર નથી. તેણે કહ્યું, “હું આવું શા માટે કરું? મેં ખુદ કહ્યું હતું કે વિરાટ કોહલી મારા મનપસંદ ક્રિકેટર છે. પછી હું પૈસા માટે તેમના વિશે ખોટી વાતો કેમ બોલું? હું એવી વ્યક્તિ નથી.” લિઝલાઝના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ફરી એકવાર ચર્ચા શરૂ થઈ ગઈ છે.

આ આખો મામલો ત્યારે શરૂ થયો હતો જ્યારે ફોટોગ્રાફર અદ્વૈત વૈદ્યે ઇન્સ્ટાગ્રામ પર એક સ્ક્રીનશોટ શેર કર્યો હતો. તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે વિરાટ કોહલીના સત્તાવાર એકાઉન્ટ પરથી લિઝલાઝની જૂની તસવીર લાઈક કરવામાં આવી હતી. અદ્વૈતે આ અંગે એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો અને કેપ્શનમાં લખ્યું હતું કે “જ્યારે GOAT વિરાટ કોહલી તમારી પોસ્ટ લાઈક કરે ત્યારે કેવી પ્રતિક્રિયા આપવી?” આ પોસ્ટ ઝડપથી વાયરલ થઈ ગઈ હતી. લિઝલાઝ સોશિયલ મીડિયા પર ખૂબ લોકપ્રિય છે. તેના ઇન્સ્ટાગ્રામ પર 5 લાખથી વધુ ફોલોઅર્સ છે. ખાસ કરીને ભારતમાં તે પોતાના ટ્રાવેલ અને ફૂડ કન્ટેન્ટ માટે જાણીતી બની છે. ‘સમોસા સમોસા’ જેવા તેના વીડિયોઝ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા. ઇન્ટરવ્યુ દરમિયાન તેણે ફરી એકવાર જણાવ્યું કે વિરાટ કોહલી તેના ફેવરિટ ક્રિકેટર છે.
આવો વિવાદ વિરાટ કોહલી સાથે પહેલીવાર જોડાયો નથી. ગયા વર્ષે અભિનેત્રી અવનીત કૌરની એક પોસ્ટને લાઈક કરવા બદલ પણ વિરાટ ચર્ચામાં આવ્યા હતા. જોકે થોડા સમય પછી તે લાઈક ડિલીટ થઈ ગઈ હતી, પરંતુ ત્યાં સુધી સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂક્યો હતો. ત્યારબાદ વિરાટે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે ફીડ ક્લિયર કરતી વખતે ઇન્સ્ટાગ્રામના અલ્ગોરિધમની ભૂલને કારણે આ ઇન્ટરએક્શન થયું હતું અને તેનો કોઈ વ્યક્તિગત ઇરાદો નહોતો. વિરાટે લોકોને અપીલ કરી હતી કે તેઓ બિનજરૂરી વાતો અને અફવાઓ ન ફેલાવે. હવે લિઝલાઝના નવા દાવા બાદ આ સમગ્ર મામલો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવી ગયો છે.