મુંબઇ (Mumbai): ઉત્તરાખંડમાં 7 ફેબ્રુઆરીએ ચમોલી જિલ્લામાં ગ્લેશ્યિર (Uttarakhand glacier burst) તૂટી પડવાની દુર્ઘટનામાં અત્યાર સુધી 62 લોકોના શબ મળ્યા છે, જ્યારે...
તાજેતરમાં, દેશમાં થઈ રહેલા ખેડૂત આંદોલન (farmer protest) અંગે ટ્વીટ (tweet) કરીને ભારતીય મીડિયામાં ટોપ પર રહેલી પૉપ સ્ટાર રિહાન્ના (pop star...
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ( DONALD TRUMP) પ્લાઝાને હજારો ડાયનામાઇટ્સની મદદથી તોડી પાડવામાં આવ્યું હતું. અમેરિકાના એટલાન્ટિક શહેરમાં સ્થિત આ પ્લાઝા...
મુઝફ્ફરનગર (Muzaffarpur): કૃષિ કાયદા (Farm Bill 2020) સંદર્ભે છેલ્લા 85 દિવસથી ગાઝીપુર સરહદે ખેડૂત વિરોધ પ્રદર્શનને (Farmers’ Protest) વધુ મજબુત બનાવવા માટે,...
વેપારી સંગઠન સીએટીએ સરકારને એમેઝોનના ( AMAZON) ઈ-કોમર્સ પોર્ટલ અને ભારતમાં તેના કાર્યો પર પ્રતિબંધ મૂકવાની વિનંતી કરી છે. સંગઠને વૈશ્વિક ઈ-કોમર્સ...
શ્રીનગર (Srinagar): પાકિસ્તાનને અડીને આવેલા જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાન અવાર-નવાર આતંકી પ્રવૃત્તિ (terrorism activity) સતત ચાલુુ રખાવીને ખીણમાં શાંતિ પ્રવર્તવા દેતુ નથી. મોદી...
ડાંગઃ આહવા તાલુકામાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, જેમાં 14 વર્ષની કિશોરીએ બાળકને જન્મ આપતા ગામમાં ચર્ચા ફેલાઈ છે, ચોંકાવનારી વાત એ...
ભારતમાં નિર્ભયા કેસના (Nirbhaya Case) આરોપીઓને ફાંસીની સજા થયા પછી એવી આશા હતી કે ન્યાયતંત્રનો આ ચૂકાદો હવસખોરોમાં ડર પેદા કરશે અને...
જ્યારે કોઈપણ વ્યક્તિને પ્રેમમાં દગો મળે છે, ત્યારે તે ખૂબ હતાશ થઈ જાય છે. અને તેમાં પણ દગો આપનાર વ્યક્તિ આપણું પોતાનું...
PATNA : ત્રણ વર્ષ પહેલા અપહરણ કર્યું હતું અને ત્યારબાદ તેને અલગ અલગ જગ્યા પર વેચવામાં આવી.અને જ્યારે તે 3 વર્ષ પછી...
સુરત: ચેમ્બર ઓફ કોમર્સમાં સુરત એરપોર્ટના ડેવલપમેન્ટ (SURAT AIRPORT DEVELOPMENT) અને પ્રશ્નો અંગે યોજાયેલી ઉદ્યોગકારો સાથેની સંવાદ બેઠકને સંબોધતા સુરત એરપોર્ટના ડાયરેકટર...
ભારતની લોકપ્રિય ઈન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સીઝન માટે હરાજીની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. ચેન્નાઇમાં નાના સ્તરે આ હરાજીમાં ભારત અને વિદેશના...
કોંગ્રેસ ( congress) ના નેતા રાહુલ ગાંધી ( rahul gandhi) સહિતના મુખ્ય નેતાઓએ સતિષ શર્માના ( satish sharma) નિધન પર શોક વ્યક્ત...
ભારતમાં મહિલાઓ વિરુદ્ધ બળાત્કાર ચોથો સૌથી સામાન્ય ગુનો છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો (National Crime Records Bureau) (NCRB) ના 2019 ના વાર્ષિક...
સુરત : શહેરમાં ચૂંટણી પ્રચાર (ELECTION PROMOTION) ચરમસીમાએ પહોંચ્યો છે, ત્યારે વોર્ડ નંબર 7માં ભાજપના પ્રજાપતિ સમાજના ઉમેદવારોની તરફેણમાં એક તરફી સોશિયલ...
ખેડૂત આંદોલનને ( FARMER PROTEST) લગતા ટૂલકીટ કેસ ( TOOLKIT CASE) માં ધરપકડ કરાયેલી 21 વર્ષની દિશા રવિ ( DISHA RAVI) વિશે...
ફેસબુકે ઓસ્ટ્રેલિયાના યુઝર્સને તેના પ્લેટફોર્મ પર સમાચાર જોવા અથવા શેર કરવાથી બ્લોક કર્યા છે. આંતરરાષ્ટ્રીય યુઝર્સ પણ ઓસ્ટ્રેલિયાના સમાચાર જોવા અસમર્થ છે....
સુરતઃ હાલમાં સુરત મહાનગરપાલિકા (ની ચૂંટણીનો ધમધમાટ ચરમસીમાએ પહોંચ્યો છે. શહેરના દરેક વ્યક્તિના મુખ પર સુરત મનપાની ચૂંટણીની જ ચર્ચા છે. ત્યારે...
ઉત્તર પ્રદેશના ઉન્નાવની ઘટનામાં એક યુવતી હજી પણ હોસ્પિટલમાં લડી રહી છે. શુક્રવારે સવારે હોસ્પિટલ દ્વારા યુવતીની હાલત વિશે એક નવી અપડેટ આપી...
સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસનો હોદ્દો અત્યંત મહત્ત્વનો છે. અમુક અપેક્ષાએ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ભારતના વડા પ્રધાન કરતાં પણ વધુ તાકાત ધરાવે...
રાજકોટ, તા.૧૮: કચ્છની જખૌ જળ સીમાએ ફિશીંગ કરતી પોરબંદરની ૨ બોટો સાથે ૧૧ માછીમારોના પાકિસ્તાનની મરીન સિકયુરીટીએ અપહરણ કરી જતા અન્ય માછીમારોમાં...
રાજકોટ: જામનગરમાં હોમગાર્ડના જવાનો માટે પોસ્ટલ બેલેટથી મતદાન પ્રક્રિયા થઇ હતી જેમાં કોંગ્રેસ સહિતના અન્ય પાર્ટીના ઉમેદવારો અને સમર્થકો દ્વારા ફેસિલિટી સેન્ટર...
નવી દિલ્હી (New Delhi): દેશ સહિત વિશ્વભરમાં આમ તો કોરોનાનું (Corona Pandemic) જોર ઓછું થયુ છે. પણ કોરોનાના નવા તાણથી (New Variant/...
આપણે બધા જે દુનિયામાં પ્રવેશ રહયા છે એ દુનિયામાં હવે અંગત રીતે હળવુ મળવું કે ફોન જોડીને વાત કરવાની પ્રથા ઘટતી જાય...
શરીરથી બીજાની સેવા કરીએ, ધન યોગ્ય વ્યકિતને આપીએ. મનથી ભજન કરીએ, વાણી મીઠી બોલીએ એ જ જિંદગીની કમાણી છે. માનવીએ સુખી થવા...
આજે શહેરના કોઈક ને કોઈક ખૂણે સિગારેટના ધુમાડા કાઢતા કે ડ્રગ્સનું સેવન કરતા દીકરા દીકરીઓને જોઈને હ્રદય આઘાત અનુભવે છે.આ ઉગતી પેઢી...
છેલ્લા એક વર્ષથી દેશની સરકારનું અને પ્રજાનું ધ્યાન ચીનની ઘુસણખોરી અને કોરોનાની વિશ્વ વ્યાપી મહામારી એ રોકી રાખ્યું છે. ત્રીજી તરફ લાખ્ખો...
આપણાં દેશમાં અનેક વાદ ચાલે છે. જેવા કે કોમવાદ, જાતિવાદ, ધર્મવાદ, પલાયનવાદ, સગાવાદ, મિત્રવાદ વિગેરે વિગેરે પરંતુ આતંકવાદી પરિબળોને લોકો ઘાતકી અને...
સાત અક્ષરોમાં સમાયેલ આ ચર્ચાપત્ર વિશ્વની સમગ્ર માનવ જાતને પ્રેમના બંધને બાંધવા સક્ષમ છે. એ જ પ્રમાણે તારું અને મારું આ બે...
એક દિવસ ઈશ્વરે પોતાના ખાસ દેવદૂતને બોલાવીને કહ્યું, ‘તારે મારાં કામ કરવા પૃથ્વી પર જવાનું છે.તું મારાં કામ કરીશ એટલે તે પાર...
કોવિડ-19 વેક્સિનની આડઅસરોને કારણે થયેલા કથિત મૃત્યુ સંબંધિત અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. કોર્ટએ રસીકરણ પછી થતી આડઅસરોની તપાસ માટે નવી નિષ્ણાત પેનલ બનાવવાનો ઇનકાર કર્યો છે, પરંતુ કેન્દ્ર સરકારને ગંભીર પ્રતિકૂળ અસરનો સામનો કરનારા લોકોને વળતર આપવા માટે ખાસ નીતિ તૈયાર કરવાની સૂચના આપી છે. સાથે જ રસીકરણ પછી નોંધાતી આડઅસરો અંગેનો ડેટા સમયાંતરે જાહેર કરવા પણ કહ્યું છે. મંગળવારે જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી. અરજીમાં કોવિડ-19 રસી લીધા પછી કથિત આડઅસરોને કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારોને વળતર આપવાની માંગ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ અરજીઓનો નિકાલ કરતાં જણાવ્યું કે રસીકરણ પછીની આડઅસરો પર નજર રાખવા માટે હાલ જે સિસ્ટમ કાર્યરત છે, તે ચાલુ રહેશે.
કોર્ટે કહ્યું કે વર્તમાન વ્યવસ્થાને ધ્યાનમાં રાખતા રસીકરણ પછીની આડઅસરોની તપાસ માટે અલગ સમિતિ બનાવવાની જરૂર નથી. જોકે, કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ નિર્ણયનો અર્થ એવો નથી કે કોઈ વ્યક્તિ કાનૂની માર્ગ અપનાવી શકતો નથી. કોઈપણ વ્યક્તિ પોતાની ફરિયાદ માટે કોર્ટનો આશરો લઈ શકે છે. સુપ્રીમ કોર્ટે એ પણ જણાવ્યું કે વળતર નીતિ બનાવવાનો અર્થ એવો નહીં થાય કે ભારત સરકાર અથવા અન્ય કોઈ સત્તાવાળાએ પોતાની ભૂલ કે કાનૂની જવાબદારી સ્વીકારી લીધી છે. આ અરજી બે છોકરીઓના માતાપિતાએ દાખલ કરી હતી. તેઓએ દાવો કર્યો હતો કે તેમની દીકરીઓનું મૃત્યુ કોવિડ વેક્સિનની આડઅસરને કારણે થયું હતું. અરજીમાં સ્વતંત્ર સમિતિ દ્વારા મૃત્યુની તપાસ, શબપરીક્ષણ અને તપાસ અહેવાલો જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી. સાથે જ મૃતકોના પરિવારને નાણાકીય વળતર આપવા પણ માંગ કરવામાં આવી હતી.
એક કેસમાં વેણુગોપાલ ગોવિંદને દાવો કર્યો હતો કે તેમની પુત્રી કરુણ્યાનું 2021માં કોવિશિલ્ડ વેક્સિન લીધા પછી એક મહિનામાં મૃત્યુ થયું હતું. સરકાર દ્વારા રચાયેલી રાષ્ટ્રીય સમિતિએ તપાસ બાદ જણાવ્યું હતું કે મૃત્યુનું કારણ વેક્સિન હોવાનો પૂરતો પુરાવો મળ્યો નથી. બીજા કેસમાં એક 8 વર્ષની બાળકીના પરિવારે જણાવ્યું હતું કે કોવિશિલ્ડનો પહેલો ડોઝ લીધા પછી થોડા જ દિવસોમાં તાવ અને ઉલટીની ફરિયાદ શરૂ થઈ હતી. બાદમાં તપાસમાં મગજમાં બ્લડ ક્લોટિંગ અને બ્રેઈન હેમરેજ હોવાનું સામે આવ્યું હતું. RTI દ્વારા મળેલી માહિતી મુજબ બાળકીમાં થ્રોમ્બોસિસ વિથ થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ (TTS) જોવા મળ્યો હતો, જેને વેક્સિન સંબંધિત પ્રતિક્રિયા તરીકે દર્શાવવામાં આવ્યું હતું. આ મામલે સુપ્રીમ કોર્ટે સરકારને સ્પષ્ટ વળતર નીતિ બનાવવાની દિશામાં પગલા લેવા કહ્યું છે, જેથી રસીકરણ પછી ગંભીર આડઅસરનો સામનો કરનારા લોકોને યોગ્ય સહાય મળી શકે.