Dakshin Gujarat

ભરૂચમાં હું જરા દુકાને જઈને આવું છું માતાને કહી સગીરા ઘરેથી નીકળી તો ગઈ પરંતુ પછી થયું કંઈક એવું કે…

સુરત: ભરૂચના (Bharuch) કસક વિસ્તારમાં એક સગીરા વિધર્મી પરિણીત યુવક સાથે ભાગી જવાની ઘટના બનતાં પોલીસ (Police) ફરિયાદ (Complaint) નોંધાઈ હતી. ભરૂચના કસક વિસ્તારમાં એક સગીરાએ પોતાની માતાને (Mother) કહ્યું કે, હું જરા દુકાને જઈને આવું છું. સગીરા દુકાને ગયા બાદ લાંબો સમય વીતવા છતાં પરત ઘરે આવી ન હતી. આથી તપાસ કરતાં સગીરાને વિધર્મી પરિણીત યુવક સરફરાજ સુલેમાન પટેલ સાથે પ્રેમસંબંધ હોવાથી ભાગી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. જો કે, વિધર્મી પરિણીત યુવકની અગાઉની પત્નીનું મૃત્યુ થયું હતું. ભરૂચ સી-ડિવિઝનમાં વિધર્મી યુવક સામે સગીરાને લગ્નની લાલચે અપહરણ કરી જવા સાથે પોક્સો, એટ્રોસિટીનો ગુનો નોંધાયો હતો.

અંકલેશ્વરમાં લગ્નની લાલચે 13 વર્ષીય કિશોરીને ભગાડી જનારો ઝડપાયો
અંકલેશ્વર: અંકલેશ્વરના એક ગામની સોસાયટીમાં રહેતી 13 વર્ષીય કિશોરીને અંકલેશ્વરના કોસમડી વિસ્તારમાં આવેલી લાલ કોલોની ખાતે રહેતો સુમિત વસાવા લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. આ અંગે જી.આઈ.ડી.સી. પોલીસે અપહરણ અંગેની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન પોલીસે આરોપી સુમિત વસાવાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઝડપાયેલા આ આરોપી સુમિત વસાવાનો મિત્ર દીપક યુવરાજ તડવી પણ આ અગાઉ સગીરાઓને ભગાડી જવાનું કાવતરું રચતો હતો. આ ઘટનામાં પણ બંને ઈસમે પ્લાન બનાવીને સગીરાને રિક્ષામાં ભગાડી જવાનું કૃત્ય કર્યું હતું. જે અંગે પર્દાફાશ થતાં પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top