National

દીકરો પ્રગતિમાં અડચણરૂપ હોવાનું તાંત્રિકે કહેતા ઓટો ડ્રાઇવરે પાંચ વર્ષના બાળકને સળગાવી નાખ્યો

તમિલનાડુના તિરુવરુરમાં એક હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક પિતાએ તેના બાળકને મોતને ઘાટ ઉતારી દીધો હતો કારણ કે જ્યોતિષે તેને કહ્યું કે તે તેના બાળકને કારણે જીવનમાં પ્રગતિ કરી શકશે નહીં. રામકી નામના ઓટો ડ્રાઇવરે ( AUTO DRIVER) તેના પાંચ વર્ષના માસૂમ બાળકને પેટ્રોલ નાખીને આગ ચાંપી દીધી હતી જેનાથી આવનાર દિવસોમાં તેનું નસીબ ચમકે,રામકીએ એક જ્યોતિષના કહ્યા બાદ આમ કર્યું હતું જેના પગલે તેનું મોત નીપજ્યું હતું.

ઘટનામાં મળતી માહિતી મુજબ જ્યોતિષને મળ્યા બાદ રામકી તેના બાળકને ભણવા માટે સંબંધીઓને ત્યાં મોકલવા માંગતો હતો. પરંતુ આ બાબતે રામકી અને તેની પત્ની વચ્ચે વિવાદ થયો હતો. સોમવારે રામકી દારૂ પીધા બાદ તેના ઘરે આવ્યો હતો. જે બાદ ફરી એકવાર પુત્રને ઘરેથી મોકલવાની બાબતે ઝઘડો થયો હતો. બંને વચ્ચેનો સંઘર્ષ એટલો વધી ગયો કે રામકીએ ગુસ્સામાં તેના પાંચ વર્ષના પુત્રને પેટ્રોલ નાખીને આગ ચાંપી દીધી. બાળકને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મૃત્યુ થયું હતું. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

તામિલનાડુમાં મીડિયા આ વાત પર સવાલો ઉઠાવી રહ્યું છે કે એક પિતાએ તેનાજ ભવિષ્ય માટે 5 વર્ષના માસૂમ બાળકને જીવતું સળગાવી દીધું. એવું પણ કહેવામા આવી રહ્યું છે કે રામકીએ જ્યોતિષના કહ્યા માં નહીં પરંતુ ગુસ્સામાં આવીને બાળકને પેટ્રોલ નાખી જીવતું સળગાવી નાખ્યું હતું. અપરાધીને આ ગુનામાં જલ્દી સજા મળવી જોઈએ કારણકે આજના જમાનમાં આવા ઉદાહરણો માનવ સમાજ માટે ખતરા રૂપ છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top